શુક્રવારે પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો હતો પરંતુ ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેમને નિષ્ફળ બનાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. આજે શનિવારે રક્ષા મંત્રાલય ઓપરેશન સિંદૂર અંગે પ્રેસકોન્ફરન્સ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ અને તમામ સશસ્ત્ર દળોના વડાઓ સાથે લાંબી બેઠક કરી. અગાઉ વિદેશ મંત્રાલય અને સેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કરીને ભારતના અનેક લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને પોતાના એરપોર્ટ પર નાગરિક વિમાનોનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે 7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ લશ્કરી માળખાને નિશાન બનાવવાના ઈરાદાથી સમગ્ર પશ્ચિમ સરહદ પર અનેક વખત ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો.