સુરતના મનિષ સોલંકી પરિવારના સામૂહિક -આપઘાત પાછળ પઠાણી ઉઘરાણી કારણભૂત

Share this story

સુરતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સુરતમાં અડાજણ સામુહિક આપઘાત કેસ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા થયાનું ખુલ્યું હતું. આ સાથે પરિવારના બાકીના સભ્યોને સોડામાં ઝેરી દવા મિક્સ કરી પીવડાવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,આ તરફ સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શોધવા પોલીસની મથામણ યથાવત છે. આ તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતક મનીષભાઈ સોલંકી સામે ફરિયાદની તજવીજ પણ હાથ ધરી હતી.રતમાં મનિષ સોલંકીના પરિવાર સહિતની સામુહિક આત્મહત્યા કેસને લઈને રાજ્ય આખામાં ચકચાર જાગી હતી. આ પ્રકરણમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં પોલીસે કરેલી તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મનિષ સોલંકી સહપરિવાર સામુહિક આત્મહત્યા પૂર્વે બીજી ચિઠ્ઠી લખી હતી. જેમાં મનિષ સોલંકીની આત્મહત્યાનું કારણ ધંધાના ભાગીદારનું દબાણ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

તપાસમાં સામે આવ્યું કે મનિષ સોલંકીએ ઇન્દ્રપાલ નામની વ્યક્તિ સાથે ભાગીદારીમાં હાર્ડવેરનો ધંધો શરૂ કર્યો હતો. હાર્ડવેરના અનેક બિલ એક સાથે આપ્યા હતા અને મોટી રકમની લોન પણ મનિષ સોલંકી પાસે લેવડાવી હોવાનું પણ બહાર આવ્યું છે. બાદમાં દિવાળી સમયે પેમેન્ટ આપવા ઇન્દ્રપાલ શર્મા દબાણ કરતો હતો અને આ અંગે ચિઠ્ઠીમાં ઉલ્લેખ પણ કરાયો છે. ત્યારબાદ ઇન્દ્રપાલના દબાણને લઈને મનિષ સોલંકીએ સહપરિવારનું જીવતર ઝેર થયું હતું. જેથી તમામેં અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે. આથી અડાજણ પોલીસે ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.

સુરતના પાલનપુર જકાતરોડ પર સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા મનીષ સોલંકીએ પરિવારના ૭ સભ્યો સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. મૃતકોમાં ફર્નિચર વેપારી મનીષ સોલંકી, તેમના પિતા કનુભાઈ, માતા, મનીષભાઈના પત્ની રીટાબેન, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ સામેલ છે. સામૂહિક આપઘાતની ઘટનામાં પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પ્રાથમિક અનુમાન હતું, પરંતુ માતા-દિકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત ગળુ દબાવવાથી થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાદમાં સામૂહિક આપઘાતના બનાવની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી હતી.

આ પણ વાંચો :-

 

નીતિશ કુમારને મહિલા પંચે કેમ આપી નોટિસ વિગતે જાણો

હાર્દિક પટેલની કેશ મુક્તિની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી