Home Blog Page 413

અહમદાબાદ પ્લેન ક્રેશથી લઈને પહલગામ હુમલા સુધી, છેલ્લાં 6 મહિનાના 5 મોટા દુર્ઘટનાઓ

ગુજરાતના અમદાવાદમાં થયેલા એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા હતા. અમદાવાદથી લંડન જતું વિમાન ટેકઓફ કર્યાની થોડીક સેકન્ડ પછી એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું. આના કારણે ઇમારતમાં રહેતા લોકોને પણ નુકસાન થયું હતું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોમાંથી 241 લોકો વિમાનમાં સવાર હતા. જે ઇમારતમાં વિમાન અથડાયું હતું ત્યાં અન્ય લોકો હાજર હતા. જોકે, આ વર્ષનો આ પહેલો મોટો અકસ્માત નહોતો. આ પહેલા પણ આ વર્ષે છ મહિનામાં દેશમાં પાંચ મોટા અકસ્માતો થયા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા અને બધાને આઘાત લાગ્યો હતો.

અમદાવાદ વિમાન દુર્ઘટના
12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એક વિમાન ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. વિમાનમાં રહેલા અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અભિનેતા સંજય કપૂર પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ હતા. આ વિમાન એક રહેણાંક ઇમારત સાથે અથડાયું હતું. આવી સ્થિતિમાં, ઇમારતમાં હાજર લોકોનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કુલ ૨૬૫ લોકોના મોત થયા હતા.

મહાકુંભમાં ભાગદોડ
પ્રયાગરાજમાં મહા કુંભ મેળા દરમિયાન, મૌની અમાવસ્યા (28-29 જાન્યુઆરી 2025) ની રાત્રે લગભગ 1:30 વાગ્યે સંગમ નાક વિસ્તારમાં ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ. આ અકસ્માત મુખ્યત્વે બેરિકેડ તોડવા અને અંધાધૂંધીને કારણે થયો હતો. કેટલાક લોકો સ્નાન માટે સંગમ જવા પર અડગ હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. સરકારી આંકડાઓ અનુસાર, 37 લોકો મૃત્યુ પામ્યા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પહેલગામ આતંકવાદી હુમલો
એપ્રિલ 2025 માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે પ્રખ્યાત બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં કર્ણાટક, ઓડિશા, કાનપુર વગેરે રાજ્યોના લોકોનો સમાવેશ થતો હતો. આ હુમલામાં કર્ણાટકના એક રિયલ એસ્ટેટ એજન્ટ, ઓડિશાના એક એકાઉન્ટન્ટ અને કાનપુરના એક ઉદ્યોગપતિ જેવા લોકો માર્યા ગયા હતા.

દિલ્હીમાં નાસભાગ
15 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રે 09:26 વાગ્યે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ. આ સમયે લોકો મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનોની રાહ જોઈ રહ્યા હતા. આ અકસ્માત પ્લેટફોર્મ ૧૪ અને ૧૫ પર થયો હતો, જ્યાં વધુ પડતી ભીડ અને ગેરવહીવટને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. જેમાં 14 મહિલાઓ, 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ભાગદોડમાં ૨૫ થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા. પ્રયાગરાજ માટે ખાસ ટ્રેનની જાહેરાત અને પ્લેટફોર્મ બદલવાની અફવાને કારણે આ અકસ્માત થયો હતો. ફૂટ ઓવરબ્રિજ પર મુસાફરો એકબીજા પર પડ્યા હતા. આ સમય દરમિયાન, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે RPF જવાનો પણ પૂરતી સંખ્યામાં તૈનાત ન હતા.

બેંગ્લોરમાં ભાગદોડ
2025 માં બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ચેમ્પિયન બન્યા બાદ વિજય ઉજવણી દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 35000 દર્શકોની ક્ષમતા છે, પરંતુ લાખો લોકો અહીં પહોંચ્યા હતા. જ્યારે આ લોકોને અંદર જવા દેવામાં આવ્યા નહીં, ત્યારે ભીડે ગેટ તોડી નાખ્યો. જેના કારણે નાસભાગ મચી ગઈ.

૧૩ જૂન, ૨૦૨૫/ આ રાશિ માટે શુક્રવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

આવક‌નું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેેમ જળવાય. મિલકત અંગેના અગત્યના નિર્ણયાે ટાળવા. આર્થિક રોકાણ કરતી વખતે સાવચેતી જરૂરી. વાહન સાચવીને ચલાવવું. પત્નિ સાથે મનમેળ જળવાય.

વૃષભઃ-

નાણાં‌કીય પાસુ મજબૂત ‌બનતું જણાય. પરિવાર માં સ્નેહનું વાતાવરણ રહેશે. આનંદ-ઉત્સાહ માં વધારો થતાે જણાય. દામ્પત્ય જીવનમાં સ્નેહ નું વાતાવરણ જળવાય.ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ-

નાણાંનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારના સ્ત્રી વર્ગ નું આરોગ્ય કથળતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. ચામડીના રોગોની કાળડી રાખવી. દંગા-ફટકાનો ભોગ ન બનાય એની સાવચેતી જરૂરી.

કર્કઃ-

દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય.નાણાં ની ધુટ વર્તાય. સંતાનની પ્રગતિ ના સાક્ષી બની શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા. પત્નિ સાથે આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ-

થોડી માનસિક ચિંતા રહે. શરદી ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય બાબતો અંગે લાભ. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય. નવા વાહન ની ખરીદી શકય બને. માતા-પિતા નું આરોગ્ય જળવાય.

કન્યાઃ-

કરેલા કાર્યાે સફળ થતા જણાય. પરિવારમાં સુખ શાંતિ-સંપ જળવાય. નાના. યાત્રા પ્રવા, ના યોગ બને છે. ભાગ્ય બળવાન બનતા ઓછી મહેનતે વધુ લાભ મળે. આરોગ્ય જળવાશે.

તુલાઃ-

મોજશોખમાં ખર્ચ વધે સાથેસાથે આવકનું પ્રમાણ પણ જળવાય. નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. માતૃસુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્યનો સાથ મળતો છે.

વૃશ્ચિકઃ-

માનસિક આનંદ બરકરાર રહે. હોંશયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકારનો દુરુપયોગ ન કરવો. વાણી ઉપર કાબુ રાખવો. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. કરિયાણા, શાકભાજી, ધાતુ ના ધંધા માં લાભ.

ધનઃ-

માનસિક અશાંતિ વધે. નકારાત્મક વિચારો વધે. પાણી થી દૂર રહેવું. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી.સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ-

મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી ની વડે. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાં નો બગાડ અટકાવવો. કોસ્મેટ‌ીકસ, સ્ત્રી શણગારનો ધંધામાં લાભ.

કુંભઃ-

નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ વધતો જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. આવકનું પાસુ જ‍ળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવા.સંતાનો સાથે શાંતિ રાખવી.

મીનઃ-

ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ સફળતા મળે. નાણાંકીય બાબતોમાં આનુકુળતા જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. પિતાની તબિયત સાચવવી.માનાદાનિ ના યાેગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું.

૧૪ જુન, ૨૦૨૫ / શનિવારના દિવશે આ રાશિના જાતકને મળશે શુભ સમાચાર, આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક અાનંદ જળવાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. જવાબદારી વધે. પરિવાર ના સભ્યો વચ્ચે પ્રેમ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. નસ ખેંચાઇ જવી, સ્નાયુ ના દુઃખાવા ની કાળજી રાખવી.

વૃષભઃ

માનસિક ઉચાટ રહે. ખર્ચ નું પ્રમાણ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ધારેલી અાવક અટકતી જણાય. સંતાન તરફ થી ચિંતા રહે. નોકરી-ધંધા માં શાંતિ નું વાતાવરણ રહેતું જણાય.

મિથુનઃ

દિવસ દરમ્યાન અાનંદ નું વાતાવરણ રહેશે. પરિવાર માં શાંતિ અને સંપ જળવાશે. નોકરી-ધંધા માં અનુકુળ વાતાવરણ નું નિર્માણ થાય. અાર્થિક લાભ મેળવવો શક્ય બને. પત્નિ ની તબિયત નરમ ગરમ રહે.

ક્રર્કઃ

માનસિક ઉચાટ અનુભવાય. છતાં પૈસાની અાવક અાવતી અનુભવી શકાય. માતૃસુખ સારૂ મળે. સત્તા હોદ્દો, ંમાન વધતા જણાય. અારોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. ગેસ અેસીડીટી જેવી પેટ ની તકલીફો રહે.

સિંહઃ

મિજાજ થોડો ગરમ રહે. સ્પષ્ટ વક્તા બનવાને કારણે લોકો માં અપ્રિય થવાય. અાથી મગજ શાંત રાખવું. સંતાનો ની પ્રગતિ થી અાનંદ અનુભવાય. ભાગ્ય નો સાથ મળતો જણાય.

કન્યાઃ

દિવસ ની શરૂઅાત ખુશ ખુશાલ રીતે થાય. મનમાં તથા પરિવાર માં સુખ શાંતિ રહે. સંતાનો તરફથી અાનંદ નો અનુભવ થાય. નવી વાત વાંચવા કે જાણવા મળે. પડવા વાગવા થી સાવધાની જરૂરી.

તુલાઃ

મોજશોખ ની વસ્તુઅોની ખરીદી શક્ય બને. નવી વસ્તુઅોનો ઉપયોગ કરી શકાય. કરેલા કાર્ય ના સારાફળ મળતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. પેટ છાતી ની તકલીફ થી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ

સ્વભાવ માં ઉગ્રતા વર્તાય. અાર્થિક લાભ ના યોગ બને છે. પરિવાર માં થોડો અજંપો રહે. વિલંબે કાર્ય સફળતા મળતી જણાય છે. સંતાન તરફ થી અાનંદ. ભાગ્ય મજબૂત બનતું જણાય છે.

ધનઃ

દિવસ ની શરૂઅાત ખૂબ સુંદર રીતે થાય. મન ચંચળ રહે. પૈસાની અાવક અાવતી જણાય. જીવનસાથી સાથે પ્રેમ અનુભવાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને.

મકરઃ

માનસિક રીતે મુંઝવણ વધતી જણાય. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. અાકસ્મિક ખર્ચ ઉદભવતો જણાય. પરિવાર ના સ્ત્રી વર્ગ ની તબિયત સાચવવી. દામપત્ય સુખ માં અાનંદ ની વૃધ્ધિ થતી જણાય.

કુંભઃ

દિવસ દરમ્યાન ખૂબ જ શક્તિનો અનુભવ કરી શકશો. સ્થાવર-જંગમ મિલકત થી ફાયદો થતો જણાય. લક્ષ્મી નું સુખ સારૂ મળે. મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. પત્નિ ના સ્વભાવ માં ઉગ્રતા જણાય.

મીનઃ

દિવસ ની શરૂઅાત અાનંદ થી થાય. નિર્ણય લેવા માં મન દ્વિધા અનુભવે. નાના ભાઇ બહેનો સાથે મતભેદ ની શક્યતા. જમીન-મકાન અંગેના નિર્ણયો લેવાનું ટાળવું. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. મિત્રો થી લાભ.

વિમાન દુર્ઘટના : ટાટા ગ્રુપ મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં લખ્યું છે કે, “એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે થયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ ક્ષણે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તેનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. અમારા સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે.”

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, “ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોના તબીબી ખર્ચનો પણ ભોગ લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ.”

વિમાન દુર્ઘટનામાં અનેક યાત્રીઓના મોત, એક મુસાફર જીવતો મળ્યો, અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની ઘટના અંગે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાના વિમાનમાં સવાર ઘણા લોકોના મોત થયા છે. એક પણ વ્યક્તિ બચી શકી નથી. અમદાવાદ કમિશનરે માહિતી આપી છે કે વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1 મુસાફર જીવતો મળી આવ્યો છે. તેમણે કહ્યું છે કે વધુ મુસાફરો જીવતા હોવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં પાઇલટ અને ક્રૂ મેમ્બર્સ સહિત 242 લોકો સવાર હતા. આમાંથી 169 ભારતીય નાગરિક, 53 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા.

વિમાન ક્રેશ થયું ત્યાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર અને અન્ય રહેણાંક વિસ્તારો એવા છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘાયલ થયા છે. લગભગ 50 ઘાયલ લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમની હાલત ગંભીર પણ સ્થિર છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુરત કોસંબાના દંપત્તિનું પણ મોત

અમદાવાદમાં એર ઈન્ડિયાની એઆઈ ૧૭૧ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરત જિલ્લાનાં કોસંબા તરસાડીનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. અત્રે આ દંપત્તિ લંડન ખાતે સ્થાયી તેમની પુત્રી અને જમાઈને ત્યાં જઈ રહ્યાં હતાં હોવાની માહિતી સાંપડી રહી છે.વધુમાં અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં આશરે ૨૪૨ જેટલાં પેસેન્જરો‌ સવાર હોય જેમાં મોટાભાગનાં લોકો મોત થયા હોવાની માહિતી સાંપડી રહી છે.જોકે હજુ સુધી મોતનો આંકડો સત્તાવાર રીતે જાણી શકાયું નથી.

અત્રે પ્રાપ્ત માહિતીને અનુસાર અમદાવાદથી લંડન જતું એઆઈ ૧૭૧ પ્લેન ટેક ઓફ કરતી વેળાએ અમદાવાદનાં મણીનગર વિસ્તારમાં આવેલી એક મેડિકલ કોલેજની હોસ્ટેલનાં બિલ્ડીંગનાં ભાગ સાથે પ્લેન ટકરાતાં ભયાનક દુર્ઘટના સર્જાતાં આખેઆખું પ્લેન આગની લપેટમાં આવી જતાં લોકો બળીને ભડથું થઈ ગયાં હતાં.અત્રે આ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં કોસંબા તરસાડીનાં અર્જુનસિંહ ઉદયસિંહ વાંસદિયા અને તેમનાં ધર્મપત્ની દિવ્યાબેન અર્જુનસિંહ વાંસદિયાનું અવસાન થયું હતું.

આ પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનામાં કોસંબાનાં ક્ષત્રિય સમાજનાં અગ્રણી આગેવાન દંપત્તિએ જાન ગુમાવ્યાનાં સાંભળતા જ કોસંબા તરસાડી પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.દરમ્યાન આ મૃતક દંપત્તિનાં પરિવારજનો શોકમગ્ન હાલતમાં અમદાવાદ જવાં રવાના થયા હોવાની માહિતી સાંપડી છે.આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જુનાં તરસાડી ગામનાં ક્ષત્રિય સમાજનાં દંપત્તિનું અકાળે મોત નિપજતાં સર્વત્ર શોકનો માહોલ સર્જાયો છે.

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં સુરતના બે, વાપીના એક પરિવારનો કરુણ અંત, શહેરમાં શોકની લાગણી

એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી ક્રેશ થઈ ગઈ. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉડાન ભરેલા બોઇંગ 787-8 વિમાનમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે વધુ માહિતી પૂરી પાડવા માટે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.

આ વિમાનમાં સુરતના રહેવાસી અકિલ તથા ડૉ. હિતેશ શાહ તેમના પરિવાર સાથે લંડન જવા નીકળ્યા હતા, પરંતુ દુર્ઘટનાએ આખા શહેરને આઘાતમાં મૂક્યું છે. 34 વર્ષીય અકિલ પઠાણ, પત્ની હાનાબેન (32) અને પુત્રી સારા (6) સાથે લંડનમાં રહેતા હતા. તેઓ ગયા શુક્રવારે બકરી ઈદની ઉજવણી માટે સુરત આવ્યા હતા. રામપુરાની મનારેસિડન્સી ખાતે રહેતા તેમના પિતા અબ્દુલા નાનબાવા સાથે ઈદ ઉજવી હતી.

દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના તબીબ ડૉ. હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન પણ સવાર હતા. અડાજણ પાટિયા પાસેની સુગમ સોસાયટીના રહેવાસી ડૉ. શાહ સ્મિત હોસ્પિટલ ચલાવતા હતા. તેઓ તંદુરસ્તી સંબંધિત સારવાર માટે લંડન જઈ રહ્યા હતા, જ્યાં તેમની બહેન પણ વસે છે.

શહેરના બંને પરિવારના મોતની ખબર મળતાં સમગ્ર સુરતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક નાગરિકો, તબીબી જગત અને સમાજના અગ્રણીઓએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. સરકાર તરફથી દુર્ઘટનાની તપાસ અને મદદની કામગીરી ચાલુ છે.

વાપીના બદરૂદીન હાલાણી અને તેના પત્ની આ વિમાનમાં યુકે અને યુ. એસ.ના પ્રવાસે જઈ રહ્યા હતા.

વિમાન દુર્ઘટનાનો દહેશતજનક ઇતિહાસ: છેલ્લા 15 વર્ષમાં થયેલી મોટી દુર્ઘટનાઓ એક નજરે

0

ગુરુવારે બપોરે ગુજરાતના અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 એ અમદાવાદથી બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ દરમિયાન ક્રેશ થઈ ગઈ. વિમાનમાં 242 લોકો સવાર હતા. વિમાન બપોરે 1.40 વાગ્યે ક્રેશ થયું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કયા મોટા વિમાન અકસ્માતો થયા છે?

કોઝિકોડ વિમાન દુર્ઘટના (૨૦૨૦)
7 ઓગસ્ટ 2020 ના રોજ, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ દુબઈથી કોઝિકોડ આવી રહી હતી. લેન્ડિંગ દરમિયાન, વિમાન રનવે પર લપસી ગયું અને ક્રેશ થયું. વિમાન રનવેના છેડાથી નીચે ઉતરી ગયું અને ખાડામાં પડી ગયું. 17 મુસાફરો અને ક્રૂ સભ્યો (બંને પાઇલટ સહિત) માર્યા ગયા અને 138 લોકો ઘાયલ થયા.

પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ (2018)
13 જાન્યુઆરી 2018 ના રોજ, મુંબઈના દરિયા કિનારે પવન હંસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ૫ વરિષ્ઠ ONGC અધિકારીઓ સહિત કુલ 7 લોકોના મોત થયા હતા.

આસામમાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટના (૨૦૧૮)
15 ફેબ્રુઆરી 2018 ના રોજ, આસામમાં ભારતીય વાયુસેનાના માઇક્રોલાઇટ હેલિકોપ્ટરના દુર્ઘટનામાં બે પાઇલટના મોત થયા હતા.

એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 812 (2010)
22 મે 2010 ના રોજ, દુબઈથી મેંગલોર પરત ફરતી એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-800 ફ્લાઇટ રનવે પરથી લપસી ગઈ અને લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં 158 લોકો મૃત્યુ પામ્યા.

બોઇંગ 737 વિમાન દુર્ઘટના (2000)
૧૫ નવેમ્બર 2000 ના રોજ, ભારતીય વાયુસેનાનું બોઇંગ 737 વિમાન કાશ્મીરના પર્વતીય પ્રદેશમાં ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા.

પટના વિમાન દુર્ઘટના (2000)
17 જુલાઈ 2000 ના રોજ, પટનામાં ઉતરાણ કરતી વખતે એક બોઇંગ 737-200 એરપોર્ટથી બે કિલોમીટર દૂર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 55 લોકો માર્યા ગયા હતા.

અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા, ઇજાગ્રસ્તોની સ્થિતિ વિશે માહિતી મેળવી

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટના જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી હતી અને ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

આ ભયાનક અકસ્માત બાદ તેમણે તાત્કાલિક ધોરણે બચાવ અને રાહત કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી હતી. તેમણે ઘાયલ મુસાફરોને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં યુદ્ધના ધોરણે તમામ તબીબી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશ આપ્યા હતા.

ગુજરાત સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.

એર ઇન્ડિયા દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સુરતના અકિલભાઈનો પરિવાર હતો સવાર

અમદાવાદમાં થયેલી દુખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં સુરતના રહેવાસી અકિલ પઠાણ અને તેમનો પરિવાર આ પ્લેનમાં લંડન જઈ રહ્યો હતો. લંડન નિવાસી 34 વર્ષીય અકિલ પઠાણ તેમના પત્ની હાનાબેન (32) અને પુત્રી સારા (6) સાથે બકરી ઈદની ઉજવણી માટે ગયા શુક્રવારે સુરત આવ્યા હતા.

સુરતના રામપુરા વિસ્તારમાં આવેલી મનારેસિડેન્સી ખાતે રહેતા અકિલના પિતા અબ્દુલા નાનાબાવા સાથે તેઓએ બકરી ઈદ ઉજવી હતી. ઈદ બાદ તેઓ લંડન પરત ફરવા અમદાવાદથી ફ્લાઇટ પકડવા નીકળ્યા હતા, ત્યારે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આખો પરિવાર સવાર હતો.

અકીલનો જન્મ લંડનમાં થયો હતો અને તેઓ ત્યાં જ વ્યવસાય કરતા હતા. ભારતીય મૂળ હોવા છતાં તેઓ દર વર્ષે ઈદ જેવી ખાસ તહેવાર માટે ભારત આવતાં.