Home Blog Page 378

ગુજરાતના નવસારી સહિત 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણના જિલ્લાઓના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો થવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે 10મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયામાં ના જવાની સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જેના કારણે હળવા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. દક્ષિણના જિલ્લાઓમાં 17મી જુલાઈ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે.

છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ, નિઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગની જિલ્લામાં સારો વરસાદ થયો છે. ગુજરાતમાં સર્વત્ર વરસાદની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 4.43 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે, તેની સામે ગુજરાતમાં સરેરાશ 11.55 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત પણ થયાં છે. પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ હોવાનું લાગી રહ્યું છે.

FATF નો મોટો ખુલાસો: પુલવામા હુમલામાં ઈ-કોમર્સ સાઇટ્સથી ખરીદાયા વિસ્ફોટક, જાણો સમગ્ર મામલો ?

0

વિશ્વમાં આતંકવાદી ભંડોળ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ના નવા રિપોર્ટમાં એક મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠનો હવે હથિયારો ખરીદવા અને ભંડોળ મેળવવા માટે ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન પેમેન્ટ સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

FATF એ ભારતના બે મોટા કેસ, 2019 પુલવામા હુમલો અને 2022 ગોરખનાથ મંદિર હુમલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ ઘટનાઓમાં ઓનલાઇન પ્લેટફોર્મ્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પુલવામા હુમલામાં IED બનાવવા માટે એમેઝોનથી એલ્યુમિનિયમ પાવડર મંગાવવામાં આવ્યો હતો, જેનાથી વિસ્ફોટની શક્તિ અનેકગણી વધી ગઈ હતી. જ્યારે ગોરખનાથ મંદિર હુમલામાં આરોપીએ PayPal દ્વારા લગભગ 6.7 લાખ રુપિયા વિદેશમાં મોકલ્યા અને VPN સેવાનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છુપાવ્યું હતું.

આતંકવાદી ભંડોળ પર FATFનો મોટો ખુલાસો
રિપોર્ટ અનુસાર આતંકવાદીઓ હવે ઇ-કોમર્સથી 3D પ્રિન્ટર, કેમિકલ્સ અને હથિયારોના પાર્ટ્સ પણ મંગાવી રહ્યા છે. કેટલાક સંગઠન પોતાના પ્રોપેગેન્ડા મટેરિયલ, કપડાં, પુસ્તકો અને સંગીત વેચીને ફંડિંગ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ Amazon થી એલ્યુમિનિયમ પાઉડર મંગાવીને IED વિસ્ફોટની તાકાત વધારી દીધી હતી.

આ ઉપરાંત FATF એ એમ પણ કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ફિનટેક અને ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગથી આતંકવાદીઓને સસ્તો, ઝડપી અને ઓછા ટ્રેસ થાય તેવા રસ્તા આપ્યા છે. આતંકવાદીઓ હવે ઈ-કોમર્સમાંથી 3D પ્રિન્ટેડ હથિયારો, કેમિકલ્સ અને અન્ય સાધનો ખરીદી રહ્યા છે. FATF એ એમ પણ કહ્યું હતું કે કેટલાક દેશોની સરકારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદીઓને ભંડોળ, તાલીમ અને લોજિસ્ટિકલ સહાય પૂરી પાડી રહી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર આવા આરોપો લગાવી રહ્યું છે.

ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી પડશે
FATF એ સભ્ય દેશોને ચેતવણી આપી છે કે તેઓએ VPN, P2P ચુકવણીઓ અને ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી પડશે, કારણ કે આ હવે આતંકવાદીઓ માટે સંસાધનો એકત્ર કરવાનું એક નવું માધ્યમ બની ગયું છે. FATF એ બધા દેશોને P2P ચુકવણીઓ, VPN અને ઈ-કોમર્સ સાઇટ્સ પર કડક નજર રાખવા ચેતવણી આપી છે કારણ કે આ હવે આતંકવાદીઓ માટે સસ્તા, ઝડપી અને ઓછા શોધી શકાય તેવા માર્ગો બની ગયા છે.

ગુજરાત પુલ અકસ્માત: મૃત્યુઆંક વધીને 15 થયો, ચાર હજુ પણ ગુમ

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 15 લોકોના મોત, 4 જેટલા લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે , “માહી નદી દુર્ઘટનામાં આજે સવારે ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, જેનાથી મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે.”

કલેક્ટરે કહ્યું, “આજે સવારે 7 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. NDRF અને અન્ય ટીમો ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કાર્ય ચાલુ છે. મોટાભાગના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 4 લોકો ગુમ છે.”

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા, જાણો ભૂકંપ કેમ આવે છે

0

આજે ગુરુવારે સવારે દિલ્હી-એનસીઆરમાં ઘરતી ધ્રુજી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 10:04 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, આ ભૂકંપનું એપીસેન્ટર હરિયાણાના ઝજ્જરમાં હતું.

ગુરુગ્રામ, મેરઠ, શામલી અને ગાઝિયાબાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 8 થી 10 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનાં આંચાકા આવતાં લોકોમાં ગભરાટ છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

૧૦ જુલાઈ, ૨૦૨૪/ આજ ગુરુવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગો થી સાવધાની રાખવી.

વૃષભઃ

ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંધર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુનઃ

ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નણાંકીય રોકાણોનું આયોજન ફાયદા કારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

અવાક અંગે મધ્મય દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળ માં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસી થી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યાઃ

ગઇ કાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતા ના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-‌િપતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલાઃ

અવાકનું પ્રમાણ જળવાતા, ‌માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શકય બને.

વૃશ્ચિકઃ

ગઇ કાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ

આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકરઃ

આવશ્યક કોર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઇ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસી થી પરેશાની રહે.

કુંભઃ

શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શકય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીનઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠા માં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજજુના દુઃખાવાની સમસ્યા રહે.

“મારા દીકરાને. ઘરવાળાને બચાવો!”: પુલ તૂટી પડતાં 150 ફૂટ ઊંચાઈથી પડેલી ગાડીમાં પતિ-પુત્ર ખાબક્યા

વડોદરા જિલ્લાના મુજપુર નજીક થયેલી ગંભીરાબ્રિજ દુર્ઘટનાએ અનેક પરિવારને હચમચાવી દીધા છે. મહીસાગર નદી પરના આ પુલનો એક મોટો ભાગ તૂટી પડતાં ચાર વાહનો સીધા વહેણમાં ખાબક્યા. હજુ સુધી 13 મોતની પુષ્ટિ થઈ છે …પરંતુ, એક મહિલાનું જીવદાયક રુદન ઘટનાની ભયાવહતાને ઉજાગર કરે છે.

“મારાં દીકરાને બચાવો… ઘરવાળાને બચાવો,” એવું આક્રંદ કરતી મહિલાની વાત સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય.

“ટ્રક સાથે પુલ તૂટી પડ્યો, ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ”

મહિલાએ રડતાં-રડતાં જણાવ્યું, “હું, મારો પતિ, દીકરો, દીકરી, જમાઈ અને ઘરની તમામ સાથે એક ખાનગી કારમાં બગદાણા જઇ રહ્યા હતા. સવારે લગભગ 7 વાગ્યે જેમ જ પુલ પર ચડ્યા, એટલામાં સામેથી આવી રહેલી ટ્રક સાથે પુલ અચાનક તૂટી પડ્યો. અમારી ગાડી સીધી મહીસાગર નદીમાં જઈ પડી.”

“હું તો બચી ગઈ, પણ બધાં ગાડીમાં જ ફસાઈ રહ્યા”

મહિલાએ આગળ કહ્યું, “હું ગાડીના પાછળના ભાગે ડીક્કી પાસે બેઠી હતી, એટલે મને બહાર નિકળવા માટે કાચ તોડવો પડ્યો. પણ ગાડી લોક થઈ ગઈ હતી. ઉપરથી ટ્રક પણ પડી ગઈ, જેનાથી અંદર બેઠેલા મારા બે વર્ષના દીકરા, છ વર્ષની દીકરી અને પતિ સહિત કોઇને પણ બહાર કાઢી શકી નહિ. હું સતત એક કલાક સુધી પાણીમાં બૂમો પાડી રહી, પણ કોઈ બચાવી શક્યું નહિ.”

રેસ્ક્યૂ કામગીરી ચાલુ, જીવ બચાવવાના પ્રયાસો પૂરજોશમાંઘટનાની જાણ થતા જ NDRF, SDRF, પોલીસ અને તંત્રના રેસ્ક્યૂ કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ભારે વહેણ અને પુલના અવશેષોને લીધે રાહત કાર્યમાં અડચણો આવી રહી છે, છતાં શ્વાન દળ અને ડાઇવર્સની મદદથી શોધખોળ ચાલુ છે.

મોનિકા કપૂર આખરે પકડાઈ: CBIની કામગીરી સફળ, અમેરિકાથી ભારત લાવવામાં આવશે

0

અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) કથિત આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને તેના પ્રત્યાર્પણ પછી અમેરિકાથી પરત લાવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કપૂર 25 વર્ષથી વધુ સમયથી ફરાર હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ કપૂરને યુએસમાં કસ્ટડીમાં લીધો છે અને તેણીને અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં ભારત લાવવામાં આવી રહી છે, જે બુધવારે રાત્રે ભારત પહોંચવાની અપેક્ષા છે. ન્યૂ યોર્કના પૂર્વી જિલ્લા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ કપૂરના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

સીબીઆઈ મોનિકા કપૂરને ભારત લાવી રહી છે
વિદેશ મંત્રીએ કપૂરના દાવાને ફગાવી દીધો હતો કે ભારત પરત ફરતી વખતે તેણીને ત્રાસ આપવામાં આવશે અને તેણી સામે સરેન્ડર વોરંટ જારી કર્યું હતું. કથિત છેતરપિંડી બાદ કપૂર 1999 માં યુએસ ભાગી ગયો હતો. આ છેતરપિંડીના કેસમાં, તેણીએ તેના બે ભાઈઓ સાથે મળીને ઝવેરાતના વ્યવસાય માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ કથિત રીતે ભારત સરકાર પાસેથી કાચા માલની ડ્યુટી-ફ્રી આયાત કરવા માટે લાઇસન્સ મેળવવા માટે કરવામાં આવ્યો હતો. કથિત છેતરપિંડીને કારણે ભારતીય તિજોરીને 6,79,000 યુએસ ડોલરથી વધુનું નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે ઓક્ટોબર 2010 માં બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ મુજબ કપૂરના પ્રત્યાર્પણ માટે યુએસનો સંપર્ક કર્યો હતો.

શું છે આખો મામલો?
હકીકતમાં, મોનિકા કપૂરે તેના ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્નાની સાથે મળીને ૧૯૯૮માં નકલી નિકાસ બિલ, શિપિંગ બિલ, ઇન્વોઇસ, નિકાસના બેંક પ્રમાણપત્રો દ્વારા ૨ કરોડ ૩૬ લાખ રૂપિયાના ડ્યુટી ફ્રી સોનાની આયાત માટે ૬ રિપ્લેનિશમેન્ટ (પ્રતિનિધિ) લાઇસન્સ મેળવ્યા હતા અને પછી આ લાઇસન્સ અમદાવાદના એક ઉદ્યોગપતિ દીપને નફામાં વેચી દીધું હતું. દીપને ડ્યુટી ફ્રી સોનાની આયાત માટે આ લાઇસન્સનો ઉપયોગ કરીને સોનું આયાત કરવામાં આવ્યું હતું, જેના કારણે સરકારને ૧૯૯૮માં ૧.૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં, ૩૧ માર્ચ ૨૦૦૪ના રોજ દિલ્હીની સાકેત કોર્ટમાં મોનિકા કપૂર, રાજન ખન્ના, રાજીવ ખન્ના વિરુદ્ધ IPCની કલમ ૧૨૦B, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ, કોર્ટે રાજન ખન્ના અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન, મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલમાં ભાગ લઈ રહી ન હતી, જેના કારણે 13 ડિસેમ્બર 2016 ના રોજ, મોનિકાને કોર્ટે પીઓ એટલે કે જાહેર કરાયેલ ગુનેગાર જાહેર કરી હતી.

PM મોદીને મળ્યું 26મું આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ નાગરિક સન્માન, વિશ્વપટ પર ભારતની ઊંચી ઓળખ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દેશોના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન ધાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ, નામિબિયાની મુલાકત લેવાના હતા. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ દેશોની મુલાકાત પૂર્ણ કરી તેઓ બ્રાઝિલ પ્રવાસ પર છે. જ્યારે તેમણે બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. બ્રાઝિલ પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા. PM મોદીને ‘ગ્રાન્ટ કોલર ઓફ ધ નેશનલ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ ભારત-બ્રાઝિલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને વૈશ્વિક મંચો પર સહયોગ વધારવા માટેના યોગદાન બદલ આપ્યું.

બ્રાઝિલના આ સન્માન બાદ પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા સાથે અને તેમના પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં ભાગ લીધો. તેમણે જણાવ્યું, “આ સન્માન માત્ર મારા માટે નહીં, પરંતુ 140 કરોડ ભારતીયો માટે ગૌરવની ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ લૂલા, બ્રાઝિલ સરકાર અને તેના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.” ઉલ્લેખનીય છે કે, આ સન્માન 2014થી અત્યાર સુધીમાં વિદેશી સરકારો દ્વારા મોદીને આપવામાં આવેલું 26મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.

બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયાના અલ્વોરાડા પેલેસમાં મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમણે રાષ્ટ્રપતિ લૂલા સાથે બેઠક ઉપરાંત રિયો ડી જાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લીધો અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. બ્રાઝિલની મુલાકાત બાદ મોદી આફ્રિકન દેશ નામિબિયાની યાત્રા પર જશે, જે તેમના આ પ્રવાસનું અંતિમ પડાવ છે.

બેઠક દરમિયાન, મોદીએ ભારત અને બ્રાઝિલના આતંકવાદ વિરુદ્ધ સમાન દૃષ્ટિકોણ ‘ઝીરો ટોલરન્સ અને ઝીરો ડબલ સ્ટાન્ડર્ડ’ રાખવા પર ભાર મૂક્યો. તેમણે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરવા અને ભારતીયો સાથે એકજૂટતા દર્શાવવા બદલ રાષ્ટ્રપતિ લૂલાનો આભાર માન્યો. બંને દેશો રક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સુપર કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યા છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ વિશ્વાસનું પ્રતીક છે.

900 મીટર લંબાઈ, 23 થાંભલા, 40 વર્ષ પહેલાં બાંધકામ: જાણો દુર્ઘટનાગ્રસ્ત ગંભીર બ્રિજ વિશે બધુજ

સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત 40 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ 1985માં કુલ 343 લાખના ખર્ચે કરાયું હતું. પુલની ઊંચાઈ 40 મીટર, લંબાઈ 859.52 મીટર, કુલ સ્પાન-23 અને એનો કેચમેન્ટ એરિયા- 30976.00 ચો.કિ.મી. છે. આ બ્રિજ લખનઉની યુ.પી.સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે.

અંદાજે બ્રિજ પર 120 ફૂટથી મોટું ગાબડું પડી ગયું છે. બ્રિજ તૂટવાની સૌથી વધુ અસર દ.ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો અને આણંદ અને વડોદરાના ગ્રામ્યના સંપર્કો પર પડશે. ગંભીરાબ્રિજ સિવાય તેમના માટે સરળ કોઈ વિકલ્પ નથી. આણંદ આંકલાવના વિવિધ ગામોમાંથી રોજગારી માટે પાદરા જતા યુવાનોને પણ હવે મુશ્કેલી પડશે, જોકે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સિંધરોટ તરફ વાહનવ્યવહારને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. આના માટે વાહનચાલકોને 16 કિમી ફરીને જવું પડશે.

આ પુલ મહિસાગર નદી પર બનાવવામાં આવ્યો હતો. તે લગભગ 40 વર્ષ પહેલાં 1985માં બનાવવામાં આવ્યો હતો. આ પુલની લંબાઈ 900 મીટર છે. આખો પુલ 23 થાંભલાઓના ટેકે ઉભો છે. તે ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડે છે. પોલીસ અધિક્ષક (વડોદરા ગ્રામીણ) રોહન આનંદે જણાવ્યું હતું કે આજે સવારે લગભગ 7:30 વાગ્યે પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

બ્રિજ બંધ થતાં વાહનચાલકોને વાસદ તરફ ડાયવર્ઝન અપાયું
વડોદરાના પાદરા ખાતે મહી નદી પર ગંભીરાબ્રિજ આવેલો છે, જે આજે તૂટી પડતાં બ્રિજના બે ભાગ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયાં છે. ગંભીરા બ્રિજ તૂટી પડતાં જ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને વાસદ થઈને વાહનચાલકોને ચાલવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે.

વાહનચાલકોને 50 કિલોમીટર વધારે ફરીને જવું પડશે
જોકે ગંભીરાબ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે એક શોર્ટકટ હતો. આ સાથે ટોલટેક્સ ન આપવો પડે એ માટે પણ વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થઈને બોરસદ થઈને તારાપુર જતા હતા. જેનાથી વાસદ ખાતેનો ટોલ પ્લાઝા આવતો નહોતો, જોકે આ રસ્તો બંધ થઈ જવાને કારણે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે. જેથી 50 કિલોમીટર જેટલું વધારે વાહનચાલકોને ફરીને જવું પડશે.

5 મહિનામાં ત્રીજી વખત ફાઇટર જેટ ક્રેશ થયું, રાજસ્થાનમાં બે પાઇલટના મોત

0

બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાનુડા ગામ નજીક જગુઆર ફાઇટર જેટ ક્રેશ થતાં ભારતીય વાયુસેના (IAF) ના પાઇલટ સહિત બે લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનનો કાટમાળ પાઇલટના મૃતદેહ સાથે ખેતરમાં મળી આવ્યો હતો. મૃતદેહ ખૂબ જ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સૈન્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ક્રેશમાં માર્યા ગયેલા પાઇલટ અને અન્ય એક વ્યક્તિની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી
ભારતીય વાયુસેના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે ફાઇટર પ્લેન તાલીમ ઉડાન પર હતું. આ અકસ્માતમાં બંને પાઇલટને ગંભીર ઇજાઓ થઈ હતી. કોઈપણ નાગરિક સંપત્તિને કોઈ નુકસાન થયું નથી. વાયુસેના આ દુ:ખદ ઘટના પર ઊંડો દુ:ખ વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે. અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.

અકસ્માત પછીનું દ્રશ્ય કેવું હતું?
રાજસ્થાનમાં અનેક વાયુસેના મથકો છે, જેમાં જોધપુર અને બિકાનેરમાં મુખ્ય મથકો છે. ઘટના પછી તરત જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. ગ્રામજનોએ જણાવ્યું કે આકાશમાંથી એક જોરદાર અવાજ સંભળાયો, ત્યારબાદ ખેતરોમાંથી આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા. સ્થાનિક રહેવાસીઓએ એમ પણ કહ્યું કે આ અકસ્માતને કારણે નજીકના ખેતરોમાં આગ લાગી હતી, જેને તેઓ જાતે જ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસ અધિકારીએ આ કહ્યું
જિલ્લા કલેક્ટર અભિષેક સુરાણા અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાની બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સેના તેની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા પછી સત્તાવાર નિવેદન જારી કરશે. સ્થાનિક પોલીસ અધિકારી રાજલદેશર કમલેશે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ભાનોડા ગામના એક ખેતરમાં બપોરે લગભગ 1.25 વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે અકસ્માત સ્થળ નજીક માનવ શરીરના ભાગો મળી આવ્યા છે.