Home Blog Page 378

“ગુજરાત ગાર્ડિયન”નો ૧૪મા વર્ષમાં મંગળ પ્રવેશ, લોકચાહના અને વિશ્વાસની જડ વધુ મજબૂત બની

  • કુદરતી મહામારીનો માર ભૂલી શકાય તેવો નથી પરંતુ મિત્રો, શુભ િચંતકોની હૂંફથી મુશ્કેલીનો સમય હેમખેમ પસાર થઈ ગયો
  • ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રતિભા ઘડવામાં મીડિયાની ખૂબ મોટી ભૂમિકા હતી ઃ મોદી પણ ‘વિષ્ટા’ની માખી અને ‘મધમાખી’ વચ્ચેનો તફાવત બારીકાઈથી સમજે, છતાં પ્રચાર માધ્યમો સાથે તેમની ઘટતી જતી સંવાિદતા ઘાતક પુરવાર થઈ શકે

આજકાલ કરતાં કરતાં ‘ગુજરાત ગા‌ર્ડિયન’ના ૧૩ વર્ષ પસાર થઈ ગયા, વીતેલા વર્ષોમાં અનેક ઝંઝાવાત આવ્યા અને પસાર થઈ ગયા. ક્યારેક ધ્રુજી પણ જવાયું, પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’નો વફાદાર સ્ટાફ અને વફાદાર અને લાગણીશીલ શુભચિંતકો, મિત્રોની હૂંફથી સંઘર્ષભર્યો સમય પસાર થઈ ગયો. વીતેલા વર્ષોમાં સરકારની નીતિઓ અને માર્કેટમાં મંદીના માહોલને કારણે અનેક સંસ્થાઓ હાંફી ગઈ, અનેક લોકો બેરોજગાર બની ગયા, અનેક કારખાનાને તાળા વાગી ગયાં, નોટબંધી, જીએસટી અને કોરોનાના મારથી બેવડ વળી ગયેલા વેપારી સંસ્થાનો, કારખાનાઓ ફરી મૂળરૂપથી ધમધમતા થઈ શક્યા નથી..!

સરકાર ભલે ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યાનો દાવો કરતી હોય, પરંતુ ધરતી ઉપરની વાસ્તવિકતા જુદી છે. ‘ગરીબી રેખા’ના માપદંડ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. સરકારની નીતિ શાહમૃગ જેવી છે. સામે આવી રહેલી આંધીથી બચવા રેતીમાં માથું છુપાવી દેવાથી આફત ટળી જતી નથી, હકીકતમાં હવે લોકોને સરકારી દાવાઓમાં વિશ્વાસ રહ્યો નથી અને હવે લોકો વિરોધ કે ખુલાસા કરવામાં પણ માનતા નથી. જ્યારે સ્થિતિ બદલાવાની જ નથી તો પછી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને જીવવામાં વધારે મજા આવે છે.અન્ય વેપાર, ઉદ્યોગ અને અખબારી માધ્યમો વચ્ચે ખૂબ મોટો તફાવત છે. પ્રચાર માધ્યમોની લોક લાગણીનો પડઘો પાડવાની પહેલી પ્રાથમિક અને પવિત્ર ફરજ છે. રોજબરોજની ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા સાથે લોકોની મનની વાત અને જાહેર જનતાની લાગણી સરકાર અને જાહેર સંસ્થાઓ સુધી પહોંચાડવા ઉપરાંત ‘જનમત’ ઊભો કરવાની પ્રચાર માધ્યમોની પહેલી અને નૈતિક ફરજ છે, પરંતુ સરકારની વર્તમાન નીતિઓને પગલે બહુમત પ્રચાર માધ્યમો મૌન રહેવામાં ઉચિત માને છે, પરંતુ બીજી તરફ પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે અને એટલે જ આજે સોશ્યલ મીડિયાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આ એક એવું માધ્યમ છે કે જેની ઉપર નૈતિકતાની કોઈ જ લગામ નથી અને ક્યારેક સાવ જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે. એકે મોકલ્યું એટલે બીજાએ પણ મોકલ્યું અને ત્રીજો, ચોથો વાત સમજ્યા વગર આગળ ધકેલતો રહે છે અને એટલે તદ્દન જુઠ્ઠાણાની હારમાળાને લોકો સાચુ માની લે છે. આજકાલ આવી ઘટનાઓ રોજબરોજની બની ગઈ છે. કારણ મોબાઈલ ફોન હાથવગુ સાધન છે. તેને સમય અને સ્થળની પણ મર્યાદા નથી.

ખેર, વાસ્તવિકતા એ છે કે, આિદ-અના‌િદકાળથી પ્રચાર માધ્યમો અનિવાર્ય અંગ હોવા છતાં સરકાર અને પ્રચાર માધ્યમો વચ્ચે મોટી ખાઈ સર્જાઈ રહી છે અને આ ખાઈ રોજબરોજ વધુ ને વધુ પહોળી બની રહી છે. બીજી તરફ જુઠ્ઠાણાઓને વધુ બળ મળી રહ્યું હોવાથી એક દિવસ સરકાર અને પ્રજા વચ્ચેની કડી ભાંગીને ભુક્કો થઈ જશે. લોકકલ્યાણનાં કામો કરીને ‘લોકમત’ અકબંધ રાખવાને બદલે ચૂંટણીઓ જીતવા ટૂંકા રસ્તા અપનાવવા પડે છે. પરંતુ ભયસ્થાન એ છે કે, બીજી તરફ સુસંસ્કૃત અને બિનસાંપ્રદાયિક સમાજ સમય જતા સંપ્રદાયના વાડામાં વહેંચાઈ જવાથી નિર્દોષ પ્રજા હિંસાની આગમાં સળગતી રહેશે. સરકારમાં બેઠેલા બુદ્ધિજીવીઓ આ ખેલને સારી રીતે જાણે છે અને આવનારી પેઢીના ધૂંધળા ભવિષ્ય માટે ચિંતારત પણ છે, પરંતુ આવો વર્ગ લઘુમતીમાં છે અને જાણવા છતાં મહાભારતના સહદેવની માફક સરકારને રસ્તો બતાવી શકે એવી સ્થિતિમાં નથી.

‘ગુજરાત ગાર્ડિયન’ના ઉદ્દઘાટન વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર માધ્યમોની એક તરફ ટીકા એટલે કે પ્રચાર માધ્યમોને જવાબદારીનું ભાન કરાવવા સાથે બીજી તરફ સરાહના કરતા કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે, અહીંયા અખબારનું ઉત્પાદન નહીં થાય, સર્જન થશે.’ નરેન્દ્ર મોદી વિચક્ષણ પ્રતિભા છે, તેમણે દુનિયા જોઈ છે, તેઓ ‘વિષ્ટા’ એટલે ગંદકી ઉપર બેસતી માખી અને ‘મધુમાખી’ વચ્ચેના તફાવતને સારી રીતે જાણે છે, પરંતુ કમનસીબે તેઓ ‘મધુમાખી’ જેવા પત્રકારત્વ સાથે ઘરોબો જાળવી રાખવાનું ચૂકી ગયા છે અથવા તો તેમની નજીકના સલાહકારો તેમને ગુમરાહ કરીને ‘બંદી’ બનાવી રહ્યા છે. કારણ, નરેન્દ્ર મોદીની પ્રતિભાને વિરાટ બનાવવામાં પક્ષ સમાંતર પ્રચાર માધ્યમોનો મોટો ફાળો છે. પ્રચાર માધ્યમોએ જ નરેન્દ્ર મોદીને ‘દેવદૂત’ બનાવી દીધા હતા. પરંતુ કમનસીબે આજે સરકાર અને મીડિયા વચ્ચે ખૂબ મોટું અંતર વધી ગયું. આજે બંને પક્ષે ડરનો માહોલ છે અને આ ડર દૂર કરવાને બદલે તેમાં વધારો થઈ રહ્યો છે.

આ જ કારણોને લઈને સોશ્યલ મીડિયા બેલગામ બનીને સરકાર સામે નિશાન તાકીને બેઠું છે. વળી લોકો પણ ક્રમશઃ સોશ્યલ મીડિયાના બેજવાબદાર પ્રચારનો શિકાર બની રહ્યાં છે. કારણ સરકાર અને પ્રચાર માધ્યમો વચ્ચેનો સંપર્ક ભાંગીને ભુક્કો થઈ ચૂક્યો હોવાથી સરકારની સાચી વાત પણ લોકો સમક્ષ મૂળ સ્વરૂપે આવતી નથી. આવી સ્થિતિ લાંબો સમય ચાલશે તો સરકાર અને પ્રજા બંને પક્ષોએ નુકસાન સહન કરવું પડશે.ખેર, ગુજરાત ગા‌ર્ડિયને કપરા દિવસોમાં પણ નૈતિકતા જાળવી રાખી છે. પોતાના ફાયદા માટે થઈને ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવવાનો પ્રયાસ કર્યો નથી. વીતેલાં ૧૩ વર્ષમાં અનેક મુશ્કેલીઓ આવી એમાં ‘આર્થિક સંકટ’ ખૂબ મોટી મુશ્કેલી હતી. ક્યારેક એક એક રૂપિયા માટે તડપવું પડતું હતું. પરંતુ નૈતિકતાને કારણે જ બધું પાર પડી ગયું. જ્યારે પગાર કરવાના ફાંફા હતા એવા દિવસોમાં વફાદાર કર્મચારીઓ અડીખમ યોદ્ધા બનીને ઊભા રહ્યા હતા. કોઈ ગમે તે કહે, ‘ગુજરાત ગા‌ર્ડિયન’ પ્રસિદ્ધ થશે જ. આ વિશ્વાસે સંચાલકોનું મનોબળ ટકાવી રાખ્યું અને હવે તો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ ‘ગુજરાત ગાર્ડિયન’ ખૂબ બહોળો વર્ગ છે. દિવસ દરમિયાન અને મધરાત્રે લોકો ‘ગુજરાત ગાર્ડિયન’ની રાહ જોતા હોય છે. વળી અમેરિકા, કેનેડા, યુ.કે., ન્યુઝિલેન્ડ, ડેનમાર્ક અને યુરોપમાં વસતા સુરતી અને ગુજરાતીઓમાં ‘ગુજરાત ગાર્ડિયન’ સતત લોકપ્રિય બની રહ્યું છે.સફરના ૧૩ વર્ષ પૂરા કરીને ૧૪માં વર્ષમાં પ્રવેશની ઘટના ‘ગુજરાત ગાર્ડિયન’ અને શુભચિંતકો માટે રોમાંચક છે. કારણ કે, વીતેલા ડરામણા ભૂતકાળનો ભય હજુ માનસપટ ઉપરથી દૂર થયો નથી. મોતને થાપટ આપીને ઊભી થયેલી વ્યક્તિને પોતે જીવિત હોવાનો અહેસાસ કરાવી ફરી બેઠા થઈને દોડતા કરવાની મિત્રો, શુભચિંતકો અને પરિવારની ફરજ છે. ‘ગુજરાત ગાર્ડિયન’ને સતત દોડતું રાખવા સેંકડો લોકોની શુભ ચિંતાઓ અને દુઆ કામ કરી રહે છે અને છેલ્લે બધા જ દરવાજા બંધ થઈ જાય ત્યારે દૈવી શક્તિ આધાર બનીને આવતી હોય છે. ‘ગુજરાત ગાર્ડિયન’ને ટકાવી રાખવા માટે દૈવી શક્તિ સતત આધાર બની હતી અને આધાર બની રહી છે.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોટો અકસ્માત, ટેમ્પો ખીણમાં ખાબકતાં 5 યાત્રાળુઓના મોત

0

જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી જતા 5 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ડોડા-બરાથ રોડ પર બની જે બાદ તાત્કાલિક રેસક્યુ ઓપરેશન શરૂ કરાયુ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.

રેસક્યુ કામગીરી તેજ
મળતી માહિતી મુજબ મંગળવારે આ અકસ્માત બન્યો. જેમાં ડોડા-બરાથ રોડ પર પોંડા વિસ્તારની આ ઘટના છે. ટેમ્પો ટ્રાવેલર રસ્તા પરથી સરકીને સીધો ખીણમાં ખાબક્યો. આ દરમિયાન તેમાં અનેક મુસાફરો પણ બેઠેલા હતા. ઘટનાને પગલે પોલીસે સ્થાનિકોની મદદથી રેસક્યુની કામગીરી શરૂ કરી છે. જો કે મોતનો આંકડો વધી શકે છે. કારણકે કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. ઘટના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બનેલી ઘટના પછી તરત જ, મોહમ્મદ અશરફ (35), માંગતા વાની (51), અત્તા મોહમ્મદ (33), તાલિબ હુસૈન (35) અને રફીકા બેગમ (60) ને ડોડાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી માહિતી
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણ કરી છે. તેમણે જણાવ્યું કે ડોડા શહેરથી લગભગ 20 થી 25 કિમી દૂર બરાથ ગામ નજીક એક ખાનગી ટેમ્પો માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ ડોડા ડીસી હરવિંદર સિંહ સાથે વાત કરી. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ઘાયલોને તમામ શક્ય મદદ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ડીસી વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને મને નિયમિત અપડેટ આપી રહ્યા છે. જરૂર પડ્યે વધુ સહાય પૂરી પાડવામાં આવશે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

હૈદરાબાદમાં સીપીઆઈ નેતાની ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર

0

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મંગળવારે સવારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સીપીઆઈ નેતા કે. ચંદુ નાઈક મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન કેટલાક બદમાશોએ કારમાં આવીને તેમને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા નેતાનું મોત નીપજ્યું. માહિતી મળતાં જ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી કારતૂસ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મોર્નિંગ વોક દરમિયાન ફોટો પાડ્યો
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) ના રાજ્ય પરિષદના સભ્ય કે. ચંદુ નાઈક (47) મોર્નિંગ વોક માટે બહાર હતા. આ દરમિયાન, તેઓ એક પાર્ક પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારમાં આવેલા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં CPI નેતાનું મોત નીપજ્યું. તે જ સમયે, ઘટના બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ પૂર્વ ક્ષેત્ર) એસ ચૈતન્ય કુમારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પ્રાથમિક તપાસને ટાંકીને તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ત્રણ-ચાર લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાસ્થળેથી ત્રણ વપરાયેલા કારતૂસ અને બે ન વપરાયેલા કારતૂસ મળી આવ્યા છે.

તપાસ માટે દસ ટીમો બનાવવામાં આવી
પોલીસ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે કારતૂસની જપ્તીના આધારે એવું લાગે છે કે ગોળીબારમાં ફક્ત એક જ હથિયારનો ઉપયોગ થયો હતો. તેમણે કહ્યું કે શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસ ટીમો વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે હત્યાનું કારણ જૂની દુશ્મનાવટ હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલાની તપાસ કરવા અને હુમલાખોરોને પકડવા માટે દસ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક ચંદુ નાઈક 2022 માં એલબી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં આરોપી હતો. નાઈકે પોતાના જીવને જોખમ હોવાની કોઈ ફરિયાદ નોંધાવી ન હતી.

ટોયલેટમાંથી ઓનલાઇન સુનાવણીમાં જોડાયો વ્યક્તિ, ગુજરાત હાઈકોર્ટનો 1 લાખનો દંડ

ગુજરાત હાઈકોર્ટએ અબ્દુલ રહેમાન શાહ નામના એક શખ્સને ઓનલાઇન સુનાવણી દરમિયાન ટોયલેટનો ઉપયોગ કરવાના કારણે ₹1 લાખનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના 20 જૂનના રોજ બની હતી. વીડિયોમાં શરૂઆતમાં ‘સમદ બેટરી’ નામથી લોગ ઇન થયેલા આ વ્યક્તિનો ક્લોઝ-અપ વ્યૂ. તેના ગળામાં બ્લૂટૂથ ઇયરફોન લટકાવેલો હતો.

બાદમાં તેણે પોતાનો ફોન દૂર રાખ્યો જેમાં દેખાતું હતું કે તે ટોયલેટમાં બેઠો છે. આ પછી તે પોતાને સાફ કરે છે અને ટોયલેટમાંથી બહાર આવે છે. આ પછી તે થોડા સમય માટે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયો અને પછી વીડિયોમાં ફરીથી દેખાયો. કોર્ટના રેકોર્ડ મુજબ તે વ્યક્તિ FIR રદ કરવાની માંગ કરતા કેસમાં પ્રતિવાદી તરીકે હાજર થઈ રહ્યો હતો. તે ફોજદારી કેસમાં ફરિયાદી હતો. હવે તેના ઉપર ગુજરાત હાઈકોર્ટે સખત કાર્યવાહી કરી છે અને તે વ્યક્તિને એક લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.

હાઈકોર્ટે તે વ્યક્તિ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
એક વ્યક્તિ શૌચાલયમાંથી જ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયો હતો. હાઈકોર્ટે તે વ્યક્તિ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ વ્યક્તિની ઓળખ સમદ અબ્દુલ રહેમાન શાહ તરીકે થઈ છે. જસ્ટિસ એસ સુપેહિયા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે તે વ્યક્તિને ઠપકો આપ્યો અને કહ્યું કે સમદ અબ્દુલ રહેમાન શાહનું વલણ અનાદરકારક હતું અને તેને જેલમાં મોકલવાનું પણ વિચારી રહી છે.

કોર્ટે કહ્યું કે લાઈવ-સ્ટ્રીમિંગ કાર્યવાહી દરમિયાન વ્યક્તિએ પોતાના વર્તન અંગે કબૂલાત કરી છે. તેથી અમે તેને આગામી સુનાવણીની તારીખ પહેલા આ કોર્ટની રજિસ્ટ્રીમાં રૂ.1 લાખ જમા કરાવવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટે એમ પણ કહ્યું કે તેના આદેશ છતાં હાઈકોર્ટના રજિસ્ટ્રાર (માહિતી અને ટેકનોલોજી) એ કોઈ જવાબ દાખલ કર્યો નથી અને આવી ઘટનાઓને રોકવા માટે કોઈ સૂચન આપ્યું નથી.

સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાનો આપઘાત

સુરતના કતારગામમાં ટ્યૂશન ભણાવતી 19 વર્ષની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાને કોઈ વિકૃત યુવક હેરાન કરીને બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપઘાતને લઈને સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત વિજ. માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે.

વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય નેના વાવડીયા નામની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિકૃત યુવાને પરેશાન કરતાં કતારગામની ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. 19 વર્ષય નેના વાવડીયા નામની શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કોઈ વિકૃત યુવક શિક્ષિકાને સતત હેરાન કરીને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત શિક્ષિકાને બ્લેકમેલ પણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી
સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવા એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ શિક્ષિકાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યાં છે. બીજી બાજુ સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

‘મિશન ગગનયાનની દિશામાં એક વધુ સીમાચિહ્ન…’, શુભાંશુ શુક્લાની પૃથ્વી પર વાપસી પર પીએમ મોદીએ કહ્યું.

0

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના ત્રણ અન્ય અવકાશયાત્રીઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર આ 18 દિવસની યાત્રા હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું પૃથ્વી પર સુરક્ષિત વાપસી આપણા મિશન ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ પગલું છે.

સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, “હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું સ્વાગત કરવામાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઉ છું, જેઓ તેમના ઐતિહાસિક અવકાશ મિશનમાંથી પૃથ્વી પર પાછા ફર્યા છે. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે, તેમણે તેમના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી લાખો લોકોના સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન તરફનો બીજો સીમાચિહ્ન છે.”

રાજનાથ સિંહે શું કહ્યું જાણો છો?
કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘ઐતિહાસિક એક્સિઓમ-4 મિશનમાંથી ગ્રુપ કેપ્ટન શુભંશુ શુક્લાની સફળ વાપસી દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. તેમણે માત્ર અવકાશને સ્પર્શ કર્યો નથી પરંતુ ભારતની આકાંક્ષાઓને નવી ઊંચાઈઓ પર પણ પહોંચાડી છે.’

આ સાથે, તેમણે કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય અવકાશ મથક અને પાછા ફરવાની તેમની સફર ફક્ત એક વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ તે ભારતની વધતી જતી અવકાશ મહત્વાકાંક્ષાઓ માટે એક ગર્વજનક પગલું છે. હું તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને અપાર સફળતાની શુભેચ્છા પાઠવું છું.’

બધા અવકાશયાત્રીઓ કેલિફોર્નિયાના સાન ડિએગો કિનારે ઉતર્યા
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 15 જુલાઈ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર 18 દિવસનું મિશન પૂર્ણ કર્યા પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. એક્સિઓમ-4 મિશન હેઠળ, તેઓ અને તેમના ત્રણ સાથીદારો કમાન્ડર પેગી વ્હિટસન, પોલેન્ડના સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુ સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાન ‘ગ્રેસ’ પર કેલિફોર્નિયાના સાન ડિએગોના કિનારે પેસિફિક મહાસાગરમાં સ્પ્લેશડાઉન દ્વારા ઉતર્યા હતા.

દરેક વ્યક્તિની તબીબી તપાસ કરવામાં આવશે
22.5 કલાકની મુસાફરી દરમિયાન, અવકાશયાન 27,000 કિમી/કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું, જ્યાં તાપમાન 1,600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. ઉતરાણ પછી, બધા અવકાશયાત્રીઓને તબીબી તપાસ અને સાત દિવસના પુનર્વસન માટે લઈ જવામાં આવ્યા જેથી તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ફરીથી અનુકૂલન કરી શકે.

બોલિવૂડ સિંગર રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, એલ્વિશ યાદવનો મિત્ર હોવાને કારણે નિશાન?

0

ગુરુગ્રામમાં, અજાણ્યા બદમાશોએ પ્રખ્યાત બોલિવૂડ અને હરિયાણવી ગાયક રાહુલ ફાજિલપુરિયા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ જીવલેણ હુમલામાં રાહુલ ફાજિલપુરિયા બચી ગયો છે. રાહુલ પર આ હુમલો ગુરુગ્રામ નજીક બાદશાહપુર એસપીઆરમાં થયો હતો. રાહુલ ફાજિલપુરિયા પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવનો મિત્ર છે અને એલ્વિશ સાથે સાપના ઝેર અને ગોળીબારના કેસમાં તેનું નામ પણ સામે આવ્યું હતું.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, રાહુલ પોતાના ગામ ફાઝિલપુરિયા નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે ગુરુગ્રામના બાદશાહપુર સધર્ન પેરિફેરલ રોડ પર જઈ રહ્યો હતો. તે સમયે, ટાટા પંચ કારમાં પાછળથી કેટલાક બદમાશો આવ્યા અને રાહુલની કાર પર ગોળીબાર શરૂ કરી દીધો. રાહુલને જ્યારે ખબર પડી કે તેના પર હુમલો થયો છે, ત્યારે તેણે તરત જ તેજ ગતિએ કાર ચલાવવાનું શરૂ કરી દીધું. રાહુલ આ હુમલામાં બચી ગયો.

STF ને ઇનપુટ મળ્યું હતું
ગાયક રાહુલ ફાજિલપુરિયા પર હુમલા બાદ, તેમણે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ હાલમાં તમામ પુરાવા એકત્રિત કરી રહી છે. ઘટના દરમિયાન આસપાસમાં હાજર અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો પોલીસ સૂત્રોનું માનીએ તો, થોડા દિવસો પહેલા STF ને ઇનપુટ મળ્યું હતું કે બદમાશો એક ગાયકને નિશાન બનાવી શકે છે.

નામ એલ્વિશ સાથે જોડાયું હતું
તમને જણાવી દઈએ કે રાહુલ ફાજિલપુરિયાનું સાચું નામ રાહુલ યાદવ છે અને તે ગુરુગ્રામના ફાજિલપુરિયા ગામનો રહેવાસી છે. રાહુલ એક હરિયાણવી રેપર અને ગાયક છે અને તેણે ઘણા પ્રખ્યાત બોલિવૂડ ગીતો પણ ગાયા છે. 2023 માં, જ્યારે એલ્વિશ યાદવ પર સાપના ઝેરનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે રાહુલ ફાજિલપુરિયાનું નામ પણ સામે આવ્યું હતું. રાહુલ ફાજિલપુરિયા સામે પણ ED ની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તેમની મિલકત જપ્ત કરવામાં આવી હતી. રાહુલ 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમને અજય સિંહ ચૌટાલાની પાર્ટી JJP તરફથી ગુરુગ્રામથી ટિકિટ આપવામાં આવી હતી.

ગુજરાતમાં વધુ એક બ્રિજ તૂટ્યો, 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા

વડોદરા જિલ્લામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના, જેમાં 21 લોકોના મોત થયા હતા, તે આઘાત ઓછો થાય તે પહેલાં જ, બીજી એક પુલની ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અજક ગામમાં મંગળવારે તોડી પાડવામાં આવી રહેલો પુલ અચાનક તૂટી પડ્યો, જેના કારણે આઠ લોકો અને એક હિટાચી મશીન આશરે 15 ફૂટની ઊંચાઈથી નીચે નદીમાં પડી ગયા. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી, અને તેમાં સામેલ તમામ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ ઘટના અટ્રોલી-કેશોદને જોડતા પુલ પર સમારકામ અને તોડી પાડવાના કામ દરમિયાન બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ભારે સાધનોની નીચેથી સ્લેબ અચાનક ધસી પડતાં જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો. “તે એક ચમત્કાર હતો. હિટાચી મશીન કામદારો સાથે પડી ગયું, અને અમને સૌથી ખરાબ ભય હતો. પરંતુ બધા સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા,” ઘટના દરમિયાન હાજર એક સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું.

“કામદારો અને ગ્રામજનોને એવા પુલ પર ઊભા રહેવાની મંજૂરી કેમ આપવામાં આવે છે જે સ્પષ્ટપણે તોડી પાડવામાં આવી રહ્યો છે?” બીજા રહેવાસીએ ગુસ્સાથી પૂછ્યું. “ત્યાં કોઈ યોગ્ય બેરિકેડિંગ કે સલામતી વ્યવસ્થા નહોતી. આજે કોઈનું મોત ન થયું તે સદનસીબે.”

જિલ્લા અધિકારીઓ સ્પષ્ટતા કરે છે: પતન નહીં, તોડી પાડવાનો અકસ્માત
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે પુલ ‘તૂટ્યો’ નથી પરંતુ તેને જાણી જોઈને તોડી પાડવામાં આવી રહ્યો છે. “આ પુલ બે દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ હતો. અમારા ઇજનેરોએ નક્કી કર્યું હતું કે તેને તોડીને ફરીથી બનાવવો જરૂરી છે. કમનસીબે, પ્રક્રિયા દરમિયાન સ્લેબ અણધારી રીતે તૂટી ગયો,” તેમણે કહ્યું.

RNB વિભાગે પુલ જર્જરિત હોવાની પુષ્ટિ કરી

જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન (R&B) વિભાગ પંચાયતના કાર્યકારી ઇજનેર અભિષેક ગોહિલે જણાવ્યું હતું કે, “નિરીક્ષણ પછી, એવું જાણવા મળ્યું કે પુલ માળખાકીય રીતે નબળો હતો. અમે બ્રેકર મશીનનો ઉપયોગ કરીને સ્લેબ દૂર કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન, સ્લેબનો મોટો ભાગ અણધારી રીતે નીચે પડી ગયો. સદનસીબે, કોઈને ઈજા થઈ નથી.”

૧૦ મીટર લાંબા આ પુલમાં બે ૫-મીટરના સ્પાનનો સમાવેશ થાય છે અને ગંભીરા દુર્ઘટના પછી જૂનાગઢમાં નિરીક્ષણ હેઠળના ૪૮૦ પુલોમાંથી એક હતો. રાજ્યવ્યાપી ઓડિટના ભાગ રૂપે, સલામતીની ચિંતાઓને કારણે જિલ્લામાં છ પુલ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે.

યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી

0

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ યમનના સ્થાનિય અધિકારીઓએ નિમિષા પ્રિયાને મળનારી ફાંસીની સજા સ્થગિત કરી છે. જણાવી દઈએ કે યમનમાં નિમિષા પ્રિયાને બુધવારે 16 જુલાઈ 2025ના ફાંસીની સજા આપવાનો નિર્ણય કરાયો હતો.

આ નિર્ણય કેવી રીતે શક્ય બન્યો?
માહિતી અનુસાર, ભારત સરકાર આ કેસની શરૂઆતથી જ નિમિષા પ્રિયાને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. તાજેતરમાં નિમિષા પ્રિયાના પરિવારને બીજા પક્ષ સાથે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવા માટે વધુ સમય આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. સામેલ સંવેદનશીલતાઓ હોવા છતાં, ભારતીય અધિકારીઓ સ્થાનિક જેલ સત્તાવાળાઓ અને ફરિયાદીની કચેરી સાથે નિયમિત સંપર્કમાં રહ્યા છે, જેના કારણે સજા સ્થગિત કરવાનો નિર્ણય શક્ય બન્યો છે.

અબ્દો મેંહદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી
નિમિષા પ્રિયા કેરળના પલક્કડ જિલ્લાના કોલેનગોડની રહેવાસી છે. તેણીને 2017માં તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મેંહદીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. યમનની કોર્ટનું કહેવું છે કે નિમિષાએ તલાલને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપીને મારી નાખ્યો હતો અને તેના શરીરને ટુકડા કરી પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. નિમિષાએ દાવો કર્યો હતો કે તલાલે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કર્યો હતો અને તેનો પાસપોર્ટ છીનવી લીધો હતો, જેના કારણે તેણે સ્વ-બચાવમાં આ પગલું ભર્યું હતું.

સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, નિમિષાને યમનમાં 16 જુલાઈએ ફાંસીની સજા આપવાની છે. તેના ઉપર તલાલ અબ્દો મહદીના નામના યમનના નાગરિકની હત્યાના મામલે નિમિષા દોષિત સાબિત થઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ છે… અમારી પણ એક મર્યાદા આવી જાય છે. વધુમાં સરકારે કહ્યું કે હવે એક જ રસ્તો છે, યમની નાગરિકનો પરિવાર બ્લડ મનીને સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. બ્લડ મની અંતર્ગત પીડિત પરિવારને પૈસા આપવામાં આવે છે. જો કે કેટલા પૈસા આપવા એ બંને પક્ષો મળીને નક્કી કરે છે.

એટોર્ની જનરલ આર વેંકટરમણીએ કોર્ટને કહ્યું કે, ભારત આ મામલે આટલુ જ કરી શકે. અને હવે સરકારની મર્યાદા આવી ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર વધારે કાંઈ ન કરી શકે. યમનની સંવેદનશીલતાને જોતા એ કૂટનિતિક રીતે માન્ય નથી. બ્લડ મની એક ખાનગી કરાર છે. બ્લડ મની એક પ્રકારનું આર્થિક વળતર છે જે પીડિતોના પરિવારને આપવામાં આવે છે.

કેરળના પલ્લકડ જિલ્લાની નિમિષા પ્રિયા મહદી હત્યાના આરોપમાં દોષિત સાબિત થઈ છે. તેણે એક નર્સ સાથે મળીને હત્યા કરી હતી. માહિતી અનુસાર બંનેએ કથિતરીતે એક યમની નાગરિકના મૃતદેહના ટુકડા કર્યા અને એક અંડરગ્રાઉન્ડ ટેંકમાં નાખી દીધો. આ પહેલા નિમિષા પ્રિયાએ આરોપોને ઘણીવાર પડકાર્યા હતા, પરંતુ કોર્ટે તેની અપીલને ફગાવી દીધી હતી.

કોણ છે નિમિષા પ્રિયા
કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયા 2017 થી યમન જેલમાં છે. નિમિષા 2011 માં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી યમન ગઈ હતી. તેના માતાપિતાએ તેમની પુત્રીને મજૂરી કરીને યમન મોકલી હતી, જ્યાં તેણીએ નર્સ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2015 માં, તેણીએ યમનની રાજધાની સનામાં એક મેડિકલ ક્લિનિક ખોલ્યું, જેમાં તલાલ અબ્દો મહદીએ તેને મદદ કરી. વર્ષ 2014 માં, તેના પતિ અને નાની પુત્રી આર્થિક તંગીને કારણે ભારત પાછા ફર્યા. ત્યારબાદ યમનમાં નિમિષાનું જીવન ભયાનક બની ગયું.

તેના સાથી તલાલ અબ્દો મહદીએ બનાવટી દસ્તાવેજો દ્વારા ખુદને તેનો પતિ ગણાવીને નિમિષા પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેણે નિમિષાનો પાસપોર્ટ જપ્ત કર્યો, પૈસા પડાવ્યા અને વારંવાર ધમકી આપી. આનાથી કંટાળીને, 2017 માં નિમિષાએ તલાલથી છુટકારો મેળવીને યમનથી ભાગી જવાનો પ્રયાસ કર્યો અને તેને બેભાન કરવા માટે દવાનો ઓવરડોઝ આપ્યો, જેના કારણે તલાલનું મૃત્યુ થયું. આ પછી, નિમિષાની ધરપકડ કરવામાં આવી અને તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો. વર્ષ 2018 માં, કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી.

ચૂંટણી પંચની તપાસમાં ખુલ્યું રહસ્ય, બિહારમાં કરોડો મતદાર પૈકી 35 લાખ બોગસ?

0

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે મતદાર યાદીના વિશેષ ગહન પુનઃનિરીક્ષણ (SIR)નું અભિયાન શરૂ કર્યું છે. આ પ્રક્રિયામાં 35 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

35 લાખ નામ હટાવવાનો નિર્ણય
ચૂંટણી પંચે 14 જુલાઈએ જણાવ્યું કે, બિહારના 7.89 કરોડ મતદારોમાંથી 83.66% એટલે કે 6.60 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ જમા કર્યા છે. આમાં 12.55 લાખ મતદારો મૃત્યુ પામેલા, 17.37 લાખ સ્થળાંતરિત થયેલા અને 5.76 લાખના નામ ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી કુલ 35.69 લાખ નામ યાદીમાંથી હટાવવામાં આવશે. આ આંકડો હજુ વધી શકવાની શક્યતા છે, કારણ કે ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 25 જુલાઈ છે.

ફોર્મ અપલોડ અને બાકી મતદારો
રાજ્યમાંથી અત્યાર સુધી 5.74 કરોડ ફોર્મ ECI-NET પ્લેટફોર્મ પર અપલોડ થયા છે, જે ચૂંટણી પંચે તાજેતરમાં લોન્ચ કરેલું છે. હજુ 11.82% મતદારોના ફોર્મ બાકી છે, જેમણે 25 જુલાઈ સુધીમાં દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરવાના છે. ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે, કોઈ યોગ્ય મતદાર ન છૂટે તે માટે ત્રીજા રાઉન્ડની ઘરે-ઘરે મુલાકાત શરૂ થશે.

વ્યાપક સુવિધાઓ અને સંપર્ક
ચૂંટણી પંચે 78,000 બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને 1.5 લાખ બૂથ લેવલ એજન્ટ્સની મદદથી આ અભિયાનને ઝડપી બનાવ્યું છે. શહેરી વિસ્તારોમાં 5683 વોર્ડમાં ખાસ શિબિરો યોજાઈ રહી છે. બિહારથી બહાર રહેતા મતદારો માટે ECI-NET એપ અથવા https://voters.eci.gov.in દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ વોટ્સએપ કે અન્ય ડિજિટલ માધ્યમથી BLOને મોકલી શકાય છે.