Home Blog Page 376

હાઈકોર્ટમાં મોટો ખુલાસો: IPL મેચો દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ માટે RCB જવાબદાર

0

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા IPL 2025 ટ્રોફી જીતવાની ઉજવણી માટે બેંગલુરુમાં એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સમય દરમિયાન ભાગદોડ મચી ગઈ જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હવે કર્ણાટક સરકારે આ મામલે હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. ચિન્નાસ્વામી નાસભાગ કેસની તપાસના સ્ટેટસ રિપોર્ટમાં, બધો દોષ RCB મેનેજમેન્ટ પર નાખવામાં આવ્યો છે. કોર્ટે કોર્ટમાં રજૂ કરાયેલા આ સ્ટેટસ રિપોર્ટને જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. ચાલો જાણીએ કે આ રિપોર્ટમાં કઈ માહિતી રજૂ કરવામાં આવી છે.

ઔપચારિક પરવાનગી લેવામાં આવી નથી: રિપોર્ટમાં જણાવાયું છે કે બેંગલુરુમાં કાર્યક્રમના આયોજક ડીએનએએ 2009ના શહેરના આદેશ મુજબ ઔપચારિક પરવાનગી લીધા વિના 3 જૂને વિજય પરેડ વિશે પોલીસને જાણ કરી હતી. પરિણામે, પોલીસે પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

RCB એ પોલીસના ઇનકારને અવગણ્યો: રિપોર્ટમાં જણાવાયું છે કે પોલીસના ઇનકાર છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઇવેન્ટનો પ્રચાર ચાલુ રાખ્યો. 4 જૂને, તેઓએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આમંત્રણો શેર કર્યા. આમાં વિરાટ કોહલી દ્વારા ચાહકોને મફત પ્રવેશ સાથે ઇવેન્ટમાં હાજરી આપવા વિનંતી કરતી વિડિઓ અપીલનો સમાવેશ થાય છે.

ભારે ભીડ એકઠી થઈ: કર્ણાટક સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે બેંગલુરુમાં આયોજિત કાર્યક્રમમાં 3 લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આ ભીડ અપેક્ષાઓ અને ભીડ વ્યવસ્થાપન ક્ષમતાઓ કરતાં ઘણી વધારે હતી.

છેલ્લી ઘડીના પાસની આવશ્યકતા: અહેવાલમાં જણાવાયું છે કે ઇવેન્ટના દિવસે, બપોરે 3:14 વાગ્યે, આયોજકોએ અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે પાસની જરૂર પડશે. આ જાહેરાત અગાઉની જાહેરાતથી વિપરીત હતી અને મૂંઝવણ અને ગભરાટનું વાતાવરણ ઊભું કર્યું.

ભીડનું નબળું સંચાલન: કર્ણાટક સરકારના અહેવાલમાં જણાવાયું છે કે RCB, DNA અને KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન) અસરકારક રીતે સંકલન કરવામાં નિષ્ફળ ગયા. ગેરવહીવટ અને પ્રવેશદ્વાર ખોલવામાં વિલંબને કારણે નાસભાગ મચી ગઈ. સાત પોલીસકર્મીઓ ઘાયલ થયા.

મર્યાદિત કાર્યક્રમોની મંજૂરી: પોલીસે વધુ કોઈ અવ્યવસ્થા અટકાવવા માટે નિયંત્રિત પરિસ્થિતિઓમાં મર્યાદિત કાર્યક્રમોની મંજૂરી આપી.

ઘટના પછીના પગલાં: ભાગદોડ બાદ લેવામાં આવેલા પગલાંમાં આ મામલાની મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસ, FIR દાખલ કરવી, પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં, મુખ્યમંત્રીના રાજકીય સચિવનું સસ્પેન્શન, રાજ્ય ગુપ્તચર વડાની બદલી અને પીડિતો માટે વળતરની જાહેરાતનો સમાવેશ થાય છે.

જામકંડોરણાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરીયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા અને અચાનક ડૂબી જવાથી ત્રણેય બાળકોના મોત નિપજ્યા છે હાલ ત્રણેય બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામે તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ત્રણેય બાળકો તળાવમાં નાહવા માટે ગયા હતા અને તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતા ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયા દ્વારા ત્રણે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ તપાસ કરતા આ ત્રણેય બાળકો ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો હોવાની માહિતી સામે આવી છે. અને હાલ ત્રણે બાળકોના મૃતદેહને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મામલતદાર,પોલીસ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હાલ હોસ્પિટલ ખસેડી ત્રણેયના પોસમોર્ટમ કરાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેત મજૂર પરિવારના બાળકોના મોત થતા પરિવારમાં શોક છવાયો છે.

ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા

  • ભાવેશ ડાંગી (ઉ.વ.6)
  • હિતેશ ડાંગી (ઉ.વ.8)
  • નીતેષ માવી (ઉ.વ.7)

ઇરાકમાં શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં 50 લોકોના મોત, અનેક ઘાયલ

ઇરાકના વાસિત પ્રાંતના અલ-કુટ શહેરમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગી, જેના કારણે ઓછામાં ઓછા 50 લોકો જીવતા બળી ગયા હોવાની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ઇરાકને હચમચાવી દીધું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના ગુરુવારે સાંજના સમયે બની હતી, જ્યારે મોલના અંદરના ભાગમાં આગ ફાટી નીકળી હતી.

આગ લાગવાના કારણે મોલની અંદર રહેતા લોકો અને સ્ટાફને બહાર નિકળવા પૂરતો સમય મળ્યો નહીં, જેના કારણે મોતનો આંકડો ઝડપથી વધ્યો. વાયરલ થતા વીડિયો અને તસવીરોમાં ઇમારતના ઉપલા માળો આભસાથી લપસતો દેખાઈ રહ્યો છે અને ધૂમાડાની ઘાટી અંદર જ ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા મુશ્કેલ બનાવી રહી છે.

અગ્નિશામક દળો ઘટના સ્થળે તરત પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ અગ્નિકાંડ એટલો ગંભીર હતો કે આખા મોલમાં આગ ફેલાવા માટે થોડોક સમય જ લાગ્યો. પાંચ માળની આ વ્યસ્ત ઇમારત શનિવાર અને રજાના દિવસો માટે ભારે ભીડ રાખતી હતી, તેથી મૃત્યુઆંક વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વાસિતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા આશરે 50 સુધી પહોંચી છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રારંભિક અનુમાન પ્રમાણે એઈર કન્ડીશનિંગ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે આગ લાગેલી હોવાની શક્યતા છે.

બાંગ્લાદેશમાં ફરી ભડકી રાજકીય હિંસા, શેખ હસીનાના વતનમાં ચારના મોત

ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અંદોલન બાદ દેશભરમાં વ્યાપક હિંસા થઇ હતી, તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાં બાદ હાલ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સાશન ચલાવી રહી છે. ઘણા મહિનાઓની શાંતિ બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય હિંસાનો બનાવ બન્યો છે. ગઈ કાલે બુધવારે ગોપાલગંજ શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટીની જાહેર રેલીમાં હિંસા ફાટી નીકળી હતી, આ દરમિયાન થયેલી અથડામણોમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 9 લોકો ઘાયલ થયા છે.

નોંધનીય છે કે ગોપાલગંજ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું વતન છે. સ્થાનિક અખબારના આહેવાલ મુજબ યુનુસ સમર્થિત NCP અને શેખ હસીનાની અવામી લીગના વિદ્યાર્થી સંગઠનોના સભ્યો આમને સમાને આવી ગયા હતાં, ત્યાર બાદ હિંસક અથડામણ શરુ થઈ હતી.

હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ છે, વિસ્તારમાં 22 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ચાર એડીશનલ પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે.

જવાબદાર કોણ?
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આ હિંસા માટે આવામી લીગને જવાબદાર ઠેરવી છે, યુનુસે આવામી લીગની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઈને શાંતિપૂર્ણ રેલી કાઢતા અટકાવવામાં આવે એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. હિંસા કરનારાઓને સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

કેમ થઇ હિંસા?
શેખ હસીનાને સામે મોરચો ખોનાર સંગઠનોએ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ની સ્થાપના કરી હતી. NCP નેતાઓ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના વારસાને દૂર કરવાની વાત કરી ચુક્યા છે, જેને કારણે આવામી લીગના નેતાઓ અને કાર્યકરો નારાજ છે.

ગોપાલગંજમાં NCPના વિદ્યાર્થીઓએ શેખ મુજીબુર રહેમાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં, જેને કારણે આવામી લીગના કાર્યકરો ઉશ્કેરાયા હતાં. ગઈ કાલે NCPની રેલી પહેલા આવામી લીગના કાર્યકરોની પોલીસ સાથે આથમણ થઇ હતી. પોલીસના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને ગોળીબાર કરવો પડ્યો હતો.

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતા

અમેરિકાના અલાસ્કા રાજ્યમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 હતી. આ પછી, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, થોડા કલાકો પછી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ અલાસ્કાના પોપોફ ટાપુ પર સેન્ડ પોઇન્ટ નજીક આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 36 કિલોમીટર નીચે હતું. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

અલાસ્કા ભૂકંપ એજન્સી અનુસાર એક અઠવાડિયામાં અહીં લગભગ 400 ભૂકંપ નોંધાયા હતા. સૌથી મોટો ભૂકંપ 16 જુલાઈના રોજ અટકા નજીક 5.1 ની તીવ્રતાનો હતો.

મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટી અનુસાર, 7.0 થી 7.9 ની તીવ્રતાનો ભૂકંપ નુકસાન પહોંચાડી શકે છે. અલાસ્કામાં દર વર્ષે લગભગ 10-15 આવા ભૂકંપ નોંધાય છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

17 જુલાઈ, 2025: આજે સિંહ અને મકર સહિત આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં મોટા બદલાવના યોગ- જાણો આજનું રાશિફળ

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇરછા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શકયતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષ થી લાભ. આરોગ્ય સારૂં. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વઘાશે આવતો જણાય. કરેલા રોકાણો નું સારૂં ફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યા દિવસ. જમીન મકાનની દલલાા રાજકીય કાયોર઼્માં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધાશે. અપરિણિતને જીવનસાથી મળવાની શકયતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ જળવાય. સંતાનો ની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોરકીમાં બઢતી ના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સ‌ાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાન થી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંધર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ‌ચિંતા રહે. અેમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શકયતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વઘારો થતો જણાય. અવાકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શકય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ધણો લાભ રહે. શુભ તત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું-ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

વડોદરા-આણંદ બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે 5 જોખમી બ્રિજ તાત્કાલિક બંધ કર્યાં

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ઉપયોગી એવો ગંભીરા બ્રિજ જર્જરિત હોવાનું લોકો 2022થી કહેતા આવ્યા હતા. પરંતુ સરકારના કાને કોઈ પણ સંજોગોમાં આ વાત પહોંચી નહોતી અને 20 નિર્દોષ લોકોના મોત થયા. આ ઘટના બાદ એકાએક ભર ઊંધમાંથી ઝબકીને જાગેલી ગુજરાતની ભાજપ સરકારે તાબડતોબ રાજ્યના વિવિધ બ્રિજની ચકાસણી કરાવી. જેના અંતે પાંચ બ્રિજ વાહનની અવરજવર માટે બંધ કરાયા છે.

સંપૂર્ણપણે બંધ કરાયેલા 05 પુલ:

  1. મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
  2. મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે ૧૫૧એ અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.
  3. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.
  5. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈને જીવન

સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું. બીજી તરફ યુવતીને એક છોકરો પીછો કરી પરેશાન કરતો હોવાનો આક્ષેપ પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલે સિંગણપોર પોલીસે સગીર અને તેના પિતા વિરુદ્ધ આપઘાતના દુસ્પ્રેરણાનો ગુનો નોધ્યો છે અને સગીરના પિતાની ધરપકડ કરી છે.

યુવતીને સગીર ડેરાન કરતો અને પૈસાની માગણી કરતો
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી 19 વર્ષીય નેના રજનીભાઈ વાવડિયાએ આપઘાત કરી લીધો હતો. આ મામલે સિંગણપોર પોલીસ મથકમાં આરોપી સગીર અને તેના પિતા વિષ્ણુભાઈ દેસાઈ સામે આપઘાતનો દુષ્પ્રરણાનો ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સગીર પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો. તેમજ દીકરી પાસે બળજબરી 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો આ ઉપરાંત યુવતીના પિતાએ સગીરના પિતા વિષ્ણુભાઈને જાણ કરતા તેઓએ પણ પુત્રનું ઉપરાણું લઈને ગાળાગાળી કરી હતી. આ મામલે સિંગણપોર પોલીસે ફરિયાદના આધારે સગીરના પિતા વિષ્ણુભાઈ દેસાઈની ધરપકડ કરી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસીપી પીનાકીન પરમારએ જણાવ્યું હતું કે 13-7-2025 ના રોજ સિંગણપોર પોલીસ સ્ટેશનની હદમાં નાનીવેડ વિસ્તારની અંદર એક 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ યુવતી ખાનગી ટ્યુશન ક્લાસીસની અંદર પોતે આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી પરંતુ તેણે 13મી તારીખે સાંજે 7.30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેની માહિતી પોલીસને મળતા પોલીસે જાણવા જોગ એ.ડી. ની તપાસ ચાલુ કરી હતી.

ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપીના પિતાની ધરપકડ
બીજા દિવસે યુવતીના પિતા પોલીસ મથકે આવીને એમણે પોતાની વિગત આપી હતી જેની અંદર એ યુવતીને કોઈ એક છોકરો એના ટયુશન ક્લાસ ઉપર આવીને અને પરેશાન કરતો હતો અને તેની પાસે 30 હજાર રૂપિયાની માંગણી કરતો હતો. પિતાની ફરિયાદ પોલીસે તાત્કાલિક નોંધીને તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના પાંચ કલાકની અંદર જ આરોપી સગીરના પિતાની પોલીસે ધરપકડ કરી હતી અને જે સગીર વિરુદ્ધ ફરિયાદ છે. તેને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવીને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે.

વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસ અધિકારીઓ દ્વારા યુવતીના પિતા સાથે મુલાકાત કરવામાં આવેલી હતી અને તેમની સાથે સમાજના આગેવાનો પણ આવેલા હતા. તેમની સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એમની જે રજૂઆત હતી. એ પોલીસે સાંભળી અને એ દિશામાં પોલીસે કાર્યવાડી કરેલી છે. સમાજના આગેવાનો દ્વારા અમુક ચોક્કસ પ્લેસ પરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીને છેડતી કરતા એવી રજૂઆતો હતી તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લગભગ એક મહિનો થઈ ગયો છે, આ સમય દરમિયાન રાજ્યના તમામ ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. જોકે હાલમાં ફક્ત થોડા વિસ્તારોમાં જ વરસાદ પડી રહ્યો છે. બુધવારે સવારે 8:30 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મહિસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો.

રાત્રે 10 વાગ્ચા સુધીમાં જિલ્લામાં વરસાદની શક્યતા
ગઈકાલે અમદાવાદમાં 3 મીમી, દમણમાં 1 મીમી અને સુરત અને ડાંગમાં 0.5 મીમી વરસાદ પડ્યો હતો. હવામાનશાસ્ત્રીઓ અનુસાર આગામી 10 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે બુધવાર રાત સુધી અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં 5 મીમી પ્રતિ કલાકની ઝડપે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.

આગામી ત્રણ દિવસ માટે હવામાન આગાહી
16 જુલાઈને બુધવારના રોજ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વીજળી અને હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

17 જુલાઇને ગુરુવારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી પડવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, સુરપુર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા. ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ.

18 જુલાઇ શુક્રવારના રોજ ઉત્તર ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર ઉપરાંત દક્ષિણ ગુજરાત વિસ્તારના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરપુર, ભરૂચ, ભરૂચ, દાદરા નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

“Tanks in the air” અભિયાન: પાકિસ્તાન સરહદ પર ભારતનો આક્રમક મૂડ: અપાચે ફાઇટર હેલિકોપ્ટરો તૈનાત થશે

0

ભારતીય સેનાને 21 જુલાઈના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર પ્રાપ્ત થશે . આ હેલિકોપ્ટર પાકિસ્તાન સરહદ નજીક સેનાના આક્રમણ અને જાસૂસી કામગીરીને વેગ આપવા માટે મૂકવામાં આવશે. આ વિમાન ગાઝિયાબાદના હિંડોન એરફોર્સ સ્ટેશન પર પહોંચશે. વિશ્વના સૌથી અદ્યતન એટેક હેલિકોપ્ટર, અપાચે, જેને ઘણીવાર ટેન્ક કિલર્સ અથવા ‘હવામાં ટેન્ક’ કહેવામાં આવે છે. આ ડિલિવરી વૈશ્વિક સપ્લાય ચેઇન સમસ્યાઓ અને બદલાતી ભૂ-રાજકીય પરિસ્થિતિઓને કારણે થયેલા વિલંબને કારણે છે. ભારતીય સેનાએ રાજસ્થાનના જોધપુરમાં તેનું પ્રથમ અપાચે સ્ક્વોડ્રન સ્થાપિત કર્યાના 15 મહિના પછી આવી છે.

અપાચે એક્વિઝિશન અને ડિપ્લોયમેન્ટ પર પૃષ્ઠભૂમિ
ભારતીય વાયુસેનાએ 2015 માં 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે યુએસ અને બોઇંગ સાથે કરાર કર્યો હતો. ડિલિવરી જુલાઈ 2020 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. બાદમાં 2020 માં, ભારતે સેના માટે વધુ છ અપાચે ખરીદવા માટે $600 મિલિયનના બીજા સોદા પર હસ્તાક્ષર કર્યા.

તાજેતરમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે વાતચીત કરી હતી. ચર્ચા દરમિયાન, સિંહે અપાચે હેલિકોપ્ટરની ઝડપી ડિલિવરી માટે વિનંતી કરી હતી અને LCA તેજસ ફાઇટર જેટ માટે બનાવાયેલ GE F404 એન્જિનની તાત્કાલિક જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. સિંહે કહ્યું હતું કે આ ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાના હેતુથી “ઉત્તમ ચર્ચા” હતી.

2022 માં, ભારતીય સેનાએ એક આંતરિક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં લાંબા ગાળાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 39 અપાચે હેલિકોપ્ટરની જરૂરિયાતનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આર્મી એવિએશન કોર્પ્સને આધુનિક બનાવવાના ભારતના પ્રયાસોમાં અપાચેને એક મહત્વપૂર્ણ ઉમેરો તરીકે જોવામાં આવે છે.

કાર્યરત અન્ય હેલિકોપ્ટર પ્લેટફોર્મ
અપાચે ઉપરાંત, ભારતીય સેના ઘણા અન્ય હેલિકોપ્ટર પ્લેટફોર્મ ચલાવે છે. આમાં રુદ્રનો સમાવેશ થાય છે, જે ધ્રુવ હેલિકોપ્ટરનું સશસ્ત્ર સંસ્કરણ છે, જેનો ઉપયોગ ટેન્ક વિરોધી અને નજીકના હવાઈ સહાયક ભૂમિકાઓ માટે થાય છે. ચિત્તા અને ચેતક જેવા હળવા હેલિકોપ્ટર દૂરના વિસ્તારોમાં તબીબી સ્થળાંતર, લોજિસ્ટિક્સ અને દેખરેખ મિશન માટે તૈનાત કરવામાં આવે છે.

ભારત સ્વદેશી પ્લેટફોર્મ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) પ્રચંડને ઉચ્ચ-ઉચ્ચાઈવાળા વાતાવરણમાં પ્રદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. માર્ચ 2025 માં, સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 156 પ્રચંડ હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ₹62,700 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા – વાયુસેના માટે 66 અને સેના માટે 90.