Home Blog Page 373

૧૫ જુલાઈ, ૨૦૨૫/ આ રાશિ માટે મંગળવારના દિવશે પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો, આજ દિવસે દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શકય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, ‌િશક્ષીણ જેવા ધંધા માં વિશેષ લાભ.

વૃષભઃ-

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચરૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ-

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનુ‌ં આયોજન શકય બને.

કર્કઃ-

દિવસમાં દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની વિશેષ જવાબદારરી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગાર ની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે. દા‌મ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ-

આત્મબળ મજબૂત બને. માન સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણા ના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકાેપ રહે.

કન્યાઃ-

નોકરી-ધંધા ક્ષૃૃેત્રેે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ્ન કન્સલટના એકાઉન્ટસ. હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનો ની પ્રગ‌િત થી આનંદ થાય. સ્વાર્થ વૃત્તિ વધે. પ્રતિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ-

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રંસગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ-

આવકનુંૃ પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી ની વડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ-

નાણાંકીય બાબતો માં સાનુ કુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથી ની તબિયત ની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતો માં રૂચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સાેબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ-

આવકની દૃષ્ટિ એ સારો દિવસ છે. પરિવાર ના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહેે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ-

માનસિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે.સા‌િહત્ય, સંશોધન, ફાઈનાન્સ ના કામ માં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાો.

મીનઃ-

સંતાન તરફથી ચિંતા સતાવશે. ‌િવદ્યાર્થી વર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંધર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાત. કરોડરજ્જુ, દાંત અને હાડકા ની કાળજી રાખવી જરૂરી.

સુરત જિલ્લા કલેક્ટરે કામરેજના તાપી બ્રિજની નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહનવ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચાવિચારણા કરી જરૂરી સૂચના આપી હતી.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, નેશનલ હાઈવે એન.એચ.-૪૮ પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટનું સમારકામની કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલી રહી છે. જેથી ભરૂચથી સુરત તરફ ડાબી તરફ જનારા વાહનોને કીમ ચાર રસ્તા પાસે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના પેકેજ-૬ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. કીમ તરફથી નવા બનેલા એક્સ્પ્રેસ વે પર જઈને વાહનચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવે સુધી જઈ રહ્યા છે. ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરી ૩૦ થી ૩૫ દિવસ ચાલનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

NHAIના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયકુમાર યાદવે તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પર કુલ ત્રણ બ્રિજ આવેલા છે. જે પૈકી ડાબી તરફના બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા દોઢ વર્ષથી આ સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત સહયોગથી હવે આ કામગીરીને ગતિ મળી છે. સમારકામ માટે હાલ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ છે, અને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. NHAIની ટીમ એન્જિનિયરો, મેનપાવર, મશીનરી અને જરૂરી સાધનો સાથે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે ૩૦ થી ૩૫ દિવસમાં તમામ કામ પૂર્ણ કરી પુલને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.”

એટીએસનો મોટો ખુલાસો: બોગસ લાયસન્સથી હથિયારો મોકલનાર ગેંગ ઝડપાયો

0

એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નાર્કોટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. જે દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. એલ. ચૌધરીનાઓને ગુપ્ત રાહે બાતમી મળેલ કે, (૧) મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, (૨) અભિષેક રાજદેવ ત્રિવેદી, (૩) વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, (૪) રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, (૫) અજય ભુરેસિંહ સેંગર, (૬) શોલેસિંહ રામબાબુસિંહ સેંગર તથા (૭) વિજયસિંહ ભૂરેસિંહ સેંગર નાઓએ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના શ્યામસિંહ ઉર્ફે રાજુ હુકમસિંહ ચૌહાણ તથા શ્યામસિહ ઠાકુર નાઓની મદદથી દેવકાન્ત પાન્ડે નાઓને ઘણી મોટી રકમ આપી તેઓ પાસે ઉત્તરપ્રદેશ રાજ્યના બોગસ હથિયાર લાયસન્સો પોતાના નામે બનાવડાવી તેઓ પાસેથી હથિયારો ખરીદી લાવેલ છે. તેમજ તેઓએ પોતાની ગેંગના માણસો તથા ગુજરાતના બીજા ઘણા બધા માણસોને બોગસ હથિયાર લાયસન્સ તથા હથિયારો અપાવડાવેલ છે.

ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓને જાણ કરી આ માહિતીને ખરાઈ અર્થે પો.ઇન્સશ્રી કે.બી.સોલંકીનાઓને સોપવામાં આવેલ. જે માહિતી અંગે પો.ઇન્સશ્રી કે.બી.સોલંકી, એ.ટી.એસ. ટીમના અન્ય અધિકારી તથા સ્ટાફના માણસો દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવેલ. જે અંતર્ગત ઉપરોક્ત ઈસમોની પુછપરછ અને પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, ગુજરાતના ઘણા માણસોએ વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ના સમયગાળા દરમ્યાન યેનકેન પ્રકારે ઉત્તરપ્રદેશના એજન્ટ દેવકાન્ત પાન્ડે મારફતે એટા, ઉત્તરપ્રદેશ ખાતેથી ખોટા હથિયાર લાયસન્સો બનાવી હથિયારો મેળવેલ છે.

જે મળેલ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ની અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવેલ જે દરમ્યાન ઉપરોક્ત ૦૭ ઇસમો પાસેથી ૦૩ રિવોલ્વર તથા તેના ૧૮૭ રાઉન્ડસ અને ૦૪ પિસ્ટલ તથા તેના ૯૮ રાઉન્ડસ મળી કુલ ૦૭ હથિયાર સાથે ૨૮૫ રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવેલ છે. જે આધારે એ.ટી.એસ. પો.સ્ટે. ખાતે કુલ ૦૭ ઇસમો (૧) મુકેશસિંહ હુકમસિંહ ચૌહાન, (૨) અભિષેક રાજદેવ ત્રિવેદી, (૩) વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, (૪) રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલા, (૫) અજય ભુરેસિંહ સેંગર, (૬) શોલેસિંહ રામબાબુસિંહ સેંગર તથા (૭) વિજયસિંહ ભૂરેસિંહ સેંગર વિરુદ્ધ તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૭, ૩૩૮, ૩૩૯,૩૪૧(૨)(૪) તથા ૫૪, ૬૧ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ઉપરોક્ત ઈસમોની પુછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, ઉપરોક્ત તમામ ઇસમો તેઓના હથિયાર લાયસન્સમાં જણાવેલ એટાના સરનામે કોઇ દિવસ રહેવા કે વેપારધંધો કે નોકરી કરવા ગયેલ નથી. તેમજ તેઓએ હથિયાર લાયસન્સ મેળવવા માટે એટા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનાઓ સમક્ષ કોઈ ઈન્ટરવ્યુ આપેલ નથી. આ ઉપરાંત ઉપરોક્ત ઈસમો પૈકી કોઇની પણ હથિયાર મેળવ્યા બદલની કોઈ ગન હાઉસ રજિસ્ટરમાં સહિ કરેલ નથી.

ગુજરાત એ.ટી.એસ. દ્વારા આ ગુના સંદર્ભે અન્ય બે ઈસમો (૧)શ્યામસિંહ રાજેન્દ્રસિંહ ઠાકુર ઉ.વ.૪૯, રહે. અમદાવાદ મુળ વતન-વિરબનીપીજરી, તા.અલીગંજ, જીલ્લો-એટા, ઉત્તરપ્રદેશ તથા (૨) હિમ્મતસિંહ કમલાકરસિંહ રાજપુત ઉ.વ.૩૧, રહે. અમદાવાદ. મુળ વતન – ગામ-ખેરહટ, તેહસીલ-બારા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ નાઓની અટકાયત કરી પુછપરછ ચાલુમાં છે તેમજ આ રીતના ગુનાઓમાં સંડોવાયેલ અન્ય ઇસમો વિરુદ્ધ સઘન તપાસ ચાલુ માં છે.

નાઇજીરીયાના ભૂતપૂર્વ નેતા મુહમ્મદુ બુહારીનું 82 વર્ષની વયે અવસાન

નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ લંડનમાં અવસાન થયું છે. તેમના ભૂતપૂર્વ પ્રવક્તા, ગરબા શેહુ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના કાર્યાલય દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે બુહારીનું લંડનના એક ક્લિનિકમાં સ્થાનિક સમય મુજબ સાંજે 04:30 વાગ્યે અવસાન થયું હતું. ઉપરાષ્ટ્રપતિ કાશીમ શેટ્ટીમા અને સ્ટાફના વડાને બુહારીના મૃતદેહને નાઇજીરીયા પાછા લાવવા માટે લંડન જવા માટે કહેવામાં આવ્યું છે, જે તેમના ગૃહ રાજ્ય કાટસિનામાં ઇસ્લામિક વિધિઓ અનુસાર થશે.

એક લશ્કરી શાસક નાગરિક રાષ્ટ્રપતિ બન્યા
બુહારી નાઇજીરીયાના આધુનિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. તેઓ સૌપ્રથમ 1983 માં એક બળવા પછી લશ્કરી શાસક તરીકે સત્તા પર આવ્યા હતા, પરંતુ 20 મહિના પછી તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી, તેમણે પોતાને એક નાગરિક નેતા તરીકે ફરીથી ઓળખાવ્યા, પોતાને “પરિવર્તિત લોકશાહી” તરીકે વર્ણવ્યા. ઘણા અસફળ પ્રયાસો પછી, તેઓ 2015 માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, નાઇજીરીયાના બહુપક્ષીય લોકશાહીમાં પાછા ફર્યા પછી કોઈ વર્તમાન નેતાને હરાવનારા પ્રથમ વિપક્ષી ઉમેદવાર બન્યા. તેઓ 2019 માં ફરીથી ચૂંટાયા અને 2023 સુધી સેવા આપી.

ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અને સ્થાયી પડકારો
તેમના રાષ્ટ્રપતિ કાર્યકાળમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અને બોકો હરામ બળવાખોરીનો સામનો કરવાના પ્રયાસો મહત્વાકાંક્ષી રહ્યા. આ પહેલ છતાં, ભ્રષ્ટાચાર અને સુરક્ષા બંને મુદ્દાઓ રાષ્ટ્રને પડકારતા રહ્યા. બુહારીના વહીવટીતંત્રને દાયકાઓમાં નાઇજીરીયાની સૌથી ઊંડી આર્થિક મંદીનો પણ સામનો કરવો પડ્યો, જે મોટાભાગે તેલના ભાવમાં ઘટાડાને કારણે શરૂ થયો. જ્યારે તેમની નેતૃત્વ શૈલીની ઘણીવાર શિસ્ત અને ગેરવહીવટ સામે દૃઢતા માટે પ્રશંસા કરવામાં આવતી હતી, ત્યારે ટીકાકારોએ વણઉકેલાયેલી માનવ અધિકારોની ચિંતાઓ અને ચાલુ આર્થિક મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું.

આરોગ્ય સંઘર્ષ અને જટિલ વારસો
તેમના કાર્યકાળ દરમિયાન, બુહારીનું સ્વાસ્થ્ય લંડનમાં લાંબા સમય સુધી તબીબી રોકાણને કારણે જાહેર અટકળોનો વિષય રહ્યું, જોકે તેમની બીમારીનું ચોક્કસ સ્વરૂપ ક્યારેય સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું ન હતું. તેમના પરિવારમાં તેમની પત્ની, આયશા હલીલુ અને દસ બાળકો છે. બુહારીનો વારસો જટિલ રહે છે – તેમની લશ્કરી પૃષ્ઠભૂમિ, ભ્રષ્ટાચાર સામે લડવાની પ્રતિબદ્ધતા અને તેમના કાર્યકાળ દરમિયાન અને તે પછી નાઇજીરીયાએ સતત આર્થિક અને સુરક્ષા સમસ્યાઓનો સામનો કર્યો હતો.

અંતરિક્ષ યાત્રા પૂરી: શુભાંશુ શુક્લાનું અવકાશયાન અનડોક થશે, જાણો પૃથ્વી પર ક્યાં થશે લેન્ડિંગ

0

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) માં 18 દિવસ વિતાવ્યા પછી, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સોમવારે પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના થશે. શુક્લા રાકેશ શર્મા (1984) પછી અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી છે. ‘એક્સિઓમ સ્પેસ’ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પૃથ્વી પર 22.5 કલાકની મુસાફરી પછી, ક્રૂ સવારે 4:31 વાગ્યે (મંગળવાર ભારતીય સમય મુજબ બપોરે 3:01 વાગ્યે) કેલિફોર્નિયા કિનારે ઉતરવાની અપેક્ષા છે.”

આખી પ્રક્રિયા ઓટોમેટેડ હશે
ડ્રેગન અવકાશયાનને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વચાલિત હશે. અનડોક કર્યા પછી, ડ્રેગન એન્જિન જરૂરી ઊર્જા ઉત્પન્ન કરવા માટે ચોક્કસ પ્રક્રિયાઓમાંથી પસાર થશે જેથી તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સુરક્ષિત રીતે દૂર રહી શકે અને પૃથ્વી પર પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી શકે.

પૃથ્વી પર પાછા ફરવામાં કેટલો સમય લાગશે?
પૃથ્વી પર પાછા ફરતી વખતે, અવકાશયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરશે. પેરાશૂટ બે તબક્કામાં કામ કરશે. પ્રથમ તબક્કામાં, સ્થિરતા પેરાશૂટ લગભગ 5.7 કિલોમીટરની ઊંચાઈએ કામ કરશે અને પછી બીજા તબક્કામાં, મુખ્ય પેરાશૂટ લગભગ બે કિલોમીટરની ઊંચાઈએ કામ કરશે. અવકાશયાન ‘અનડોકિંગ’ પછી લગભગ 22.5 કલાક પછી કેલિફોર્નિયાના કિનારે ઉતરશે તેવી અપેક્ષા છે અને અવકાશ કેપ્સ્યુલને એક ખાસ જહાજ દ્વારા પાછું લાવવામાં આવશે.

“પૃથ્વી પર જલ્દી મળીશું”
રવિવારે, અભિયાનના 73 અવકાશયાત્રીઓએ એક્સિઓમ-4 મિશનના ક્રૂ માટે પરંપરાગત વિદાય સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં શુક્લા, કમાન્ડર પેગી વ્હિટસન અને મિશન નિષ્ણાતો પોલેન્ડના સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય છે. એક્સિઓમ-4 મિશન ચાર દાયકાથી વધુ સમય પછી ભારત, પોલેન્ડ અને હંગેરીના અવકાશમાં પાછા ફરવાનું પ્રતીક છે. “પૃથ્વી પર ટૂંક સમયમાં મળીશું,” શુક્લાએ રવિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે વિદાય સમારંભમાં કહ્યું.

અવકાશમાંથી ભારત કેવું દેખાય છે?
શુક્લાએ એ સમયને યાદ કર્યો જ્યારે તેમના આદર્શ રાકેશ શર્મા 41 વર્ષ પહેલાં અવકાશમાં ગયા હતા અને ત્યાંથી ભારત કેવું દેખાતું હતું તેનું વર્ણન કર્યું. શુક્લાએ કહ્યું, “આપણે બધા આજે પણ ઉપરથી ભારત કેવું દેખાય છે તે જાણવા માટે ઉત્સુક છીએ. આજનો ભારત મહત્વાકાંક્ષી દેખાય છે. આજનો ભારત નિર્ભય દેખાય છે, આજનો ભારત આત્મવિશ્વાસપૂર્ણ દેખાય છે. આજનો ભારત ગર્વથી ભરેલો દેખાય છે.” તેમણે કહ્યું, “આ બધા કારણોસર, હું ફરી એકવાર કહી શકું છું કે આજનો ભારત હજુ પણ ‘સારે જહાં સે અચ્છા’ દેખાય છે.”

શુભાંશુ શુક્લાએ શું કહ્યું?
શુક્લાએ કહ્યું, “મેં 25 જૂને ફાલ્કન-9 પર ઉડાન ભરી ત્યારે મેં ક્યારેય આની કલ્પના કરી નહોતી. મને લાગે છે કે તેમાં સામેલ લોકોના કારણે તે અવિશ્વસનીય રહ્યું છે. મારી પાછળ ઉભેલા લોકોએ (એક્સપીડિશન 73 ક્રૂ) અમારા માટે આને ખરેખર ખાસ બનાવ્યું છે. હું અહીં આવીને અને તમારા જેવા વ્યાવસાયિકો સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું.”

પૃથ્વી પર આવ્યા પછી શું થશે?
પૃથ્વીના પર્યાવરણ માટે યોગ્ય સ્થિતિમાં પાછા ફરવા માટે અવકાશયાત્રીઓને પુનર્વસનમાં લગભગ સાત દિવસ વિતાવવા પડશે. અવકાશયાત્રીઓએ અવકાશ મથક પર વજનહીનતાની વિરુદ્ધ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ જીવનને સમાયોજિત કરવું પડશે. શુક્લા માટે આ એક ઐતિહાસિક યાત્રા રહી છે, જે ISS ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બન્યા છે.

મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈને તબિયત લથડી, દિલ્હી ખાતે હોસ્પિટલમાં દાખલ

0

સોમવારે (14 જુલાઈ, 2025) એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈને તેમની તાજેતરની હૈદરાબાદ મુલાકાત દરમિયાન ગંભીર ચેપ હોવાનું નિદાન થયું હતું અને તેઓ દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર માટે સારો પ્રતિભાવ આપી રહ્યા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની સારવાર સારી રીતે ચાલી રહી છે અને તેઓ એક કે બે દિવસમાં સત્તાવાર ફરજો ફરી શરૂ કરે તેવી અપેક્ષા છે. CJI એ આજે કોર્ટ યોજી ન હતી.

મુખ્તાર અંસારી ગેંગનો શાર્પ શૂટર શાહરૂખ પઠાણ એન્કાઉન્ટરમાં ઠાર

0

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના વિઝોપુરા ચાર રસ્તા પાસે રવિવાર મોડી રાત્રે SFT મેરઠ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સંજીવ જીવા અને મુખ્તાર અંસારી ગેંગનો શાર્પ શૂટર શાહરૂખ પઠાણ કે જેના પર 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું, તે માર્યો ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુપી STF ટીમ અને પોલીસ ઘણા લાંબા સમયથી તેને શોધતી હતી. STFને ઘણી વખત તેનું લોકેશન મળ્યું હતું પરંતુ દરેક વખતે તે પોલીસને ચકમો આપીને ભાગી જતો હતો.

આરોપી તરફથી ફાયરિંગ STF મેરઠની જવાબી કાર્યવાહીમાં ઠાર
છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર રસ્તા પાસ જંગલમાં STF મેરઠ અને ગુનેગારોની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. STFની ટીમને શાહરુખ પઠાનનું લોકેશન મળ્યું હતું. જેથી STFની ટીમે તેને પકડવા માટે ચારેય બાજુ નાકાબંધી કરીને ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ શરુ કરવામાં આવ્યું હતું. જવાબી ફાયરિંગમા ખાલાપર મુઝફ્ફરનગરના રહેવાસી જરીફના પુત્ર કુખ્યાત ગુનેગાર શાહરુખ પઠાણનું STF ગોળીઓથી મોત થયું. પોલીસે તેની પાસેથી એક બ્રેજા કાર, એક પિસ્તોલ તેમજ બે રિવોલ્વર તેમજ કેટલાક જીવતા કારતૂસ અને ત્રણ ખોખા કારતૂસ પણ કબજે કર્યા હતા. આરોપી ગુનેગાર પર 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું.

લૂટ અને હત્યાના એક ડઝનથી વધારે ગુનાઓ નોંધાયેલા હતા
શાહરુખ પઠાણ સંજીન જીવા અને મુખ્તાર અંસારી ગેંગના શાર્પ શૂટર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહરુખ પઠાણ સામે લૂંટ અને હત્યાના એક ડઝનથી વધારે ગુનાઓ નોંધાયેલા હતા. હાલમાં તે જામીન પર બહાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, લગભગ 6 મહિના પહેલા જામીન પર બહાર આવ્યા પછી હત્યાના કેસમાં સાક્ષી આપનારને ધમકાવીને જાનથી મારી નાખવાની કોશિશમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

શાહરૂખ પઠાણ કોણ હતો?
મળતી માહિતી મુજબ, શાહરૂખ પઠાણ યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના ખાલાપર વિસ્તારનો રહેવાસી હતો. શાહરૂખ પઠાણ વર્ષ 2015 માં ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હતો. તે 2016 માં પોલીસ કસ્ટડીમાંથી પણ ભાગી ગયો હતો. શાહરૂખ પઠાણ સામે એક ડઝનથી વધુ ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા હતા. પીટીઆઈ અનુસાર, પઠાણ વિરુદ્ધ મુઝફ્ફરનગર, સંભલ અને હરિદ્વારમાં હત્યા અને ખંડણીના અનેક કેસ નોંધાયેલા છે. મેરઠ એસટીએફે સોમવારે મુઝફ્ફરનગર જિલ્લાના છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં તેને ઠાર માર્યો હતો. તમને જણાવી દઈએ કે આ ગેંગના વડા સંજીવ જીવાની લગભગ બે વર્ષ પહેલા લખનૌમાં સુનાવણી દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

શાહરૂખ પઠાણ પાસેથી શું મળ્યું?

30 મીમી બેરેટા પિસ્તોલ
૩૨ મીમી રિવોલ્વર ઓર્ડનન્સ
9mm પિસ્તોલ દેશી
નંબર વગરની સફેદ બ્રેઝા કાર
7 જીવંત કારતૂસ 9 મીમી
10 જીવંત કારતૂસ 32 મીમી
46 જીવંત કારતૂસ 30 મીમી
6 ખાલી કારતુસ 31 મીમી

સાબર ડેરી ખાતે હિંસક વિરોધ: પોલીસે લાઠીચાર્જ, ટીયર ગેસનો ઉપયોગ કર્યો

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા પશુપાલકોએ ડેરીની દીવાલની ગ્રીલ તોડી, પથ્થરમારો કર્યો, અને મુખ્ય ગેટના CCTV પણ તોડી પાડ્યા. આ હિંસક ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જ્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

પશુપાલકોએ હિંમતનગર-તલોદ મુખ્ય માર્ગ બંધ કરીને ચક્કાજામ સર્જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે સાબર ડેરી પરિસરમાં અને આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ આંદોલનમાં સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ પશુપાલકોના સમર્થનમાં જોડાયા હતા, જેનાથી પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

પશુપાલકોનો આક્રોશ શા માટે?
પશુપાલકોનો મુખ્ય રોષ સાબર ડેરી નિયામક મંડળ સામે છે, જેઓ દૂધના ભાવફેરમાં 20 થી 25 ટકા જેટલો વધારો ચૂકવવાની માંગ કરી રહ્યા છે. તેમનો આક્રોશ એ વાતનો પણ છે કે, પોતાની રજૂઆત કરવા આવેલા પશુપાલકો સામે ડેરી દ્વારા બાઉન્સર્સ કેમ ઉભા કરવામાં આવ્યા? શું પશુપાલકો પોતાની મહેનતનો જવાબ પણ ન માંગી શકે કે પોતાની રજૂઆત પણ ન કરી શકે? આ સવાલો આજે દરેક પશુપાલકના મનમાં ઘૂમી રહ્યા છે.

ગત વર્ષની સરખામણીએ મોટો ઘટાડો
પશુપાલકોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના કારણે દૂધ ઉત્પાદકોને 17 ટકાથી વધુ ભાવ વધારો મળ્યો હતો. પરંતુ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટીને 9.75 ટકા જેટલો જ રહ્યો છે. દૂધના ભાવફેરમાં થયેલો આ અચાનક ઘટાડો જ આજના આક્રોશનું મુખ્ય કારણ છે. પશુપાલકોની આ માંગણી અને વિરોધ પ્રદર્શન કેટલો સમય ચાલશે અને તંત્ર કે ડેરી સત્તાધીશો આ મામલે શું વલણ અપનાવે છે, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો, સાબરકાંઠામાં પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર છે અને શાંતિપૂર્ણ સમાધાનની આશા ધૂંધળી બની રહી છે.

સિગારેટ જેટલા જ ખતરનાક છે જલેબી, સમોસાં અને લાડુ: આરોગ્ય મંત્રાલયે આપી ચેતવણી

0

જલેબી, સમોસાં અને લાડુના શોખીનો હવે એલર્ટ થઈ જવાની જરૂર છે. હવે ખાવા-પીવાનું દરેક વસ્તુ પર વોર્નિંગ સ્લિપ લાગશે, જેમાં તે વસ્તુમાં શુગર અને તેલની માહિતી આપેલી હશે. આરોગ્ય મંત્રાલયે દેશભરની તમામ કેન્દ્રીય સંસ્થાઓને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ દરેક ફૂડ આઇટમ પર તેલ અને ખાંડ વિશે સૂચક બોર્ડ લગાવે, જેથી નાસ્તામાં છુપાયેલી ચરબી અને ખાંડની સાચી જાણકારી મળી શકે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
આરોગ્ય મંત્રાલયે એક આંતરિક રિપોર્ટ તૈયાર કર્યો છે, તેમાં ખુલાસો થયો છે કે વર્ષ 2050 સુધી ભારતમાં 44.9 કરોડ લોકો મોટાપા (જાડાપણા) અથવા વધેલા વજનની સમસ્યા ધરાવશે. એવામાં ભારત અમેરિકા પછી દુનિયાનો બીજો મોટાપાથી પીડિત દેશ બની જશે. હાલની સ્થિતિ જોઈએ તો ભારતમાં દરેક પાંચમાંથી એક વ્યક્તિ ઓવરવેઇટ છે. લોકો જન્ક ફૂડ (અપૌષ્ટિક ખોરાક)થી જાગરૂક રહે અથવા દૂર રહે, એ માટે જ આરોગ્ય મંત્રાલયે આ પગલું ભર્યું છે. શરૂઆતમાં આ નિયમ સરકારી સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. ફૂડ આઇટમ્સ પર લગાવેલી તેલ અને ખાંડની માહિતીથી લોકો સમજી શકે કે તેઓ કેટલું અનહેલ્ધી ખાઈ રહ્યા છે.

ભારતમાં કેટલા લોકો મોટાપાના શિકાર છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની 2024ની રિપોર્ટ અનુસાર ભારતમાં 60 ટકાથી વધુ લોકો મોટાપો અથવા વધેલા વજનથી પીડિત છે. જ્યારે 2030 સુધીમાં ડાયાબિટીસના કેસ 10 કરોડને પાર કરી શકે છે. એ જ કારણે આરોગ્ય મંત્રાલયે ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FSSAI) સાથે મળીને નવી નીતિ બનાવી છે, જેના હેઠળ પેકેટવાળી ખાદ્ય વસ્તુઓ પર વોર્નિંગ લેબલ લગાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

લાડૂ-જલેબી અને સમોસાં સિગરેટ જેટલાં ખતરનાક કેમ?
એમ્સ નાગપુરના અધિકારીઓએ જણાવ્યું કે આરોગ્ય મંત્રાલય તરફથી તેમને આ સંબંધમાં આદેશ મળ્યો છે. ત્યાર બાદ કેમ્પસમાં આવેલા કાફે અને પબ્લિક જગ્યો પર વોર્નિંગ બોર્ડ લગાવવામાં આવશે. માત્ર સમોસાં-જલેબી અને લાડુ નહીં, પણ વડાપાંવ અને ભજિયાં પણ આ ચેકિંગની લિસ્ટમાં સામેલ રહેશે.

કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા, નાગપુર બ્રાંચના ચીફ ડો. અમર આમલે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે ખાંડ અને ટ્રાન્સફેટ આજના સમયમાં નવી સિગારેટ અને તમાકુ છે. ખાંડ અને તેલને કારણે આ ફૂડ આઇટમ્સ સ્મોકિંગ અને તમાકુ જેટલા જ ખતરનાક સાબિત થઈ રહ્યા છે. હવે જે ખોરાક જેટલો નુકસાનદાયક હશે, તેના પર તેટલી ગંભીર ચેતવણી આપવામાં આવશે. લોકોને માલૂમ હોવું જોઈએ કે તેઓ શું ખાઈ રહ્યા છે.

દિલ્હી યુનિવર્સિટીથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો

0

દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા 6 દિવસથી ગુમ હતી. હવે તેનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં સિગ્નેચર બ્રિજ પરથી કૂદવાનો ઈરાદો દર્શાવ્યો હતો. દિલ્હી પોલીસે ટેકનિકલ દેખરેખના માધ્યમથી દેબનાથની ગતિવિધિઓ વિશે માહિતી મેળવી અને તેનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પાસે મળી આવ્યું હતું.

સ્નેહાએ 4 મહિનાથી બેંક ખાતામાંથી પૈસા નહોતા ઉપાડ્યા
એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્નેહાએ છેલ્લે 7 જુલાઈની સવારે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ પરિવાર સ્નેહા સાથે વાત કરી શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સ્નેહાએ છેલ્લા ચાર મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસો ઉપાડ્યો નથી અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી.

7 જુલાઈના રોજ સવારે 5:56 વાગ્યે સ્નેહાએ પોતાના પરિવારને કહ્યું હતું કે, હું મારી મિત્ર પિટુનિયા સાથે સરાઈ રોહિલા સ્ટેશન જઈ રહી છું. પરંતુ લગભગ ત્રણ કલાક પછી જ્યારે તેનો ફોન બંધ આવ્યો, તો પરિવારે પેટુનિયાનો સંપર્ક કર્યો. પિટુનિયાએ તેમને કહ્યું કે હું સ્નેહાને મળવા નથી ગઈ અને અમારી મુલાકાત નથી થઈ. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ રહી ગયો. ત્યારબાદ સ્નેહાના પરિવારે ટેક્સી ડ્રાઈવરને શોધ્યો, જેણે સ્નેહાને છોડી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે, મેં સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી. પરંતુ આ વિસ્તારમાં CCTV કવરેજ બરાબર ન હોવાના કારણે દિલ્હી પોલીસ સ્નેહાની આગળની ગતિવિધિ ન જાણી શકી.

સ્નેહાને શોધવા માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું
સ્નેહાના ગુમ થયા પછી દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ લગભગ સાત કિલોમીટરના દાયરામાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ એક અઠવાડિયાની તલાશ પછી પણ કોઈ સુરાગ નહોતો મળ્યો. પરંતુ રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.