Home Blog Page 351

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ 2025 નવી ગ્રામ પંચાયતો માટે 490 કરોડ મંજુર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં પ્રથમવાર એકસાથે 2055 નવી ગ્રામ પંચાયતોને પોતાનું પંચાયત ઘર અને તલાટી કમ મંત્રી આવાસ બનાવવા માટે ₹489.95 કરોડનું અનુદાન મંજૂર કર્યું છે.

વસ્તી આધારિત અનુદાન અને યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજના હેઠળ, ગ્રામ પંચાયતોને તેમની વસ્તીના આધારે અનુદાન આપવામાં આવશે:

  • 10,000 થી વધુ વસ્તી: ₹40 લાખ
  • 5,000 થી 10,000 વસ્તી: ₹34.83 લાખ
  • 5,000 થી ઓછી વસ્તી: ₹25 લાખ

આ ભંડોળનો મુખ્ય ઉદ્દેશ્ય જર્જરિત અથવા પંચાયત ઘર ન હોય તેવી ગ્રામ પંચાયતો માટે નવા મકાનોનું નિર્માણ કરવાનો છે. આ નિર્ણયથી મોટાભાગની ગ્રામ પંચાયતો આ જ વર્ષે બાંધકામ શરૂ કરી શકશે.

ગ્રામીણ સેવાઓમાં સુધાર અને ભવિષ્યની યોજનાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આ નવીન પંચાયત ઘરોમાં આધુનિક સુવિધાઓ હશે, જેનાથી ગ્રામીણ નાગરિકોને તેમના ગામમાં જ સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહેશે. સરકારનો લક્ષ્‍ય રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને 100% પંચાયત ઘર કમ તલાટી-મંત્રી આવાસથી સજ્જ કરવાનો છે. પંચાયત વિભાગની અન્ય યોજનાઓ હેઠળ પણ આ કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરી પૂર્ણ થતાં, રાજ્યની તમામ ગ્રામ પંચાયતો પોતાના મકાનો ધરાવતી થશે, અને ગ્રામીણ નાગરિકોને ઘરઆંગણે જ ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ થશે, જે સુશાસન અને ગ્રામીણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

NRI ઉદ્યોગપતિ અને પરોપકારી લોર્ડ સ્વરાજ પોલનું લંડનમાં 93 વર્ષની વયે અવસાન

જાલંધરની ગલીઓથી લઈને વાર્ષિક ‘સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ’માં નિયમિત નામ સુધી, લોર્ડ સ્વરાજ પોલ, જેનું ગુરુવારે સાંજે લંડનમાં અવસાન થયું, તે સૌથી જાણીતા NRI ઉદ્યોગસાહસિકો અને પરોપકારીઓમાંના એક હતા.

પ્યારે લાલના ઘરે જન્મેલા, જેઓ સ્ટીલના સામાન બનાવવા માટે ઉપયોગમાં લેવાતી એક નાની ફાઉન્ડ્રી ચલાવતા હતા, જેમાં ડોલ અને અન્ય ખેતીના સાધનોનો સમાવેશ થાય છે. લોર્ડ પોલ યુકે સ્થિત કેપારો ગ્રુપની સ્થાપના કરતા પહેલા તેમના જીવનની શરૂઆતમાં જ વ્યવસાય સાથે જોડાયેલા હતા, જે એક વૈવિધ્યસભર વ્યવસાયિક સંસ્થા છે જે મુખ્યત્વે મૂલ્યવર્ધિત સ્ટીલ અને વિશિષ્ટ એન્જિનિયરિંગ ઉત્પાદનોના ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વિતરણમાં રસ ધરાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને લેબર પાર્ટીના પીઅર તરીકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ સ્વરાજ પોલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમનું ગુરુવારે સાંજે 94 વર્ષની વયે લંડનમાં અવસાન થયું .

X પરની એક પોસ્ટમાં, મોદીએ કહ્યું: “લોર્ડ સ્વરાજ પોલ જીના નિધનથી દુઃખ થયું. તેઓ એક ઉત્કૃષ્ટ ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, જેમણે વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી હતી. યુકે સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવવા માટે તેમનું કાર્ય હંમેશા યાદ રાખવામાં આવશે.”

લોર્ડ પોલનો જન્મ ૧૮ ફેબ્રુઆરી, ૧૯૩૧ના રોજ પંજાબના જલંધરમાં એક ઔદ્યોગિક પરિવારમાં થયો હતો જે અપીજય ગ્રુપ ચલાવતો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો.

૧૯૬૬માં પોલ તેમની નાની પુત્રી અંબિકાની સારવાર માટે યુનાઇટેડ કિંગડમ ગયા, જેનું પાછળથી લ્યુકેમિયાને કારણે અવસાન થયું. તેમની યાદમાં, તેમણે અંબિકા પોલ ફાઉન્ડેશનની સ્થાપના કરી. ફાઉન્ડેશન દ્વારા, તેમણે બાળ કલ્યાણ, શિક્ષણ અને સાંસ્કૃતિક પહેલને ટેકો આપ્યો.

લગભગ તે જ સમયે, તેમણે 1968 માં કેપારો ગ્રુપની સ્થાપના કરી, એક નાના સ્ટીલ યુનિટથી શરૂઆત કરી, જે આખરે વૈશ્વિક વ્યાપાર સમૂહમાં વિસ્તર્યું જેમાં સ્ટીલ, એન્જિનિયરિંગ, ઓટોમોટિવ અને અન્ય ઉદ્યોગોમાં અનેક દેશોમાં રસ હતો.

લંડનમાં મુખ્ય મથક ધરાવતું, કેપારો 40 થી વધુ સાઇટ્સથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત છે અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને સેવા આપે છે, મુખ્યત્વે યુકે, ઉત્તર અમેરિકા, ભારત અને મધ્ય પૂર્વમાં સ્થિત કામગીરીમાંથી. કેપારો હવે તેમના ત્રણ બાળકો, અંબર, આકાશ અને અંજલી પોલ દ્વારા સંચાલિત છે.

ઉદ્યોગપતિએ ભારતીય સંસ્થાઓ તેમજ બ્રિટિશ યુનિવર્સિટીઓને દાન આપ્યું, જેમાં વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જેણે તેમના યોગદાનને માન્યતા આપવા માટે એક ઇમારતનું નામ તેમના નામ પર રાખ્યું હતું.

પોલ ૧૯૯૦ ના દાયકાના મધ્યમાં બ્રિટિશ રાજકારણમાં પ્રવેશ્યા. ૧૯૯૬ માં, તેમને મેરીલેબોનના બેરોન પોલ તરીકે આજીવન પીઅર બનાવવામાં આવ્યા અને હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. તેઓ લેબર પાર્ટી સાથે સંકળાયેલા હતા અને સંસદીય ચર્ચાઓમાં, ખાસ કરીને વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ પર સક્રિય રહ્યા.

મુકેશ અંબાણીના માતા કોકિલાબેનની હાલત લથડી, રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

0

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માતા કોકિલા બેન અંબાણીની તબિયત લથડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઇ અંબાણીના પત્ન કોકિલા બેનને શુક્રવારે સવારે એરલિફ્ટ કરાયા બાદ મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેમના સ્વાસ્થ્ય સંબંધિત સંપૂર્ણ જાણકારી હાલ મળી નથી.

તમને જણાવી દઇયે કે, કોકિલા બેનની ઉંમર 91 વર્ષ છે, તેમનો એક ગુજરાતી હિન્દુ પરિવારમાં જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ બ્રિટિશ કાઉન કોલોની એડેન યમનમાં થયો હતો.

સોશિયલ મીડિયા પર અમુક વીડિયો અને ફોટા વાયરલ થયા છે, જેમા અંબાણી પરિવારના સભ્યોને દક્ષિણ મુંબઇ સ્થિત રિલાયન્સ હોસ્પિટલ જતા દેખાયા હતા. આ સાતે જ તેમના સ્વાસ્થ્યને લઇ ચિંતાઓ વધી ગઇ છે. અત્યાર સુધી અંબાણી પરિવાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એવું જણાવાઇ રહ્યું છે કે, હાલ ડોક્ટરની દેખરેખ હેઠળ છે.

અબજો રૂપિયાની મિલકતના માલિક
કોકિલાબેન અંબાણી દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 1.57 કરોડથી વધુ શેર ધરાવે છે, જેની કિંમત આશરે 18,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમના લગ્ન 1955માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. આ દંપતીને ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે.

પરિવારમાં મુખ્ય ભૂમિકા નિભાવી
ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી, જ્યારે પરિવારમાં વ્યવસાયના વિભાજન અંગે મતભેદો ઉભા થયા, ત્યારે કોકિલાબેન જ આગળ આવ્યા અને વિવાદનો ઉકેલ લાવ્યા. તેમણે જવાબદારીઓ અને સંપત્તિનું યોગ્ય રીતે વિતરણ કર્યું, જેનાથી પરિવારમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળી. તેઓ હંમેશા તેમના મોટા પુત્ર મુકેશ અને તેના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે.

કોકિલા બેન સામાજીક સેવામાં પણ આગળ
કોકિલા બેન અંબાણી સામાસીજ સેવાકાર્યોમાં પણ આગળ છે. મુંબઇ સ્થિત કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલનું નામ તેમના સમ્માનમાં રાખવામાં આવ્યું છે, જે એક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જે સામાજીક કલ્યાણ પ્રત્યે તેમની જવાબદારી અને પ્રતિબદ્ધતાનો ઉત્તમ ઉદાહરણ છે.

પીએમ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, નિકોલમાં જાહેરસભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ અવસરે તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કુલ 307 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો દ્વારા ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને નાગરિકોને સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળશે.

માર્ગ અને મકાન વિભાગ હેઠળના આ પ્રોજેક્ટ્સમાં અદ્યતન રસ્તાઓ, વ્હિકલ અંડરપાસ, રેલવે ઓવરબ્રિજ અને અપગ્રેડેડ હાઇવેનો સમાવેશ થાય છે. જેનાથી દૈનિક મુસાફરીમાં સલામતી તથા સુવિધા વધશે. સમય અને ઇંધણની બચત થવાની સાથે ઉદ્યોગોને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરમગામ ખુડદ રામપુરા રસ્તાને 7 મીટર પહોળો બનાવવાના કામનું લોકાર્પણ કરશે. ₹33 કરોડના ખર્ચે વિરમગામથી ખુડદ થઇ રામપુરા સુધીના 21 કિલોમીટરના માર્ગને 7 મીટર પહોળો કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કૉરિડોર અમદાવાદ જિલ્લાના વિરમગામ તથા દેત્રોજ તાલુકાના ઔદ્યોગિક વિસ્તારના વિકાસને વેગ આપશે. આ વિકાસકાર્ય સાથે વાહન વ્યવહાર સુગમ બનશે તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રોજગારી નવી તકો ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત વડાપ્રધાન કુલ 274 કરોડના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર ત્રણ છ-માર્ગીય વ્હિકલ અંડરપાસ, અમદાવાદ-વિરમગામ રોડ પર રેલવે ઓવરબ્રિજ, કડીથી થોળ થઈ સાણંદ સુધીના 24 કિલોમીટર માર્ગનું નવિનીકરણ તથા ગિફ્ટ સિટી જતાં બાપાસીતારામ જંક્શનને ચાર-લેનમાંથી આઠ-લેનમાં વિસ્તૃત કરવાની કામગીરીનો સમાવેશ થાય છે.

આ તમામ વિકાસકાર્યોથી ઉત્તર ગુજરાતમાં પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે, મુસાફરી વધુ સુલભ બનશે અને ઉદ્યોગો તથા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન અંતર્ગત ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ગતિશીલ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાનું નિધન

પંજાબી ફિલ્મ ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પંજાબી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે તેમનું મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અવસાન થયું.

દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર જસવિંદર ભલ્લાએ 65 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચારથી પંજાબી ફિલ્મ ઉદ્યોગ અને તેમના લાખો ચાહકો શોકમાં છે. તેમના લાંબા કરિયરમાં અભિનેતાએ લોકોનું ખૂબ મનોરંજન કર્યું અને તેમના અદ્ભુત કોમિક ટાઇમિંગે લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું.

જસવિંદર ભલ્લા માત્ર એક અભિનેતા જ નહોતા, પરંતુ એક એવું નામ હતું જેણે પંજાબી સિનેમામાં કોમેડીને એક નવી ઓળખ આપી હતી. તેમની અજોડ કોમિક શૈલી, રમુજી સંવાદો અને કટાક્ષ શૈલીએ તેમને દરેક પેઢીના દર્શકોના પ્રિય બનાવ્યા. તેમની માત્ર હાજરી સિનેમા હોલમાં હાસ્યની લહેર ફેલાવી દેતી. તેમણે ‘ગડ્ડી ચલતી હૈ છલાંગ માર કે’, ‘કેરી ઓન જટ્ટા’, ‘જિંદ જાન’, ‘બેન્ડ બાજે’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં પોતાના રમૂજ અને અભિનયથી દર્શકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું. તેમનો કોમિક ટાઇમિંગ એટલો સ્વાભાવિક હતો કે તેમના સંવાદો લાંબા સમય સુધી લોકોની જીભ પર રહ્યા. તેમના પાત્રોએ લોકોને માત્ર હસાવ્યા જ નહીં, પરંતુ હળવાશથી સમાજ પર પણ વ્યંગ કર્યો.

ભલ્લાની ખાસ વાત એ હતી કે તેમણે હંમેશા પોતાના મૂળ સાથે જોડાયેલી કોમેડીની શૈલી જાળવી રાખી હતી. પોતાની સાદગી, સહજતા અને રમૂજથી તેમણે સાબિત કર્યું કે કોમેડીની વાસ્તવિક રુચિ અશ્લીલ સંવાદોમાં નથી, પરંતુ શબ્દોના યોગ્ય ઉપયોગ અને સમયમાં છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પંજાબી મનોરંજન જગતમાં શોકમાં છે. કલાકારોથી લઈને સામાન્ય પ્રેક્ષકો સુધી, દરેક વ્યક્તિ તેમની ગેરહાજરી અનુભવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે મોહાલીના બલાંગી સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

સંસદ ભવનની સુરક્ષામાં ફરી મોટી ચૂક, એક શખ્સ દિવાલ કૂદીને પરિસરમાં અંદર ઘૂસી ગયો

0

સંસદનું ચોમાસું સત્ર હાજુ ગઈ કાલે જ સમાપ્ત થયું, આજે શુક્રવારે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. અહેવાલ મુજબ એક શખ્સ ભવનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી ગયો હતો. હાલ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ સવારે સાડા છ વાગ્યે આ ઘટના બની હતી. એક શખ્સ સંસદના ગરુડ દ્વાર સુધી પહોંચી ગયો હતો, હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો. આરોપી ઝાડની મદદથી દિવાલ પર ચડ્યો હતો. ઘુસણખોરની ઓળખ કરવામાં આવીરહી છે. સંસદમાં ઘુસવા પાછળ શખ્સનો હેતુ શું હતો એ જાણી શકાયું નથી. તેને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 21 જુલાઈથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર હજુ ગઈ કાલે ગુરુવારે સમાપ્ત થયું. 32 દિવસ સુધી ચાલેલા આ સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી. સરકારે આ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે, આ સાથે વિપક્ષનો ભારે હોબાળો જોવા મળ્યો હતો.

અગાઉ પણ સંસદની સુરક્ષામાં ચૂક થઈ હતી. સંસદ ભવન પર આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે 13 ડિસેમ્બર 2023ના રોજ લોકોએ લોકસભા ગૃહમાં ઘૂસી ગયા હતાં અને પીળો ધુમાડો છોડ્યો હતો. તેમણે લોકસભા અને સંસદ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તમામની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી, જો કે બાદમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતાં.

અમેરિકામાં ભૂકંપના તીવ્ર આંચકા, રિક્ટર સ્કેલ પર 8.0 ની તીવ્રતા

દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.0 માપવામાં આવી હતી. અત્યાર સુધી ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ડ્રેક પેસેજ વિસ્તારમાં આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ડ્રેક પેસેજ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે, જે દક્ષિણ-પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ-પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.

USGS ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો.

આ ભૂકંપ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 10 કિમીની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બહુ નુકસાન થયું નથી.

થોડા દિવસો પહેલા રશિયામાં 9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ પણ આવ્યો હતો, તે સમયે પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. રાહતની વાત એ હતી કે ત્યાં વસ્તી વધારે ન હોવાથી નુકસાન એટલું વધારે નહોતું, પરંતુ જે વીડિયો બહાર આવ્યા છે તેનાથી લોકો ચોક્કસપણે ડરી ગયા હતા. હવે માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ ભૂકંપ 8 ની તીવ્રતાથી વધુ હોય છે, ત્યારે ભય પણ એટલો જ વધી જાય છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

નીતીશ અને ચંદ્રબાબુને હઠાવવા કેન્દ્ર સરકાર બિલ લાવી છેઃ તેજસ્વીનો આરોપ

0

તેજસ્વી યાદવે કેન્દ્ર સરકાર પર બ્લૅકમેઇલિંગનો આરોપ લગાવ્યો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે મંત્રીઓને ‘બ્લૅકમેઇલ’ કરવા માટે કેન્દ્ર સરકાર 130મું બંધારણીય સુધારણા બિલ લાવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મું બંધારણીય સુધારણા બિલ, 2025 રજૂ કર્યું છે. આ બિલમાં ભ્રષ્ટાચાર અથવા ગંભીર કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ માટે કસ્ટડીમાં લેવાયા હોય અથવા ધરપકડ કરવામાં આવ્યા હોય તેવા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓને હઠાવવાની જોગવાઈ છે.

તેજસ્વી યાદવે આ વિશે કહ્યું કે “(કેન્દ્ર સરકાર) આ (બિલ) નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ માટે લાવી રહી છે. આ લોકોનું આ જ કામ છે. બ્લૅકમેઇલ કરો. ઈડીના કેસમાં પીએમએલએ ઍક્ટ લગાવાય, તો ઝડપથી જામીન નથી મળતા. આ બધા ટૉર્ચર કરવાનું કામ કરે છે.”

કૉંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ ચાલુ છે. તેના વિશે આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આ યાત્રામાં લોકોનો ટેકો મળ્યો છે.

દિલ્હી: હુમલા બાદ CM રેખા ગુપ્તાની સુરક્ષામાં કેન્દ્રએ કર્યો મોટો ફેરફાર, CRPFના જવાનો તૈનાત…

0

દિલ્હી: બુધવારે સવારે સિવિલ લાઈન્સમાં જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર અચાનક હુમલો થતાં દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના તે જગ્યાએ બની હતી જ્યાં લોકો પોતાની સમસ્યાઓ લઈને CMને મળવા આવે છે. આ હુમલા બાદ સમગ્ર વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. હવે કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને Z શ્રેણીની CRPF સુરક્ષા પૂરી પાડી છે, જ્યારે પોલીસ હુમલા પાછળનું કારણ અને કોઈ મોટા કાવતરાની તપાસ કરી રહી છે.

બુધવારે સવારે કેમ્પ ઓફિસમાં જાહેર સુનાવણી દરમિયાન, મુખ્યમંત્રીને કાગળ આપ્યા પછી, આરોપીએ અચાનક બૂમો પાડી અને તેને થપ્પડ મારી, તેના વાળ ખેંચ્યા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક આરોપીને પકડી લીધો. આરોપીની માતા કહે છે કે તે પ્રાણીઓને પ્રેમ કરે છે અને કૂતરાઓ અંગે કોર્ટના આદેશથી દુઃખી થયો હતો.

આરોપી પોલીસ રિમાન્ડમાં
પોલીસે આરોપીની ઓળખ ગુજરાતના રાજકોટનો રહેવાસી 41 વર્ષીય રાજેશ સાકરિયા તરીકે કરી છે. તેની સામે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે અને તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. હુમલા પાછળનું કારણ અને કોઈ મોટું કાવતરું જાણવા માટે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

CRPFને તૈનાત કરવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષા વધુ મજબૂત બનાવી છે અને તેમને Z શ્રેણીની CRPF સુરક્ષા આપી છે. અહેવાલો અનુસાર, CRPF જવાનો હવે તેમના નિવાસસ્થાન અને જાહેર કાર્યક્રમોમાં તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, જાહેર સુનાવણી દરમિયાન કોઈને પણ સીધા મુખ્યમંત્રીને મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ફરિયાદ પત્રોની અગાઉથી તપાસ કરવામાં આવશે.

યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો ભયાનક હુમલો – યુક્રેનમાં તબાહી

રશિયા-યુક્રેન યુદ્ધ ફરીથી ભડક્યું છે! યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાએ યુક્રેન પર આ વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેન એરફોર્સના દાવા મુજબ રશિયન સેનાએ એક સાથે 570થી વધુ ડ્રોન અને 40 મિસાઈલો ઝિંકીને ભયાનક તબાહી મચાવી છે.

તાજા હુમલામાં રશિયાએ મુખ્યત્વે યુક્રેનના પશ્ચિમ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. હુમલામાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખાસ વાત એ છે કે, થોડા દિવસો પહેલાં જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં યુદ્ધ સમાપ્ત કરવાની આશા દેખાઈ હતી. પરંતુ તાજા હુમલા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે બંને દેશો પાછીપાની કરવા તૈયાર નથી અને યુદ્ધ વધુ ઉગ્ર બનતું જાય છે.આ હવાઈ હુમલાએ ફરીથી વિશ્વભરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટેની માંગ વધુ તેજ થઈ છે.