Home Blog Page 339

અમદાવાદના વસ્ત્રાપુરમાં GAS કેડરના અધિકારીએ આપઘાત કર્યો

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી છે. મનોજકુમાર પૂજારા નામના આ અધિકારી વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આવેલા તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા.

વસ્ત્રાપુરમાં GAS કેડરના અધિકારીનો આપઘાત
વસ્ત્રાપુર વિસ્તારમાં અધિકારીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. મનોજકુમાર પોપટલાલ પૂજારા નામના અધિકારીએ વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં આત્મહત્યા કરી છે. અધિકારીએ ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અધિકારી ગાંધીનગર સચિવાલય ખાતે GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા. ગત્ત વહેલી સવારે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. ડ્રાઈવર દરરોજની જેમ તેમને લેવા આવતા અધિકારીએ ફોન ન ઉપાડતા ડ્રાઈવર ઘરે જઈને દરવાજો ખુલ્લો જોતા દરવાજો ખોલતા અધિકારી લટકતા જોવા મળ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ સૂચવે છે કે એકલતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી રાજ્ય સચિવાલયમાં તેમના સહકર્મીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પુજારા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે જાણીતા હતા.

ગાંધીનગર સચિવાલય ખાતે GAS કેડર તરીકે ફરજ બજાવતા હતા મૃતક અધિકારીની પત્ની ન હતી. પુત્ર મુંબઈ ખાતે રહેતો હતો. પ્રાથમિક તપાસમાં એકલતા ના કારણે આત્મહત્યા કરી હોય તેવી આશંકા કરવામાં આવી રહી છે. આ ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સરકારને મોટું નુકસાન – જનતાને મોટો ફાયદો: ઈન્શ્યોરન્સ પર નહીં લાગશે  GST

0

દેશની GST કાઉન્સિલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર કોઈપણ પ્રકારનો GST વસૂલવામાં નહીં આવે. આ નિર્ણયથી સામાન્ય જનતાને સીધો લાભ મળશે કારણ કે ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં આશરે 15% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગ માટે આ રાહતનો નિર્ણય જીવનરક્ષક સાબિત થઈ શકે છે. આરોગ્ય ઈન્શ્યોરન્સ વધુ સસ્તું થતા લોકો હવે વધારે પ્રમાણમાં ઈન્શ્યોરન્સ પોલિસી લેશે, જે આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવશે.

પરંતુ આ નિર્ણયનો એક મોટો ગેરલાભ પણ છે. સરકારને દર વર્ષે આશરે ₹1.2 થી ₹1.4 લાખ કરોડ જેટલું આવકમાં નુકસાન થઈ શકે છે. અત્યાર સુધી ઈન્શ્યોરન્સ પર વસુલાતી GST સરકાર માટે આવકનું મોટું સ્ત્રોત હતું, જે હવે બંધ થઈ જશે. આથી સરકારને અન્ય સ્ત્રોતોમાંથી આવક મેળવવી પડશે અથવા ખર્ચમાં કાપ મૂકવો પડશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ પગલું લોકો માટે મોટી રાહતરૂપ છે અને ઈન્શ્યોરન્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. લાંબા ગાળે લોકોમાં ઈન્શ્યોરન્સની જાગૃતિ વધશે, આરોગ્ય સેવાઓ વધુ સસ્તી બનશે અને સામાજિક સુરક્ષા મજબૂત થશે. જોકે સરકાર માટે આ નાણાકીય પડકારરૂપ રહેશે અને તેને પૂરક આવકના નવા રસ્તાઓ શોધવા પડશે.

ક્રિકેટને અલવિદા: અમિત મિશ્રાની 156 વિકેટની સફર પૂર્ણ

0

ભારતીય ક્રિકેટના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2003માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કરનાર મિશ્રાએ ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો અને કુલ 156 વિકેટ મેળવી હતી. ટેસ્ટમાં 76, વનડેમાં 64 અને ટી20માં 16 વિકેટ સાથે મિશ્રાએ ભારતની બોલિંગ લાઇનઅપને ઘણી વાર મજબૂત બનાવી હતી. વર્ષ 2017માં વેસ્ટઇન્ડિઝ સામેનો તેમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો રહ્યો હતો.

ભારત માટે રમવાની સાથે મિશ્રાએ IPLમાં પણ પોતાની સ્પિન જાદુથી પ્રશંસકોના દિલ જીતી લીધા. તેમણે IPLમાં 174 વિકેટ મેળવી છે અને હેટ-ટ્રિક લેતા પ્રથમ બોલર તરીકે ઇતિહાસ રચ્યો હતો. છેલ્લા 8 વર્ષથી તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટમાં સક્રિય હતા. અમિત મિશ્રાએ નિવૃત્તિ પાછળનું કારણ જણાવતાં કહ્યું કે, હવે યુવા પેઢીને વધુ તક મળે એ માટે તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે.

20 વર્ષની પોતાની કારકિર્દીમાં મિશ્રાએ માત્ર વિકેટ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં એક મજબૂત ઓળખ ઊભી કરી છે. હવે તેઓ આઈપીએલ તથા સ્થાનિક ક્રિકેટ સાથે કોચિંગ અને યંગસ્ટર્સને માર્ગદર્શન આપવાના છે. તેમની સિદ્ધિઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશાં યાદ રહેશે.

‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો: ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!

આજની ઝડપી જીવનશૈલીમાં આપણે ક્યારેક જાણીજોઈને તો ક્યારેક અજાણી રીતે સ્વાસ્થ્યને અવગણીએ છીએ. ખાસ કરીને, પ્રોસેસ્ડ અને રિફાઈન્ડ ખોરાકનું સેવન વધવાથી મેદસ્વિતા અને અનેક બીમારીઓનો ભય તોળાઈ રહ્યો છે. પરંતુ, નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને અથવા તો આપણા આહારમાં અમુક ખાવાની વસ્તુ ઉમેરીને અને અમુક દૂર કરીને પણ મેદસ્વિતાને હરાવી શકાય છે. અને આવો જ એક અજાણ્યો અને અનમોલ ઘટક છે ફાઈબર, જે મેદસ્વિતાને દૂર કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં ખૂબ મદદરૂપ થાય છે.

ફાઈબર શું છે અને એક દિવસમાં કેટલું ફાઈબર જોઈએ?
ફાઈબર એ કાર્બોહાઈડ્રેટ્સનો એક ભાગ છે. કાર્બોહાઈડ્રેટ્સ મુખ્યત્વે સ્ટાર્ચ, સુગર અને ફાઈબરમાં વહેંચાયેલા હોય છે. સ્ટાર્ચ અને સુગરમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને પોષક તત્વો ઓછા હોય છે, જ્યારે ફાઈબર એક એવી અનોખી વસ્તુ છે જે શરીરમાં પાચન કે વિઘટિત થતી નથી. તે આપણા પાચનતંત્રમાં ધીમે ધીમે આગળ વધે છે અને સમગ્ર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ટ્રેકને સાફ કરવામાં મદદ કરે છે. ભલે તે પોતે પાચન ન થાય, પરંતુ તે પાચનતંત્રને સુધારીને ઘણી સમસ્યાઓનું નિવારણ લાવી શકે છે.

પુખ્ત વ્યક્તિ માટે દૈનિક ફાઈબરની જરૂરિયાત આ પ્રમાણે છે. મહિલાઓ માટે દરરોજ આશરે 25 ગ્રામ અને પુરુષો માટે દરરોજ આશરે 38 ગ્રામ ફાઈબર જરૂરી છે.

કેમ જરૂરી છે ફાઈબર?

  • ફાઈબરના અદભુત ગુણધર્મો તેને આપણા આહારનો અનિવાર્ય ભાગ બનાવે છે:
  • શૂન્ય કેલરી અને ભરપૂર પોષણ: ફાઈબરમાં શૂન્ય કેલરી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ગુણધર્મ તેને શરીરમાંથી વધારાનું વજન, મેદસ્વિતા અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદરૂપ બનાવે છે.
  • પેટ ભરેલું રાખે છે: ફાઈબર પેટમાં વધુ જગ્યા રોકે છે, જેના કારણે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. આનાથી બિનજરૂરી ક્રેવિંગ્સ (ખોરાકની તીવ્ર ઈચ્છા) ટાળી શકાય છે, જેમ કે સફરજન ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
  • ભૂખ પર નિયંત્રણ: ફાઈબરવાળી વસ્તુઓ પેટથી લઈને કોષ સુધી ધીમે ધીમે પહોંચે છે. આનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઘટાડવા માટે અત્યંત ઉપયોગી છે.
  • બ્લડ સુગરનું નિયંત્રણ: ફાઈબર બ્લડ સુગરના સ્તરને ઘટાડવામાં અને તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • પાચનતંત્રની સફાઈ: ફાઈબરને પેટ અને નાના આંતરડાના “દાંત” કહી શકાય. જ્યારે તમે ઝડપથી અને ચાવ્યા વગર ખાઓ છો, ત્યારે પેટને પાચન માટે વધુ કામ કરવું પડે છે. ફાઈબર શરીરમાં ઝાડુનું કામ કરે છે અને પાચનતંત્રમાંથી કચરો સાફ કરીને તેને સ્વચ્છ રાખે છે.

ક્યાંથી મળશે ફાઈબર?
કુદરતી રીતે ઉપલબ્ધ દરેક ખાદ્ય પદાર્થમાં ફાઈબર હોય છે. પરંતુ, આપણે આધુનિક જીવનશૈલીમાં સુવિધા માટે કુદરતી ખોરાકને પ્રોસેસ કરીને તેમાંથી ફાઈબર કાઢી નાખ્યું છે. આ રિફાઈન્ડ ખોરાક જ આજે અનેક બીમારીઓ અને મેદસ્વિતાનું મુખ્ય કારણ છે.

ફાઈબર મુખ્યત્વે બે પ્રકારના હોય છે:

  • સોલ્યુબલ ફાઈબર (પાણીમાં દ્રાવ્ય): આ ફાઈબર પાણીમાં ઓગળી જાય છે અને કોલેસ્ટ્રોલ તેમજ બ્લડ સુગરને સંતુલિત રાખીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વટાણા, રાજમા, દેશી ચણા, કાબુલી ચણા, જવ, મોટાભાગના ફળો અને શાકભાજી, ચિયા સીડ્સ વગેરે સોલ્યુબલ ફાઈબરના પ્રાપ્તિ સ્થાનો છે.
  • ઈનસોલ્યુબલ ફાઈબર (પાણીમાં અદ્રાવ્ય): આ ફાઈબર પાણીમાં ઓગળતા નથી, પરંતુ તે પાણી સાથે ભળીને જેલી જેવો પદાર્થ બનાવે છે, જે પાચનતંત્રમાં ખોરાકને સરળતાથી આગળ વધારવામાં મદદ કરે છે. મકાઈ, ડ્રાયફ્રુટ્સ, કઠોળ, સીડ્સ (બીજ) અને અળસીના બીજ વગેરે આ પ્રકારના ફાઈબરના પ્રાપ્તિ સ્થાનો છે.

કાન પર વાળ વધવા એ એક વિચિત્ર પણ મહત્વપૂર્ણ સંકેત છે, જાણો શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

સામુદ્રિક શાસ્ત્ર એક પ્રાચીન ભારતીય જ્ઞાન છે, જે શરીરના લક્ષણો અને અવયવોના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યનું વિશ્લેષણ કરે છે. આમાં, કાન પર વાળનો વિકાસ એક ખાસ લક્ષણ માનવામાં આવે છે. સમાજ અને પરિવારમાં કાન પર વાળનો વિકાસ થોડો વિચિત્ર માનવામાં આવે છે, કારણ કે તે દરેક વ્યક્તિના કાન પર થતો નથી. પરંતુ, આ શારીરિક લક્ષણ વ્યક્તિના સ્વાસ્થ્ય, બુદ્ધિ, વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે મહત્વપૂર્ણ સંકેતો આપે છે. ચાલો જાણીએ, સામુદ્રિક શાસ્ત્રમાં કાન પર વાળનું શું મહત્વ છે?

દીર્ધાયુષ્ય અને સ્વસ્થ જીવન
કાન પરના જાડા વાળને સામુદ્રિક શાસ્ત્રમાં સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. તે શારીરિક રીતે મજબૂત અને લાંબા આયુષ્ય ધરાવતા વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જેની આંતરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે.

બુદ્ધિ અને જ્ઞાન
જો કાન પરના વાળ હળવા અને નરમ હોય, તો તે વ્યક્તિની બુદ્ધિ અને ઊંડા જ્ઞાનની નિશાની છે. આવા લોકો ગંભીર અને વિચારશીલ સ્વભાવના હોય છે, જે જીવનના ઊંડા પાસાઓને સમજવામાં સક્ષમ હોય છે.

સંપત્તિ અને સમૃદ્ધિ
કાન પર વાળનો વિકાસ પણ સંપત્તિ અને સમૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે. સામુદ્રિકા શાસ્ત્ર અનુસાર, આ ગુણ ધરાવતા લોકો મહેનતુ હોય છે અને તેમના પ્રયત્નો દ્વારા નાણાકીય સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.

સ્વભાવ અને વ્યક્તિત્વ
કાન પરના વાળની ​​સ્થિતિ પણ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વને દર્શાવે છે. જાડા અને બરછટ વાળ આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય દર્શાવે છે, જ્યારે હળવા વાળ સંવેદનશીલ અને શાંત સ્વભાવ દર્શાવે છે.

નકારાત્મક ચિહ્ન
ક્યારેક કાન પર વધુ પડતા જાડા અથવા ગૂંચવાયેલા વાળ માનસિક તણાવ અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંકેત પણ હોઈ શકે છે. તે અસંતુલન દર્શાવે છે જેને સુધારવાની જરૂર છે.

આધ્યાત્મિક ચિહ્નો
સમુદ્રશાસ્ત્ર અનુસાર, કાન પરના વાળ પણ આધ્યાત્મિક જાગૃતિનું પ્રતીક છે. તે વ્યક્તિની આંતરિક સંવેદનશીલતા અને આત્મજ્ઞાન દર્શાવે છે.

સંતુલિત અભિગમ
એકંદરે, કાન પર વાળનું મહત્વ વ્યક્તિના શરીર અને મનની સ્થિતિને સમજવામાં રહેલું છે. આ સંદર્ભમાં, સમુદ્રિકા શાસ્ત્ર સૂચવે છે કે શરીરના લક્ષણોને સમજીને, આપણે આપણા જીવનને વધુ સંતુલિત અને સારું બનાવી શકીએ છીએ.

દિલ્હીમાં અમિત શાહના નિવાસે બિહાર ભાજપની બેઠક, સીટ શેરિંગ ફોર્મ્યુલા પર થશે નિર્ણય

0

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ભાજપની એક મોટી બેઠક ચાલી રહી છે . આ બેઠકમાં બિહારના બંને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, પાર્ટીના રાજ્ય પ્રભારી વિનોદ તાવડે સહિત ઘણા મોટા નેતાઓ હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ વખતે બેઠકોની વહેંચણી અંગેનો મામલો થોડો જટિલ છે કારણ કે ગઈ વખતે ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી પરંતુ આ વખતે ચિરાગ પાસવાન પણ તેમની સાથે છે.

બીજી તરફ, તેજસ્વી યાદવે પણ પટણામાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકને કારણે રાજ્યનું રાજકીય તાપમાન ઉંચુ છે.

શું છે જીતનરામ માંઝીની માંગ?
તે જ સમયે, ચૂંટણી પહેલા, જીતન રામ માંઝીએ એક મોટી માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો NDA ને અમારા પ્રત્યે સહાનુભૂતિ હોય, તો અમને ઓછામાં ઓછી 20 બેઠકો મળવી જોઈએ. માંઝીએ કહ્યું, “સામાન્ય લોકો અને અમારા કાર્યકરો પણ માંગ કરે છે કે અમને એવી બેઠકોની જરૂર છે જે અમારી ગરિમા બચાવી શકે. જો NDA ના હૃદયમાં અમારા પ્રત્યે સહાનુભૂતિ હોય અને તેઓ અમારી પાર્ટીને ઓળખવા માંગતા હોય, તો તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં અમને ઓછામાં ઓછી 20 બેઠકો આપવી જોઈએ.”

ચૂંટણી ક્યારે યોજાશે?
બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે. મહાગઠબંધન NDA સાથે સ્પર્ધા કરી રહ્યું છે. NDAમાં, BJP અને JDU 100-100 થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા સાથી પક્ષો પણ બેઠકોની માંગ કરી રહ્યા છે. મહાગઠબંધન માટે બેઠક વહેંચણીમાં સંતુલન જાળવવું પણ એક પડકાર છે.

પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત, સરકારે આપ્યા તપાસના આદેશ

પાકિસ્તાનના ક્વેટામાં બલૂચિસ્તાન નૅશનલ પાર્ટી (BNP)ની એક રેલી પછી થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયાં છે જ્યારે 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા ઝમાન બલોચે જણાવ્યું કે બેઠક ખતમ થયા બાદ આ બેઠકસ્થળથી થોડા અંતરે પોતાના મિત્રની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ તેમણે જોયું કે કેટલાક લોકો જમીન પર પડ્યા હતા અને બધે ચીસાચીસ થઈ રહી હતી.

બલૂચિસ્તાન નૅશનલ પાર્ટીના કેન્દ્રીય સૂચના સચિવ આગા બલોચે કહ્યું કે આ વિસ્ફોટ નવાબ નિયાઝ જેહરીના વાહન પાસે થયો છે. તેમણે કહ્યું કે ધડાકામાં તેમના કેટલાક ખાનગી સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે.

રાજ્ય સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. બલૂચિસ્તાનના મુખ્ય મંત્રી મીર સરફરાઝ બુગતીએ ઘટનાની તપાસ કરતા કહ્યું કે આ વિસ્ફોટ ‘માનવતાના દુશ્મનની કાયરતાપૂર્ણ હરકત’ છે.

સોનાની દાણચોરી કેસમાં અભિનેત્રી રાણ્યા રાવને 102 કરોડનો દંડ

0

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 127.3 કિલોગ્રામ સોનાની દાણાચોરીના ગાજવીજ ભરેલા કેસમાં દક્ષિણ ભારતની અભિનેત્રી રાન્યા રાવ સહિત અનેક આરોપીઓને નોટિસ પાઠવી છે. આ કેસમાં આરોપીઓએ સોનાની દાણાચોરી દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે સોનું લાવીને માર્કેટમાં ફેરવ્યું હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન આરોપીઓ સામે અંદાજે ₹102.55 કરોડનો દંડ વસૂલવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, DRIની ટીમે બેંગલુરુ સ્થિત મધ્યસ્થ જેલમાં જઈને નોટિસ સુપરત કરી હતી. જો આરોપીઓ દંડની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો તેમની તમામ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અધિકારીઓનું કહેવું છે કે આ સમગ્ર કેસ આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર નેટવર્ક સાથે સંકળાયેલો હોઈ શકે છે, અને તેના સોરસ સુધી પહોંચવા તપાસ ચાલુ છે

શું છે આખો મામલો?

  • કન્નડ અભિનેત્રી અને વરિષ્ઠ પોલીસ અધિકારી કે. રામચંદ્ર રાવની સાવકી પુત્રી રાણ્યા 3 માર્ચે બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર ઉતરી હતી.સાંજે ૬ વાગ્યાની આસપાસ, રાણ્યા એક્ઝિટ ગેટ તરફ ગઈ. બહાર નીકળવા માટે, તે ગ્રીન ચેનલ તરફ ગઈ. ગ્રીન ચેનલ એવા મુસાફરો માટે છે જેમની પાસે ચેક કરવા માટે કોઈ સામાન નથીરાન્યા પહેલા પણ આ જ રીતે એરપોર્ટની બહાર આવતી હતી. તે દિવસે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ એટલે કે DRI ના અધિકારીઓએ તેને રોકી. પૂછ્યું- શું તમારી પાસે સોનું છે કે બીજું કંઈ એવું છે જે બતાવી શકો? રાન્યાએ જવાબ આપ્યો- ના. આ વાતચીતથી દરમિયાન રાન્યાના ચહેરા પર ગભરામણ દેખાવા લાગી હતી. અધિકારીઓને શંકા ગઈ. તેમણે બે મહિલા અધિકારીઓને બોલાવી અને રાન્યાને તપાસવા કહ્યું.જ્યારે તેને ચેક કરવામાં આવી આવી, ત્યારે તેના શરીરના જુદા જુદા ભાગોમાં સોનું મળી આવ્યું. તેની પાસેથી કુલ 14.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેની કિંમત 12.56 કરોડ રૂપિયા જેટલી થાય છે 

કર્ણાટક ગોલ્ડ સ્મગલિંગ કેસ : તારીખવાર સમગ્ર ઘટનાક્રમ

  • 3 માર્ચ: 14.2 કિલો સોનાની હેરાફેરી કરતા રાયણાને બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમણે સોનાને જાંઘ અને કમર પર ટેપથી ચોંટાડી છુપાવ્યું હતું.
  • 4 માર્ચ: કોર્ટએ રાયણાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા.
  • 5 માર્ચ: તપાસ એજન્સીઓએ રાયણાના એપાર્ટમેન્ટ પર દરોડો પાડી તપાસ કરી. અઢી કરોડ (2.1 કરોડ) રૂપિયાની જ્વેલરી અને 2.7 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી.
  • 7 માર્ચ: કોર્ટએ રાયણાને 3 દિવસ માટે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની કસ્ટડીમાં મોકલ્યા.
  • 10 માર્ચ: કોર્ટમાં આરોપ મુકાયો કે સિદ્ધારમૈયા સરકારના એક મંત્રી ગોલ્ડ સ્મગલિંગ કૌભાંડમાં સંકળાયેલા છે. આ અંગે રાયણાએ DRI પર દબાણ કરવાના પણ આરોપ લગાવ્યા. કોર્ટએ તેને 24 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો.એ જ દિવસે (10 માર્ચ) રાયણાના મિત્ર તરૂણ રાજુની ધરપકડ થઈ. કોર્ટએ તેને 5 દિવસ માટે DRIની કસ્ટડીમાં મોકલ્યો.
  • 11 માર્ચ: રાયણાના સસરા, પિતા અને કર્ણાટકના DGP કે. રામચંદ્ર રાવ પર તેમની પુત્રને મદદ કરવાનો આરોપ લાગ્યો. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા

કેદારનાથ-હેમકુંડ માટે 7 હજાર કરોડના રોપવે પ્રોજેક્ટને કેન્દ્રની લીલી ઝંડી

0

રાષ્ટ્રીય રાજમાર્ગ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ (NHLML)એ મંગળવારે, 2 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉત્તરાખંડ પર્યટન વિભાગ સાથે 7,000 કરોડ રૂપિયાની બે રોપવે પરિયોજનાઓના વિકાસ માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. NHLML એ સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળની એક વિશેષ ઇકાઈ (SPV) છે. આ પરિયોજનાઓમાં 4,100 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 12.9 કિલોમીટર લાંબો સોનપ્રયાગ-કેદારનાથ રોપવે અને 2,700 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 12.4 કિલોમીટર લાંબો ગોવિંદઘાટ-હેમકુંડ સાહિબ રોપવે સામેલ છે.

મિનિટોમાં પૂર્ણ થશે કલાકોની યાત્રા
કેદારનાથ રોપવે પરિયોજના યાત્રીઓ માટે વરદાનથી ઓછી નથી. હાલમાં ભક્તોને કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે ગૌરીકુંડથી 16 કિલોમીટરની અત્યંત પડકારજનક યાત્રા કરવી પડે છે, જે હાલમાં પગપાળા, ટટ્ટુ, પાલખી કે હેલિકોપ્ટર દ્વારા પૂર્ણ થાય છે. રોપવે બન્યા બાદ 8થી 9 કલાકની આ યાત્રા માત્ર 36 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.

આર્થિક અને પર્યટન વિકાસ
આ રોપવે પરિયોજનાઓથી રાજ્યમાં રોપવે જોડાણનો વિસ્તાર થશે અને પર્યટનને પ્રોત્સાહન મળવાથી ઉત્તરાખંડની અર્થવ્યવસ્થા મજબૂત થવાની આશા છે. આ પરિયોજનાઓ હોસ્પિટાલિટી, પરિવહન અને ખાદ્ય ઉદ્યોગો જેવા સંલગ્ન ક્ષેત્રોમાં રોજગારીની તકો પણ ઊભી કરશે.

મુખ્યમંત્રી ધામીનું નિવેદન
આ સમજૂતી પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી અજય ટામ્ટા તેમજ રાજ્યના પર્યટન, ધાર્મિક બાબતો અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે, આ સમજૂતી રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે અને પર્યટન, રોજગાર સર્જન તેમજ પર્યાવરણ સંરક્ષણને નવી દિશા આપશે.

ફિલ્મ સ્ટાર્સના વીડિયો વડે 1.63 કરોડની છેતરપિંડી – સુરતનું શાહ દંપતી જેલમાં

0

સુરત શહેરમાં રોકાણકારોને ચકમો આપનાર શાહ દંપતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સિંગણપોર-કોઝ વે રોડ ઉપર “શાહ ઈન્વેસ્ટમેન્ટ” નામે ઓફિસ ચલાવતી પૂજા હાર્દિક શાહ અને હાર્દિક અશોક શાહે ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનાં વીડિયોનો ઉપયોગ કરી લોકોને 100 દિવસમાં 12થી 15% વળતરનો લાલચ આપ્યો હતો. આ લાલચમાં આવી અનેક રોકાણકારોએ કરોડો રૂપિયા લગાવ્યા પરંતુ માત્ર થોડા જ પૈસા પરત મળતાં છેતરાઈ ગયા.

ચોક બજાર પોલીસ તથા CID ક્રાઈમમાં અત્યારસુધીમાં અલગ-અલગ છ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જેમાં સુરતના હરેશ ડુંગરાણીએ 11 લાખ, ભાવનગરના પાર્થ પંડ્યાએ 58 લાખ અને અશ્વિન રાણાભાઈએ 75 લાખ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આમ અત્યાર સુધીમાં 1.63 કરોડ રૂપિયાનો છેતરપિંડીનો કેસ નોંધાઈ ગયો છે.

શાહ દંપતીએ રોકાણકારોને લોભામણી ઓફર આપી લાખોની ઠગાઈ કરી હતી. તેમના બે લક્ઝુરિયસ ઓફિસોમાં 50થી વધુ સ્ટાફ કામ કરતો હતો અને મોટા સ્ક્રીન પર શેરબજારનું ટ્રેડિંગ બતાવી લોકોને વિશ્વાસમાં લેવાતા હતા. એટલું જ નહીં, શાહ ઈન્વેસ્ટમેન્ટને અનેક એવોર્ડ પણ મળ્યા હતા અને એક ઇવેન્ટમાં તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને એવોર્ડ આપ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. હાલ આ દંપતી જેલમાં છે અને CID ક્રાઈમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે