Home Blog Page 339

Air India : દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, 161 મુસાફરો સવાર હતા

0

એર ઇન્ડિયાની દિલ્હી-ઇન્દોર ફ્લાઈટનું ઈન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એન્જિનમાં ટેકનિકલ ખામી જણાતાં પાયલોટ દ્વારા ATC ને જાણ કરવામાં આવી હતી. વિમાનમાં 161 મુસાફરો સવાર હતા. સુરક્ષાના કારણોસર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ATC કંટ્રોલ તરફથી માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમોને એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી.

ઇન્દોર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
મળતી માહિતી પ્રમાણે, દિલ્હીથી ઇન્દોર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX-1028 ના પાઇલટને લેન્ડિંગ પહેલાં એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા પછી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને CISF ટીમે એરપોર્ટ પર જવાબદારી સંભાળી લીધી. સદનસીબે, વિમાનને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે દિલ્હીથી ઇન્દોર આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇન્દોર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

એટીસી કંટ્રોલ તરફથી માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ટીમો એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. વિમાન સવારે 09.54 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. વિમાન હાલમાં રનવે-02 પર પાર્ક કરવામાં આવ્યું છે અને ટેકનિકલ ટીમ ખામીની તપાસ કરી રહી છે.

આ વર્ષે જૂનમાં અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું જેમાં એકમાત્ર મુસાફર સિવાય બધાના મોત થયા હતા. લંડન જતી વિમાનના બંને એન્જિન ટેકઓફ થયા પછી તરત જ બંધ થઈ ગયા હતા. વિમાન મેડિકલ કોલેજ કેમ્પસમાં પડી ગયું હતું. ઘટનાસ્થળે હાજર ઘણા લોકો પણ તેની અસરથી મૃત્યુ પામ્યા હતા.

ICC Women’s World Cup: ફેન્સ માટે ખુશખબર – ટિકિટની કિંમત સાંભળીને ચોંકી જશો!

0

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર!

આઈસીસી મહિલા વર્લ્ડકપ 2025 માટે ટિકિટ વેચાણની શરૂઆત થઈ ગઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ટિકિટની કિંમત એક કપ કોફી કરતા પણ ઓછી – માત્ર ₹100 થી શરૂ થાય છે.આ વર્લ્ડકપ ભારત અને શ્રીલંકાની યજમાનીમાં 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 નવેમ્બર સુધી રમાશે. કુલ 8 ટીમો – ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ – આ મેગા ઇવેન્ટમાં ભાગ લેશે.

ICCએ 4 સપ્ટેમ્બરથી પ્રી-સેલ શરૂ કરી છે, જે 4 દિવસ સુધી માત્ર Google Pay ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ દરમિયાન ચાહકોને ટિકિટ સાથે કેશબેકનો પણ લાભ મળશે. સામાન્ય ચાહકો માટે ટિકિટનું વેચાણ 9 સપ્ટેમ્બરથી રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે Tickets.cricketworldcup.com પરથી મેળવી શકાશે.ટુર્નામેન્ટની પહેલી મેચ ગુવાહાટીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાશે. આ પહેલા એક ભવ્ય ઉદ્ઘાટન સમારોહ પણ થશે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર ગાયિકા શ્રેયા ઘોષાલ પોતાના સંગીતથી ચાહકોને ઝૂમાવશે.

ખાસ વાત એ છે કે પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. જો પાકિસ્તાન સેમિફાઇનલ અથવા ફાઇનલમાં પહોંચશે, તો તે પણ શ્રીલંકામાં યોજાશે. બાકી તમામ નોકઆઉટ મુકાબલાઓ અને મોટાભાગની મેચો ભારતમાં યોજાશે. ક્રિકેટ ચાહકો માટે આ એક સુવર્ણ તક છે – વર્લ્ડકપનો રોમાંચ માત્ર ₹100માં માણવાની!

નર્મદાએ લીધું રૌદ્ર સ્વરૂપ: સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, 27 ગામને એલર્ટ

0

નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ઉપરવાસમાંથી 4.99 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમ ઓવરફ્લોથી ફક્ત 2.74 મીટર દૂર છે અને છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 40 સેમીનો વધારો નોંધાયો છે. સુરક્ષા હેતુસર વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે પાણી છોડવાના પગલે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગોલ્ડન બ્રિજ નજીક નદીનો જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસવા સૂચના આપવામાં આવી છે.આ વધેલા જળસ્તરની અસર ગોરાઘાટ અને ચાણોદના મલ્હાર ઘાટ પર જોવા મળી છે. અહીં નદીના પાણીથી ઘાટો ગરકાવ થઈ ગયા છે, તેમજ ચાણોદ ઘાટનાં 95 પગથિયાં પાણીમાં ડૂબી ગયા છે. કરોડો રૂપિયાનાં નર્મદા આરતી, લેસર શો અને વોટર શો માટેનાં સાધનો સમયસર હટાવી લેવાયા છે, જેથી મોટું નુકસાન ટળ્યું છે. હાલ તમામ કાર્યક્રમો સ્થગિત છે, પરંતુ ચોમાસા બાદ એ ફરી શરૂ થશે. પ્રવાસીઓ માટે હાલ ઊંચાઈ પરના પાર્કિંગ સ્ટેન્ડ ખાતે વૈકલ્પિક આરતીની વ્યવસ્થા કરાઈ છે.

નર્મદા ડેમનો ઇતિહાસ પણ અગત્યનો છે. 2017માં 30 રેડિયલ ગેટ લગાવ્યા બાદ તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. 2019માં પહેલીવાર ડેમ છલોછલ ભરાયો હતો અને ત્યારબાદ 2020, 2021, 2023, 2024 અને 2025માં પાણી છોડવા ગેટ ખોલાયા છે. આ વર્ષે એક મહિના વહેલા જ ડેમ છલોછલ થયો છે.સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. તે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. ડેમની પાયાની શિલા 1961માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મૂકી હતી, પરંતુ લાંબી લડત અને પડકારો બાદ 2017માં તેની ઊંચાઈ 163 મીટર સુધી વધારીને તેનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. આજે આ ડેમ લાખો ખેડૂતો અને કરોડો લોકો માટે જીવનરેખા સમાન સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ અપાયું

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સુરતની કીમ નદી અને વડોદરાની નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.જેના કારણએ અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે અને રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

ગુજરાતના સુરત અને વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. નર્મદા અને કીમ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે પૂરનો ભય છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમ કે, સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં સાત ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ, જેતપુર પાવીમાં 5.71 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ, ભરૂચમાં 5.40 ઇંચ, અંકલેશ્વરમાં પાંચ ઇંચ, તાપીના સોનગઢમાં 4.96 ઇંચ, સંખેડામાં 4.8 ઇંચ, ગરુડેશ્વરમાં 4.72 ઇંચ, તિકલવાડામાં 4.69 ઇંચ, ડભોઈમાં 4.17 ઇંચ, ડેડિયાપાડા અને ખંભાતમાં 3.60 ઇંચ વરસાદ થયો છે.

કયા જિલ્લામાં ચાર દિવસ ભારે વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ જિલ્લાઓને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

વિશ્વવિખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અર્માનીનું ૯૧ વર્ષની વયે નિધન

ઇટાલીના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અર્માનીનું ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ મિલાન સ્થિત તેમના નિવાસસ્થાને શાંતિપૂર્વક નિધન થયું. તેઓ ૯૧ વર્ષનાં હતાં. પરિવારજનો અને Armani ગ્રુપના સાનિધ્યમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અર્માનીનો જીવનપ્રવાસ

૧૯૭૫માં પોતાનો બ્રાન્ડ શરૂ કરનાર અર્માની ફેશન ઉદ્યોગમાં “મિનિમલ એલેગન્સ” અને “પાવર સુટ્સ” માટે જાણીતા બન્યા.તેમણે હોલિવૂડના અનેક સ્ટાર્સને રેડ કાર્પેટ પર અનોખી ઓળખ અપાવી. ખાસ કરીને “American Gigolo” ફિલ્મમાં તેમના કપડાંઓએ નવો યુગ શરૂ કર્યો.માત્ર કપડાં જ નહીં, પરંતુ પરફ્યુમ, ફર્નિચર, હોટેલ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ દ્વારા તેમણે એક બહુ મોટું ફેશન સામ્રાજ્ય ઉભું કર્યું.

વૈશ્વિક સ્તરે અસર

અર્માનીના નિધનથી ફેશન ઉદ્યોગને અપૂરણીય નુકસાન થયું છે. તેમની ડિઝાઇનિંગ શૈલીને કારણે આધુનિક ફેશનની દિશા બદલાઈ હતી.જુલિયા રોબર્ટ્સ, લિયોનાર્ડો ડીકેપ્રિયો, વિક્ટોરિયા બેકહેમ, ડોનાટેલા વર્સેસ જેવા હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમને “ફેશનનો મહાન વિઝનરી” કહી સંબોધ્યા.Armani ગ્રુપ દર વર્ષે આશરે €2.3 બિલિયનનું ટર્નઓવર કરે છે, અને હવે કંપનીએ અર્માનીની મૂલ્યો અને સ્વતંત્રતાને જાળવી તેમની વારસાગાથા આગળ ધપાવવાનો સંકલ્પ લીધો છે.

જ્યોર્જિયો અર્માની માત્ર ફેશન ડિઝાઇનર નહોતાં, પરંતુ વિશ્વ ફેશનનો ચહેરો હતાં. તેમણે સાદગી અને ભવ્યતાનો અનોખો સંગમ રજૂ કરીને એક પેઢીને પ્રેરણા આપી. તેમનું નિધન માત્ર ઇટાલી કે ફેશન જગત માટે નહીં, પરંતુ આખા વિશ્વ માટે એક મોટું ખાલીપણું છે.

સુરત: અલથાણમાં 13મા માળેથી પટકાતા મા-પુત્રનું મોત, CCTV ફુટેજથી રહસ્ય ઘેરાયું

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટમાં એક અત્યંત કરુણ અને રહસ્યમય ઘટના સામે આવી છે. માતા અને તેમના પુત્રનું 13મા માળેથી નીચે પટકાતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં શોક અને આઘાતનો માહોલ છવાયો હતો.

શું છે મામલો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મહેસાણાના વતની અને લૂમ્સનું કારખાનું ચલાવતા વિશ્લેષકુમાર પટેલ તેમના પરિવાર સાથે માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહે છે. પરિવારમાં તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને બે વર્ષનો પુત્ર ક્રિશિવ હતા.બુધવારે સાંજે, પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવને લઈને કોમ્પ્લેક્સના ‘સી’ વિંગમાં 13મા માળે બ્લાઉઝ સીવડાવવા ગયા હતા. આ પછી, બંને રહસ્યમય સંજોગોમાં બિલ્ડિંગની નીચે પટકાયા હતા. આ ઘટના બિલ્ડિંગમાં ચાલી રહેલા ગણેશોત્સવના મંડપથી લગભગ 50 મીટર દૂર બની હતી. જોરદાર અવાજ આવતા રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

માતા-પુત્રને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં જોઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગણેશોત્સવના ઉલ્લાસપૂર્ણ વાતાવરણ વચ્ચે આ ઘટનાથી અચાનક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ અકસ્માત હતો કે માતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.

પંજાબમાં 1988 પછીના સૌથી ભયાનક પૂરમાં 30 લોકોના મોત, 3 લાખથી વધુ લોકો પ્રભાવિત

0

ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે ઠેર ઠેર ભાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે પંજાબ હાલ 1988 પછીનુ સૌથી વિનાશકારી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે રાજ્યની મુખ્ય નદીઓ જેમ કે સતલુજ, બ્યાસ અને રાવી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. જેના કારણે રાજ્યમાં મોટા પાયે વિનાશ વેરાયો છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અહેવાલો પ્રમાણે આ પૂરની સ્થિતિ અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઉપરાંત 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે, જ્યારે 1,655 ગામો પાણીમાં ડૂબી ગયા છે. ખેતરોમાં ઊભા 1.48 લાખ હેક્ટરથી વધુ પાકનો વિનાશ થયો છે, તેમજ પશુઓનું પણ મોટું નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં ખેતરો તળાવ જેવા બની ગયા છે, જ્યાં પાણીની ઊંડાઈ 8થી 10 ફૂટ સુધી પહોંચી છે, અને ગ્રામજનો નાવડીઓની મદદથી આવન-જાવન કરવા મજબૂર બન્યા છે.

ગુરદાસપુર, પઠાનકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે. વહીવટી તંત્રે અનેક રાહત શિબિરો સ્થાપિત કર્યા છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેમના ઘર અને પશુઓની નજીક છત કે ઊંચા મંચ પર રહીને સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ભગવંત માને ફિરોઝપુરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નુકસાનના મૂલ્યાંકન માટે વિશેષ ગિરદાવરી શરૂ કરી છે. તેમણે પ્રભાવિત પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું છે અને કહ્યું કે, “જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે પંજાબ હંમેશા સાથે ઊભું રહ્યું છે, હવે દેશે પંજાબની મદદ કરવી જોઈએ.” આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુરુવારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, જ્યારે અન્ય નેતાઓ પણ રાહત કાર્યોમાં જોડાયા છે.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ આશિષ કપૂરની બળાત્કાર કેસમાં થઇ ધરપકડ

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘સરસ્વતીચંદ્ર’, ‘દેખા એક ખ્વાબ’ અને ‘મોલ્કી; રિશ્તોં કી અગ્નિપરીક્ષા’ માટે જાણીતા અભિનેતા આશિષ કપૂરની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે, કારણ કે ગયા મહિને દિલ્હીમાં એક ઘરેલુ પાર્ટી દરમિયાન એક મહિલાએ તેના પર વોશરૂમમાં બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

આશિષ કપૂર અહેવાલો અનુસાર, તે મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મળ્યો હતો અને બાદમાં મહિલાને એક મિત્રની પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યાં કથિત ઘટના બની હતી.

ટીવી એક્ટર આશિષ કપૂરની ધરપકડ
કથિત બળાત્કાર પીડિતાએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે પાર્ટીના હોસ્ટ આશિષ કપૂર અને બે પુરુષોએ તેના પર હુમલો કર્યો હતો. પછી તેણે જણાવ્યું કે એક મહિલાએ પણ તેના પર હુમલો કર્યો હતો. પછી તેણે કહ્યું કે ફક્ત કપૂરે જ તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસ હવે ગેંગ રેપની કલમને બળાત્કારમાં બદલી રહી છે.

મહિલાએ શું દાવો કર્યો?
મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કહ્યું કે તેમને હજુ સુધી કોઈ વીડિયો મળ્યો નથી. 11 ઓગસ્ટના રોજ, મહિલાએ આશિષ કપૂર, તેના મિત્ર, તેના મિત્રની પત્ની અને બે અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધાવી હતી.

18 ઓગસ્ટના રોજ, તેણીએ કહ્યું હતું કે ફક્ત કપૂર અને તેના મિત્રએ તેના પર બળાત્કાર કર્યો હતો અને એક મહિલાએ તેને માર માર્યો હતો. 21 ઓગસ્ટના રોજ, કપૂરના મિત્ર અને તેની પત્નીને આગોતરા જામીન મળ્યા. પીડિતા સુનાવણીમાં હાજર રહી હતી, પરંતુ તેણે કપૂરના મિત્રનો ઉલ્લેખ કર્યો ન હતો.

ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ ?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે આ બંને જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે આગામી બે-ત્રણ દિવસમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. જેમાં તાપી, નર્મદા છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દિવસોમાં વરસાદે બધે જ તબાહી મચાવી છે. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પંજાબમાં પૂરના કારણે લોકોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.

કયા જિલ્લામાં વરસાદની ચેતવણી છે?
આજે ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, અમરેલી, નવસારી, ભાવનગર, સુરત, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દિવસોમાં વરસાદનો કહેર બધે જોવા મળી રહ્યો છે. સતત ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે શાળાઓમાં રજા પણ જાહેર કરી છે. કેટલાક લોકો ઓફિસથી ઘરેથી કામ પર નીકળી ગયા છે. કારણ કે રસ્તાઓ પર ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.

કાલે હવામાન કેવું રહેશે?
આ સાથે જ 5 સપ્ટેમ્બરે રાજ્યના 28 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં વલસાડ, સુરત, તાપી, નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નર્મદા, છોટા ઉદેપુર, અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, IMDએ અમદાવાદ, ખેડા, વડોદરા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહિસાગર, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

14 દિવસ સુધી રોજ સવારે પીવો લીંબુ પાણી અને મેળવો આટલા ફાયદા

લીંબુ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુ એ સાઇટ્રિક ફળોમાંથી એક છે, જે ઘણા ગુણોથી ભરપૂર છે. તેને દરરોજ ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. લીંબુ ખાવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તેનું પાણી પીવું. ગેસ્ટ્રો નિષ્ણાત ડૉ. સૌરભ સેઠી કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત 14 દિવસ સુધી યોગ્ય રીતે લીંબુ પાણી પીવે છે, તો તેને તેના સાચા ફાયદા મળશે. ચાલો જાણીએ કે તેને પીવાની સાચી રીત અને તેના ફાયદા શું હશે.

નિષ્ણાતો શું કહે છે?
હાર્વર્ડ યુનિવર્સિટીના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ સેઠી કહે છે કે લીંબુ વિટામિન સીનો કુદરતી સ્ત્રોત છે, પરંતુ એટલું જ નહીં, લીંબુમાં 30 અલગ અલગ પોષક ગુણધર્મો હોય છે. આને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ કહેવામાં આવે છે. લીંબુનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે લીંબુનો રસ સાદા પાણીમાં ભેળવીને પીવો.

૧૪ દિવસ સુધી લીંબુ પાણી પીવાના ફાયદા

  • આયર્ન- લીંબુ વિટામિન સી પૂરું પાડે છે. વિટામિન સીની મદદથી શરીરમાં આયર્નનું સ્તર પણ વધે છે. તેથી, દરરોજ એક લીંબુ ખાવું જોઈએ.
  • કોલેજન- કોલેજન ત્વચા માટે એક આવશ્યક તત્વ છે. લીંબુના રસમાં એસિડ હોય છે, જે શરીરમાં કોલેજન વધારે છે. તેનાથી ત્વચા કડક બને છે અને વૃદ્ધત્વની સમસ્યાથી બચી શકાય છે.
  • હાડકા અને સ્નાયુઓના દુખાવામાં રાહત – લીંબુમાં રહેલા ગુણધર્મો શરીરના સાંધા, હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો ઘટાડે છે. વિટામિન સી કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ પણ વધારે છે, તેથી તેને ખાવું મહત્વપૂર્ણ છે.
  • રોગપ્રતિકારક શક્તિમાં વધારો- લીંબુ શરીરને ડિટોક્સિફાય કરવામાં, પાચનતંત્રને મજબૂત બનાવવામાં અને ગેસ્ટ્રિક એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં હાજર વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
  • હાઇડ્રેશન- દરરોજ ૧ ગ્લાસ લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને તમને થાક લાગતો નથી. તે હાઇડ્રેશન જાળવવામાં મદદ કરે છે.

લીંબુ પાણીનું સેવન કેવી રીતે કરવું?
ડોક્ટરો કહે છે કે આપણે લીંબુને ફક્ત તાજા પાણીમાં ભેળવીને જ પીવું જોઈએ. તેમાં મીઠું કે ખાંડ ન ઉમેરવી જોઈએ કારણ કે તેને અન્ય કોઈ વસ્તુ સાથે ભેળવવાથી તેના ફાયદા બદલાઈ શકે છે. હાઈપરએસિડિટીથી પીડિત લોકોએ તેનું સેવન ન કરવું જોઈએ અને ખાલી પેટે પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે.