Home Blog Page 335

યુક્રેન પર સૌથી મોટો સૈન્ય હુમલો: 800+ Drone-Missile થી કીવ સંકટમાં

યુક્રેન-રશિયા યુદ્ધમાં આજ સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો રવિવારે યુક્રેનની રાજધાની કીવ (Kyiv) પર કરવામાં આવ્યો છે. શાંતિ સ્થાપવાની વૈશ્વિક કોશિશો વચ્ચે, રશિયાએ ૮૦૦થી વધુ ડ્રોન અને મિસાઈલ વડે ૩૭ વિવિધ સ્થળો પર સંકલિત હુમલો કર્યો હતો, જેમાં ખાસ કરીને કેબિનેટ બિલ્ડિંગ સહિત સરકારી ઈમારતો અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યું હતું.

હોળલાઈ ઘટના સંક્ષિપ્તમાં

  • ૩ લોકોના મોત નીપજ્યા જેમાં એક નવનજાત બાળક પણ સામેલ છે.
  • ૧૧ લોકો ઘાયલ થયા.
  • કીવેના કેબિનેટ બિલ્ડિંગમાં આગ લાગી, છત અને ટોચના માળના કેટલાંક ભાગો ધ્વસ્ત થયા.
  • યુુક્રેનની એરફોર્સે ૭૪૭ ડ્રોન અને ૪ મિસાઈલ તોડી પડ્યાં.
  • યુરી ઇહનાટે, યુક્રેન એયરફોર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, રશિયાએ અલગ અલગ પ્રકારના ૧૩ મિસાઈલ છોડ્યા હતા.
  • ૮ સ્થળોએ ખાસ કરીને ડાર્નિત્સ્કી, સ્વિયાતોશિન્સ્કી અને કીવના પશ્ચિમ વિસ્તારમાં ગંભીર નુકસાન થયુ છે.

ઝેલેન્સ્કીના મુખ્ય સંદેશા
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ શાંતિ સમજૂતી માટે રશિયા ના પુતિન સાથે મળવા માટે તૈયાર છે. તેમ છતાં, રશિયાના આ હુમલાઓ એ દર્શાવે છે કે પુતિનના યુક્રેન પર હુમલાના કોઈ રોકવાના ઈરાદા નથી.ઝેલેન્સ્કીએ વધુમાં ટ્રમ્પ અને વૈશ્વિક સમુદાયને અનુરોધ કર્યો કે, રશિયાને વધુ કડક પ્રતિબંધો લાગુ કરવા અને યુક્રેનને સૈન્ય સહાય પૂરી પાડવી જોઈએ. તેમણે આ અપરાધી હુમલાને “યુદ્ધકાળીન નાટક” ગણાવીને કડક શબ્દોમાં ઉકેલ લાવવાનો અપીલ કર્યો.અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધવિરામ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રશિયાની આ કડક વ્યૂહરચના આ પ્રયાસોને પડકાર આપી રહી છે. યુક્રેનના મુખ્ય અધિકારીઓ આ ધમકીભર્યા હુમલાને માનવતાવાદ વિરુદ્ધ અને આંતરરાષ્ટ્રીય કાયદા ઉલ્લંઘન ગણાવે છે.


યુક્રેન પર સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓ એ રશિયાનું હિંસક દ્રષ્ટિકોણ બતાવે છે, જ્યારે યુક્રેન શાંતિ સમજૂતી માટે સજ્જ છે. આ વચ્ચે વિશ્વ સમાજનું માનવતાવાદી દ્રષ્ટિકોણ અને સેન્ય સમર્થન યુક્રેન માટે અત્યંત જરૂરી બની ગયું છે.આ હુમલાથી યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાન્ય નાગરિક જીવન પર ભારે અસર પડી છે.વિશ્વ સમુદાયનો આવો દબાણ વધારવો જરૂરી છે, જેથી યુક્રેનની સુરક્ષા અને શાંતિ સ્થિર થાય.

સુરતમાં ગણેશ વિસર્જન: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત

દસ દિવસની ભક્તિ અને આરાધના બાદ આ મહિનામાં સુરતમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. શહેરભરમાં સ્થાપિત થયેલી ૮૦,૦૦૦ થી વધુ પ્રતિમાઓને શ્રદ્ધાળુઓએ ભીની આંખે વિદાય આપી. આ દિવ્ય અવસર પર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલ ખાતેના કૃત્રિમ ઓવારાની મુલાકાત લીધી અને વિસર્જનની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. તેમની ઉપસ્થિતિમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ભક્તિ અને શક્તિનું સમન્વય: ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં, ખાસ કરીને ગુજરાતના ખૂણે ખૂણે, ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. દસ દિવસની આ સ્થાપના દરમિયાન લાખો લોકોએ ગણેશ પંડાલમાં ભગવાનની પૂજા-અર્ચના કરી. તેમણે આ વર્ષના ગણેશ મહોત્સવને “ભક્તિની સાથે શક્તિનો સમન્વય” ગણાવ્યો. મંત્રીશ્રીએ નોંધ્યું કે આ વર્ષે ગણપતિજીની ભક્તિની સાથે ‘સ્વદેશી અપનાવો’નો નારો પણ ગુંજ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે નવરાત્રીમાં પણ આ ‘સ્વદેશી આંદોલન’ ચાલુ રહેશે, જેનાથી રાજ્યના વેપારીઓની દિવાળી બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના તમામ નાગરિકો સ્વદેશી વસ્તુઓ અપનાવીને આ આંદોલનને સફળ બનાવશે.

પોલીસની કામગીરી અને શાંતિપૂર્ણ વિસર્જન
ગૃહ રાજ્યમંત્રીએ ગણેશ મહોત્સવ દરમિયાન રાત-દિવસ એક કરીને શાંતિ જાળવવામાં મહેનત કરી રહેલી પોલીસ ટીમને પણ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પોલીસના અથાક પ્રયાસોને કારણે આ આખો તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો છે.

ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કુદરતી જળસ્ત્રોતોને નુકસાન ન થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવો અને દરિયામાં કરવામાં આવી રહ્યું છે. ભક્તો ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના’ના જયઘોષ સાથે વિસર્જન સ્થળો પર પહોંચી રહ્યા છે.

આ ભવ્ય વિસર્જન યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડ્રોન અને ધાબા પોઈન્ટ પરથી સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિકનું સંચાલન સુચારુ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. આ ભવ્ય વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.

પંચમહાલ: પાવાગઢ ગુડસ રોપ-વે તૂટતા 6 લોકોના મોત

પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે માલવાહક રોપવે તૂટી પડવાની ઘટના બની છે. જેમાં 6 લોકોના મોત થયા છે. રોપવેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિકો અને અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્સ રોપ-વે નો ઉપયોગ પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો.

જૈન પૂજારીનો વેશ ધારણ કરી લાલ કિલ્લામાંથી એક કરોડનો રત્નજડિત કળશ ચોરી

0

દિલ્હીના લાલ કિલ્લાના સંકુલમાંથી મંગળવારે લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનો કળશ ચોરાયો હતો. એવું કહેવામાં આવે છે કે લાલ કિલ્લાના પરિસરમાં એક ધાર્મિક વિધિ ચાલી રહી હતી. લોકો ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા ત્યારે ચોરોએ 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ હીરા, માણેક, પન્ના જડિત કળશની ચોરી કરી હતી.

પોલીસે જણાવ્યું કે લાલ કિલ્લા સંકુલની સામેના એક પાર્કમાં યોયાજેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થઇ હતી. સોના અને હીરાથી જડેલા બે કળશની ચોરી કરવામાં આવી હતી. પોલીસ ઉપાયુક્ત (ઉત્તરી દિલ્હી) રાજા બંથિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ ચોરી ઐતિહાસિક કિલ્લાની અંદર નહીં પણ લાલ કિલ્લા સંકુલની સામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન થઈ હતી.

જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ
પોલીસે જણાવ્યું હતું કે પાર્ક ખાતે જૈન પર્વ પંડાલ દ્વારા આયોજિત જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ હતી, જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. ઔપચારિક સ્વાગત દરમિયાન ભીડની વચ્ચે સ્ટેજ પરથી અનુષ્ઠાનના વાસણો ગાયબ થઈ ગયા હતા.

કરોડો રૂપિયાની કિંમતનો આ કળશ સ્થાનિક ઉદ્યોગપતિ સુધીર જૈન દ્વારા દૈનિક વિધિ માટે લાવવામાં આવ્યો હતો. સુધીર જૈનની ફરિયાદ મુજબ ચોરીની વસ્તુઓમાં આશરે 760 ગ્રામ વજનની એક મોટી સોનાની ઝારી (કળશ), સોનામાંથી બનેલું એક નાળિયેર અને હીરા, માણેક અને પન્નાથી જડિત એક નાના કળશનો સમાવેશ થાય છે.

તેલંગાણામાં 12,000 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પર્દાફાશ, 13 લોકોની ધરપકડ

0

થાણે જિલ્લાની મીરા ભાયંદર પોલીસે સૌથી મોટા ડ્રગ વિરોધી ઓપરેશનમાં તેલંગાણામાં કાર્યરત એક મોટા ડ્રગ મેન્યુફેક્ચરિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ યુનિટમાંથી લગભગ 32,000 લિટર કાચા MD ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 12,000 કરોડ રૂપિયા છે. તપાસ માત્ર 200 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત થયા સાથે શરૂ થઈ હતી જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે. જેમ જેમ તપાસ વધુ ઊંડાણપૂર્વક વધતી ગઈ, તેમ તેમ પોલીસે તે સાંકળ શોધી કાઢી જેના કારણે તેલંગાણામાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખુલાસો થયો.

13 આરોપી ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસની શરૂઆત માત્ર 200 ગ્રામ ડ્રગ્સની જપ્તીથી થઈ હતી, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસે ડ્રગ્સના ઉત્પાદન કરતી આ મોટી ફેક્ટરી સુધી પહોંચ મેળવી.

પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા નેટવર્કનું દેશ અને વિદેશમાં મોટું કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. કબજે કરાયેલા ડ્રગ્સ અને ફેક્ટરીમાંથી મળેલા કેમિકલ્સને સીલ કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા સામે મીરા-ભાયંદર પોલીસની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પહેલાં જુલાઈ, 2025માં મુંબઈ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા મેળવી હતી. મુંબઈ પોલીસે લગભગ 400 કરોડ રૂપિયાની એક મોટી ડ્રગ્સની ખેપ પકડી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે કર્નાટકના મૈસુરમાં પણ દરોડા પાડ્યા હતા. મૈસુર મામલે કર્નાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે જણાવ્યું હતું કે મેં મૈસુર કમિશનરેટને ખૂબ કડક સૂચનાઓ આપી છે. એ સાથે જ રાજ્યમાં હવે દરેક SPને સતર્ક બનાવવામાં આવ્યા છે અને દરેક કમિશનરેટને આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.”

દેશમાં ડ્રગ્સનું સિન્ડિકેટ ઘણું મોટું છે. સમયાંતરે પોલીસ આ નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરતી રહે છે, પરંતુ તેનું મૂળથી નાશ કરવો અત્યંત જરૂરી છે. ડ્રગ્સ સિન્ડિકેટ ભારતના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે.

કેરળથી અબુધાબી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોચી પરત ફર્યું

0

કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત કોચ્ચિ પર ઉતારવાની ફરજ પડી હતી. ઇન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અ વિમાનમાં 180 થી વધુ મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.

ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી
આ અંગે મળતી માહિતી મુજબ કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભર્યા બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની આ ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી. તેની બાદ ખામીની જાણકારી મળી હતી. તેથી તેને પરત કોચ્ચિ આવવા નિદેશ આપવામાં આવ્યો હતો. જે શુક્રવારે મોડી રાત્રે પરત ફરી હતી.

મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવાયા
જોકે, આ અંગે ઇન્ડિગો તરફથી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. સુત્રોના જણાવ્યા અનુસાર 6E-1403 ફ્લાઈટે શુક્રવારે રાત્રે 11.10 વાગે કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકનિકલ ખામી સર્જાયા બાદ ફલાઈટ રાત્રે 1.44 વાગ્યે કોચ્ચિ પરત ફરી હતી. જયારે રાત્રે સાડા ત્રણ વાગ્યે મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.

મુંબઈમાં ‘માનવ બોમ્બ વિસ્ફોટ’ અને 400 કિલો RDX ની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

0

ઉત્તર પ્રદેશના નોઈડાના અશ્વિન કુમાર સુપ્રા (50) નામના વ્યક્તિની મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે આ કાર્યવાહી કરી હતી.

મુંબઈ પોલીસને ગઈ કાલે બોમ્બની ઘમકી મળી હતી. જોકે, ધમકી મળ્યાના 24 કલાકની અંદર ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનારને નોઈડા સેક્ટર 79માંથી પકડી લીધો હતો. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મૂળ બિહારનો છે. ધમકી આપવામાં વપરાયેલ તેનો ફોન અને સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યું છે. તેને નોઈડાથી મુંબઈ લાવવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવશે.

અગાઉ, મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે મુંબઈ ટ્રાફિક પોલીસને તેમના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીઓ મળી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરમાં 34 વાહનોમાં 34 ‘માનવ બોમ્બ’ લગાવવામાં આવ્યા છે. આ વિસ્ફોટ આખા મુંબઈને હચમચાવી નાખશે. ‘લશ્કર-એ-જેહાદી’ હોવાનો દાવો કરતી આ સંસ્થાએ દાવો કર્યો હતો કે 14 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસી ગયા છે. ધમકીભર્યા સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે વિસ્ફોટમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ પોલીસ સતર્ક છે અને રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકીના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે ધમકીભર્યા સંદેશમાં ‘લશ્કર-એ-જેહાદી’ નામના સંગઠનનો પણ ઉલ્લેખ હતો. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળમાં પણ આવી જ બોમ્બ ધમકીઓ મળી હતી અને નાગરિકોને ગભરાવાની જરૂર નથી તેવી વિનંતી કરી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે, કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે, અને લોકોને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.

દિલ્હીમાં સેવન ડે સ્કૂલ જેવી ઘટના: સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી

0

દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ ઘટના ચોથી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી લઈને પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ બની હતી.

પોલીસે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઘાયલ છોકરો છાતીમાં ફસાયેલા ચાકુ સાથે પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને તાત્કાલિક નજીકની કલાવતી સરન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં RML હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક તેની છાતીમાંથી ચાકુ બહાર કાઢ્યું હતું.

જાણો શું છે મામલો
અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.

આ મામલે પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક ગુપ્તચર માહિતી અને ત્વરિત દરોડા દ્વારા FIR નોંધાયાના થોડા કલાકોમાં જ ત્રણેય આરોપી છોકરાઓને આરામ બાગ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી અને તૂટેલી બિયરની બોટલ પણ જપ્ત કરી હતી.

રાજકોટઃ ઇનોવા કાર પલટી જતાં R. K. યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીના મોત

રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો છે. ઇનોવા કાર પલટી જતાં રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં છે. મૃતકમાં આંધ્રપ્રદેશના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદનો સમાવેશ થાય છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો છે. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા છે. હાલ તો ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.

આ તે કયું પાન ?,,, ઈતિહાસથી આજ સુધી આરોગ્ય અને પરંપરાનો અતૂટ સંબંધ

નાગરવેલનું પાન માત્ર એક સામાન્ય પાન નથી, તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આરોગ્ય સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સદીઓ પહેલાંથી લોકો ભોજન પછી પાન ચાવવાની પરંપરા અપનાવતા આવ્યા છે. આજના સમયમાં પણ નાગરવેલનું પાન આરોગ્ય માટે અમૂલ્ય માનવામાં આવે છે.

ઈતિહાસમાં સ્થાન
પ્રાચીન આયુર્વેદ ગ્રંથો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં નાગરવેલના પાનના ઔષધીય ગુણોનું વર્ણન મળે છે. રાજાઓ અને મહારાજાઓના દરબારમાં ભોજન પછી પાન પીરસવું શાહી પરંપરાનો હિસ્સો હતું. મહેલોમાં તો ખાસ પાનખાનું રાખવામાં આવતું જ્યાં મહેમાનો માટે પાન તૈયાર થતું.

ધાર્મિક મહત્વ
પૂજા-પાઠમાં નાગરવેલનું પાન શુભ માનવામાં આવે છે. દેવતાઓને ચઢાવવા અને શુભ પ્રસંગોમાં તેનો ઉપયોગ સદીઓથી ચાલે છે. હિંદુ પરંપરામાં તેને સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. અતિથિ સન્માનમાં પાન“અતિથિ દેવો ભવ”ની પરંપરા હેઠળ, મહેમાનોને ભોજન પછી નાગરવેલનું પાન પીરસવાનું ખાસ મહત્વ હતું. આ માત્ર સ્વાદ નહીં પરંતુ સન્માનનો એક અંગ ગણાતો.ભારતમાંથી નાગરવેલનું પાન દક્ષિણ-પૂર્વ એશિયામાં પહોંચ્યું. શ્રીલંકા, બર્મા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં આજે પણ પાન સાંસ્કૃતિક પરંપરાનો હિસ્સો છે.

આરોગ્યલક્ષી ફાયદા
ઈતિહાસ જેટલું જ આજના સમયમાં પણ નાગરવેલ આરોગ્ય માટે ઉપયોગી છે. તે પાચનક્રિયા મજબૂત કરે છે, ગેસ-અપચો અને કબજિયાત દૂર કરે છે, ડાયાબિટીસ કાબૂમાં રાખે છે, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.નાગરવેલના પાન મેટાબોલિઝ્મને ઝડપી બનાવે છે, જેનાથી ચરબી ઝડપથી બર્ન થાય છે. તેથી, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ ભોજન પછી ચોક્કસપણે નાગરવેલના પાન ખાવા જોઈએ.ત્વચા અને વાળ માટે ફાયદાકારકનાગરવેલના પાનનો રસ તમારા ચહેરા અને વાળ પર લગાવી શકો છો, કારણ કે તે ત્વચાને સાફ કરવામાં અને વાળને મજબૂત બનાવવામાં પણ મદદરુપ થાય છેએટલે, નાગરવેલનું પાન માત્ર પરંપરા નથી, તે આરોગ્ય અને સંસ્કૃતિનો જીવંત વારસો છે. ભોજન પછી એક પાન ખાવાની આદત તમને તંદુરસ્તી સાથે ઈતિહાસની યાદ અપાવશે.