Home Blog Page 333

સુરતમાંથી ફરી નકલી પનીરનો 315 કિલો જથ્થો ઝડપાયો

સુરતના પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. ઝોન-1 એલસીબી પોલીસની ટીમે રેડ કરી 315 કિલોગ્રામ ડુપ્લીકેટ પનીરનો જથ્થો ઝડપી પાડી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરી ઝડપાયો સુરતમાં નકલી પનીરનો જથ્થો
સુરતમાં ફરી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, LCB ઝોન-1 પોલીસે મનપાની ટિમ સાથે રાખીને 315 કિલો પનીર ઝડપી પાડ્યું છે, પુણા ક્રિષ્ના નગર પાસે આવેલા ઘર નંબર 119 માંથી નકલી શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે, પંજક ભૂત નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે અને સુરતમાં નકલી ચીજ વસ્તુની ભરમાર જોવા મળી છે, કેટલા સમયથી અને કોને પનીર વેંચતા હતા તે દિશામાં પણ તપાસ હાથધરી છે.

ડીસીપી આલોક કુમારએ જણાવ્યું હતું કે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીતાનગર ચોકડીની સામે ક્રિષ્ના નગર સોસાયટી પાસે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં અમને બાતમી મળી હતી કે નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવે છે અને ત્યાંથી મોકલવામાં આવી રહ્યો છે.

નેપાળમાં જેલ તોડી 15000 કેદી ભાગી છૂટ્યા, ભારત-નેપાળ સરહદ નજીક 60 કેદીઓની ધરપકડ

0

નેપાળમાં સરકારવિરોધી હિંસક પ્રદર્શન વચ્ચે ગુરુવારે એક જેલમાં સુરક્ષા દળો સાથે અથડામણ દરમિયાન ત્રણ કેદીઓનાં મોત થયાં હતાં, જ્યારે અત્યાર સુધી બે ડઝનથી વધુ જેલમાંથી 15,000થી વધુ કેદી ફરાર થઈ ચૂક્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજા ઘટનાક્રમમાં મંગળવારથી ભડકેલી હિંસા દરમિયાન સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં મરનારા કેદીઓની સંખ્યા વધીને આઠ થઈ છે.

નેપાળની હિંસાની અસર ભારતનાં સીમાવર્તી રાજ્યો સુધી પહોંચી છે. સશસ્ત્ર સીમા બલ (SSB)એ તાજેતરના દિવસોમાં નેપાળની અલગ-અલગ જેલોમાંથી ફરાર થયેલા 35 કેદીઓને પકડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી છે. આમાંથી 22 ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ બોર્ડર પર, 10 બિહાર અને ત્રણ પશ્ચિમ બંગાળમાં પકડાયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેદીઓને ભારત-નેપાળ સીમા પર અલગ-અલગ ચોકીઓ પર રોકવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તમામ બોર્ડર એન્ટ્રી પોઈન્ટ પર કડક નજર રાખવાને કારણે આ સંખ્યા હજી વધી રહી છે. અધિકારીઓએ કહ્યું હતું કે નેપાળમાં મોટા પાયે જેલ તોડીને કેદીઓ ભાગી જવાના સમાચાર આવ્યા બાદ SSBએ વધારેલી સતર્કતાના ભાગરૂપે આ ધરપકડો કરી છે. ભારતના સીમા સુરક્ષા બલ SSB ને ભાગેડુઓને ભારતમાં ઘૂસખોરી કરવાથી તથા કાયદા અમલમાં મૂકનાર એજન્સીઓથી બચવા માટે સીમાનો ઉપયોગ કરવાથી રોકવા માટે એલર્ટ પર રાખવામાં આવ્યાં છે.

ગૃહ મંત્રાલય હેઠળ આવતા SSB ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ફેલાયેલા 1751 કિ.મી. લાંબા ભારત-નેપાળ સીમાની સુરક્ષા માટે જવાબદાર છે. સુરક્ષા દળોએ ચેકિંગ અને પેટ્રોલિંગ વધારી દીધું છે તથા ગુપ્ત માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ કરી છે.

બીજીબાજુ સરહદ પાર નેપાળમાં પ્રદર્શનકારીઓ દ્વારા જેલો પર કરવામાં આવેલા હુમલા અને અરાજક માહોલને પગલે દેશભરમાં કાયદાની સ્થિતિ ગંભીર બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપી શર્મા ઓલીએ મંગળવારે વડાપ્રધા પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ નેપાળ સેનએ ગંભીર કાયદાકીય વ્યવસ્થાને લીધે વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધ મુકી દીધો હતો.

નેપાળમાં Gen Zના વિરોધ પ્રદર્શનો બાદ હિંસામાં ફેરવા જતા બે ડઝનથી વધુ જેલમાંથી 15 હજારથી વધુ કેદીઓ ભાગી ગયા હતા. ગુરુવારે જેલમાં સુરક્ષા કર્મચારીઓ સાથે થયેલી અથડામણમાં ત્રણ કેદીઓ માર્યા ગયા હતા. મૃતકોનો આ આંકડો ત્યારબાદ વધીને 8 પહોંચ્યો હતો.

પાટનગરમાં મોટા હુમલાની યોજનાનો પર્દાફાશ, ISISના 5 શંકાસ્પદ આતંકી પકડાયાં

0

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ દેશમાં સૌથી મોટા આતંકવાદી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને ઝારખંડમાં હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી પાકિસ્તાના હેન્ડલરના સંપર્કમાં હતો અને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં હતા.

દેશમાં એક મોટા આતંકી હુમલાના ષડયંત્રને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીએ નિષ્ફળ બનાવ્યું છે. દિલ્હી, મુંબઈ અને ઝારખંડથી પાંચ શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. જેમણે દેશમાં મોટા પાયે હુમલાઓ કરવાની તૈયારીમાં હતા, ત્યારે એક્શન લેવામાં આવ્યા છે.

આતંકવાદીઓનો સુરાગ કેવી રીતે મળ્યો?
અહીં ઉલ્લેખનિય છે કે કે દિલ્હી પોલીસને 9 સપ્ટેમ્બરના રોજ એક બાતમીદાર પાસેથી આતંકવાદી આફતાબનો સુરાગ મળ્યો હતો. માહિતીના આધારે કાર્યવાહી કરતા, સ્પેશિયલ સેલે દરોડો પાડીને આફતાબને પકડી લીધો હતો, જેની પાસેથી પૂછપરછ દરમિયાન દાનિશને શોધી કાઢવામાં આવ્યો હતો. તેની માહિતીના આધારે, પોલીસે ગુપ્તચર એજન્સી સાથે મળીને ઝારખંડની રાજધાની રાંચીમાં દરોડો પાડ્યો હતો.

ઝારખંડ એટીએસ અને રાંચીની સ્થાનિક પોલીસ સાથે મળીને, ઇસ્લામ નગરના એક લોજમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં અશર ઉર્ફે દાનિશ વિદ્યાર્થી તરીકે રહેતો હતો. જ્યારે ટીમે તેની ધરપકડ કરી, ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે રાસાયણિક હથિયારો બનાવવામાં નિષ્ણાત છે. દાનિશ અને આફતાબની પૂછપરછ દરમિયાન, 3 અન્ય આતંકવાદીઓના સુરાગ મળ્યા હતા અને તેઓ પકડાઈ ગયા હતા.

શિવાજીનગર મેટ્રો સ્ટેશનના નામકરણ પર વિવાદ: ‘સેન્ટ મેરી’ને બદલે ‘શંકર નાગ’ની જોરદાર માગ

0

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં શિવાજી નગર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મેરી રાખવાના પ્રસ્તાવ પર વિવાદ ઉભો થયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આ નિર્ણયનો લોકોએ ભારે વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે મેટ્રો સ્ટેશનનું નામ સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા-દિગ્દર્શક શંકર નાગના નામ પર કેમ ન રાખવામાં આવ્યું. ચાલો આ બાબત વિશે બધું જાણીએ.

ચર્ચા કેમ શરૂ થઈ?
એક અહેવાલ મુજબ, આ સમગ્ર ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સોમવારે સેન્ટ મેરી બેસિલિકામાં વાર્ષિક ભોજન સમારંભ દરમિયાન સીએમ સિદ્ધારમૈયાએ આર્ચબિશપ પીટર મચાડોને ખાતરી આપી કે સરકાર આગામી પિંક લાઇન સ્ટેશનનું નામ સેન્ટ મેરીના નામ પર રાખવાનું વિચારશે. સીએમ સિદ્ધારમૈયાએ આ સમય દરમિયાન બેસિલિકાના નવીનીકરણ માટે નાણાકીય સહાયનું પણ વચન આપ્યું છે. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે આ દરખાસ્ત કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને વિનંતી પર યોગ્ય પ્રક્રિયાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
X પર, એક યુઝરે લખ્યું, “આ શરમજનક છે. કર્ણાટક સરકાર મેટ્રો સ્ટેશનનું નામ સેન્ટ મેરી કેમ રાખવા માંગે છે? તેનું નામ શંકર નાગ જેવા કન્નડ લોકો અથવા અન્ય લાયક લોકોના નામ પર કેમ નથી રાખવા માંગતી?” બીજા યુઝરે લખ્યું, “કર્ણાટક સરકારના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા મેટ્રોનું નામ સેન્ટ મેરી કેમ રાખવા માંગે છે? કન્નડ સમુદાયના ઘણા લોકોએ આપણી ભૂમિ સંસ્કૃતિ માટે આટલું બધું કર્યું છે, તો તેનું નામ તેમના નામ પર કેમ નથી રાખવા?”

વિસ્તારના ધારાસભ્યએ શું કહ્યું?
શિવાજીનગર વિસ્તારના ધારાસભ્ય રિઝવાન અરશદે કહ્યું- “હું ઔપચારિક રીતે મેટ્રો સ્ટેશનનું નામ શિવાજીનગર સેન્ટ મેરી રાખવાનો પ્રસ્તાવ મૂકી રહ્યો છું. આ પ્રતિષ્ઠિત સેન્ટ મેરી બેસિલિકાના માનમાં છે, જેનો સમૃદ્ધ ઇતિહાસ છે. બેસિલિકા શિવાજીનગર બસ ડેપોની નજીક આવેલું છે, અને મુસાફરો માટે પણ મૂંઝવણનો કોઈ અવકાશ રહેશે નહીં.” ધારાસભ્યએ વધુમાં કહ્યું કે આવા ઘણા સ્ટેશનો આવી રહ્યા છે જેનું નામ શંકર નાગના નામ પર રાખી શકાય છે.

સુરત બુલેટ ટ્રેન સ્ટેશનનો ટાઉન પ્લાન, ઈતિહાસમાં સૌથી ઝડપી મંજૂરી

દેશના મહત્વાકાંક્ષી ‘મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ’ પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં નિર્માણ પામતું બુલેટ ટ્રેન સ્ટેશન માત્ર ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જ નહીં, પણ સમગ્ર શહેરી વિકાસના દ્રષ્ટિકોણથી પણ પરિવર્તનકારી બની રહ્યું છે. સુરત શહેરમાં ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 61’ને માત્ર 8 મહિનાના ટૂંકા ગાળામાં અવોર્ડ કરવામાં આવી છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ વિઝનના દ્રઢ સંકલ્પ, ટેક્નોલોજીનો વિનિયોગ અને જનસહભાગિતાનું ઉત્તમ ઉદાહરણ છે.

જેમ ભારતની પહેલી બુલેટ ટ્રેન હકીકત બની રહી છે, તેમ તેમ સુરત શહેર પણ વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. National High-Speed Rail Corporation Ltd (NHSRCL) દ્વારા સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ સાથે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના વિકાસલક્ષી અભિગમથી ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા સ્ટેશન નજીકના વિસ્તારોને સુનિયોજિત અને આધુનિક બનાવવા માટે વિશેષ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી. પટેલે જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળ ભરી રહેલા સુરત માટે નગર રચના યોજના નં. 61 (કોસમાડા-છેડછા-ઓવિયાણ) એ માત્ર પ્લાનિંગ ડોક્યુમેન્ટ નથી, પરંતુ વિસ્તારના સર્વસમાવેશી અને ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ છે. બુલેટ ટ્રેન HSR નોડ વિસ્તાર વિકાસ માટે 909 હેક્ટર ક્ષેત્રફળમાં કુલ 5 ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન છે, જે શહેરના ઈકોનોમિક ઝોન, રહેણાંક વિસ્તારો અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી માટે મજબૂત પાયો બનાવે છે.

નગર રચના યોજના નં.61 (કોસમાડા-છેડછા-ઓવિયાણ)ને સરકાર દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 મુજબ મુસદ્દારૂપ નગર રચના યોજનાને મંજૂરી આપીને પ્રવર નગર નિયોજકશ્રી કે.ડી.પટેલને નિર્ધારિત અવધિ માટે ફાઈનલ કરવા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં પૂરઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

વધુમાં શ્રી પટેલે કહ્યું હતું કે, ટી.પી. સ્કીમ માટે ટેક્નોલોજીનો સદુપયોગ, સરકારી વિભાગોનું સંકલન અને જનભાગીદારીના સુમેળથી માત્ર 8 મહિનામાં ટી.પી. સ્કીમ નં. 61ને પ્રારંભિક એવોર્ડ કરવામાં આવી છે. જેના થકી ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં નવું સોનેરી પૃષ્ઠ ઉમેરાયું છે. ટાઉન પ્લાનિંગ અધિનિયમ, 1915 હેઠળ આજથી 100 વર્ષ પહેલા 1લી સપ્ટેમ્બર-1925ના રોજ દેશની પહેલી ટી.પી. સ્કીમ નં ૧ (જમાલપુર), અમદાવાદ અમલી થઈ હતી. 1લી સપ્ટેમ્બર 2025ના રોજ સુરતની ટી.પી. સ્કીમ નં 61ને પ્રારંભિક એવોર્ડ જાહેર કરી છે. આ ક્ષેત્રફળ ધરાવતી કોઈ ટી.પી. સ્કીમ (ટાઉન પ્લાનિંગ) માત્ર 8 મહિનામાં ટુંકા સમયમાં જ એવોર્ડ કરવામાં આવી હોય તેવું બન્યુ નથી, એમ તેમણે કહ્યું હતું.

અંદાજીત 164 હેક્ટર વિસ્તાર ધરાવતી આ ટી.પી.સ્કીમમાં સમાવિષ્ટ કુલ 134 જેટલા ફાઈનલ પ્લોટોના માલિકો/હિતસંબંધીઓની અરજીઓ/વાંધા-સુચનોની સુનાવણી કર્યા બાદ જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા જેવી કે, કામચલાઉ પુન:રચના તૈયાર કરવી, સત્તામંડળ અને મુખ્ય નગર નિયોજકશ્રીનો પરામર્શ, એવોર્ડ પહેલાની સુનવણી, માપણીશીટ સહિય અન્ય સાહિત્ય તૈયાર કરી સ્કીમને એવોર્ડ જાહેર કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ કામગીરી માત્ર 8 મહિનાના ટુંકા સમયમાં પૂર્ણ થઇ હોય તેવી ઈતિહાસની આ પ્રથમ અને વિરલ ઘટના છે. સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ક્નેક્ટિવટી સરળતાથી થઈ શકે તે માટે આશરે 3 લાખથી વધુ ચો.મીટર ક્ષેત્રફળના વિવિધ પહોળાઇના ધરાવતા રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

આજનું આયોજન આવતીકાલનું ભવિષ્ય ઘડે છે. બુલેટ ટ્રેન સાથે સંકળાયેલ સુરત જેવા શહેરોના વિસ્તારો માટે TP સ્કીમો માત્ર પ્લાનિંગ નકશા નથી, પણ તે વિકાસનો જીવંત દસ્તાવેજ છે, જ્યાં નાગરિકોને સુવિધા, આવાસ અને સમૃદ્ધ જીવન મળવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસો અને શહેરી વિકાસ વિભાગની દ્રઢ દિશાને કારણે સુરત શહેર ભારતના શહેરી વિકાસના નકશા પર એક આધુનિક મોડલ તરીકે ઉભરશે.

ભારત સરકારના મહત્વાકાંક્ષી ‘હાઈ-સ્પીડ રેલ પ્રોજેકટ’ પૈકીના એક એવા ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’માં ગુજરાતના 08 અને મહારાષ્ટ્રના 04 સ્ટેશન મળી કુલ ૧૨ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સુરતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે સુસજ્જ બનાવવાના હેતુથી જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA) અને સેન્ટ્રલ મિનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર્સ (MoHUA)ના સંકલનમાં રહી સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત ૯૦૯ હેક્ટર વિસ્તારમાં હાઇ-સ્પીડ રેલ (HSR) નોડ વિસ્તારના માળખાગત વિકાસના આયોજનને આગળ ધપાવવા હેતુ સુરત હાઇ-સ્પીડ રેલ-H નોડ વિસ્તારની નજીકમાં સુનિયોજિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોસમાડા, છેડછા, અંત્રોલી, સાબરગામ, ઓવિયાણ, નિયોલ અને વાંકાનેડા મળીને સુરત જિલ્લાના ૦૭ ગામોને આવરી લઇ કુલ-05 ટીપી સ્કીમોનું આયોજન કરાયું છે. 

પટનામાં RJD નેતા રાજકુમાર યાદવની ગોળી મારીને હત્યા

0

બિહારની રાજધાની પટનાના કાંકરબાગ વિસ્તારમાં બુધવારે રાત્રે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા, જે પ્રોપર્ટીનો વ્યવસાય પણ ધરાવતા હતા, તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પટના પોલીસને શંકા છે કે રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની હત્યા પાછળ જમીન વિવાદ અને પૈસાની લેવડદેવડ હોઈ શકે છે.

પટણા પોલીસે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે કાંકરબાગના ચિત્રગુપ્ત નગરમાં ગોળીબાર થયો હતો જ્યારે રાય ચિત્રગુપ્ત મગર સ્થિત તેમના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા. તેમની કાર રોકાતાની સાથે જ અજાણ્યા લોકોએ વાહન પર ગોળીબાર શરૂ કરી દીધો.

રાજકુમાર રાય, જોકે, પોતાની કારમાંથી બહાર નીકળીને નજીકના રેસ્ટોરન્ટમાં છુપાઈ જવા માટે ભાગવામાં સફળ રહ્યો. જોકે, હુમલાખોરોએ તેનો પીછો કરીને રેસ્ટોરન્ટ સુધી પહોંચાડ્યો અને તેના પર છ ગોળીઓ ચલાવી. પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક (પટણા પૂર્વ) પરિચય કુમારે જણાવ્યું હતું કે, “અમે રાજકુમાર યાદવના ડ્રાઇવર સાથે વાત કરી રહ્યા છીએ. પ્રથમ દ્રષ્ટિએ, આ જમીન વિવાદ અને પૈસાની લેવડદેવડનો મામલો લાગે છે.”

આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું, “એનડીએ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પરનો કાબુ ગુમાવી દીધો છે. રાજ્યની રાજધાનીમાં પણ હુમલાખોરોને પોલીસનો કોઈ ડર નથી.”

નેપાળ જેલમાંથી ભાગી ગયેલા 5 કેદીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા

0

નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ દેશને હચમચાવી નાખ્યો છે. જન જીના વિરોધ પ્રદર્શનને કારણે, વડા પ્રધાન કે.પી. ઓલીએ રાજીનામું આપવું પડ્યું, જ્યારે સંસદ અને સરકારી ઇમારતોને આગ ચાંપી દેવામાં આવી. આ રમખાણોની આડમાં, દેશભરની જેલોમાંથી 13 હજારથી વધુ કેદીઓ પણ ભાગી ગયા. તેમાંથી ઘણા હવે ભારત-નેપાળ સરહદ પર પકડાઈ રહ્યા છે. સશસ્ત્ર સીમા બલ એટલે કે SSB એ અત્યાર સુધીમાં 60 ફરાર કેદીઓને પકડી પાડ્યા છે. આ બધા કેદીઓ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળની સરહદ પર પકડાયા છે.

ઓલીના રાજીનામા પછી પણ ગુસ્સો ઓછો થયો નહીં
કેદીઓ પકડાયા હોવાની માહિતી આપતાં, SSB ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ સંખ્યા હજુ પણ વધી રહી છે, અમે સાવચેતી રાખી રહ્યા છીએ.’ તમને જણાવી દઈએ કે સોમવારે યુવાનોએ ભ્રષ્ટાચારના મુદ્દા પર અને સરકારના સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે મોટા પાયે પ્રદર્શન કર્યું હતું. પોલીસ કાર્યવાહી અને પ્રદર્શનકારીઓ પર અન્ય ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. પોલીસ કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા સેંકડો પ્રદર્શનકારીઓ વડા પ્રધાન ઓલીના કાર્યાલયમાં ઘૂસી ગયા અને તેમના રાજીનામાની માંગણી કરવા લાગ્યા. મંગળવારે, ઓલીએ પદ પરથી રાજીનામું આપી દીધું, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

વિરોધીઓએ અનેક સરકારી ઇમારતોને આગ ચાંપી દીધી
પ્રદર્શનકારીઓએ સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી નિવાસસ્થાન, સરકારી કાર્યાલયો, રાજકીય પક્ષના મુખ્યાલય અને વરિષ્ઠ નેતાઓના ઘરોમાં આગ લગાવી દીધી. ઓલીના ખાનગી નિવાસસ્થાનને પણ બાળી નાખવામાં આવ્યું. સોમવારે રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો હતો, પરંતુ ગુસ્સો ઓછો થયો ન હતો. બુધવારે, નેપાળ સેનાએ દેશવ્યાપી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા હતા અને સંભવિત હિંસાને રોકવા માટે કર્ફ્યુ લાદ્યો હતો. ઓલીના રાજીનામા પછી, હવે દેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી તેના વડા હોવાનું કહેવાય છે.

જેલમાંથી કેદીઓ ભાગી ગયા, 5 સગીર કેદીઓના મોત
પ્રદર્શનોની અંધાધૂંધીનો લાભ લઈને કેદીઓએ જેલ પર હુમલો કર્યો. મંગળવારથી ઘણી જેલોમાં સુરક્ષા કર્મચારીઓ અને કેદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. મંગળવારે રાત્રે નેપાળના બાંકે જિલ્લાના બૈજનાથ ગ્રામીણ મ્યુનિસિપાલિટીના નૌબસ્તા વિસ્તારમાં સ્થિત નૌબસ્તા બાળ સુધારણા ગૃહમાં કેદીઓએ સુરક્ષા કર્મચારીઓ પાસેથી હથિયારો છીનવી લેવાનો પ્રયાસ કર્યો . આના કારણે અથડામણ થઈ જેમાં 5 કિશોર કેદીઓ માર્યા ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશભરની જેલમાંથી 13 હજારથી વધુ કેદીઓ ભાગી ગયા છે. ભાગી ગયેલા ઘણા કેદીઓ ભારત તરફ ભાગી ગયા છે, ત્યારબાદ SSB એ સરહદ પર દેખરેખ વધુ તીવ્ર બનાવી દીધી છે.

ભારત મોરેશિયસમાં બનાવશે 500 બેડની હોસ્પિટલ, અનેક યોજનાઓમાં પણ કરશે મદદ

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર વચ્ચેની વાતચીત બાદ, બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “મને એ કહેતા ગર્વ થાય છે કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદારો નથી, પરંતુ એક પરિવાર છે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મોરેશિયસ ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ અને વિઝન ઓશનનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.

માર્ચમાં મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય મળ્યું. તે સમયે, અમે અમારા સંબંધોને “ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી” નો દરજ્જો આપ્યો. આજે અમે દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની વિગતવાર સમીક્ષા કરી છે. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા.

ચાગોસ કરારના સમાપન પર હું પ્રધાનમંત્રી રામગુલામ અને મોરેશિયસના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.” પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, “ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર મોરેશિયસમાં સ્થાપિત થયું છે. આજે અમે નિર્ણય લીધો છે કે ભારત મોરેશિયસમાં આયુષ સેન્ટર ઓફ એક્સેલન્સ, 500 બેડવાળી સર સીવુસાગુર રામગુલામ નેશનલ (SSRN) હોસ્પિટલ, પશુચિકિત્સા શાળા અને પશુચિકિત્સા હોસ્પિટલના નિર્માણમાં સહયોગ કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રોડ શો પણ કર્યો હતો
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો. વારાણસી પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શહેરમાં પોલીસ લાઇનથી હોટેલ તાજ સુધી રોડ શો કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદી બપોરે દેહરાદૂન જશે અને સાંજે 4:15 વાગ્યે ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે અને સાંજે 5:00 વાગ્યે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પહેલા રામગુલામને મળ્યા હતા. ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકર મિશ્રાએ પ્રધાનમંત્રી મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી રામગુલામ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનું સ્વાગત કરતા કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

મિશ્રાએ જણાવ્યું હતું કે મોરેશિયસને વિશ્વનું બીજું ભારત માનવામાં આવે છે. મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ અગાઉ કાશી પહોંચ્યા હતા. કાશી દેશની સાંસ્કૃતિક રાજધાની છે. આજે તેમની વચ્ચે વાતચીત થશે. ચોક્કસપણે, બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. મોરેશિયસના પ્રધાનમંત્રી રામગુલામ 9 સપ્ટેમ્બરના રોજ કાશી પહોંચ્યા હતા અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

ઐતિહાસિક શહેર વારાણસીમાં બંને નેતાઓ વચ્ચેની મુલાકાત ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને અનોખા સંબંધોને આકાર આપનારા કાયમી સભ્યતા સંબંધો, આધ્યાત્મિક બંધનો અને લોકો વચ્ચેના ઊંડા સંબંધોને રેખાંકિત કરે છે.

દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન, બંને નેતાઓ વિકાસ ભાગીદારી અને ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સહકારના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે. તેઓ આરોગ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, માળખાગત સુવિધા તેમજ નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને વાદળી અર્થતંત્ર જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરશે.

નેપાળમાં ફસાયા BJP નેતા સહિત યુપીના 10 વેપારીઓ, વીડિયો દ્વારા જણાવી આપબીતી

0

નેપાળની રાજધાની કાઠમંડુમાં સરકાર વિરોધી હિંસા બાદ મુઝફ્ફરનગરના ભાજપ નેતા સુનીલ તયાલ સહિત 10 ઉદ્યોગપતિઓ ફસાયા છે . આ બધા 7 સપ્ટેમ્બરના રોજ પશુપતિનાથ મંદિરના દર્શન કરવા માટે કાઠમંડુ ગયા હતા. મંદિરના દર્શન કર્યા પછી, જ્યારે વેપારીઓ કાઠમંડુના બજારમાં ફરતા હતા, ત્યારે અચાનક હિંસા ફાટી નીકળી હતી. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી, ત્યારે તેઓને પોતાનો સામાન અને પૈસા ત્યાં છોડીને નજીકની હોટલમાં આશરો લેવાની ફરજ પડી હતી.

પરિવારના સભ્યો સંપર્ક કરી શકતા નથી
અસરગ્રસ્ત વેપારીઓના સંબંધીઓ કહે છે કે હિંસા પછી, કાઠમંડુમાં ઇન્ટરનેટ અને વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે, બુધવારે સવારે તેઓ તેમની સાથે ફોન પર ટૂંકી વાત કરી શક્યા હતા, જેમાં તેમણે પોતાનો ગભરાટ અને અસુરક્ષા વ્યક્ત કરી હતી. સંબંધીઓ કહે છે કે દરેક વ્યક્તિ શક્ય તેટલી વહેલી તકે નેપાળથી ભારત પાછા ફરવા માંગે છે.

આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ સરકારના કૌશલ્ય વિકાસ મંત્રી કપિલ દેવ અગ્રવાલે ગંભીરતા દાખવી છે અને તાત્કાલિક પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે. તેમણે ખાતરી આપી છે કે ભારત સરકારની મદદથી તમામ લોકોને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવશે. અગ્રવાલે કહ્યું કે ભાજપના નેતા સુનીલ તયાલ લાંબા સમયથી પાર્ટીમાં સક્રિય છે અને હાલમાં જિલ્લા સંયોજક મંત્રી તરીકે કાર્યરત છે. તેમની સાથે ગયેલા ઉદ્યોગપતિઓ પણ મુઝફ્ફરનગરના છે.

કાઠમંડુમાં ફસાયેલા મુઝફ્ફરનગરના વેપારીઓ-

  1. સુનીલ તાયલ, જિલ્લા સંયોજક, ભારતીય જનતા પાર્ટી મુઝફ્ફરનગર
  2. પ્રવીણ ગુપ્તા, ઉદ્યોગપતિ
  3. કુલદીપ સિંહ, ઉદ્યોગપતિ
  4. પવન કુમાર, ઉદ્યોગપતિ
  5. વરુણ ધનખર, ઉદ્યોગપતિ
  6. ભોપાલ સિંહ, ઉદ્યોગપતિ
  7. સુશીલ ત્યાગી, ઉદ્યોગપતિ
  8. આશુ બંસલ, ઉદ્યોગપતિ
  9. સચિન ગુપ્તા, ઉદ્યોગપતિ

નેતાઓ અને ઉદ્યોગપતિઓના સુરક્ષિત વાપસી માટે પરિવારો ખૂબ જ ચિંતિત છે. કપિલ દેવ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ટૂંક સમયમાં બધા લોકોને સુરક્ષિત રીતે ઘરે પાછા લાવવામાં આવશે.

નેપાળમાં ફસાયેલા ભારતીય પ્રવાસીની આપવીતી, વીડિયો શેર કરી મદદ માંગી

0

નેપાળમાં હિંસક પ્રદર્શન દરમિયાન અનેક ભારતીયો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલાનો દાવો છે કે, ભીડ તેની પાછળ દંડો લઈને દોડી રહી હતી અને તે માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફક્ત કેરળમાંથી જ 40થી વધુ લોકો નેપાળમાં ફસાયેલા છે.

રડતા રડતા માગી રહી છે મદદ
આ વીડિયોમાં યુવતી રડતા રડતા ભારત સરકાર પાસે મદદ માગી રહી છે. યુવતીએ પોતાનું નામ ઉપાસના ગીલ કહ્યું છે અને નેપાળમાં જે સ્થિતિમાં તે રહે છે તે વિશે રડતા રતડા તે જણાવી રહી છે.

યુવતી કહે છે કે તે અહીંયા સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે આવી હતી. તે જ્યારે સ્પા હતી ત્યારે તેની હોટેલ આખી સળગાવી નાખી, તેનો સામાન તો ગયો અને સ્પામાં પણ લોકોએ હુમલો કર્યો હતો અને મોટા દંડા લઈ ટોળું પાછળ પઢ્યું હતું. તે ગમે તેમ કરી જીવ બચાવી નીકળી ગઈ. હવે તે ખરાબ રીતે ફસાઈ ગઈ છે.

યુવતીએએ પ્રફુલ ગર્ગનું નામ બોલ્યું છે જે જર્નાલિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તે ભારતીય દુતાવાસને મદદની આજીજી કરે છે. યુવતી નેપાળના પોખરામા ફસાઈ છે. ઉપાસનાના જણાવ્યા અનુસાર અહીં પર્યટકો પણ સુરક્ષિત નથી. હિંસક ટોળુ ગમે તેના પર હુમલો કરે છે. આગ લગાવે છે અને હાલાત ખૂબ જ ખરાબ છે તેમ આ યુવતી રડતા રડતા કહે છે.

ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘એ પણ ધ્યાનમાં આવ્યું છે કે અધિકારીઓએ કાઠમાંડુ અને નેપાળના અન્ય ઘણાં શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં હાજર ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને નેપાળી અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અને નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.’ નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસી જતાં, ભારતે તેના નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી ત્યાંની તેમની યાત્રા ટાળવા માટેની અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયે આ મુદ્દે જણાવ્યું કે, ‘નેપાળમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી નેપાળની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. નેપાળમાં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમના વર્તમાન રહેઠાણ સ્થળોએ રહે, રસ્તાઓ પર બહાર નીકળવાનું ટાળે અને ખૂબ જ સાવધાની રાખે. તેમને નેપાળ અધિકારીઓ અને કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સુરક્ષા સલાહકારોનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવે છે.’