Home Blog Page 332

નસીબના બળિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વહીવટના પણ બળિયા પુરવાર થયા

ભૂપેન્દ્ર પટેલ કેવી સરકાર ચલાવશે? લોકોની ધારણાઓ ખોટી પડી, શાસનના ચાર વર્ષ સડસડાટ પૂરા થઈ ગયાં!

વડાપ્રધાન મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના પીઠબળ વચ્ચે ‘દાદા’એ અનેક કાયદાઓનું સરળીકરણ કરવા સાથે ટનાટન સરકાર દોડાવી

૨૦૨૧ના વર્ષમાં ભૂપેન્દ્ર પટેલે પણ કલ્પના કરી નહોતી કે તેઓ ‘મુખ્યમંત્રી’ બનશે, પરંતુ નેતાગીરીએ સત્તાનો કળશ ઢોળી મુખ્યમંત્રી બનાવવાનો કરેલો નિર્ણય ‘દાદા’એ સાર્થક કરી બતાવ્યો

માળખાગત વિકાસનાં કામો, વેપાર, ઉદ્યોગનું આધુનિકરણ, નવા ઉદ્યોગોની સ્થાપના, કાયદાનું સરળીકરણ, આ બધું કરવા સામે રાજ્યમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ બરાબર ગણી શકાય

ખરેખર નસીબના બળિયા પુરવાર થયેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદે સતત ચાર વર્ષ પૂરા કર્યા. ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે, પરંતુ કંઈક નવું કરવા ટેવાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે કોઈ ચમત્કાર થતો હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલને બધાની વચ્ચેથી ઊંચકીને મુખ્યમંત્રી પદે બેસાડી દેતા રાજકીય ક્ષેત્રે અને ગુજરાતના લોકો અને ખુદ ભાજપ પક્ષમાં ભારે હલચલ મચી ગઈ હતી. લોકો માનતા હતા કે ભૂપેન્દ્ર પટેલ કેવી રીતે સરકાર ચલાવશે? થોડા દિવસોમાં કારભાર ખુલ્લો પડી જશે, પરંતુ ભૂપેન્દ્ર પટેલ પાકા ખેલાડી પુરવાર થયા અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક પાટીદાર મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કરી દીધો.

અલબત્ત, ભૂપેન્દ્ર પટેલની એક મુખ્યમંત્રી તરીકેની સફળતા પાછળ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલનું પીઠબળ ખરેખર કારગત રહ્યા હતા. મતલબ કોઈ ધારાસભ્ય કે પક્ષનું મોટું માથું કોઈક ગરબડ કે વિરોધ કરવાનો પ્રયાસ કરે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા કરવા જેવું હતું નહીં અને છે પણ નહીં. વડાપ્રધાન મોદી અને અમિત શાહની દેશના રાજકીય અને વહીવટી કામકાજમાં વ્યસ્તતા વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પા‌ટિલે બાજી સંભાળી લીધી હતી અને સંભાળી રહ્યા છે. આ તરફ સી.આર. પા‌ટિલે પણ પ્રદેશ અધ્યક્ષ પદે પાંચ વર્ષ પુરા કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. રોજબરોજ અફવાઓ ઊઠતી રહે છે, પરંતુ કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ સી.આર. પા‌ટિલ સિવાય કોઈને સોંપવા ઈચ્છતું નથી. અન્યથા ક્યારના પ્રદેશપ્રમુખ બદલાઈ ચૂક્યા હોત.સી.આર. પા‌ટિલ પણ ખરેખર નસીબના બળિયા છે. તેમના આકરા અને શિસ્તબદ્ધ વહીવટને કારણે ઘણા લોકો ઈચ્છતા હશે કે સી.આર. પા‌ટિલને બદલવામાં આવે. પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ વાતની ખબર છે કે, ગુજરાત સરકાર અને સંગઠનમાં બદલાવ કરવાનું કામ આસાન નથી. ગુજરાતમાં પક્ષની જમીની હકીકતથી વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વાકેફ છે. વળી ગુજરાતને અકબંધ જાળવી રાખવાનું કામ પણ એટલું જ આવશ્યક છે.પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને ખસેડીને ગત તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ચમત્કારિક રીતે પક્ષના નેતૃત્વએ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સાવ અચાનક પસંદગી કરી હતી. એ દિવસની પક્ષની બેઠકમાં મોઢામાં સોપારી મમળાવતા, મમળાવતા વચ્ચેની હરોળમાં બેઠેલા ભૂપેન્દ્ર પટેલને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આજના દિવસે તેમના નસીબમાં ‘રાજગાદી’ની ઘોષણા થવાની છે! પક્ષના નેતૃત્વએ આદેશ કરીને ભૂપેન્દ્ર પટેલને પ્લેટફોર્મ ઉપર બોલાવ્યા ત્યારે તેઓ ખુદ વાત માનવા તૈયાર નહોતા. કારણ કે પક્ષમાં તેમના કરતા પણ સિનિયર નેતાઓની આખી ફોજ હતી.

સ્ટેજ ઉપર પહોંચતા સુધીમાં તેમણે પોતાની જાતને પૂછી લીધું હતું કે, ‘તેમણે સાંભળેલી જાહેરાત ખરેખર સાચી છે?’ પરંતુ જાહેરાત સાચી હતી અને ભૂપેન્દ્ર પટેલે ‘દાદા ભગવાન’નું સ્મરણ કરીને પક્ષના નેતૃત્વએ કરેલા નિર્ણયને વધાવી લીધો હતો અને ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત ભાજપમાં ભૂપેન્દ્ર પટેલને લોકો ‘ભૂપેન્દ્ર દાદા’ તરીકે ઓળખે છે. પરંતુ તેમના સફળ નેતૃત્વને પગલે હવે ક્રમશઃ ભૂપેન્દ્ર દાદા તરીકેની ઓળખ ભુલાઈ રહી છે. આ ઉપરાંત ચાર વર્ષનાં સફળ શાસનના અંતે આજકાલ ભૂપેન્દ્ર પટેલમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. તેમનો આત્મવિશ્વાસ બેવડાવવા સાથે જાણે ફરી યુવાનીનો દોર શરૂ થયો છે અને ચહેરા ઉપર સતત સ્મિત દેખાઈ આવે છે. અલબત્ત, તેઓ ક્યારેક એવું કહે પણ છે કે, ‘આપણને ક્યાં ખબર હતી કે આપણે મુખ્યમંત્રી બનીશુ.’

ખરે, ગમે તેટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ વ્યક્તિના પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી. ભૂપેન્દ્ર પટેલ ઇચ્છે તોપણ તેમના સ્વભાવમાં ગુસ્સો, આક્રમકતા લાવી શકવાના નથી. કદાચ તેમનો કુદરતી સ્વભાવ તેમની રાજકીય સફળતા માટેનું કારણ હોઈ શકે. તેમના સ્વભાવમાં સત્તા મેળવવા માટે ક્યારેય સ્પર્ધામાં ઊતરવાનું લખાયેલુ નથી તો બીજી તરફ તેમનાથી જુનિયર મંત્રી તેમના કરતા પણ વધારે સક્રિય, નિર્ણાયક થવાનો દેખાવ કરતા હોય તો તેમની ભૂપેન્દ્ર પટેલને ઈર્ષા નથી. આ સ્વભાવને કારણે ભૂપેન્દ્ર પટેલને ક્યારેક ‘નબળા’ મુખ્યમંત્રી કહેવાનું મન થાય. પરંતુ સાથે તેમની નિર્દોષતાના કારણે માફ કરી દેવાનું પણ મન થઈ આવે.ભૂપેન્દ્ર પટેલે વીતેલા ચાર વર્ષમાં ‘મૂક’ મને કરોડો રૂપિયાના વિકાસના કામો કર્યા. અનેક કાયદાઓનું સરળીકરણ પણ કર્યું. ચાર વર્ષ પહેલાની ગુજરાત સરકારની સ્થિતિ અને આજની ગુજરાત સરકારની વહીવટી સરળતાની સ્થિતિ સાવ જુદી અનુભવવા મળે છે. ભાજપની વિચારધારામાં પણ નહીં માનનાર વ્યક્તિએ સ્વીકારવું જ પડે કે ગુજરાત સરકારનાં વહીવટમાં સરળીકરણ ચોક્કસ થવા પામ્યું છે.ગુજરાત સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. સૌથી જ‌િટલ ગણાતા મહેસૂલ વિભાગની સેવાઓને ભૂપેન્દ્ર પટેલે સૌથી વધારે પ્રાધાન્ય આપીને કાયદાને વધુ ને વધુ સરળ બનાવવાના પ્રયાસો કર્યા છે અને પરિણામે ગામડામાં રહેતા માણસનું કામ ગ્રામ પંચાયતમાં જ પૂરું થઈ જાય છે. પરિણામે જો સૌથી ખુશ હોય તો એ છેવાડાનો માણસ છે. આ ઉપરાંત સદ્‍ગત વિજય રૂપાણીએ જમીનના કેસમાં ૪૦ ટકા સમાન કપાત દર લાગુ કરવામાં અને ચાલુ રાખવામાં ભૂપેન્દ્ર પટેલ વધુ નિર્ણાયક રીતે આગળ વધ્યા હોવાથી ભ્રષ્ટાચારનાં સૌથી મોટા ઉપદ્રવ ગણાતા મહેસૂલ મંત્રાલયના રસ્તા આસાન બની ગયા છે.

દાદા ભગવાને તક આપી છે તો રાજ્યની પ્રજા માટે સુખાકારીના કામ કરી લેવા ભૂપેન્દ્ર પટેલે હામ ભીડી છે. ખરેખર જોઈએ તો ભૂપેન્દ્ર પટેલના નજીકના કોઈ જ સલાહકાર નથી. વડાપ્રધાન મોદી, અમિત શાહ અને સી.આર. પા‌ટિલ તેમના માટે સર્વોપ‌િર છે. કારણ, આ ત્રણે નેતાઓને ધરતી ઉપરની વાસ્તવિકતાની ખબર છે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે આ ત્રણ નેતાઓનો મત તેમના માટે સર્વોપ‌િર છે.એક હકીકત એ પણ છે કે, થોડા થોડા સમયે કેટલાક તકસાધુઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રી મંડળ બદલાઈ રહ્યું હોવાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હશે ત્યાં સુધી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીની ગાદીએથી ઉઠાડવાની કોઈ શક્યતા દેખાતી નથી. અન્યથા ચાર વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો કહી શકાય.

પરંતુ એક હકીકત છે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારના પ્રમાણમાં જબરજસ્ત વધારો થયો છે. કદાચ સરકારમાં બેઠેલા લોકો આ વાતનો સ્વીકાર નહીં, પરંતુ નજર સામેની હકીકતને કઈ રીતે છુપાવી શકાય. કારણ, ગમે તે હોય પરંતુ ભ્રષ્ટાચારનો દાનવ વધુ મોં ફાડીને વિકરાળ બની રહ્યો છે. સરકારી સેવાઓ ઓનલાઈન કર્યા પછી પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીને નાથવામાં સરકાર ક્યાંક નિષ્ફળ નીવડી છે. ભાજપ માટે ગુજરાત ‘પ્રયોગશાળા’ છે અને આ પ્રયોગશાળાને સલામત રાખવી હશે તો ભ્રષ્ટાચારના દૈત્યને ચોક્કસ નાથવો પડશે જ. છુટાછવાયા એકલદોકલ અધિકારી, કર્મચારીને ACBની ઝાળમાં સપડાવી દેવાથી વકરી ગયેલા બેખૌફ ભ્રષ્ટાચારનો અંત નહીં આવે. ભ્રષ્ટાચાર ઉપરાંત અધિકારીઓની બેજવાબદારી અને પોલીસની બિનજરૂરી કડકાઈ સામે પગલાં નહીં ભરાય તો સરવાળે ભાજપને જ નુકસાન થશે.

ફેકન્યૂઝ અંગે ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીનો વીર નર્મદ યુનિવર્સિટીમાં સંવાદ

ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી-સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘ન્યૂઝ અને ફેક ન્યૂઝ’ પરિસંવાદ તેમજ ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

VNSGUના અંગ્રેજી વિભાગના સભાગૃહમાં આયોજિત સમારોહમાં VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સર્જકો સાથેનો આ સંવાદ જ્ઞાનવર્ધનનું માધ્યમ બનશે એમ જણાવ્યું હતું.

ન્યૂઝ અને ફેક ન્યૂઝ વિષે ઊંડાણપૂર્વક સમજ આપતા સંદેશ દૈનિક-સુરતના નિવાસી તંત્રીશ્રી શ્રી કૃષ્ણકાંત ઉનડકટે જણાવ્યું કે, જ્યારે સોશિયલ મીડિયાનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ ફેક ન્યૂઝનું પ્રચલન હતું. પરંતુ એ સમયે ટ્વીસ્ટેડ ફેક ન્યૂઝનો જમાનો હતો. જ્યારે હાલ સોશિયલ મીડિયાના યુગમાં વ્યક્તિઓ ફેક ન્યૂઝને રિયલ ન્યૂઝ માની લઈ જાણ્યે અજાણ્યે પણ ફેક ન્યૂઝ સર્ક્યુલેશનનો હિસ્સો બને છે. એટલે જ કોઈપણ ન્યૂઝ અથવા સોશિયલ મીડિયા પોસ્ટમાં આપેલી કન્ટેન્ટની સત્યતાની ચકાસણી કરવાની ટેવ કેળવવી જોઈએ.

તેમણે આજના સાયબર ક્રાઈમ અને ફેક ન્યૂઝ એ વર્તમાન સોશિયલ મીડિયાની સૌથી મોટી સમસ્યાઓ છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ફેક ન્યૂઝની ભરમારને કારણે તથ્ય જાણવા માટે અખબારોની વિશ્વસનીયતા વધતી જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અખબારોનું સર્ક્યુલેશન પ્રમાણમાં જરૂર ઘટ્યું છે, પરંતુ અખબારો ડિજીટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાના કારણે બહોળા પ્રમાણમાં વંચાય પણ છે.

પત્રકારત્વમાં, ભાષા-શબ્દોમાં સત્ય, સત્વ અને તત્વ ખૂબ અગત્યના છે. પત્રકારત્વનું મૂળ ધ્યેય છે સત્યને શોધવું અને રજૂ કરવું, ભ્રમ કે અફવાઓથી દૂર રહીને, તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવી. પત્રકારત્વ માત્ર વ્યવસાય નહીં, પણ સમાજને સાચું અને સારૂ પીરસવાની જવાબદારી પણ છે એમ શ્રી ઉનડકટે ઉમેર્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવો અને જર્નાલિઝમ-માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ગાર્ડિયનના તંત્રીશ્રી મનોજ મિસ્ત્રી અને લેખિકા અને કવયિત્રી શ્રી એષા દાદાવાળાએ ‘સર્જક સાથે સંવાદ’ અંતર્ગત સંવાદ કર્યો હતો.

મનોજ મિસ્ત્રીએ સાહિત્ય અને પત્રકારત્વને એકબીજાના પૂરક ગણાવતા કહ્યું કે, સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. બંનેનો મુખ્ય હેતુ સમાજ સાથે સંવાદ સ્થાપિત કરવાનો અને વાસ્તવિકતાને રજૂ કરવાનો છે. સાહિત્યમાં વિચારોને કલ્પના અને કલાત્મકતાના માધ્યમથી રજૂ કરાય છે, જ્યારે પત્રકારત્વમાં સત્યને સીધા અને તથ્યપૂર્ણ સ્વરૂપમાં રજૂ કરાય છે. સાહિત્યનો ઉદ્દેશ કલાત્મક અને ભાવનાત્મક રજૂઆત છે, જ્યારે પત્રકારત્વનો ઉદ્દેશ માહિતી અને તથ્યોની રજૂઆત છે. પત્રકારત્વ થકી ભાષા, શૈલી અને વર્ણનાત્મક રજૂઆતમાં કાબેલ પત્રકાર સાહિત્યસર્જન પણ કરતો થયો છે. આમ, બંને એકબીજાના અવિભાજ્ય અંગ છે.

મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, મીડિયા ક્ષેત્રે પદાર્પણ કરનાર નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વનું માધ્યમ બદલાયું છે. આ નવી પેઢીએ જૂની પેઢીના અનુભવમાંથી શીખ લઈને પ્રેરણા મેળવવી પડશે એમ જણાવી વિચારોમાં ઊંડાણની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. અનુભવીઓને રોલમોડેલ બનાવી, સમન્વયકારી વલણ અપનાવી પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે. તો જ જનરેશન ગેપ ઘટશે. નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વ માધ્યમ બદલાયું છે.

એષા દાદાવાળાએ જણાવ્યું કે, ઘણા પત્રકારોએ સાહિત્યિક કૃતિઓ લખી છે, અને સાહિત્યમાં પત્રકારત્વના તત્વોનો ઉપયોગ થયો છે. પત્રકારત્વ સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જે સાહિત્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. પત્રકારત્વમાંથી મળેલી વાસ્તવિકતા અને અનુભવો તેમની સાહિત્યિક કૃતિઓમાં જીવંત બની ઊભરી આવે છે. જેનો જાતઅનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું.

નવી પેઢીએ એ.આઈ.નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સાથે સંવેદનશીલ બની સ્વનિર્ભર પણ બનવું જોઈએ. અવિરત વાંચન, મનન અને ચિંતન કરી પોતાના વિચારોને વધુ ધારદાર કરવાનો અનુરોધ કર્યો હતો.

પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ગુજરાત પ્રેસ અકાદમીના સચિવશ્રી જયેશભાઈ દવેએ સર્જકોને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા રજૂ કરી હતી. સુરતના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન VNSGU ના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભરત ઠાકોરે કર્યું હતું. ડો. ભરત ઠાકોરે સર્જક સાથે સંવાદના સેશન દરમિયાન સર્જકો સાથે સંવાદનો સેતુ સાધ્યો હતો.

ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યા

0

શુક્રવારે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા હતા. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ ચૂંટણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામા પછી થઈ હતી. 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું હતું જેમાં 98.2 ટકા મતદાન કર્યું હતું.

રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા
મંગળવારે NDA ઉમેદવાર રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પછી, રાજ્યસભાના મહાસચિવ અને ચૂંટણી અધિકારી પીસી મોદીએ પરિણામો જાહેર કર્યા અને કહ્યું કે 781 સાંસદોમાંથી 767 લોકોએ મતદાન કર્યું, જે 98.2 ટકા મતદાન છે.

NDA ઉમેદવારને કેટલા મત મળ્યા?
NDA ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જ્યારે, વિપક્ષી ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. 9 સપ્ટેમ્બરે મતદાન બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ પદના પરિણામોની જાહેરાત પછી, પીએમ મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ઉપરાષ્ટ્રપતિ ભારતના બંધારણીય મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને સંસદીય સંવાદમાં સકારાત્મક યોગદાન આપશે.

સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા
અહીં ઉલ્લેખનિય છે કે, સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. હવે તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ સ્થિતિમાં, મહારાષ્ટ્રમાં રાજ્યપાલનું પદ ખાલી પડી ગયું. નવા રાજ્યપાલની નિમણૂક સુધી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમની ફરજો ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યો સોંપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ આ સંદર્ભમાં એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે.

કંડલાથી ઉડાન ભરીને સ્પાઈસજેટના ફ્લાઈટનું વ્હીલ તૂટ્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

0

કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના વિમાનનું એક પૈડું ટેકઓફ પછી રનવે પર જોવા મળ્યું હતું. જોકે, વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

અહેવાલો અનુસાર, વિમાનનું પૈડું જમીન પર પડતાની સાથે જ, પાયલોટે સમજદારી બતાવી અને વિમાનને મુંબઈના રનવે પર ઉતાર્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જેથી વિમાનને કોઈક રીતે સુરક્ષિત રીતે લેન્ડ કરી શકાય.

સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,’12મી સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટ Q400 વિમાનનું પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાન મુંબઈ તરફ આગળ વધ્યું અને સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ થયું હતું. ત્યાર બાદ વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો સુરક્ષિત નીચે ઉતર્યા હતી.’

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું, ‘કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી અમે પાઇલટને આ અંગે જાણ કરી અને પડી ગયેલી વસ્તુ લાવવા માટે એટીસી જીપ મોકલવામાં આવી હતી. જ્યારે ATC ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુની રિંગ અને એક પૈડું મળી આવ્યું હતું.’

નેપાળમાં હિંસક તોફાન:રાષ્ટ્રપતિ અને સંસદ ભવન સહિત ઐતિહાસિક ઈમારતો આગની લપેટમાં

નેપાળમાં યુવાનોથી પ્રેરિત જનરલ-ઝેડ વિરોધ પ્રદર્શનોએ દેશને હચમચાવી નાખ્યો છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અનેક સરકારી અને ઐતિહાસિક ઇમારતોમાં તોડફોડ કરી હતી. આ વિરોધ પ્રદર્શનોમાં મુખ્યત્વે જનરલ-ઝેડ યુવાનો હાજર રહ્યા હતા, જેઓ સરકારની નીતિઓથી નિરાશ હતા. 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો ટૂંક સમયમાં હિંસક બન્યા. આ પછી તોડફોડ, આગચંપી અને હિંસાનો સમયગાળો શરૂ થયો. આંદોલનને કારણે અત્યાર સુધીમાં 35 થી વધુ લોકોનાં મોત થયા છે. ચાલો તમને જણાવીએ કે આ આંદોલનથી નેપાળની કઈ મુખ્ય સરકારી અને ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું છે.

વડા પ્રધાન કેપી શર્મા ઓલીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી, અને સેના તૈનાત કરવામાં આવી. વિરોધીઓએ સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ, વડા પ્રધાન નિવાસસ્થાન અને ઐતિહાસિક સિંહ દરબાર મહેલમાં આગ લગાવી, જેનાથી દેશના સાંસ્કૃતિક વારસાને ન ભરવાપાત્ર નુકસાન થયું.

01. સિંહ દરબાર, કાઠમંડુ
વિરોધીઓએ મુખ્યત્વે સિંહ દરબાર મહેલમાં આગ લગાવી હતી. તે નેપાળના વહીવટી અને ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. આ મહેલને આગ લગાવીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો. આ દરબારમાં સંસદ, વડા પ્રધાન કાર્યાલય સહિત અનેક મંત્રાલયો આવેલા હતા. સિંહ દરબાર મહેલનો ઇતિહાસ નેપાળના રાણા શાસન સાથે જોડાયેલો છે. તે જૂન 1908 માં ચંદ્ર શમશેર જંગ બહાદુર રાણા દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે તે સમયે એશિયાનો સૌથી મોટો મહેલ હતો. તેમાં 1700 થી વધુ રૂમ છે. તે સમયે તેનો ખર્ચ 5 મિલિયન નેપાળી રૂપિયા હતો. નિયો-ક્લાસિકલ શૈલીમાં બનેલો, આ મહેલ રાણા પરિવારની શક્તિનું પ્રતીક હતો, જ્યાંથી નેપાળનો વહીવટ ચલાવવામાં આવતો હતો. 1973 માં થયેલા આગજનીમાં તેનો મોટાભાગનો ભાગ નુકસાન પામ્યો હતો, પરંતુ પશ્ચિમ ભાગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આજે તે સરકારી કચેરીઓ, સંસદ અને મંત્રાલયોનું કેન્દ્ર છે, જે નેપાળના રાજકીય ઇતિહાસની સાક્ષી આપે છે. વિરોધીઓ દ્વારા તેના વિનાશથી દેશની સાંસ્કૃતિક ઓળખને ભારે ફટકો પડ્યો છે, કારણ કે તેમાં કિંમતી ઐતિહાસિક દસ્તાવેજો સંગ્રહિત હતા.

02. નેપાળનું સંસદ ભવન
હિંસક આંદોલન દરમિયાન, વિરોધીઓએ સિંહ દરબાર સંકુલમાં સ્થિત સંસદ ભવનને પણ આગ ચાંપી દીધી હતી. આ સંઘીય સંસદ ભવન નેપાળની લોકશાહી વ્યવસ્થાનું પ્રતીક છે. તેની સ્થાપના 1959 માં થઈ હતી. ત્યારથી, નેપાળમાં સંસદીય વ્યવસ્થા શરૂ થઈ. વિરોધીઓએ તેમાં તોડફોડ કરી અને ભ્રષ્ટાચાર વિરોધી ગ્રેફિટી બનાવી.

03. સુપ્રીમ કોર્ટ
વિરોધીઓએ પસંદગીપૂર્વક સરકારી અને ઐતિહાસિક ઇમારતોને નિશાન બનાવી હતી. આમાં નેપાળની સુપ્રીમ કોર્ટનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટની ઇમારત 1956 માં બનાવવામાં આવી હતી. તે ન્યાયતંત્રની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. વિરોધ દરમિયાન, વિરોધીઓએ પરિસરમાં આગ લગાવી દીધી હતી. ઘણા કાનૂની દસ્તાવેજો, રેકોર્ડ અને મહત્વપૂર્ણ ન્યાયિક રૂમોને નુકસાન થયું હતું.

04. નેપાળી કોંગ્રેસનું મુખ્યાલય
વિરોધ પ્રદર્શન દરમિયાન, વિરોધીઓએ હોબાળો પણ મચાવ્યો અને નેપાળી કોંગ્રેસના મુખ્યાલયમાં ભયંકર આગચંપી કરી. નેપાળી કોંગ્રેસ મુખ્યાલય 1940 ના દાયકાનું છે, જ્યારે પાર્ટીની સ્થાપના થઈ હતી અને તે સ્વતંત્રતા ચળવળમાં સક્રિય હતી. આ ઇમારતોના વિનાશથી નેપાળના ઇતિહાસને પણ મોટું નુકસાન થયું છે. આ હુમલાઓમાં ઐતિહાસિક દસ્તાવેજો અને રેકોર્ડ સહિત $1.4 બિલિયનનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

05. રાષ્ટ્રપતિ મહેલ (શીતલ નિવાસ), મહારાજગંજ, કાઠમંડુ
આ નેપાળના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન છે. વિરોધીઓએ આ ઇમારતને પણ નિશાન બનાવી હતી અને તેને આગ ચાંપી દીધી હતી. રાષ્ટ્રપતિ ગૃહમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અહીંથી મહત્વપૂર્ણ વસ્તુઓ, ખુરશીઓ, સોફા અને અન્ય વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ગૃહ 1924 માં ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્ર શમશેર રાણા દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ શીતલ નિવાસ રાખવામાં આવ્યું. 1948 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્ર શમશેરના પુત્ર કૃષ્ણ શમશેરે રાજકીય દબાણ હેઠળ તેને સરકારને સોંપી દીધું.

    06. આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર
    વિરોધીઓએ આ ઇમારતને પણ આગ ચાંપી દીધી અને તોડફોડ કરી. તેને નેપાળ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને બિરેન્દ્ર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તે કાઠમંડુના નવા બાણેશ્વર વિસ્તારમાં આવેલું છે. આ કેન્દ્રની સ્થાપના 1993 માં ચીનની મદદથી કરવામાં આવી હતી. તે એક બહુહેતુક આધુનિક સુવિધા કેન્દ્ર છે, જેમાં નેપાળની ફેડરલ સંસદની બેઠકો પણ યોજાતી હતી. તેની સ્થાપત્ય મિશ્રિત છે. તે આધુનિક ડિઝાઇનને નેપાળી પરંપરાગત શૈલીઓ સાથે જોડે છે.

    07. રાજકીય નેતાઓના વૈભવી હોટલો અને રહેઠાણો
    હિંસા દરમિયાન, વિરોધીઓએ નેપાળમાં ઘણી મોટી લક્ઝરી હોટલોને પણ નિશાન બનાવી હતી. આમાં નેપાળની મુખ્ય હિલ્ટન હોટલનો પણ સમાવેશ થાય છે. કાઠમંડુમાં સ્થિત આ ફાઇવ સ્ટાર હોટલને રાજધાનીમાં પ્રગતિ અને વૈશ્વિક રોકાણનું પ્રતીક માનવામાં આવતી હતી. પરંતુ તેને આગ પણ લગાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત હયાત રીજન્સીનો પણ નાશ કરવામાં આવ્યો હતો. બૌદ્ધ વિસ્તારની નજીક હોવાથી, તે પર્યટન અને ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હોટલોમાંની એક હતી.

    08. પ્રધાનમંત્રી નિવાસસ્થાન
    વિરોધ પ્રદર્શન દરમિયાન, ઝેન-જી આંદોલનકારીઓએ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીના નિવાસસ્થાનને પણ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત, ભૂતપૂર્વ વડા પ્રધાન શેર બહાદુર દેઉબાનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું. વડા પ્રધાનનું નિવાસસ્થાન કાઠમંડુના બાલુવાતારમાં આવેલું છે.

    Ghibli બાદ હવે Google Geminiથી બનાવો 3D ટ્રેન્ડિંગ ફોટો, મુખ્યપ્રધાને પણ બનાવ્યું 3D પૂતળું

    0

    ગૂગલ જેમિની એ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ રજૂ કર્યું છે, જે 3D ફિગરિન(પૂતળાં) બનાવી શકે છે. આ ટૂલ લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 3D મિનિએચર ખાસ કરીને Gen Z માં લોકપ્રિય બન્યા છે.

    ગૂગલ જેમિનીએ તાજેતરમાં નેનો બનાના એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ દ્વારા યુઝર્સ 3D પૂતળાં બનાવી શકે છે. ગૂગલનું આ એઆઈ ફીચર જનરલ ઝેડ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. આ 3D પૂતળાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ આ 3D છબીઓ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ કરી રહ્યા છે. જો તમે પણ ગૂગલ જેમિનીના આ નવા એઆઈ ફીચરનો ઉપયોગ કરીને 3D પૂતળાં બનાવવા માંગો છો, તો તે ખૂબ જ સરળ છે.

    નેનો બનાના એઆઈ શું છે?
    ગૂગલે તેના એઆઈ ચેટબોટ જેમિની 2.5 માં એક નવું ફ્લેશ ઇમેજ ટૂલ ઉમેર્યું છે, જેનું નામ નેનો બનાના 3D ફિગરીન છે. તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા 3D ફિગરીન જોવા મળશે. ગૂગલનું આ અદ્યતન મોડેલ ખૂબ જ બારીકાઈથી 3D ફિગરીન રજૂ કરે છે. આ દ્વારા બનાવેલા મિનિએચર્સમાં ચહેરાના એક્સપ્રેશન, ક્લોથિંગ અને બેકગ્રાઉન્ડ એલિમેન્ટ એકદમ વાસ્તવિક લાગે છે. આ જ કારણ છે કે તે યુઝર્સમાં, ખાસ કરીને જનરલ ઝેડમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે.

    ગૂગલનું આ AI ટૂલ ફ્રી-ટુ-યુઝ છે, જેના કારણે તે વપરાશકર્તાઓમાં ખૂબ જ લોકપ્રિય બન્યું છે. તાજેતરમાં, આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા સહિત ઘણી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર તેમના 3D વર્ઝન શેર કર્યા, જેના પછી ગૂગલનો આ નેનો બનાના ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.

    3D ફિગરિન(પૂતળા) કેવી રીતે બનાવવા?

    • સૌથી પહેલા તમે Google AI સ્ટુડિયોની વેબસાઇટ અથવા Google Gemini એપ્લિકેશન પર જાઓ
    • અહીં તમને Nano Banana છબી બનાવવાનો વિકલ્પ દેખાશે. તમે તમારી જે પણ તસવીરનું 3D ફિગરિન બનાવવા માંગતા હો તેને અપલોડ કરો
    • Google Gemini ની વિંડોમાં, તમારે 3D પૂતળા બનાવવા માટે કેટલાક કમાન્ડ આપવાના રહેશે અને તમારી HD એટલે કે ઉચ્ચ રીઝોલ્યુશન છબી અપલોડ કરવી પડશે.
    • જે વિંડોમાં તમે કમાન્ડ લખો છો તેની સાઇટ પર એક + આઇકોન છે, તેના પર ટેપ કરીને અથવા ક્લિક કરીને, તમે તસવીર અપલોડ કરી શકો છો.
    • જેમ જેમ તમે Run and Enter બટન પર ટેપ કરો છો અથવા ક્લિક કરો છો, તમારા કમાન્ડના આધારે 3D પૂતળા બની જશે
      કમાન્ડ શું છે?

    સામાન્ય રીતે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ટ્રેન્ડ માટે તસવીર અપલોડ કરવાની સાથે તમારે કેટલાક કમાન્ડ આપવા પડશે. તમે જે પણ પ્રકારની તસવીર ઈચ્છતા હોવ એનું વર્ણન લખશો એટલે એવા જ બેકગ્રાઉન્ડ સાથે તમારી તસવીર બનશે. જોકે હાલમાં ટ્રેન્ડમાં કમ્પ્યુર થીમ વધારે ટ્રેન્ડમાં છે. તમે જેવી 3D તસવીર બનાવવા માંગતા હોય એવી જ તસવીર કમાન્ડના આધારે બનાવી શકો છો. તમે Google Gemini નો ઉપયોગ કરીને મનગમતી 3D તસવીર બનાવી શકો છો.

    ટેરિફ પર મોહન ભાગવતનું મહત્વનો સંદેશ

    0

    આરએસએસના વડા મોહન ભાગવતે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને વૈશ્વિક સંઘર્ષનું પ્રતીક ગણાવીને એક ઊંડો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ ટેરિફ ‘હું-મારો’ ની સ્વાર્થી વિચારસરણીમાંથી ઉદ્ભવ્યા છે, જે વ્યક્તિગતથી રાષ્ટ્રીય સ્તર સુધી વિવાદો પેદા કરે છે. વિશ્વને સંદેશ આપતા ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે દરેકને પોતાના માનીએ તો કોઈ દુશ્મન નહીં રહે અને વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ ફક્ત ‘આપણે-આપણા’ ની ભાવનાથી જ શક્ય છે.

    ‘આ બધી વસ્તુઓ મારા અને મારા કારણે થાય છે’
    ભાગવતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવાના બહાને ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય વેપાર પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ભાગવતે ટેરિફ મુદ્દા પર માનવ એકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, ‘જો આપણા હૃદયમાં પોતાનાપણાની ભાવના હોય, તો સુરક્ષાનો કોઈ પ્રશ્ન નથી કારણ કે કોઈ આપણું દુશ્મન નથી. દુનિયાના લોકો ડરે છે કે જો આ દેશ વધશે તો મારું શું થશે, જો ભારત વધશે તો આપણું સ્થાન ક્યાં હશે, તેથી ટેરિફ લાદો. તમે લોકો સાત સમુદ્ર પાર છો, આપણે અહીં છીએ, કોઈ જોડાણ નથી પણ આપણે ડરીએ છીએ, આ બધી વસ્તુઓ મારા અને મારા કારણે થાય છે.’

    ‘ભારતે પોતાને ઓળખી કાઢ્યું છે’
    સંઘના વડાએ આગળ કહ્યું, ‘ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે જાણે છે. ભારત કહે છે કે આપણે એક મોટો દેશ છીએ. આપણે મોટા બનવું છે, આપણે પૂર્ણ બનવું છે, પણ આપણે પૂર્ણ કેમ બન્યા છીએ? આપણું કાર્ય શું છે? સમય સમય પર, માણસના વિચારોમાં આત્માના જોડાણ તત્વનો અભાવ રહે છે. તેને પૂર્ણ કરવા માટે, આપણે એક દેશ તરીકે જીવવું પડશે, આપણે મોટા બનવું પડશે, તેથી આપણે પૂર્ણ બનવું પડશે. પૂર્ણ થયા પછી શું કરવાનું છે? આપણે જે પૂર્ણ છે તેને ઘટાડીને પોતાને મોટા બનાવતા રહીએ છીએ, આપણે લૂંટતા રહીએ છીએ, આપણે હુમલો કરીએ છીએ, આપણી શક્તિના ગર્વમાં નબળાઓને દબાવીએ છીએ. ભારતે પોતાને ઓળખી કાઢ્યું છે. આપણે આ માટે નથી.’

    ‘ભારતે આખી દુનિયાને રાહત આપવી પડશે’
    ભાગવતે આગળ કહ્યું, ‘ભારતે આખી દુનિયાને રાહત આપવી પડશે, એટલે જ આજે પણ ભારતના લોકો અછતમાં ખુશ છે. અછત ન હોવી જોઈએ, તે અત્યારે છે, જો તે બદલાશે તો તે બદલાશે, તો પણ લોકોમાં સંતોષ છે. કોઈ સુવિધા નથી, પીડા છે, દુઃખ છે, પરંતુ પીડા અને દુઃખમાં પણ, માલ વહન કરનાર વ્યક્તિને પોતાની ગાડી લઈ જતી વખતે આરામ મળે છે. તે પોતાની ગાડી ગાડાવાળા ઝાડની છાયામાં મૂકીને આરામથી સૂઈ જાય છે, બીજા દેશોમાં કરોડો કમાતા લોકો પણ ઊંઘની ગોળીઓ લીધા વિના સૂતા નથી, આપણી પાસે સંતોષનો ભંડાર છે, કારણ કે આપણી પાસે આ પોતાનુંપણું છે. ભારત પહેલેથી જ ભરેલું છે, ભારત બધું છે.’

    દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને પણ મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    0

    દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતાં હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મેઈલમાં અમુક જાણીતા નેતાઓના નામ અને રાજકીય નિવેદનો પણ હતાં. દિલ્હી હાઈકોર્ટ બાદ બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી બાદ તાત્કાલિક ધોરણે બોમ્બે હાઈકોર્ટ પણ ખાલી કરાવવામાં આવી હતી.

    સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતાં તમામ જસ્ટિસને તેમની ચેમ્બરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વકીલો, સ્ટાફ અને હાજર તમામ લોકોને હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી છે. પરિસરમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. પોલીસને આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

    સેમસંગ ગેલેક્સી F17 5G ભારતમાં લોન્ચ, મોટી બેટરી અને સ્માર્ટ ફીચર્સ સાથે

    0

    સેમસંગે પોતાની F-Series નો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી એફ 17 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી એ કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 5000mAh ની મોટી બેટરી છે. આ સેમસંગ હેન્ડસેટનું IP54 રેટિંગ મળે છે એટલે કે ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે.

    ડિવાઇસમાં 50MP રિઅર કેમેરા, 13MP ફ્રન્ટ કેમેરા અને ઘણા બધા Galaxy AI ફિચર્સ પણ છે. સેમસંગ ગેલેક્સી એફ 17 5જી સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે વધુ જાણો.

    સેમસંગ ગેલેક્સી F17 5G કિંમત
    સેમસંગ ગેલેક્સી એફ 17 5જીને વાયોલેટ પોપ અને નિયો બ્લેક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,499 રૂપિયા અને 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. આ ફોનને આજથી દેશભરના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ, Samsung.com અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

    લોન્ચ ઓફરની વાત કરીએ તો તમને એચડીએફસી બેંક અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોન ખરીદવા પર 500 રૂપિયાનું કેશબેક મળશે. આ સિવાય 6 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઈ ઓફર પણ છે.

    ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હવે ગુજરાતની સાથે-સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હકીકતમાં મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    આચાર્ય દેવવ્રત ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની જવાબદારી સંભાળશે
    રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી સોંપી છે. આ જવાબદારી તેમને મહારાષ્ટ્ર માટે નવા કાયમી રાજ્યપાલની નિયુક્તિ ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે. આ નિર્ણય તત્કાળ અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

    ગુજરાતના વીસમાં રાજ્યપાલ છે દેવવ્રત
    આચાર્ય દેવવ્રત ગુજરાતના 20મા રાજ્યપાલ તરીકે 2019થી જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા 2015થી 2019 સુધી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા.

    ગુજરાતમાં 22 જુલાઈ, 2019ના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા, જેમને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નિમણૂક કરી હતી, જ્યારે રાજ્યપાલ તરીકે પણ પાંચ વર્ષથી વધુ સમય થયો છે. જેઓ ગુજરાતના પહેલા એવા રાજ્યપાલ છે, જેમણે સૌથી વધુ સમય તરીકે રાજ્યપાલ રહ્યા છે.