Home Blog Page 307

બિહાર ચૂંટણી પહેલા SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી, આગામી સુનાવણી ગુરુવારે

0

મંગળવારે એક મહત્વપૂર્ણ અવલોકનમાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે SIR મુદ્દો સંપૂર્ણપણે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારક્ષેત્રમાં આવે છે. ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે એક અરજીની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું ડતું. કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે કેટલાક લોકો દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોઈ શકે છે પરંતુ તેમની ઓળખ છતી થવાના ડરથી તેઓ આગળ આવવા માંગતા નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને ઓછામાં ઓછા એવા લોકોની યાદી પ્રદાન કરવા કહ્યું હતું જેમને ખરેખર SIR દ્વારા અસર થઈ છે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે અન્ય રાજ્યોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મતદાર યાદી પ્રક્રિયાઓમાં દખલ કરશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે SIR એ ફક્ત ચૂંટણી પંચની જવાબદારી અને તેનો વિશેષાધિકાર છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી, “આપણે બધું પોતાના હાથમાં કેમ લેવું જોઈએ? ચૂંટણી પંચની પોતાની મશીનરી છે; તેને કામ કરવા દો.” કોર્ટે અરજદારોને પ્રશ્ન કર્યો કે તેઓ શા માટે ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ તમામ કામ સંભાળે.

કોર્ટે એમ પણ કહ્યું કે પરવાનગી વિના દેશમાં રહેતા કેટલાક લોકો આગળ આવવાથી ડરશે કારણ કે જો તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે તો તેમની ઓળખ છતી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે અરજદારોને ઓછામાં ઓછા 100 લોકોની યાદી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેઓ દાવો કરે છે કે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે પરંતુ તેમને કોઈ આદેશ મળ્યો નથી, જેનાથી તેઓ અપીલ કરી શકતા નથી. કોર્ટે કહ્યું, “અમને આ ફરિયાદ ધરાવતા લોકોની એક ઉદાહરણરૂપ યાદીની જરૂર છે.”

સુપ્રીમ કોર્ટે મૌખિક રીતે ચૂંટણી પંચને ૩.૬૬ લાખ નામો દૂર કરવા અને ત્યારબાદ ઉમેરાયેલા ૨.૧ મિલિયન નામોની વિગતવાર નોંધ તૈયાર કરવા અને તેના કારણો જણાવવા સલાડ આપી હતી. આ બાબતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા કોર્ટે ભાર મૂક્યો હતો કે SIR એ ચૂંટણી પંચનું કાર્યક્ષેત્ર છે અને તેને સ્વતંત્ર રીતે કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. કોર્ટે આગામી સુનાવણી ૯ ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. બિહાર ચૂંટણીમાં SIRનો મુદ્દો મુખ્ય રીતે પ્રકાશિત થયો હોવાથી સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મહત્વપૂર્ણ બની જાય છે.

સસ્તું, સરળ અને કુદરતી રીતે વજન નિયંત્રણ કરવાનું શસ્ત્ર એટલે પાણી

આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલીથી દૂર જઈ રહ્યા છે. તળેલું ખાવું, બહારના પેકેટ્સ, કોલ્ડ્રીંકસ જેવી ચીજવસ્તુઓનું વધતું સેવન અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો આ બધું મળીને મેદસ્વિતાને આમંત્રણ આપે છે. મેદસ્વિતા ઘટાડવા લોકો દવાઓ, ડાયટ પ્લાન, અને મોંઘા-મોંઘા ફિટનેસ ટૂલ્સનો સહારો લે છે, પરંતુ મોટા ભાગના લોકો પાણીના પાવરથી અજાણ છે. શરીરના દરેક કાર્યમાં પાચનથી લઇ દિમાગી ચેતના સુધી પાણીનું ખૂબ મહત્વ છે.

હાલનાં માર્કેટિંગ યુગમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને કોલ્ડ્રીંક, સ્પોર્ટ્સ ડ્રિંક, ફ્રુટ ફ્લેવર્ડ વોટર વગેરે તરફ આકર્ષિત કરવામાં આવે છે. આવી ડ્રિંક્સમાં ખાંડ, કેલરી અને આર્ટિફિશિયલ કેમીકલ ભરપૂર હોય છે. આ પીણાઓ માત્ર મેદસ્વિતા નહિ, પરંતુ ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારતી હોય છે. તેથી જરૂરી છે કે આવા માઠા વિકલ્પોને પાણી જેવા સાદા, કુદરતી અને આરોગ્યદાયક વિકલ્પથી બદલવામાં આવે.

પાણી માત્ર તરસ બુઝાવવાનું સ્ત્રોત નથી તે એક એવું તત્ત્વ છે, જે શરીરના અનેક કાર્ય માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને વજન ઘટાડવા માટે તો અત્યંત અસરકારક છે. નિયમિત પણે પાણી પીવાથી ભૂખ ઘટે છે. ઘણી વાર આપણે જેને ભૂખ માનીએ છીએ, તે ખરેખર તરસ હોય છે. પાણી પીવાથી મગજને સંકેત મળે છે કે પેટ ભરેલું છે. પાણી ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. યોગ્ય રીતે પચેલા ખોરાકમાંથી શરીરને પૂરતું પોષણ મળે છે અને ચરબીના રૂપમાં બાકી ઘટકો જમા થતાં અટકે છે. વ્યાયામ કરતાં પહેલાં અને પછી પાણી પીવાથી શરીરની ઉર્જા સ્તર જળવાઈ રહે છે અને શરીર વધુ કાર્યક્ષમ રહે છે. જેથી વધારાની કેલરી બળી જાય છે.

દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે દિનચર્યા મુજબ ૮ થી ૧૦ ગ્લાસ (૨.૫ થી ૩ લિટર) પાણી પીવું જોઈએ. ઊનાળામાં, કસરત કર્યા પછી, અથવા વધુ આઉટડોર કામ હોય ત્યારે વધુ પાણી પીવુ જરૂરી છે. દરેક ૧ કલાકે થોડું પાણી પીવાથી શરીરનું હાઈડ્રેશન જળવાઈ રહે છે. 

લોક ગાયિકા મૈથિલી ઠાકુર બિહાર વિધાનસભા ચૂંટણી લડશે?

0

બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત બિહારી લોક ગાયિકા મૈથિલી ઠાકુર બિહાર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સાથે મુલાકાત કરી છે, જેનાથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મૈથિલી દરભંગાની કોઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

વિનોદ તાવડેએ X પર મૈથિલી સાથેની તેમની મુલાકાતના ફોટા પોસ્ટ કર્યા. 5 ઓક્ટોબરના રોજ, વિનોદ તાવડેએ તેમના X હેન્ડલ પર પોસ્ટ કર્યું, “પ્રખ્યાત ગાયિકા અને 1995 માં લાલુ પ્રસાદ યાદવ સત્તામાં આવ્યા ત્યારે બિહાર છોડી ગયેલા પરિવારની પુત્રી મૈથિલી ઠાકુર, બિહારની બદલાતી ગતિ જોઈને બિહાર પાછા ફરવા માંગે છે. આજે, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને મેં તેમને વિનંતી કરી કે બિહારનો સામાન્ય માણસ તેમની પાસેથી બિહારના લોકો અને તેના વિકાસમાં યોગદાન આપવાની અપેક્ષા રાખે છે, અને તેમણે તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવી જોઈએ. બિહારની પુત્રી મૈથિલી ઠાકુરને શુભકામનાઓ!”

મૈથિલી ઠાકુર કોણ છે?
મૈથિલી ઠાકુર એક પ્રખ્યાત ગાયિકા છે જે મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત, લોકગીતો, ભજન અને મૈથિલી-ભોજપુરી ગીતો માટે જાણીતી છે. તેનો જન્મ 25 જુલાઈ, 2000 ના રોજ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટીમાં થયો હતો. તેના પિતા રમેશ ઠાકુર સંગીત શિક્ષક છે અને તેની માતા ભારતી ઠાકુર ગૃહિણી છે.

મૈથિલી તેના નમ્ર અને સરળ વ્યક્તિત્વ માટે જાણીતી છે. તે પરંપરાગત ગીતો ગાય છે પરંતુ બોલિવૂડથી દૂર રહે છે. તેમને અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં 2021માં સંગીત નાટક અકાદમીનો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર, લોકમત સુર જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર અને 2024માં પીએમ નરેન્દ્ર મોદી તરફથી રાષ્ટ્રીય સર્જકો પુરસ્કારનો સમાવેશ થાય છે. જો તેઓ ચૂંટણી લડે છે, તો તેઓ પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

દેશના 7 રાજ્યોમાં 8 વિધાનસભા બેઠકોએ ઉપચૂંટણીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

0

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મતદાન બે તબક્કામાં થશે, ત્યારબાદ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત સાત રાજ્યોમાં પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિહાર વિધાનસભા ચૂંટણી તેમજ અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીઓ વિશે માહિતી આપી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એક પત્રકાર પરિષદમાં બિહાર ચૂંટણીની જાહેરાત કરી. બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે જ જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, પંજાબ, તેલંગાણા અને રાજસ્થાનની ઘણી બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાત રાજ્યોમાં આઠ બેઠકો માટે પેટાચૂંટણીઓ 11 નવેમ્બરે યોજાશે. પેટાચૂંટણીઓ પછી, 14 નવેમ્બરે બધી બેઠકો માટે એક સાથે મત ગણતરી કરવામાં આવશે. એ નોંધવું જોઇએ કે જમ્મુ અને કાશ્મીરમાં બે બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે, જ્યારે અન્ય છ રાજ્યોમાં એક-એક બેઠક માટે પેટાચૂંટણીઓ યોજાશે.

આ આઠ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાશે
જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટામાં પેટાચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટસિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપડી માટે પણ મતદાન યોજાશે. આ પેટાચૂંટણીઓ માટે મતદાન 11 નવેમ્બરે એકસાથે યોજાશે. આ આઠ બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે બિહાર ચૂંટણી પરિણામો સાથે જાહેર કરવામાં આવશે.

જમ્યા પછી તરત બેસવું: ધૂમ્રપાન કરતાં વધુ હાનિકારક? એક્સપર્ટ શું કહે છે?

સ્મોકિંગએ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે એ વાત વ્યાપકપણે સ્વીકૃત છે. જોકે કેટલીક એવી ક્રિયાઓ છે જે સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક છે. તેમાંથી એક છે જમ્યા પછી તરત જ બેસવું. ઘણા આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર જમ્યા પછી તરત જ ચાલવાનું કહે છે પરંતુ શું તે કેટલું સાચું છે?

જમ્યા પછી તરત બેસવું એ ધૂમ્રપાન કરતાં વધુ નુકસાનકારક છે એવું ઘણા કહે છે પરંતુ ઘણા લોકો આ વાત સાંભળતા નથી. એવું કહેવાય છે કે જમ્યા પછી તરત જ બેસવું હૃદયના સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે હાનિકારક છે. શું આ ધૂમ્રપાન કરતાં વધુ હાનિકારક છે? અહીં જાણો

જમ્યા પછી તરત બેસવું એ ધૂમ્રપાન કરતાં વધુ હાનિકારક છે કે નહિ?
કિમ્સહેલ્થ તિરુવનંતપુરમના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજી ડૉ. દિનેશ ડેવિડે જણાવ્યું હતું કે, જમ્યા પછી તરત જ બેસવું એ ધમનીઓ માટે ધૂમ્રપાન કરતાં વધુ નુકસાનકારક છે તે સૂચવતા કોઈ પુરાવા નથી. શારીરિક પ્રવૃત્તિ વિના દિવસમાં 8 કલાકથી વધુ સમય સુધી બેસવું સારું નથી. તેમણે કહ્યું કે આનાથી સ્મોકિંગ જેવા હૃદય રોગ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે “ઊભા રહેવાથી કે ચાલવાથી થતી સરખામણીમાં બેસવાથી ચયાપચય લગભગ 30% ધીમો પડી જાય છે. આનાથી વજન વધી શકે છે અને ધમનીઓમાં ચરબી જમા થઈ શકે છે. આનાથી એથરોસ્ક્લેરોસિસ થાય છે. ડેસ્ક જોબ વાળા ઘણીવાર લાંબા સમય સુધી બેસી રહે છે. આ તેમની શારીરિક પ્રવૃત્તિને મર્યાદિત કરે છે અને મેટાબોલિક ડિસઓર્ડર, સ્થૂળતા, ગ્લુકોઝ ઇન્ટોલસરસમાં ઘટાડો અને બળતરા તરફ દોરી જાય છે. આ બધા હૃદય રોગના પૂર્વગામી છે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર થતી અસર
ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મોહિત શર્માના જણાવ્યા અનુસાર, સંશોધન સૂચવે છે કે દિવસમાં 6-8 કલાકથી વધુ સમય સુધી બેસવાથી અકાળ મૃત્યુનું જોખમ વધે છે. લાંબા સમય સુધી બેસવાથી મૃત્યુદર, હૃદય રોગ, કેન્સરનું જોખમ અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે.

ડૉ. શર્માએ જણાવ્યું હતું કે સ્મોકિંગ ન કરનારાઓની તુલનામાં દિવસમાં 8 કલાકથી વધુ સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ 34% વધી જાય છે. દિવસમાં 1-5 સિગારેટ પીવાથી હૃદય રોગનું જોખમ 40-50% વધી જાય છે. ધૂમ્રપાન સામાન્ય રીતે વધુ તાત્કાલિક અને ગંભીર સ્વાસ્થ્ય પરિણામોનું કારણ બને છે, એમ તેમણે જણાવ્યું હતું.

ડૉ. શર્માએ કહ્યું કે “કામ ગમે તેટલું મહત્વપૂર્ણ હોય તો દર 2 કલાકે થોડી મિનિટો ચાલો. ઓછામાં ઓછા 15 મિનિટ ચાલવા જાઓ. તમે ઊભા થઈને તમારી પાણીની બોટલ ભરી શકો છો. તમારી પીઠ અને કરોડરજ્જુ સીધી રાખવાનું યાદ રાખો, કારણ કે હલનચલન ન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.’

નોબેલ 2025: ચિકિત્સા ક્ષેત્રમાં મેરી બ્રુનકો, ફ્રેડ રેમસડેલ અને સાકાગુચીને સન્માન

વર્ષ 2025 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારથી શરૂ થઈ ગઈ છે. સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા સંસ્થામાં એક સમિતિ દ્વારા દવા ક્ષેત્રે પુરસ્કારની જાહેરાત સાથે તેની શરૂઆત થઈ છે. આ વર્ષે દવા ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. દવા ક્ષેત્રમાં આપવામાં આવતા નોબેલ પુરસ્કારને સત્તાવાર રીતે ‘ફિઝિયોલોજી અથવા મેડિસિન’માં નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે. આ સન્માન 1901 થી 2024 દરમિયાન 115 વખત 229 નોબેલ પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવ્યું છે.

2024 માં આ સન્માન કોને મળ્યું?
ગયા વર્ષનો પુરસ્કાર અમેરિકન વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને માઇક્રોઆરએનએ (રિબોન્યુક્લિક એસિડ) ની શોધ બદલ વહેંચવામાં આવ્યો હતો. માઇક્રોઆરએનએ એ આનુવંશિક સામગ્રીના નાના કણો છે જે કોષોની અંદર ચાલુ અને બંધ સ્વીચ તરીકે કાર્ય કરે છે, કોષો શું કરે છે અને ક્યારે કરે છે તે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

પુરસ્કારો ક્યારે આપવામાં આવશે?
ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત મંગળવારે, રસાયણશાસ્ત્રના બુધવારે અને સાહિત્યના ગુરુવારે કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે અને અર્થશાસ્ત્રના નોબેલ મેમોરિયલ પુરસ્કાર 13 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરે યોજાશે, જે આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે, જેમણે આ પુરસ્કારોની સ્થાપના કરી હતી. નોબેલ એક શ્રીમંત સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક હતા. તેમનું અવસાન 1896 માં થયું હતું.

બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, 6 અને 11 નવેમ્બરે મતદાન, 14 નવેમ્બરે પરિણામ

0

બિહારની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. મતદાન 6 અને 11 નવેમ્બરે થશે અને પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. ચૂંટણી પ્રક્રિયા 40 દિવસ ચાલશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આ ચૂંટણીઓ માટે SIR હેઠળ મતદાન યાદી અપડેટ કરવામાં આવી છે. નામાંકન પહેલાં 10 દિવસ સુધી ખૂટતા નામો ઉમેરી શકાય છે. આવા મતદારોને નવા મતદાર કાર્ડ પ્રાપ્ત થશે.

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 74.3 કરોડ મતદારો
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 74.3 કરોડ મતદારો જોડાશે. તેમાંથી 39.2 કરોડ પુરુષો, 35.0 કરોડ મહિલાઓ અને 1725 ટ્રાન્સજેન્ડર છે. 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 40.4 કરોડ છે. 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 14,000થી વધુ છે. મહત્વની વાત એ છે કે, 14 લાખ વોટર પહેલીવાર વોટિંગ કરશે.

ચૂંટણી પંચે કહ્યું- મતદારોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
ચૂંટણી પંચના ડેટા અનુસાર, બિહારમાં કુલ 90,712 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ મથક સરેરાશ 818 નોંધાયેલા મતદારો છે. આમાંથી 76,801 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત છે, જ્યારે 13,911 શહેરી વિસ્તારોમાં સ્થિત છે. બધા મતદાન મથકો પર વેબકાસ્ટિંગ (100%) ઉપલબ્ધ છે. વધુમાં, મતદારોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે 1,350 મોડેલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.

ટ્રમ્પનો વિદેશી વિદ્યાર્થીઓ પર ઝટકો: યુએસની 9 અગ્રણી યુનિવર્સિટીઓમાં એડમિશન મર્યાદિત

0

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 ડોલરની વધારાની ફી લાદીને વિદેશી પ્રોફેશનલ્સને ઝટકો આપ્યા બાદ હવે વિદેશી વિદ્યાર્થીઓને પણ મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની 9 અગ્રણી યુનિવર્સિટીઓને મેમો પાઠવીને એડમિશન પ્રક્રિયામાં કડક મર્યાદા લાગુ કરવાની સૂચના આપી છે, જેના કારણે ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ પર ગંભીર અસર થવાની શક્યતા છે.

મેમોનું શીર્ષક અને મુખ્ય મુદ્દા

ટ્રમ્પ વહીવટીતંત્રે “A Compact for Academic Excellence in Higher Education” શીર્ષક હેઠળ 10-પોઈન્ટ્સનો મેમો મોકલ્યો છે. તેમાં યુનિવર્સિટીઓને સૂચના આપવામાં આવી છે કે:

  • આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ એડમિશનના 15% સુધી મર્યાદિત રાખવી.
  • એક જ દેશના 5% થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન ન આપવું.
  • એડમિશન કે રિક્રુટમેન્ટ દરમિયાન જાતિ અથવા લિંગના આધારે ભેદભાવ ન રાખવો.
  • ટ્યુશન ફી 5 વર્ષ સુધી ફ્રીઝ રાખવી.
  • જાતિ, લિંગ અને નાગરિકતા આધારિત એડમિશન ડેટા જાહેર કરવો.
  • જે વિભાગો પરંપરાગત અમેરિકન મૂલ્યોને નુકસાન પહોંચાડે, તે વિભાગો બંધ કરવા.
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન અને પશ્ચિમી મૂલ્યો સાથે સુસંગત છે કે નહીં, તેની તપાસ કરવી.

અસર ભારતીય વિદ્યાર્થીઓ પર

હાલમાં યુએસમાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાં 70 ટકા વિદ્યાર્થી ભારત અને ચીનના છે. નવા નિયમોને કારણે આ બંને દેશોના વિદ્યાર્થીઓને એડમિશન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે.

આ 9 યુનિવર્સિટીઓને પાઠવાયો મેમો
આ મેમો નીચેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને મોકલવામાં આવ્યો છે:

  • MIT
  • બ્રાઉન યુનિવર્સિટી
  • ડાર્ટમાઉથ કોલેજ
  • યુનિવર્સિટી ઓફ એરિઝોના
  • યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા
  • યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા
  • યુનિવર્સિટી ઓફ ટેક્સાસ
  • યુનિવર્સિટી ઓફ વર્જિનિયા
  • વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી

ટ્રમ્પ વહીવટીતંત્રના આ મેમોનું પાલન ન કરનાર યુનિવર્સીટીઓને મળતા ફેડરલ ભંડોળમાં ભારે કાપ મુકવામાં આવી શકે છે. આ નવ યુનિવર્સિટીઓને જ શા માટે મેમો પાઠવવામાં આવ્યો એ અંગે વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.

કેનેડામાં બિશ્નોઈ ગેંગનો ત્રાસ: ત્રણ સ્થળોએ ફાયરિંગની લીધી જવાબદારી

કેનેડામાં આંતરરાષ્ટ્રીય અપરાધ જગતમાં એક મોટો ધમાકો થયો છે. કુખ્યાત ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક હવે કેનેડાની ધરતી પર સક્રિય હોવાનું પુરાવા સાથે સામે આવ્યું છે. 5 ઓક્ટોબર, રવિવારે રાત્રે કેનેડાના ત્રણ અલગ-અલગ શહેરોમાં થયેલી ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર સ્વીકારી છે. આ ઘટના ગેંગની વૈશ્વિક પહોંચ અને સંગઠિત અપરાધના ખતરનાક ફેલાવાને દર્શાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોર્ટુગલમાં રહેતા ફતેહ પોર્ટુગલ નામના વ્યક્તિએ આ ત્રણેય હુમલાઓની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો, જેમાં એક શૂટર અત્યાધુનિક હથિયારથી ગોળીબાર કરતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કેનેડિયન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળોને સીલ કરીને તપાસ શરૂ કરી છે. પ્રારંભિક માહિતી મુજબ, કોઈ જાનહાનિ કે ઈજા થવાનો અહેવાલ નથી, પરંતુ પોલીસે આને સંગઠિત અપરાધના મોટા ષડયંત્ર તરીકે જોવાનું શરૂ કર્યું છે.

ગેંગના પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે નવી તેસી નામના વ્યક્તિનો વ્યકતિ, જેણે કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કલાકારો પાસેથી અવૈધ વસૂલી કરી હતી. આ પોસ્ટમાં ગેંગે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મહેનતુ લોકો સાથે કોઈ દુશ્મની નથી રાખતા, પરંતુ જે ગેંગના સભ્યોને હેરાન કરે છે કે અનૈતિક રીતે પૈસા વસૂલવામાં આવે છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરે છે.

આ ઘટના કેનેડા સરકારના તાજેતરના નિર્ણય પછી બની છે, જ્યાં તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું, જેનાથી ગેંગના અસ્કયામોને દૂર કરી શકાય અને તેમની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી શકાય.

આના પછી ગેંગ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થઈને પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોસ્ટમાં વધુ એક ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વિરુદ્ધ ખબરો ફેલાવે, તો તેના કારણે થતા નુકસાનની જવાબદારી તેમના પોતાના માથે હશે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે અપરાધ અને આતંકની સીમા વધુ અસ્પષ્ટ બનાવી દીધી છે.

આ ફાયરિંગથી કોઈ જીવનહાનિ નથી થઈ, પરંતુ તે ગેંગની વૈશ્વિક મજબૂતીને દર્શાવે છે, જે ભારતથી શરૂ થઈને કેનેડા અને અન્ય દેશોમાં ફેલાયેલું છે. કેનેડિયન અધિકારીઓ આને સામુદાયિક ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ માને છે, અને તપાસમાં આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર પડશે. આ ઘટના ભારત-કેનેડા સંબંધોમાં પણ નવી જટિલતા ઉમેરી શકે છે, જ્યાં ગેંગના મુખ્ય આરોપીઓના એક્સટ્રાડિશનના મુદ્દા પર વાતચીત ચાલી રહી છે.

બંગાળ-સિક્કિમમાં કુદરતી આપત્તિ: પૂર અને ભૂસ્ખલનને કારણે 20ના મોત

0

ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર બંગાળ અને સિક્કિમમાં વરસેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જીલ્લામાં સૌથી વધુ નુકશાન થયું છે, સિક્કિમના મોટા ભાગના વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે, અત્યાર સુધી 20 લોકોના મોત નીપજ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે.

અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં અલગ અલગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત નોંધાયા છે, હજુ પણ કેટલાક લોકો ગુમ છે. આ મૃત્યુઆંક વધવાની શકયતા છે. દાર્જિલિંગ જિલ્લાના મિરિકમાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. મિરિક અને કુર્સિઓંગ શહેરોને જોડતો ડુડિયા આયર્ન બ્રિજ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા છે.

મુશ્કેલ પરિસ્થિતિમાં બચાવ કાર્ય:
સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો બચાવ અને રાહત કામગીરી કરી રહી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે, જેને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. વહીવટીતંત્રે લોકોને પહાડી રસ્તાઓ અને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરી છે.

મુખ્ય પ્રધાન મુલાકાત લેશે:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પૂરથી પ્રભાવિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને પરિસ્થિતિનું આંકલન કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ પણ જાનમાલના નુકશાન અંગે દુખ વ્યક્ત કર્યું છે અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.