Home Blog Page 284

રખડતા કૂતરા કેસના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, અનેક રાજ્યોના મુખ્ય સચિવ હાજર રહ્યા

0

સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા કૂતરા કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે 7 નવેમ્બરના રોજ આદેશ પસાર કરશે. ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બનેલી ત્રણ સભ્યોની વિશેષ બેન્ચે નોંધ્યું કે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તેમની સમક્ષ હાજર હતા. કોર્ટે કેરળના મુખ્ય સચિવ દ્વારા મુક્તિની વિનંતી કરતી અરજીને મંજૂરી આપી, જેમાં મુખ્ય સચિવ હાજર હોવાનું નોંધ્યું.

આગામી સુનાવણી 7 નવેમ્બરે
બેન્ચે કહ્યું કે આ કેસમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાને પણ પક્ષકાર બનાવવો જોઈએ. સુનાવણીની શરૂઆતમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને માહિતી આપી કે મોટાભાગના રાજ્યોએ આ મામલે તેમના પાલન સોગંદનામા દાખલ કર્યા છે. બેન્ચે કહ્યું, “નિર્ણય માટે 7 નવેમ્બરની તારીખ સૂચવો.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની ભૌતિક હાજરી હવે જરૂરી નથી. જો કે, બેન્ચે કહ્યું કે આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં, મુખ્ય સચિવોની હાજરી ફરીથી જરૂરી બનશે.

કોર્ટે નારાજગી વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે 27 ઓક્ટોબરે આ મામલાની સુનાવણી કરતી વખતે, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને 3 નવેમ્બરે તેની સમક્ષ હાજર થવા અને કોર્ટના 22 ઓગસ્ટના આદેશ છતાં પાલન સોગંદનામા કેમ દાખલ કરવામાં આવ્યા નથી તે સમજાવવાનો નિર્દેશ આપ્યો હતો. 22 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમોનું પાલન કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે પૂછ્યું હતું. બેન્ચે તેના આદેશનું પાલન ન થવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 27 ઓક્ટોબર સુધી, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સિવાય કોઈપણ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે પાલન સોગંદનામા દાખલ કર્યા નથી.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે મુખ્ય સચિવોએ કોર્ટ સમક્ષ હાજર થવું જોઈએ અને સમજાવવું જોઈએ કે તેમણે પાલન સોગંદનામા કેમ દાખલ કર્યા નથી. 27 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે આ મામલે પાલન સોગંદનામા દાખલ ન કરવા બદલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઠપકો આપ્યો હતો, અને કહ્યું હતું કે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે અને વિદેશમાં દેશની “પ્રતિષ્ઠા” ને ખરડી રહી છે.

કોર્ટે કેસનો વ્યાપ વધાર્યો
અગાઉ, સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા કેસનો વ્યાપ દિલ્હી-એનસીઆરની સીમાઓથી આગળ વધારી દીધો હતો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેણે મ્યુનિસિપલ અધિકારીઓને કૂતરાઓના ઘેરા, પશુચિકિત્સકો, કૂતરા પકડનારા કર્મચારીઓ અને ખાસ કરીને સુધારેલા વાહનો અને પાંજરા માટે ઉપલબ્ધ સંસાધનોના સંપૂર્ણ ડેટા સાથે પાલન સોગંદનામું ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી એબીસી નિયમોનું પાલન કરી શકાય. બેન્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આ કેસમાં પક્ષકાર બનાવ્યા હતા અને કહ્યું હતું કે એબીસી નિયમોનું પાલન સમગ્ર ભારતમાં એકસરખી રીતે થવું જોઈએ. સુપ્રીમ કોર્ટ 28 જુલાઈના રોજ એક મીડિયા રિપોર્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધા બાદ આ કેસની સુનાવણી કરી રહી છે જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં રખડતા કૂતરા કરડવાથી ખાસ કરીને બાળકોમાં હડકવાનો રોગ ફેલાતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાન પછી રશિયામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

સોમવારેનો દિવસ જાણે ભૂકંપ માટે જ નોંધાયો હોય એવું લાગ્યું. વહેલી સવારમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો, જેના ઝટકા ભારત અને પાકિસ્તાન સુધી અનુભવાયા હતા. ત્યારબાદ બપોરે રશિયામાં ભૂકંપે દસ્તક દીધી. કામચટકા ના પૂર્વી દરિયાકિનારે ધરતીકંપના ઝટકા અનુભવાયા. આ ભૂકંપની તીવ્રતા 6.4 નોંધાઈ હોવાનું યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું. જ્યારે જર્મન ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) એ પણ સમાન તીવ્રતા જાહેર કરી છે. ભૂકંપની ઊંડાઈ લગભગ 24 કિલોમીટર હતી.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સુરત: ગંદા પાણીમાં લીલા ઘાણા ધોતાં વ્યક્તિનો વીડિયો વાયરલ, આરોગ્ય વિભાગ સતર્ક

સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે, આ વીડિયો ચોકાવનારો છે કારણ કે એક વ્યક્તિ રસ્તા પર ભરાયેલા ગંદા પાણીમાં લીલા ઘાણા ધોઈ રહ્યો છે. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.વાયરલ વીડિયો અંગે આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે હાલ વિડિયો અંગે જાણકારી મળી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકનારી એક અત્યંત શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શહેરના સહારા દરવાજા વિસ્તાર નજીકનો આ વીડિયો છે, જેમાં એક એક વ્યક્તિ જાહેરમાં ગટરના ગંદા પાણીનો ઉપયોગ લીલા શાકભાજી ધોવા માટે કરી રહ્યો હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વાયરલ થયેલા વીડિયો મુજબ લીલા ઘાણાને વેચાણ માટે તાજા અને સ્વચ્છ બતાવવાના ઉદ્દેશથી ગટરના ગંદા અને રોગકારક પાણીમાં ધોઈ રહ્યો હતો. આ પ્રકારનું બેદરકારીભર્યું અને અમાનવીય કૃત્ય લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવા સમાન છે.

ગટરના દૂષિત પાણીમાં ધોવાયેલું શાકભાજી ખાવાથી લોકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે. વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે. આ ચોકાવનારો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત બાઇક ચાલક દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે આ વીડિયો કક્યારનો છે તે અંગે હાલ માહિતી સામે આવી શકી નથી.

સુરત કોસંબા નજીક બેગમાં અજાણી મહિલાની લાશ મળતાં પોલીસ તપાસ શરૂ

સુરત જિલ્લામાં કોસંબા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રોડ કિનારે એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના મૃતદેડને બાંધીને બેગમાં મૂકી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કોસંબા નજીક ડાઇવે નજીક રોડ પર એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી, મહિલાનો મૃતદેડ બાંધીને બેગમાં રાખવામાં આવ્યો હતો. મહિલાની હત્યા કરીને મૃતદેડને બેગમાં મૂકી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે પ્રાથમિક તપાસમાં જોયું તો, યુવતીના મૃતદેહના પગ બાંધેલા હતા. આખા મૃતદેહને પડીકું વાળે તેમ બેગમાં મૂકાયો હતો. કપડા દ્વારા મહિલાને લાશને બાંધવામાં આવી છે. જોકે, શરીરના કોઈ ટુકડા કરાયા નથી. મહિલાના હાથ પર ટેટૂ પર દોરાયેલા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

હત્યારાને ઝડપવા માટે પોલીસએ તાત્કાલિક અલગ–અલગ ટીમો બનાવી છે અને આસપાસના CCTV ફુટેજને આધાર બનાવી તપાસ શરૂ કરી છે. બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા જોવા મળી રહી છે, જ્યારે પોલીસ કોઈપણ સરાગને ચૂકી ન જાય એ માટે સુત્રો મજબૂત કરી રહી છે.

રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત

0

રાજસ્થાનના જયપુરમાં ભયાનક માર્ગ અકસ્માત થયો છે. જેમાં એક ડમ્પરે 10થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત હરમાડા વિસ્તારમાં પુરઝડપે આવતા ડમ્પરે લગભગ એક ડઝન વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો
આ અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ સીકર રોડ પર લોહા મંડી વિસ્તારમાં થયો હતો. જયારે રોડ પર ટ્રાફિક સામાન્ય હતો ત્યારે અચાનક પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા વાહનો સાથે અથડાવા લાગ્યો હતો. આ ટક્કર એટલી ગંભીર હતી કે ઘણી કાર અને બાઇકને ભારે નુકસાન થયું. ડમ્પરે અનેક વાહનોને ટક્કર મારી હતી. તેમજ આ અકસ્માતને કારણે રોડ પર અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી
આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો વાહનો નીચે ફસાયા હતા. તેમજ ડમ્પરે નીચે અનેક વાહનો દબાયા હતા. જેમાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે મૃતકોને શબને પોસ્ટ મોર્ટમ માટે મોક્લવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં NIAએ કેબલ-કાર પ્રોજેક્ટને મંજૂરી આપી

0

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં વિકાસ કાર્યો પર રોક લગાવવામાં આવી હતી. જયારે હવે એનઆઈએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બાયસરન વિસ્તારમાં 1.4 કિલોમીટરના કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 120 કરોડનો છે. જે 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને પ્રવાસનને વેગ આપશે. બાયસરન એ જ વિસ્તાર છે જ્યાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

એનઆઈએ પ્રોજેક્ટને મંજૂરી આપી
આ અંગે મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આ પ્રોજેક્ટ પર એનઆઈએનો અભિપ્રાય માંગ્યો હતો, કારણ કે એજન્સી આ જ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને પ્રોજેક્ટ પર અમારો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો અને અમે સ્પષ્ટ કર્યું હતું કે તપાસના દૃષ્ટિકોણથી અમને કોઈ વાંધો નથી.

હલગામ પછીની પરિસ્થિતિને કારણે કામ હજુ સુધી શરૂ થયું નથી
આ પ્રોજેક્ટ અંગે 27 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પહલગામના ધારાસભ્ય અલ્તાફ અહેમદ વાનીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એક કંપનીને સોંપવામાં આવ્યો હતો. પરંતુ પહલગામ પછીની પરિસ્થિતિને કારણે કામ હજુ સુધી શરૂ થયું નથી.

પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ અને કાશ્મીર કેબલ કાર કોર્પોરેશને આ 1.4 કિલોમીટરના પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં નીચેનું સ્ટેશન યાત્રી નિવાસની નજીક હશે અને ઉપરનું સ્ટેશન બાયસરનમાં હશે. આ પ્રોજેક્ટ માટે કુલ 9.13 હેક્ટર જમીનની જરૂર પડશે જે વન વિભાગ હસ્તગત છે.

કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જો કે, સુરક્ષાના લીધે એજન્સી હજુ સુધી સ્થળ નિરીક્ષણ કરી શકી નથી.

લોન ફ્રોડ કેસમાં ઈડીની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીની 3000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

0

દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમના રિલાયન્સ ગ્રુપ વિરુદ્ધ પગલાં લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શુક્રવારે રૂ. 3000 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મુંબઇમાં બાંદ્રામાં અબાણીનો પાલી હીલ હાઉસ અને દિલ્હી, નોઇડા, મુંબઇ, ગોવા, પુણે, હૈદરાબાદ અને ચેન્નઇ સહિત અન્ય શહેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના અન્ય ફ્લેટ, પ્લોટ અને કાર્યાલયનો સમાવેશ થાય છે.

આ કેસ કથિત લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે હજુ સુધી આ બાબતે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હોટેલ રણજીત સ્થિત અંબાણીની ઓફિસ, રિલાયન્સ સેન્ટર, પણ જપ્ત કરાયેલી મિલકતોમાં શામેલ છે.

3,000 કરોડ રૂપિયાની લોન મંજૂર થાય તે પહેલાં જ મળી ગઈ હતી
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આશરે 3,000 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. જોકે, રિલાયન્સ ગ્રુપે પહેલાથી જ આ આરોપોને નકારી કાઢ્યા છે. ED તપાસ આશરે 20 જાહેર અને ખાનગી બેંકોમાંથી લેવામાં આવેલા લોન સાથે સંકળાયેલા 17,000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત છે.

ED એ પણ શોધી કાઢ્યું કે 2017-19ની વચ્ચે, યસ બેંકે અનિલ અંબાણીની કંપનીઓને ગેરકાયદેસર રીતે લોન આપી હતી, જે પાછળથી અન્યત્ર વાળવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે લોન મંજૂર થાય તે પહેલાં પૈસા બેંક પ્રમોટરોને મોકલવામાં આવ્યા હતા. એવો પણ આરોપ છે કે ઘણી કંપનીઓને શરૂઆતમાં લોન મળી હતી, પરંતુ દસ્તાવેજો પછીથી તૈયાર કરવામાં આવ્યા હતા. કેટલાક એવા કિસ્સાઓ હતા જ્યાં લોન મંજૂર પણ ન થઈ હોય, પરંતુ ભંડોળ અગાઉથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

આ બેંકોનો પણ લોન આપતી બેંકોમાં સમાવેશ થાય છે
યસ બેંક ઉપરાંત, અંબાણીની કંપનીઓને લોન આપતી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, બેંક ઓફ ઈન્ડિયા, UCO બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે. EDની માહિતી અનુસાર, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ પર રૂ. 8,226 કરોડથી વધુ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર રૂ. 5,901 કરોડથી વધુ અને રિલાયન્સ કોમ્યુનિકેશન પર આશરે રૂ. 4,105 કરોડનું દેવું છે.

તેલંગાણામાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, 20 લોકોના મોત, 21 ઘાયલ

0

તેલંગાણાના મિર્ઝાગુડામાં એક TGSRTC બસને ટિપર ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 20 લોકોના મોત થયાના અહેવાલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. કાંકરી ભરેલી લારી સાથે અથડાયા બાદ, બસ ઉપર અને અંદર કાંકરી ભરેલી હતી. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, “રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા પોલીસ સ્ટેશનની હદમાં ખાનપુર ગેટ પાસે TGSRTC બસ અને ટ્રક વચ્ચે માર્ગ અકસ્માત થયો હતો. ઘણા મુસાફરો ઘાયલ થયા છે. આ ઘટના આજે સવારે બની હતી. અમે ઘટનાસ્થળે પહોંચી ગયા છીએ અને વધુ માહિતી પછી આપવામાં આવશે.”

મંત્રીએ અધિકારીઓને સૂચનાઓ આપી
તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે એક અખબારી યાદીમાં રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા મંડલના ખાનપુર ગેટ ખાતે થયેલા માર્ગ અકસ્માત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો હતો. તેમણે RTCના MD નાગી રેડ્ડી અને રંગારેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી અને ઘાયલોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખોટી દિશામાંથી આવી રહેલી ટિપર ટ્રક બસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. મંત્રીએ RTCના અધિકારીઓને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો.

સીએમ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રંગારેડ્ડી જિલ્લાના ચેવેલા મંડલમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને જરૂરી રાહત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે અકસ્માતની સંપૂર્ણ વિગતો સમયાંતરે જણાવવામાં આવે. મુખ્યમંત્રીએ સીએસ અને ડીજીપીને બસ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક હૈદરાબાદ પહોંચાડવા અને તેમને વધુ સારી તબીબી સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઉપલબ્ધ મંત્રીઓને તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચવા જણાવ્યું છે.”

કુદરતના કોપનો ભોગ બનેલા ખેડૂતોને સહાય કરવામાં વિલંબ સરકાર માટે જોખમી પુરવાર થશે

  • ભાજપના પોતીકા ‘યાદવો’ અને વિપક્ષો ખેડૂતોના અસંતોષને ભડકાવવામાં સફળ રહેશે તો સરકાર માટે ટકવું ભારે પડી શકે
  • બરબાદીની કગાર નજીક ઊભેલા ખેડૂતોને સહાય કરવી જ હોય તો વિલંબ કરવાની જરૂર નથી, કુદરતના મારનો ભોગ બનેલા ખેડૂતોને તડપાવવાથી સરવાળે સરકારે જ નુકસાન ભોગવવું પડશે
  • હવે પક્ષ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું નેતૃત્વ પણ નથી; ૨૦૦૧માં ભૂકંપ વખતે કેશુબાપાને કોઈપણ વાંક ગુના વગર ગાદીએથી ઉઠાડી મુકવામાં આવ્યા હતા અને છેવટ સુધી કેશુબાપા પૂછતા હતા ‘મારો વાંક શું હતો?’

કમોસમી વરસાદ અને રાજ્યભરમાં ખેડૂતોની પાયમાલીએ ભૂપેન્દ્ર પટેલની સરકારને હચમચાવી મૂકી છે. રાજ્યના પ્રત્યેક ખૂણામાંથી રાજ્યની સરકાર સામે આશાની મીટ મંડાઈ રહી છે. લાખો ખેડૂત પરિવારો, ખેતમજૂરો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આંખોમાંથી ચિંતાનું દર્દ વહી રહ્યું છે.

ગુજરાતમાં ભૂતકાળમાં અનેક વાવાઝોડાં આવ્યાં, સેંકડો મકાનો, ખેતરો અને ઊભા ઝાડ ધરમૂળથી ઊખડી ગયા પરંતુ આ વર્ષે લંબાયેલું ચોમાસુ અને કમોસમી વરસાદની ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં બનવા પામી હોવાનું યાદ નથી.

કુદરતી આફતના સમયે સરકારે બનાવેલા નિયમો મુજબ સહાય કરવામાં આવે તો ખેડૂતોની બરબાદી રોકવાનું શક્ય નથી. સરકારના લાગણીશૂન્ય નિયમ મુજબ સહાય ચૂકવવામાં આવે તો ખેડૂત પરિવારને ઝેર ખાવા જેટલી પણ સહાય મળે નહીં. નિયમ મુજબ વધુમાં વધુ બે હેક્ટર અને પ્રત્યેક હેક્ટર દીઠ ૧૨ હજાર એટલે કે કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતને વધુમાં વધુ રૂપિયા ૨૭ હજારની સહાય મળે!! હવે આ રકમ લઈને પણ બિચારો ખેડૂત શું કરે? હમણાં થોડા દિવસ પહેલા વ્યાજની રકમ ચૂકવવાની ચિંતામાં એક યુવાન ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આવા યુવાન ખેડૂત જેવા અનેક ગરીબ, મધ્યમવર્ગી ખેડૂત કદાચ જીવન ટુંકાવવાનો વિચાર કરી રહ્યા હશે. કારણ, આ વખતે કુદરતે વેરેલા વિનાશની સ્થિતિનો તાગ મેળવવાના વિચારમાત્રથી ફફડી જવાય એવી હાલત છે!

આખા ને આખાં ખેતરો પાણીનાં તળાવ બની ગયાં છે. ઘણા ખેડૂતોએ તો પાક લેવાની તૈયારી કરી રાખી હતી, પરંતુ નજર સામે તૈયાર પાક પણ પાણીમાં ડૂબીને સડી ગયો! ખેડૂતો ઠીક, જાનવરોનું પેટ ભરી શકાય એટલો ઘાસચારો પણ હાથમાં રહ્યો નથી. આવી વિકટ સ્થિતિમાં લોકોની નજર સરકાર તરફ હોય એ સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવિકતા નજર સામે હોવા છતાં સરકાર મોં ફાડીને ખેડૂતોને દિલથી સહાય કરવાની જાહેરાત કરતી નથી. માત્ર નુકસાનીના સરવેના નામે ખેડૂતોને સધિયારો આપવામાં આવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, સુરત જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં અર્જુન મોઢવડિયા જેવા મંત્રીઓ ખેડૂતોની વચ્ચે અને ખેતરોમાં આંટાફેરા મારી રહ્યા છે, પરંતુ સરકાર ક્યારે અને કેટલી માત્રામાં અને કેવા પ્રકારની જાહેરાત કરશે એની કોઈ જ ખાતરી આપતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો સરકારને ભીંસમાં લેવા ખેડૂતોના મુદ્દે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે.

ભાજપના સ્વભાવ મુજબ વિપક્ષના વિરોધને પગલે સમગ્ર પ્રકરણને રાજકીય પ્રતિષ્‍ઠાનો મુદ્દો બનાવવામાં આવશે તો બે પાડાની લડાઈમાં ‘ઝાડનો ખો’ નીકળી જશે. વિપક્ષના લોકોના વિરોધને લક્ષમાં લેવાનું સરકારને કદાચ ભારે પણ પડી શકે. વિપક્ષ વિરોધ કરે છે એટલે ખેડૂતોને આગળ વધીને સહાય કરવી નથી. એવો વિચાર તો ઠીક વાત કરવાનું પણ સરકાર માટે મુશ્કેલી પેદા કરી શકે. કારણ, પાછલા કેટલાક સમયથી ખુદ ભાજપની છાવણીમાં શાંતિ નથી. રાજ્યનાં કોઈક ને કોઈક ખૂણામાંથી પક્ષમાંથી અશાંતિના પરપોટા ફૂટી રહ્યા છે. ઘણી જગ્યાએ પોતીકા પક્ષના હોદ્દેદારો સામે બળવા પણ થઈ ચૂક્યા છે. આ બધાથી રાજ્ય સરકારનું શીર્ષ નેતૃત્વ સાવ અંધારામાં નથી જ, પરંતુ નિર્ણય લેવાની કે ટોચના નેતૃત્વને વાસ્તવિકતા દર્શાવવાની હિંમત નથી. રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના પ્રદેશોમાં ભાજપના પોતીકા લોકો જ સરકાર અને નેતૃત્વ સામે ‘ઉંબા‌િડયા’ કરી રહ્યાં છે. આ ‘ઉંબાડિયા’ને નજરઅંદાજ કરવામાં આવશે તો આગળ જતા મોટી રાજકીય આગ પણ ભડકી શકે. વળી હવે ગુજરાત ભાજપ પાસે ‘લાલ આંખ’ કરી શકે એવું સક્ષમ નેતૃત્વ પણ નથી.

ખેર, કુદરતી આફતો ઘણી વખત રાજકીય શાસન ઉથલાવવા માટે પણ નિમિત્ત બનતી હોય છે. વર્ષ ૨૦૦૧નો કચ્છનો ભૂકંપ ‘કેશુબાપા’ના ઇશારે આવ્યો નહોતો. તેમ છતાં ભૂકંપનો સામનો કરવામાં કેશુબાપા નિષ્ફળ રહ્યા હતા, એવા કારણો આપીને મુખ્યમંત્રી પદેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કેશુબાપાએ પોતે ‘વાંક’ (દોષ) જાણવા માટે લાખ સવાલ કર્યા હતા. પરંતુ ભાજપના નેતૃત્વએ તેમની એક વાત પણ સાંભળી નહોતી અને કેશુબાપા મૃત્યુ પામ્યા ત્યાં સુધી પૂછતા રહ્યા હતા કે ‘મારો વાંક શું હતો?’ અને આજે પણ તેમનો આત્મા જ્યાં હશે ત્યાં સવાલ કરતો હશે કે ‘મારો વાંક શું હતો?’ગુજરાતની વર્તમાન હાલત પણ ૨૦૦૧ના વર્ષના ભીષણ ભૂકંપ જેવી જ કહી શકાય! ત્યારે સેંકડો લોકો, જાનવરો કાટમાળમાં દફન થઈ ગયા હતા. અનેક પરિવારો, બાળકો નિરાધાર થઈ ગયા હતા. આજે લગભગ ૨૫ વર્ષ એટલે અઢી દાયકા પછી પણ કચ્છના ભૂકંપ પીડિતો ઘટનાની યાદ આવતા ચિત્કારી ઊઠતા હશે.

વર્ષ ૨૦૨૫ની કમોસમી વરસાદી હોનારતમાં સેંકડો ખેડૂત પરિવારો અને ખેતી આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત જીવતા દફન થઈ જવા જેવી છે. પરંતુ સરકાર ઇચ્છે તો સરકારી ખર્ચમાં થોડો કાપ મૂકીને પણ કમોસમી વરસાદના મારનો ભોગ બનેલા ખેડૂતોના પેટની આગ બુઝાવી શકે તેમ છે. પરંતુ સરકારની તિજોરીમાં કોઈ ખોટ છે તો માત્ર ‘દાનત’ની. સરકાર ‘દાનત’ને વળગી રહેશે તો એક વખત ખેડૂત આલમની નજરમાંથી ઊતરી ગયેલી સરકારને ફરી ગાદીએ પહોંચાડવાનું ભારે પડી જશે. ખેડૂતોનો ‘આર્તનાદ’ અને વિપક્ષને મળતી જતી તક-સરકારને ગાદીએથી ઉઠાડી મૂકતા વાર નહીં લાગે.

લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની લાહોર રેલી મુલતવી, પાકિસ્તાનમાં આતંકવાદીઓમાં ભયનો માહોલ

પાકિસ્તાનના લાહોરમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની રેલી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ રેલી 2 નવેમ્બરના રોજ મીનાર-એ-પાકિસ્તાન ખાતે યોજાવાની હતી, પરંતુ તે અચાનક મુલતવી રાખવામાં આવી હતી. નવી તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એક વીડિયોમાં, લશ્કરનો એક આતંકવાદી ભીડને કહેતો જોવા મળે છે કે “અમીર-એ-મોહતરમ” એટલે કે હાફિઝ સઈદે રેલી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. લશ્કરના આતંકવાદીઓ અને નેતાઓ ઘણીવાર હાફિઝ સઈદને આ નામથી બોલાવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પગલું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ડરથી અને ISI ના આદેશ પર લેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં વધતા આતંકવાદી સંઘર્ષને કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે.

આ વીડિયોમાં, એક આતંકવાદી ભીડને કહી રહ્યો છે કે અમીર-એ-મોહતારામ, હાફિઝ સઈદે રેલી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર શરૂ થાય તે પહેલાં, લશ્કરના નેતાઓએ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદ પોતે રેલીમાં હાજરી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 નવેમ્બરના રોજ લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાન ખાતે યોજાનારી રેલીને ISI ના આદેશ પર મુલતવી રાખવામાં આવી છે.

રેલીની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી, અને સ્થળનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં તાજેતરના લશ્કરી ઓપરેશન, ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લશ્કર આતંકવાદીઓના પોસ્ટરો દર્શાવવામાં આવ્યા હતા અને તેમને “શહીદો” તરીકે વર્ણવવામાં આવ્યા હતા. આ બધા આતંકવાદીઓ લશ્કરના મુરિદકે મુખ્યાલય સાથે સંકળાયેલા હતા. રેલી મુલતવી રાખવાથી લશ્કર તરફી જૂથોમાં મૂંઝવણ ઊભી થઈ છે. પાકિસ્તાન રેલી માટે નવી તારીખ ક્યારે જાહેર કરશે તે જોવાનું બાકી છે.