Home Blog Page 279

દિલ્હી બ્લાસ્ટમાં પુલવામાનો ડો. સજ્જાદની ધરપકડ, કેસની તપાસ NIA ને સોંપાઈ, કાશ્મીરથી ત્રણની અટકાયત

0

દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરુઆતમાં 8 લોકોના મોત થયા હતા, જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. હવે આ ગંભીર કેસની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે, જે આ મામલે આતંકી કાવતરાના એંગલથી તપાસ શરુ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય
અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્રણ શંકાસ્પદોની અટકાયત
અહેવાલો અનુસાર, દિલ્હી બ્લાસ્ટ મામલે પોલીસે જમ્મુ અને કાશ્મીરમાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી છે. તારિક અહેમદ મલિક (ગુલામ અહેમદ મલિકનો પુત્ર) એટીએમ ગાર્ડ છે. આમિર રાશીદ અને ઉમર રાશીદની અટકાયત કરાઈ છે, આ ત્રણેય પુલવામા જિલ્લાના રહેવાસી છે. અહેવાલો અનુસાર, તારિક અહેમદ અને આમિર રાશીદને શ્રીનગર લાવવામાં આવ્યા છે, જ્યારે ઉમર રાશીદ હાલમાં પંપોર પોલીસ સ્ટેશનમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 67.14% મતદાન, કિશનગંજ જિલ્લામાં નોંધાયું સૌથી વધુ મતદાન

0

બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 20 જિલ્લાઓની 122 બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે બિહારમાં 37 મિલિયન મતદારો 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 45,399 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 4,109 સંવેદનશીલ બૂથ છે. નોંધનીય છે કે 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં રેકોર્ડ 65.08 ટકા મતદાન થયું હતું, જે બિહારના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ મતદાન ટકાવારી છે.

12 મંત્રીઓનું ભાવિ દાવ પર લાગેલું છે.
બીજા તબક્કાની ચૂંટણીમાં 1302 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં બિહારની વર્તમાન નીતિશ કુમાર સરકારના 12 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. 1302 ઉમેદવારોમાંથી ૧૧૬૫ પુરુષો, 135 મહિલાઓ અને એક તૃતીય લિંગ ઉમેદવાર છે. બીજા તબક્કામાં, આ 12 મંત્રીઓનું ભાવિ સિકંદરાથી બિજેન્દ્ર પ્રસાદ યાદવ, ઝાંઝરપુરથી નીતિશ મિશ્રા, ફુલપરસથી શીલા મંડલ, છતપુરથી નીરજ કુમાર સિંહ બબલુ, હરસિદ્ધિથી કૃષ્ણાનંદ પાસવાન, સિક્તીથી વિજય કુમાર મંડલ, ધમદહાથી લેસી સિંહ, અમરપુરથી જયંત રાજ, ગયા ટાઉનથી ડૉ. પ્રેમ કુમાર, ચકાઈથી સુમિત કુમાર સિંહ, ચૈનપુરથી જામા ખાન, બેતિયાથી રેણુ દેવીનું નક્કી થશે.

નકલી મતદાન કરનારા પાંચ યુવાનોની ધરપકડ
મોતીહારી જિલ્લામાં, હસીબુલ્લાહ, સુલતાન અહેમદ અને આસિફ અનવર ઢાકા વિધાનસભા મતવિસ્તારના કુંડવાચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સાચી ઓળખ છુપાવીને બીજાના નામે નકલી મતદાન કરવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. મોતીહારીમાં જ આવેલા ચિરૈયા વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 1 અને બૂથ નંબર 2 પર ચંદન કુમાર સહિત બે યુવાનો નકલી મતદાન કરવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. મતદાનમાં અવરોધ ઊભો કરવા બદલ મતદાન એજન્ટ રંજન કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

આજે આ 20 જિલ્લાઓમાં મતદાન
બીજા તબક્કામાં, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, બાંકા, જમુઈ, નવાદા, ગયા, જહાનાબાદ, અરવાલ, ઔરંગાબાદ, રોહતાસ અને કૈમુર જિલ્લાઓની ૧૨૨ વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થશે અને મતગણતરી ૧૪ નવેમ્બરે થશે. મતદાનને ધ્યાનમાં રાખીને, ભારત-નેપાળ સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે, અને ૧૧ નવેમ્બરની રાત સુધી સરહદ સીલ કરી દેવામાં આવી છે.

Pakistan Car Blast: ઇસ્લામાબાદ કોર્ટ બહાર કાર વિસ્ફોટમાં 12 લોકોના મોત, 21 ઘાયલ

પાકિસ્તાનથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જિલ્લા કોર્ટની બહાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એક કારમાં થયો હતો. આ વિસ્ફોટમાં બાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે ગઈકાલે ભારતના દિલ્હીમાં પણ એક કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં નવ લોકોના મોત થયા હતા.

પાકિસ્તાનમાં કારમાં વિસ્ફોટ
પાકિસ્તાનમાં વિસ્ફોટ અસામાન્ય નથી. ત્યાં વિસ્ફોટ સામાન્ય છે. તાજેતરમાં, આવા જ બીજા એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જિલ્લા કોર્ટની બહાર એક કારમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારની અંદર એક સિલિન્ડર ફાટ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. 12 લોકો માર્યા ગયા હતા અને 21 ઘાયલ થયા હતા.

આ વિસ્ફોટ આજે મંગળવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે મોટી ભીડ હતી અને કેટલાક વકીલો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

અત્યાર સુધી, તેને સિલિન્ડર બ્લાસ્ટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જોકે, આ કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ, દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ કેસના સંદર્ભમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે તપાસ NIAને સોંપવામાં આવી છે.

સુરતમાં ફરી ઝડપાયો 955 કિલો નકલી પનીરનો જથ્થો, ફૂડ વિભાગની મોટી કાર્યવાહી

સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભિ ડેરીમાંથી ફરી એક વખત શંકાસ્પદ નકલી પનીરનો મોટો જથ્થો મળી આવ્યો છે. શહેરની SOG ટીમ અને મહાનગરપાલિકાના આરોગ્ય તથા ફૂડ વિભાગે સંયુક્ત રીતે આ સ્થળે છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ડેરીમાંથી કુલ 955 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 1.81 લાખ જેટલી હોવાનું અનુમાન છે. અધિકારીઓએ આ તમામ પનીરનો જથ્થો તાત્કાલિક રીતે જપ્ત કરી લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ડેરી ખટોદરા સોમકામજીની વાડી વિસ્તારમાં આવેલ છે અને તેનો માલિક કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ દ્વારા સ્થળ પરથી વિવિધ પ્રકારના પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલને હવે વિગતવાર તપાસ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા છે.

આ ઘટના બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં અન્ય ડેરીઓ અને ખાદ્ય પદાર્થ ઉત્પાદકો પર પણ તપાસનો ધસારો શરૂ કરી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે જો લેબ રિપોર્ટમાં પનીર નકલી અથવા અયોગ્ય ગુણવત્તાનું સાબિત થશે, તો ડેરી માલિક વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

દિલ્હી બ્લાસ્ટ બાદ સુરતમાં એલર્ટ: રેલવે સ્ટેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક ચેકિંગ શરૂ

સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સુરત રેલવે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે. મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઇડી પ્રૂફ તપાસાયા
પોલીસ દ્વારા માત્ર રેલવે સ્ટેશન પૂરતું જ નહીં, પરંતુ એની આસપાસના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનની આસપાસમાં આવેલી તમામ હોટલો અને લોજમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગમાં હોટલોમાં રોકાયેલા મહેમાનોના આઈડી પ્રૂફ અને તેમના રોકાણના હેતુની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં આશરો ન લઈ શકે.

સુરત શહેરમાં કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવી
એસીપી આર.આર.આહીરે જણાવ્યું કે, પોલીસ દ્વારા ગઈકાલ રાતથી જ આ સંપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં શહેરને સુરક્ષિત ગણી શકાય તેવું ચિત્ર સામે આવ્યું છે. પોલીસ દ્વારા રાત-દિવસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ દ્વારા શહેરમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના સઘન ચેકિંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ સામે આવી નથી, જે સુરત શહેર માટે રાહતની વાત છે.

દિલ્હી વિસ્ફોટ પછી પીએમ મોદીની કડક ચેતવણી: ‘ષડયંત્રકારોને છોડવામાં આવશે નહીં’

0

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન દિલ્હીમાં બનેલી ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ પીડિત પરિવારો પ્રત્યે સંવેદનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે તેઓ ભારે હૃદય સાથે ભૂટાન આવ્યા છે, ગઈકાલ સાંજની ઘટનાએ સમગ્ર રાષ્ટ્રને ઊંડા આઘાતમાં મૂકી દીધું છે.

શું કહ્યું પીએમ મોદીએ
વડા પ્રધાને જણાવ્યું કે તેઓ આખી રાત ઘટનાની તપાસમાં લાગેલી તમામ એજન્સીઓના સંપર્કમાં રહ્યા અને જરૂરી સૂચનાઓ આપતા રહ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ષડયંત્રની ઊંડાઈ સુધી પહોંચવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવશે અને તેની પાછળના ષડયંત્રકારીઓને બક્ષવામાં નહીં આવે.

વડા પ્રધાને કહ્યું કે અકસ્માતમાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, આખો દેશ તેમના દુઃખમાં સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરી. તે જ સમયે, સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને સંપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ નિષ્પક્ષ અને ત્વરિત તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે.

બીલીમોરામાં પોલીસ અને શસ્ત્રો વેચવા જતી ગેંગ વચ્ચે ચાર રાઉંડ ગોળીબાર, એકને ઈજા, ચારની ધરપકડ

બીલીમોરામાં મંગળવારે વહેલી સવારે એક રોમાંચક ઘટના બની હતી, જેમાં મુંબઈમાં શસ્ત્રો વેચવા જતી ગેંગ અને પોલીસ વચ્ચે ચાર રાઉંડ ગોળીબાર થયું હતું. આ ઘટનામાં ગેંગના એક સભ્યને પગમાં ઈજા થઈ છે, જ્યારે પોલીસએ ચારે આરોપીઓને ઝડપી લીધા છે.

માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે એક ગેંગ શસ્ત્રો વેચવા માટે મુંબઈ જવાના ઈરાદે બીલીમોરામાં રોકાઈ છે. બાતમીના આધારે પોલીસે બીલીમોરા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાંથી બે શખ્સોને પકડી પૂછપરછ શરૂ કરી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે બાકી ગેંગના સભ્યોનો પીછો કર્યો.

તે દરમ્યાન, ગેંગના ચાર સભ્યો બીલીમોરાના સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. મંદિરની બહાર સ્ટેટ મોનિટરીંગ સેલનું વાહન દેખાતા જ તેઓએ બચવા માટે પોલીસની કિયા કાર પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો. પોલીસએ તરત જ જવાબી કાર્યવાહી કરતાં ફાયરિંગ કર્યું, જેમાં ગેંગના એક સભ્યને પગમાં ગોળી વાગી. બાદમાં પોલીસે ચારે આરોપીઓને કાબૂમાં લીધા.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ચારેય આરોપીઓમાંના બે રાજસ્થાનના મૂળ નિવાસી છે, પરંતુ હાલ બીલીમોરામાં રહે છે, જ્યારે અન્ય બે મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસનો અંદાજ છે કે તેઓ મુંબઈમાં શસ્ત્રો વેચવા જઈ રહ્યા હતા. હાલ સ્ટેટ મોનિટરીંગ સેલ અને એસઓજી ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ

બોલીવુડના પીઢ અને શ્રેષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષની ઉંમરના અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને માત્ર બે થી ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલાં રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે. આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

ડો. જલીલ પાર્કરે જણાવ્યું કે, પ્રેમ ચોપરાને બે દિવસ પહેલા તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડો.નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ICUની જરૂર નથી અને તેઓ રૂમ અને વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેમનો હૃદય સાથે સંબંધિત સમસ્યા ઉપરાંત તેમને વાયરસ અને ફેફસાના ઇન્ફેક્શનનો પણ સામનો છે જેના માટે અમે તેઓની સારવાર કરી રહ્યા છીએ.

કચ્છના બેલામાં તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

કચ્છ જિલ્લાના બેલા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. સવારે આશરે 5:59 વાગ્યે 3.1ની તીવ્રતાવાળો આંચકો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા મળેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી લગભગ 7 કિલોમીટર દૂર હતું. હળવા આંચકાઓ હોવાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમીન થોડા સેકન્ડ માટે ધ્રૂજી ઉઠી હતી, જેના કારણે લોકોમાં થોડી ભીતિ ફેલાઈ હતી. ભૂકંપ બાદ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

  • 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
  • 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
  • 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
  • 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
  • 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
  • 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
  • 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
  • 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
  • 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય

સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન, પોલિંગ બૂથ બહાર લોકોની લાંબી લાઈનો લાગી

0

બિહાર વિધાનસભા ચૂંટણીનો છેલ્લો અને નિર્ણાયક તબક્કો આજે સવારથી શરૂ થઈ ગયો છે. 3.70 કરોડથી વધુ મતદારો 122 બેઠકો પર 1302 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં મુખ્યમંત્રી નીતીશ કુમારની સરકારના અડધા ડઝનથી વધુ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે, જ્યારે સીમાંચલ વિસ્તારની બહુમતી બેઠકો આ ચરણને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

45,399 મતદાન મથકો પર વોટિંગ ચાલી રહ્યું છે, જેમાંથી 40,073 ગ્રામીણ વિસ્તારમાં છે. કુલ મતદારોમાં 1.75 કરોડ મહિલાઓ છે. હિસુઆ (નવાદા)માં સૌથી વધુ 3.67 લાખ મતદારો છે, જ્યારે લૌરિયા, ચનપટિયા, રક્સૌલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બનમખીમાં 22-22 ઉમેદવારો છે. શાંતિપૂર્ણ મતદાન માટે 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મતદાતાઓમાં મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં 14.55 ટકા મતદાન નોંધાયું, જે પહેલા તબક્કાના 13.13 ટકા કરતાં વધુ છે. કિશનગંજમાં મહિલાઓની લાંબી કતારો જોવા મળી. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સાંસદ રાજેશ વર્મા પરિવાર સાથે વોટ આપવા પહોંચ્યા.

મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ભારે મતદાનની અપીલ કરી. મોદીએ ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કર્યા. જન સુરાજના પ્રતિનિધી પ્રશાંત કિશોરે વ્યવસ્થા પરિવર્તન માટે વધુ મતદાનની વાત કરી અને દિલ્હી વિસ્ફોટ પર રાષ્ટ્રીય સુરક્ષાની કાર્યવાહીની માંગ કરી.