Home Blog Page 276

કાશ પટેલની પાર્ટનરનો મોટો આરોપ, પોડકાસ્ટર પર કર્યો રૂ.45 કરોડનો બદનક્ષીનો દાવો

એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલની પાર્ટનર એલેક્સિસ વિલ્કિંન્સે તેને ઇઝરાયેલી જાસૂસ કહેવા બદલ પોડકાસ્ટર પર 50 લાખ ડોલર (અંદાજે 45 કરોડ રૂપિયા)ના બદનક્ષી દાવો માંડયો છે. કન્ઝર્વેટિવ પોડકાસ્ટર એલિઝાહ તેના પર ઇઝરાયેલી જાસૂસ હોવાનો ખોટો આક્ષેપ કરતી હોવાનો દાવો તેણે કર્યો છે. કોર્ટમાં ફાઇલ દસ્તાવેજ મુજબ એલિજાહે ખોટા આક્ષેપ કરીને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.

ન્યૂઝવીકના જણાવ્યા મુજબ એલિજાહ શાફર અમેરિકામાં જન્મેલી એલેક્સિસ વિલ્કિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો આક્ષેપ પરોક્ષ રીતે કર્યો છે. કોર્ટના ફાઇલિંગમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એલિજાહે આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.

આ ફરિયાદમાં ૧૪મી સપ્ટેમ્બરની ટ્વીટને રજૂ કરવામાં આવી છે. શાફરે આ પોસ્ટને રિટ્વીટ કરીને વાઇરલ કરી હતી અને દાવો કર્યો હતો કે વિલ્કિન્સ એજન્ટ છે અને તેણે તેના સૌંદર્યની જાળમાં એફબીઆઈ વડાને ફસાવ્યા છે. આ લોસુટમાં જણાવાયું છે કે એલિજાહની ટ્વીટમાં આ પ્રકારના શબ્દો હોવા ન છતાં તેનો અર્થ પ્રેક્ષકો સ્પષ્ટપણે સમજી જાય છે.

શાફરે આ કેસ અંગે જણાવ્યું હતું કે મારી સામે કરવામાં આવેલો કેસ જ બતાવે છે કે આ બાબત કેટલી મહત્ત્વની છે. મેં વિલ્કિન્સ કોઈ એજન્ટ હોવાની કે મોસાદની એજન્ટ હોવાની ક્યાંય લખ્યું નથી, પરંતુ તેમ છતાં પણ મારા પર કેસ કરાયો છે.

પટેલનો ઉલ્લેખ કર્યો નથી અને તે જાસૂસ હોવાનો કોઈ સીધો આરોપ મૂકયો નથી. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અંગે મેં ઘણી બધી પોસ્ટ કરી હોવાથી મને ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે.

દિલ્હીના મહિપાલપુરમાં બસનું ટાયર ફાટવાથી થયો હતો વિસ્ફોટ?

0

દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટલ પાસે એક વિસ્ફોટ થયાની જાણકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી. કોલ કરનારા વ્યક્તિનો સંપર્ક કરાયો. જેણે જણાવ્યું કે ગુરુગ્રામ જતી વખતે તેણે એક જોરદાર અવાજ સાંભળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જો કે કશું મળ્યું નહીં.

જો કે હવે એવી વાત સામે આવી રહી છે કે ગાડીનું ટાયર ફાટ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિકોની પૂછપરછમાં એક ગાર્ડે જણાવ્યું કે ધૌલાકુઆ તરફ જતી એક DTC બસનું પાછળનું ટાયર ફાટી ગયું હતું જેનાથી આ જોરદાર અવાજ આવ્યો. જોરદાર અવાજની જાણકારી મળ્યા બાદ પોલીસે તરત કાર્યવાહી કરી અને મહિપાલપુરના રેડિસન પાસે પહોંચીને તપાસ શરૂ કરી. ઈન્વેસ્ટિગેશન ટીમને તે જગ્યાએ કોઈ ધડાકા કે અન્ય ઘટનાની જાણકારી મળી નથી.

મહિપાલપુરમાં જે જગ્યાએ ગાડીના ટાયરના ફાટવાની વાત થઈ રહી છે તે જગ્યાને પોલીસે સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે. કોઈને પણ જવા આવવાની મંજૂરી નથી. મહિપાલપુરથી ધૌલાકુઆં જવા આવવાનો રસ્તે બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરી દેવાયો છે.

ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા

0

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં ગુરુવારે પાંચ રાજ્યોમાં દરોડા પાડયા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. કૃત્ય એ પાંચ રાજ્યોમાં ૧૦ સ્થળોએ દરોડા પાડયા હતા. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIAટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ૨૦૨૩માં નોંધાયેલા આ કેસમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો -મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

NIAએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ પ્રતિબંધિત અલ-કાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બાંગ્લાદેશમાં અલ-કાયદાના કાર્યકરોને ભંડોળ એકત્ર કરવામાં અને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા, અને તેઓ સક્રિય રીતે મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. NIAએ 10 નવેમ્બર, 2023 ના રોજ અમદાવાદની એક ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

અગાઉ, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અલ-કાયદા અને અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે કથિત જોડાણો બદલ પુણેથી એક સોફટવેર એન્જિનિયરની ધરપકડ કરી હતી. આ પછી, ATS એ થાણેના એક શિક્ષકની પણ પૂછપરછ કરી હતી. ૨૭ઓક્ટોબરે, એ ૩૭ વર્ષીય ઝુબૈર ડુંગરગેકરની ધરપકડ કરી હતી તેના પર પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધો અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન, ATSને તેના જૂના ફોનમાં સેવ કરેલો એક પાકિસ્તાની સંપર્ક નંબર મળ્યો.

ગીર-સોમનાથમાં ગેરકાયદેસર દરગાહને તોડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; 13 લોકોની ધરપકડ

ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલો બિચક્યો હતો. અહીં વેરાવળના પ્રભાસ પાટણ વિસ્તારમાં ટોળા અને પોલીસ વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ ઘટના સંદર્ભે 13 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે દરગાહ તોડવાનો વિરોધ વચ્ચે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.

ગીર સોમનાથમાં આ ઘટના બની છે. પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રભાસ પાટણ વિસ્તારમાં ગેરકાયદેસર દરગાહ તોડવા માટે એક ટીમ પહોંચી હતી. જ્યારે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ત્યાં હાજર ટોળાએ તેનો વિરોધ કર્યો અને પોલીસ દળ પર પથ્થરમારો શરૂ કર્યો.

જે બાદ પોલીસે જવાબ આપ્યો અને ભીડને વિખેરી નાખી, ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ કામગીરી દરમિયાન પોલીસે 13 લોકોની ધરપકડ કરી અને જણાવ્યું કે હિંસામાં સંડોવાયેલા વધુ વ્યક્તિઓની ઓળખ થઈ રહી છે. આ ઘટના સોમનાથ મંદિરથી માત્ર એક કિલોમીટર દૂર બની હતી.

ઘટનાની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દરગાહ તોડી પાડતી વખતે સ્થાનિક રહેવાસીઓ અને કામદારો વચ્ચે વાતચીત દલીલમાં પરિણમી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુલડોઝરોએ સીમા દિવાલ તોડી નાખતાં, આશરે 100 મહિલાઓ અને બાળકો બહાર આવ્યા હતા, અને દલીલ વધુ વણસી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો ત્યારે તોડફોડ ચાલુ રહી હતી. તરત જ પોલીસે વળતો જવાબ આપ્યો અને લાઠીચાર્જ કર્યો. ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા. ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી અને કામગીરી પૂર્ણ કરવામાં આવી.

Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન

0

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગત 10 નવેમ્બરના રોજ એક કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. ત્યારે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ લોકોએ અમારા સમુદાયને કલંકિત કરવાનું કાવતરું રચ્યું છે. અમારા સમુદાયના ડોકટર અને શિક્ષિત લોકો આમાં સામેલ છે તો તેવા લોકો અમારા સમુદાયમાં આવતા નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ડોકટરો સંડોવાયેલા છે કે કેમ તે નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

અમે તકલીફને સમજી શકીએ છીએ: મહેબૂબા મુફ્તી
12 નવેમ્બરે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “દિલ્હીમાં જે બન્યું તેમાં અમે તે પીડા તમારા કરતાં વધુ સમજીએ છીએ. કારણ કે અમે આવી ઘટનાને ઘણા નજીકથી જોઈ છે. અમે તેને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે.”

દિલ્હી સરકારને કરી અપીલ
તેઓએ દિલ્હી સરકારને અપીલ કરી કે, “હું વિનંતી કરું છું કે આ તપાસ ઝડપથી હાથ ધરવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેઓ જે પરિવારોના છે તેમના માતા-પિતા, ભાઈઓ અને બહેનો તેઓ ગુનેગાર નથી. તેમને ગુનેગાર ન માનો. કારણ કે મેં પોતે ટીવી પર જોયું હતું કે કેવી રીતે એક ડૉક્ટરના પિતાને કાળા કપડાથી મોં ઢાંકીને ખેંચી લેવામાં આવી રહ્યા હતા. આ સારું નથી. આવું ન થવું જોઈએ.”

પરિવારજનોને નુકસાન ન પહોંચાડો: મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ આગળ કહ્યું, “હું પીડા સમજી શકું છું. સરકારે ફરક લાવવો જોઈએ. જે લોકો સંડોવાયેલા છે તેમને કડક સજા થવી જોઈએ. જોકે, તેમના સંબંધીઓને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે તેમની સાથે યોગ્ય વર્તન થવું જોઈએ. તેમની પૂછપરછ કરો પરંતુ ગુનેગારો તરીકે તેમની તપાસ ન કરો. ગુનો હજુ સુધી સાબિત થયો નથી. શંકા માટે હજુ પણ એક આધાર છે.”

રસોડામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, એક જ પરિવારના 6 ઘાયલ, બાળકનું કરુણ મોત

0

મુર્શિદાબાદ જિલ્લાના કાંડી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો. આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને એક પરિવારના છ સભ્યો આગની લપેટમાં આવી ગયા. એક નાના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘાયલોમાં એક પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને ગોકરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા. બાદમાં, તેમની હાલત વધુ ખરાબ થતાં, તેમને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર રામેશ્વરપુર ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ભૂટાનથી પરત ફરતા જ પીએમ મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા, દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તોને મળ્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા છે, દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ(LNJP) પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તમની તબિયત અંગે પૂછપરછ કરી. વડાપ્રધાન ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને LNJP હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ વડા પ્રધાનને ઘાયલોની સ્થિતિ માહિતી આપી હતી. તેઓ 20-25 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા.

બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત સમયના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા વડાપ્રધાન મોદી એ લખ્યું, “દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે મેં LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવશે.”

બોમ્બ બ્લાસ્ટ વિષે વડાપ્રધાનનું નિવેદન:
નોંધનીય છે કે સોમવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયા બાદ મંગળવારે સવારે વડાપ્રધાન મોદી તેમની પૂર્વ આયોજિત ભૂતાન મુલાકાત માટે રવાના થયા હતાં.

ભૂતાનમાં એક સંબોધન દરમિયાન તેમણે કહ્યું, “હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાથી આપણા બધાને આઘાત લાગ્યો છે. હું આ મૃતકોના પરિવારોનું દુઃખ સમજું છું. આખો દેશ તેમની સાથે ઉભો છે. હું આખી રાત એજન્સીઓ અને મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં હતો, માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. આ ઘટના પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”

ભરૂચની કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટ, 3 લોકોનાં મોત, 24 ઘાયલ

ગુજરાતના ભરૂચ જિલ્લાના GIDC ઔદ્યોગિક વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે એક કંપનીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે અને 24 કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને ભરૂચની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી ચારથી પાંચ કર્મચારીઓની હાલત ગંભીર છે.

સાયખા ગામ નજીક આવેલી GIDC કંપની વિશાલ ફાર્મામાં બોઈલર વિસ્ફોટથી રાત્રે લગભગ 2:30 વાગ્યે આગ લાગી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની ચાર કંપનીઓને નુકસાન થયું હતું. ત્રણ કર્મચારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની છ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે, અને કાટમાળ દૂર કરવા અને ઘાયલોને બચાવવા માટે શોધખોળ ચાલી રહી છે, કારણ કે મૃત્યુઆંક વધવાની આશંકા છે .

કંપની પરવાનગી વિના કાર્યરત છે: સાયખા ગામના સરપંચ જયવીર સિંહે અકસ્માત અંગે વહીવટીતંત્ર અને કંપનીના માલિકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. જયવીર કહે છે કે કંપની કોઈપણ પરવાનગી વિના કાર્યરત છે. છતાં, વહીવટીતંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી.

ગુજરાત સરકારે જાહેર કર્યું રાહત પેકેજ, ખેડૂતો માટે સહાય મેળવવાની પ્રક્રિયા શરૂ

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને પગલે થયેલા પાકોના નુકસાન માટે સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં બાગાયત તથા કૃષિ પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જુનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટરા જિલ્લામાં અચાનક વરસેલા વરસાદએ ખેડૂતોને મુશકેલીમાં મૂકી દીધા છે.

ત્યારે હવે સરકારે આ ખેડૂતોની મદદ માટે ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રાહત પેકેજ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ તેઓને મળકો જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય.

  • બિનપિયત પાક માટે સહાય : રૂ. 12,000 પ્રતિ હેક્ટર
  • પિયત પાક માટે સહાય : 3.22,000 પ્રતિ હેક્ટર
  • લાયક ખેડૂતો: જેઓના પાકને 33% થી વધુ નુક્સાન થયું છે
  • અસરગ્રસ્ત વિસ્તાર : જુનાગઢ, વાવ, થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ
  • રજીસ્ટ્રેશન સમયમર્યાદા 15 દિવસ

પોર્ટલ રાજ્ય સરકારનું કૃષિ પોર્ટલ
મહત્વની વાત એ છે કે, જ્યાં ભારે વરસાદના કારવો રવિ પાકનું વાવેતર શક્ય ન બન્યું હોય, તેવા ખેડૂતોનો પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભ માટેનું રજીસ્ટ્રેશન 11 નવેમ્બરથી શરૂ થયું છે. ખેડૂતોને પોતાના ગામના વી.એસ.સી (Village Service Centre) અથવા વિલેજ કોમન સર્વિસ સેન્ટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સમયસર રજીસ્ટ્રેશન કરીને સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે.

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પગલા ભરી લોકોને ખુરશ કરી દીધા છે. અતિભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને આ રાહત પેકેજથી મોટી મદદ મળશે અને તેઓ ફરીથી ખેતીમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકશે. આ પેકેજર્થી કેટલા ખેડૂતોને લામ મળશે અને કેટલી જમીન આ સહાય હેઠળ આવરી લેવામાં આવશે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે.

પીએમ મોદી ભુટાનના ચોથા રાજાને મળ્યા, પાડોશી દેશ સાથે મિત્રતા વધુ મજબૂત બનાવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની રાજ્ય મુલાકાત ભારત-ભૂટાન સંબંધોમાં એક નવો સીમાચિહ્નરૂપ બની. તેમની મુલાકાત દરમિયાન, તેમણે ભૂટાનના ચોથા રાજા, ડ્રુક ગ્યાલ્પો જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરી. આ મુલાકાત ભૂટાનના ચોથા રાજા (જેને પ્રેમથી K4 તરીકે ઓળખવામાં આવે છે) ના 70મા જન્મદિવસની ઉજવણી સાથે થઈ. પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, અને સાંસ્કૃતિક ઉત્સવોએ બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાને વધુ મજબૂત બનાવી.

વ્યૂહાત્મક સંવાદ અને સહયોગ માટે નવા માર્ગો
રાજધાની થિમ્પુમાં, પીએમ મોદીએ ભૂટાનના વર્તમાન રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે વ્યાપક ચર્ચા કરી. બંને પક્ષોએ ઊર્જા, ક્ષમતા નિર્માણ, કનેક્ટિવિટી, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત ભૂટાનની વિકાસ યાત્રામાં તેની સાથે ઉભું છે અને એક પાડોશી અને નજીકના મિત્ર તરીકે, અમને આ ભાગીદારી પર ગર્વ છે. પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર પણ ચર્ચા કરવામાં આવી હતી, અને સ્થિરતા અને સહયોગના સહિયારા દ્રષ્ટિકોણનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.

આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જોડાણનું ઉદાહરણ
આ મુલાકાતની એક ખાસ વાત એ હતી કે ભારતથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગ વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવ અને ચોથા રાજાના જન્મદિવસ સાથે સુસંગત હતો. પીએમ મોદીએ કહ્યું કે આ અવશેષો જે આદર અને શ્રદ્ધા સાથે પ્રાપ્ત થયા છે તે ભારત અને ભૂટાનના લોકો વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંધનને પ્રતિબિંબિત કરે છે , જે સહિયારા બૌદ્ધ વારસા અને શાંતિ અને સંવાદિતાના મૂલ્યોમાં વણાયેલો બંધન છે.

જળવિદ્યુત પ્રોજેક્ટનું સંયુક્ત ઉદ્ઘાટન
આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ પીએમ મોદી અને રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક દ્વારા 1,020 મેગાવોટના પુનાત્સંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સંયુક્ત ઉદ્ઘાટન હતું. આ કાર્યક્રમને બંને દેશો વચ્ચેની મિત્રતાના સ્થાયી પ્રતીક તરીકે વર્ણવવામાં આવ્યો હતો. ભારત-ભૂતાન ભાગીદારીનો મુખ્ય ઘટક ઊર્જા સહયોગ છે. આ પ્રસંગે નવીનીકરણીય ઊર્જા અને આરોગ્ય ક્ષેત્રોમાં અનેક સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભૂટાનના વિકાસ માટે નવી ક્રેડિટ લાઇનની પણ જાહેરાત કરવામાં આવી હતી.