Home Blog Page 271

દેશભરમાં ૧૫ નવેમ્બરથી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થશે

0

દેશભરમાં 15 નવેમ્બર 2025થી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સરકારે સિસ્ટમને વધુ સુધારવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે ટોલ ચાર્જિંગ માળખામાં સુધારો કર્યો છે. હવે. જો તમારો FASTag અનએક્ટિવ છે. બેલેન્સ પુરુ થઈ ગયું છે. અથવા ટેગ નથી થઈ રહ્યું, તો તમારી પાસેથી અલગ રીતે ચાર્જ લેવામાં આવશે.

નવા નિયમ હેઠળ જો કોઈ વાહન એક્ટિવ FASTag વિના ટોલ પ્લાઝા પાર કરે છે.

  • રોકડ ચુકવણી કરવા પર: બેગણો ટોલ ચાર્જ લાગશે
  • UPI અથવા ડિજિટલ ચૂકવણી: ટોલ ચાર્જના 1.25 ગણો.
  • સક્રિય FASTag યુઝર્સ માટે દરો સમાન રહેશે.

આ ફેરફાર રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકો રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરીને ટોલ પર ભીડ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યો છે.

  • જો તમારું FASTag સ્કેન ન થઈ રહ્યું હોય અથવા એક્ટિવ ન હોય. તો ગભરાશો નહીં તમે આ સરળ પગલાંઓ દ્વારા વધારાના ચાર્જથી બચી શકો છો
  • કેશથી ચૂકવણી ન કરો. પરંતુ તેના બદલે UPI દ્વારા ચુકવણીની માંગ કરો. જેથી માત્ર માત્ર 1.25 ગણો ચાર્જ લાગશે.
  • જો તમારું અલગ બેલેન્સ ઓછું હોય, તો FASTag એપ અથવા વોલેટનો ઉપયોગ કરીને તાત્કાલિક રિચાર્જ કરો. જો રિચાર્જમાં વિલંબ થાય છે. તો હાલ પૂરતું UPI નોઉપયોગ કરીને ચૂકવણી કરો.
  • જો ટેગ એક્ટિવ અથવા બ્લેકલિસ્ટેડ હોય તો તે ટ્રિપ માટે UPI નો ઉપયોગ કરીને ચૂકવણી કરો અને તેને પછીથી ફરીથી એક્ટિવ કરો અથવા નવું ટેગ મેળવો.
  • જો ટેગ સ્કેન ન થઈ રહ્યું હોય તો કાચ સાફ કરો અને ખાતરી કરો કે RFID ટેગ યોગ્ય રીતે સ્થિત છે. સામાન્ય સમસ્યાઓ અને તેમના ઝડપી ઉકેલો ખોટી વાહન માહિતી (RC મિસમેચ) ટોલ રિજેક્શનમાં પરિણમી શકે છે. તરત UPI દ્વારા પેમેન્ટ કરો અને FASTag કંપની સાથે વિગતો પછીથી અપડેટ કરો.
  • જો ટેગ ખોવાઈ જાય અથવા તૂટી જાય, તો હમણાં માટે UPI દ્વારા ચુકવણી કરો અને નવો ટેગ ઓર્ડર તરત UPI દ્વારા પેમેન્ટ કરો અને FASTag કંપની સાથે વિગતો પછીથી અપડેટ કરો.
  • જો ટેગ ખોવાઈ જાય અથવા તૂટી જાય. તો હમણાં માટે UPI દ્વારા ચુકવણી કરો અને નવો ટેગ ઓર્ડર સરકારે નિયમિત પ્રવાસીઓ માટે વાર્ષિક પાસ શરૂ કર્યો છે, જેની કિમત રૂ.3,000 છે.
  • આ યોજના હેઠળ, વાહન માલિકો એક જ વારમાં આખા વર્ષ માટે ટોલ ચુકવણી કરી શકે છે. જો તમે વારંવાર ચોક્કસ રૂટ પર મુસાફરી કરો છો, તો વાર્ષિક પાસ રૂ.૨,૯૯૯ માં પણ ઉપલબ્ધ છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે

0

દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તપાસ બાદ ભારત સરકારે તેને આતંકવાદી હુમલો જાહેર કર્યો છે. દરમિયાન વિસ્ફોટના મુખ્ય આરોપી ડૉ. ઉમર નબી વિશે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.

ગુપ્તચર એજન્સીઓને જાણવા મળ્યું છે કે ઉમર નબીની લાલ ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર ખોટા સરનામે નોંધાયેલી હતી. આ સરનામું ઉત્તરપૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં હોવાનું કહેવાય છે. આ માહિતી બાદ તપાસ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ અને આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે.

તપાસ દરમિયાન, ગુપ્તચર એજન્સીને જાણવા મળ્યું કે ફરીદાબાદના ધૌજમાં અલ ફલાહ મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓ જે સીલમપુર વિસ્તારમાં પણ રહેતા હતા અને ઉમર નબીના સંપર્કમાં હતા. બુધવારે સવારે બંને વિદ્યાર્થીઓને ફરીદાબાદમાં તેમની હોસ્ટેલમાંથી પૂછપરછ માટે લેવામાં આવ્યા હતા. પોલીસે પાછળથી પુષ્ટિ આપી હતી કે તેઓ ઉમર નબીને ઓળખે છે.

વિસ્ફોટના બે દિવસ પછી બુધવારે ઇકોસ્પોર્ટ કાર દિલ્હી પોલીસે એલર્ટ કરી હતી અને ફરીદાબાદમાં પાર્ક કરેલી મળી આવી હતી. ફરીદાબાદ પોલીસે કાર કબજે કરી અને દિલ્હી પોલીસને જાણ કરી હતી. કાર ખંડાવલી ગામ નજીક એક પ્લોટ પર બે કે ત્રણ ઝૂંપડીઓ પાસે પાર્ક કરેલી મળી આવી હતી. દિલ્હી પોલીસ, એનએસજી અને એનઆઈએની ટીમો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

કાર સીલમપુરના સરનામે નોંધાયેલી

વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસ અને NIA ટીમોએ ઉમર નબીના ફોન નંબર અને કારની વિગતો શોધી કાઢી અને તેની ખરીદીમાં ઉપયોગમાં લેવાયેલા તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેણે ફોર્ડ ઇકોસ્પોર્ટ ખરીદતી વખતે રજૂ કરાયેલ એક દસ્તાવેજ મળી આવ્યો હતો જેમાં સીલમપુરનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણી પોલીસ ટીમોને ઉત્તરપૂર્વ દિલ્હીના સરનામે મોકલવામાં આવી હતી જ્યાં તેમને એક ઘર મળ્યું જ્યાં એક પરિવાર વર્ષોથી રહેતો હતો. તપાસ પછી એવું બહાર આવ્યું કે પરિવારનો ઉમર નબી સાથે કોઈ સંબંધ ન હતો. ત્યારબાદ ટીમોએ એક સામાન્ય કડી શોધવાનું અને સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરવાનું શરૂ કર્યું હતું.

બ્લાસ્ટ કરતા પહેલાં મસ્જીદ પહોંચ્યો હતો આતંકી ડૉક્ટર ઉમર નબી, CCTV માં કેદ થયો ચહેરો

0

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને ધ્રુજાવનાર આતંકી ડૉક્ટર ઉમર નબીનું ચહેરો બેનકાબ થઈ ગયો છે. એક નવા સીસીટીવી ફૂટેજમાં ઉમરનો ચહેરું સ્પષ્ટ દેખાય છે. માહિતી મુજબ, ડૉ. ઉમર ઉન નબીએ સોમવારે ધમાકા થવાની ઠીક પહેલાં લાલ કિલ્લાની નજીક તુર્કમાન ગેટ મસ્જીદમાં પગ મુક્યો હતો. અહીં સડક પર ફરતા-ફરતા તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

આ ફૂટેજ દિલ્હી પોલીસને મળ્યા પછી તપાસમાં નવી ચાલ મળી છે. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. સરકારે આ ઘટનાને આતંકી કૃત્ય જાહેર કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘ષડયંત્ર’ તરીકે ગણાવ્યું છે. હવે આ નવા પુરાવા સાથે ઉમર નબીને મુખ્ય સંદેહભાજન બનાવવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉમર નબી એક તાલીમ પામેલ આતંકવાદી છે, જે મેડિકલ ફિલ્ડમાં કાર્યરત હતો. તેની પૈશાળી પૃષ્ઠભૂમિને કારણે તે સહેલાઈથી લુકાવટ કરી શકતો હતો. તુર્કમાન ગેટ મસ્જીદની આસપાસના સીસીટીવીમાં તેને સવારે 10:30 કલાક આસપાસ જોવા મળે છે, જ્યાં તે મોબાઈલમાં વાત કરતો દેખાય છે. આ વિસ્તાર લાલ કિલ્લા વિસ્ફોટ સ્થળથી માત્ર 500 મીટર દૂર છે.

આ ઘટના પછી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે. કાલે જ મહિપાલપુર વિસ્તારમાં થયેલા સંદિગ્ધ વિસ્ફોટ પછી પોલીસ આતંકી નેટવર્કની તપાસને વેગ આપી રહી છે. ડૉ. ઉમરના શોધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને પણ સામેલ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઉમરના કુટુંબજનો પશ્ચિમ બંગાળમાં રહે છે અને તેની તાલીમ પાકિસ્તાનમાં થઈ હોવાની શંકા છે.

આતંકવાદ વિરોધી નિષ્ણાતોના મતે, આવા આતંકીઓ પ્રારંભિક તબક્કામાં ધાર્મિક સ્થળોની આસપાસ ફરીને રેકી કરે છે. લોકોમાં ભયનો માહોલ વધ્યો છે, ખાસ કરીને તહેવારોના સમયે. સરકારે લોકોને સાવચેતી અપનાવવા અને કોઈપણ સંદિગ્ધ પ્રવૃત્તિની જાણ કરવાની અપીલ કરી છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે.

કાશ પટેલની પાર્ટનરનો મોટો આરોપ, પોડકાસ્ટર પર કર્યો રૂ.45 કરોડનો બદનક્ષીનો દાવો

એફબીઆઇ ડિરેક્ટર કાશ પટેલની પાર્ટનર એલેક્સિસ વિલ્કિંન્સે તેને ઇઝરાયેલી જાસૂસ કહેવા બદલ પોડકાસ્ટર પર 50 લાખ ડોલર (અંદાજે 45 કરોડ રૂપિયા)ના બદનક્ષી દાવો માંડયો છે. કન્ઝર્વેટિવ પોડકાસ્ટર એલિઝાહ તેના પર ઇઝરાયેલી જાસૂસ હોવાનો ખોટો આક્ષેપ કરતી હોવાનો દાવો તેણે કર્યો છે. કોર્ટમાં ફાઇલ દસ્તાવેજ મુજબ એલિજાહે ખોટા આક્ષેપ કરીને તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે.

ન્યૂઝવીકના જણાવ્યા મુજબ એલિજાહ શાફર અમેરિકામાં જન્મેલી એલેક્સિસ વિલ્કિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો આક્ષેપ પરોક્ષ રીતે કર્યો છે. કોર્ટના ફાઇલિંગમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એલિજાહે આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ છે.

આ ફરિયાદમાં ૧૪મી સપ્ટેમ્બરની ટ્વીટને રજૂ કરવામાં આવી છે. શાફરે આ પોસ્ટને રિટ્વીટ કરીને વાઇરલ કરી હતી અને દાવો કર્યો હતો કે વિલ્કિન્સ એજન્ટ છે અને તેણે તેના સૌંદર્યની જાળમાં એફબીઆઈ વડાને ફસાવ્યા છે. આ લોસુટમાં જણાવાયું છે કે એલિજાહની ટ્વીટમાં આ પ્રકારના શબ્દો હોવા ન છતાં તેનો અર્થ પ્રેક્ષકો સ્પષ્ટપણે સમજી જાય છે.

શાફરે આ કેસ અંગે જણાવ્યું હતું કે મારી સામે કરવામાં આવેલો કેસ જ બતાવે છે કે આ બાબત કેટલી મહત્ત્વની છે. મેં વિલ્કિન્સ કોઈ એજન્ટ હોવાની કે મોસાદની એજન્ટ હોવાની ક્યાંય લખ્યું નથી, પરંતુ તેમ છતાં પણ મારા પર કેસ કરાયો છે.

પટેલનો ઉલ્લેખ કર્યો નથી અને તે જાસૂસ હોવાનો કોઈ સીધો આરોપ મૂકયો નથી. તેણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અંગે મેં ઘણી બધી પોસ્ટ કરી હોવાથી મને ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે.

દિલ્હીના મહિપાલપુરમાં બસનું ટાયર ફાટવાથી થયો હતો વિસ્ફોટ?

0

દેશની રાજધાની દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં રેડિસન હોટલ પાસે એક વિસ્ફોટ થયાની જાણકારી સામે આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી. કોલ કરનારા વ્યક્તિનો સંપર્ક કરાયો. જેણે જણાવ્યું કે ગુરુગ્રામ જતી વખતે તેણે એક જોરદાર અવાજ સાંભળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને જો કે કશું મળ્યું નહીં.

જો કે હવે એવી વાત સામે આવી રહી છે કે ગાડીનું ટાયર ફાટ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ સ્થાનિકોની પૂછપરછમાં એક ગાર્ડે જણાવ્યું કે ધૌલાકુઆ તરફ જતી એક DTC બસનું પાછળનું ટાયર ફાટી ગયું હતું જેનાથી આ જોરદાર અવાજ આવ્યો. જોરદાર અવાજની જાણકારી મળ્યા બાદ પોલીસે તરત કાર્યવાહી કરી અને મહિપાલપુરના રેડિસન પાસે પહોંચીને તપાસ શરૂ કરી. ઈન્વેસ્ટિગેશન ટીમને તે જગ્યાએ કોઈ ધડાકા કે અન્ય ઘટનાની જાણકારી મળી નથી.

મહિપાલપુરમાં જે જગ્યાએ ગાડીના ટાયરના ફાટવાની વાત થઈ રહી છે તે જગ્યાને પોલીસે સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે. કોઈને પણ જવા આવવાની મંજૂરી નથી. મહિપાલપુરથી ધૌલાકુઆં જવા આવવાનો રસ્તે બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરી દેવાયો છે.

ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા

0

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં ગુરુવારે પાંચ રાજ્યોમાં દરોડા પાડયા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. કૃત્ય એ પાંચ રાજ્યોમાં ૧૦ સ્થળોએ દરોડા પાડયા હતા. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIAટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓના પરિસરની તપાસ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ૨૦૨૩માં નોંધાયેલા આ કેસમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો -મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.

NIAએ જણાવ્યું હતું કે, આ વ્યક્તિઓ પ્રતિબંધિત અલ-કાયદા આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બાંગ્લાદેશમાં અલ-કાયદાના કાર્યકરોને ભંડોળ એકત્ર કરવામાં અને ટ્રાન્સફર કરવામાં સામેલ હતા, અને તેઓ સક્રિય રીતે મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. NIAએ 10 નવેમ્બર, 2023 ના રોજ અમદાવાદની એક ખાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

અગાઉ, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અલ-કાયદા અને અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે કથિત જોડાણો બદલ પુણેથી એક સોફટવેર એન્જિનિયરની ધરપકડ કરી હતી. આ પછી, ATS એ થાણેના એક શિક્ષકની પણ પૂછપરછ કરી હતી. ૨૭ઓક્ટોબરે, એ ૩૭ વર્ષીય ઝુબૈર ડુંગરગેકરની ધરપકડ કરી હતી તેના પર પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધો અને કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ દરમિયાન, ATSને તેના જૂના ફોનમાં સેવ કરેલો એક પાકિસ્તાની સંપર્ક નંબર મળ્યો.

ગીર-સોમનાથમાં ગેરકાયદેસર દરગાહને તોડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; 13 લોકોની ધરપકડ

ગુજરાતના ગીર-સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી દરમિયાન મામલો બિચક્યો હતો. અહીં વેરાવળના પ્રભાસ પાટણ વિસ્તારમાં ટોળા અને પોલીસ વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ ઘટના સંદર્ભે 13 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે દરગાહ તોડવાનો વિરોધ વચ્ચે લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના બાદ ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે કાર્યવાહી કરી હતી.

ગીર સોમનાથમાં આ ઘટના બની છે. પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રભાસ પાટણ વિસ્તારમાં ગેરકાયદેસર દરગાહ તોડવા માટે એક ટીમ પહોંચી હતી. જ્યારે બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ત્યાં હાજર ટોળાએ તેનો વિરોધ કર્યો અને પોલીસ દળ પર પથ્થરમારો શરૂ કર્યો.

જે બાદ પોલીસે જવાબ આપ્યો અને ભીડને વિખેરી નાખી, ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. જે બાદ કામગીરી દરમિયાન પોલીસે 13 લોકોની ધરપકડ કરી અને જણાવ્યું કે હિંસામાં સંડોવાયેલા વધુ વ્યક્તિઓની ઓળખ થઈ રહી છે. આ ઘટના સોમનાથ મંદિરથી માત્ર એક કિલોમીટર દૂર બની હતી.

ઘટનાની વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દરગાહ તોડી પાડતી વખતે સ્થાનિક રહેવાસીઓ અને કામદારો વચ્ચે વાતચીત દલીલમાં પરિણમી હતી. પોલીસે જણાવ્યું હતું કે બુલડોઝરોએ સીમા દિવાલ તોડી નાખતાં, આશરે 100 મહિલાઓ અને બાળકો બહાર આવ્યા હતા, અને દલીલ વધુ વણસી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો ત્યારે તોડફોડ ચાલુ રહી હતી. તરત જ પોલીસે વળતો જવાબ આપ્યો અને લાઠીચાર્જ કર્યો. ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા. ત્યારબાદ પરિસ્થિતિ કાબુમાં આવી અને કામગીરી પૂર્ણ કરવામાં આવી.

Delhi Blast Case: દિલ્હી બ્લાસ્ટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન

0

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ગત 10 નવેમ્બરના રોજ એક કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ઈજાગ્રસ્ત સારવાર હેઠળ છે. ત્યારે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ લોકોએ અમારા સમુદાયને કલંકિત કરવાનું કાવતરું રચ્યું છે. અમારા સમુદાયના ડોકટર અને શિક્ષિત લોકો આમાં સામેલ છે તો તેવા લોકો અમારા સમુદાયમાં આવતા નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના ડોકટરો સંડોવાયેલા છે કે કેમ તે નક્કી કરવા માટે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

અમે તકલીફને સમજી શકીએ છીએ: મહેબૂબા મુફ્તી
12 નવેમ્બરે શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “દિલ્હીમાં જે બન્યું તેમાં અમે તે પીડા તમારા કરતાં વધુ સમજીએ છીએ. કારણ કે અમે આવી ઘટનાને ઘણા નજીકથી જોઈ છે. અમે તેને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે.”

દિલ્હી સરકારને કરી અપીલ
તેઓએ દિલ્હી સરકારને અપીલ કરી કે, “હું વિનંતી કરું છું કે આ તપાસ ઝડપથી હાથ ધરવામાં આવે અને તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેઓ જે પરિવારોના છે તેમના માતા-પિતા, ભાઈઓ અને બહેનો તેઓ ગુનેગાર નથી. તેમને ગુનેગાર ન માનો. કારણ કે મેં પોતે ટીવી પર જોયું હતું કે કેવી રીતે એક ડૉક્ટરના પિતાને કાળા કપડાથી મોં ઢાંકીને ખેંચી લેવામાં આવી રહ્યા હતા. આ સારું નથી. આવું ન થવું જોઈએ.”

પરિવારજનોને નુકસાન ન પહોંચાડો: મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તીએ આગળ કહ્યું, “હું પીડા સમજી શકું છું. સરકારે ફરક લાવવો જોઈએ. જે લોકો સંડોવાયેલા છે તેમને કડક સજા થવી જોઈએ. જોકે, તેમના સંબંધીઓને શંકાના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે તેમની સાથે યોગ્ય વર્તન થવું જોઈએ. તેમની પૂછપરછ કરો પરંતુ ગુનેગારો તરીકે તેમની તપાસ ન કરો. ગુનો હજુ સુધી સાબિત થયો નથી. શંકા માટે હજુ પણ એક આધાર છે.”

રસોડામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ, એક જ પરિવારના 6 ઘાયલ, બાળકનું કરુણ મોત

0

મુર્શિદાબાદ જિલ્લાના કાંડી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે એક ભયાનક અકસ્માત સર્જાયો. આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું અને એક પરિવારના છ સભ્યો આગની લપેટમાં આવી ગયા. એક નાના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ઘાયલોમાં એક પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને ગોકરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા. બાદમાં, તેમની હાલત વધુ ખરાબ થતાં, તેમને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અંદાજ મુજબ ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. આ દુ:ખદ અકસ્માતથી સમગ્ર રામેશ્વરપુર ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ભૂટાનથી પરત ફરતા જ પીએમ મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા, દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તોને મળ્યા

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન પ્રવાસથી વતન પરત ફર્યા છે, દિલ્હીમાં લેન્ડ થયાના તુરંત બાદ તેઓ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બોમ્બ વિસ્ફોટના પીડિતોને મળવા માટે લોકનાયક જય પ્રકાશ(LNJP) પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ ઈજાગ્રસ્તોને મળીને તમની તબિયત અંગે પૂછપરછ કરી. વડાપ્રધાન ઈજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને LNJP હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ વડા પ્રધાનને ઘાયલોની સ્થિતિ માહિતી આપી હતી. તેઓ 20-25 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા.

બોમ્બ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે મુલાકાત સમયના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા વડાપ્રધાન મોદી એ લખ્યું, “દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે મેં LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. આ ષડયંત્ર પાછળના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવશે.”

બોમ્બ બ્લાસ્ટ વિષે વડાપ્રધાનનું નિવેદન:
નોંધનીય છે કે સોમવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયા બાદ મંગળવારે સવારે વડાપ્રધાન મોદી તેમની પૂર્વ આયોજિત ભૂતાન મુલાકાત માટે રવાના થયા હતાં.

ભૂતાનમાં એક સંબોધન દરમિયાન તેમણે કહ્યું, “હું ભારે હૃદય સાથે અહીં આવ્યો છું. દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાથી આપણા બધાને આઘાત લાગ્યો છે. હું આ મૃતકોના પરિવારોનું દુઃખ સમજું છું. આખો દેશ તેમની સાથે ઉભો છે. હું આખી રાત એજન્સીઓ અને મુખ્ય અધિકારીઓ સાથે સંપર્કમાં હતો, માહિતી એકઠી કરવામાં આવી રહી હતી. આ ઘટના પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.”