Home Blog Page 267

સુરત એરપોર્ટ પરથી ₹1.42 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય મુસાફર ઝડપાયો

આંતરરાષ્ટ્રીય માર્ગે માદક પદાર્થોની હેરાફેરી રોકવા સુરક્ષા એજન્સીઓની ચુસ્ત દેખરેખના પરિણામે સુરત ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISFની સંયુક્ત ટીમે હાઇડ્રોપોનિક વીડ જેવા હાઈબ્રિડ ગાંજાના મોટી માત્રામાં જથ્થા સાથે એક મુસાફરને ઝડપી પાડ્યો છે.

ગત રોજ બુધવાર તા.17મી નવેમ્બરના સાંજના સુમારે 07:30 વાગ્યે બેંગકોકથી સુરતની એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-૨૬૩માં આવેલા એક શંકાસ્પદ મુસાફરના મુસાફરના માલ-સામાનની તપાસ કરતા તેની પાસેથી રૂ 1,41,92,500૦ના અંદાજિત 4.૦55 કિલોગ્રામ વજનનાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજા)નાં 8 પેકેટ મળી આવ્યા હતા. CISF અને પોલીસની મદદથી મુસાફરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. બેંગકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનું આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.

સાયબર લૂંટ: અમરેલીના લોકોએ 11 મહિનામાં ₹8 કરોડ ગુમાવ્યા, પોલીસે ₹70 લાખ પરત અપાવ્યા!

હાલમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પણ છેલ્લા 11 મહિનામાં લોકોએ જુદી જુદી લાલચોમાં આવીને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાત સાથેની વાતચીત મુજબ, અમરેલીમાં 11 મહિનામાં સાયબર ફ્રોડની લગભગ 1200 ફરિયાદો મળી છે, જેમાં લોકોએ કુલ ₹8 કરોડ ગુમાવ્યા છે.

જોકે, રાહતની વાત એ છે કે જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુમાવેલી રકમમાંથી લગભગ ₹70 લાખ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે.

સાયબર ફ્રોડની મુખ્ય રીતો:

SP સંજય ખરાતે જણાવ્યું કે, છેતરપિંડી કરનારાઓ મુખ્યત્વે નીચેની રીતો અપનાવે છે:

  • શેરબજારમાં નફાની લાલચ: સોશિયલ મીડિયાના ગ્રુપ્સમાં જોડાઈને ખોટા ફોટા અને વિડિયો બતાવીને લોકોને ઊંચા નફાની લાલચ આપે છે અને રોકાણ કરાવીને છેતરે છે.
  • APK ફાઈલ: RTOના ચલણના નામે અથવા અન્ય બહાના હેઠળ ફોનમાં APK ફાઈલ મોકલે છે. જો તમે આ ફાઈલ ખોલો કે ડાઉનલોડ કરો, તો તમારા મોબાઇલની બધી માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી જાય છે અને તમારું ખાતું સાફ થઈ જાય છે.
  • ડિજિટલ અરેસ્ટની ધમકી: ફ્રોડ કરનારાઓ દિલ્હી કે મુંબઈ એરપોર્ટ પરથી બોલતા હોવાનો દાવો કરીને તમને ડરાવે છે કે તમારા નામનું પાર્સલ પકડાયું છે, જેમાં ગેરકાયદેસર વસ્તુઓ છે. તેઓ કહે છે કે તમને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવામાં આવ્યા છે અને કેસમાંથી બચાવવા માટે રૂપિયા માંગે છે.
  • OTP અને પાસવર્ડ માંગવા: અજાણ્યા કોલ દ્વારા OTP, પાસવર્ડ કે અન્ય અંગત વિગતો માંગીને છેતરપિંડી કરે છે.

બચવા માટે શું કરવું?

SP સંજય ખરાતે લોકોને સાયબર ફ્રોડથી બચવા માટે આ સલાહ આપી છે:

  • તાત્કાલિક 1930 પર કોલ કરો: જો તમારી સાથે છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરો, જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને પરત મળવાની શક્યતા વધશે.
  • કોઈપણ લાલચમાં ન આવો: માર્કેટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ તમને સામેથી મોટો ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા ઘણી ઓછી છે. આવી લોભ-લાલચમાં ન આવો.
  • લિંક કે ફાઈલ ન ખોલો: સોશિયલ મીડિયા પર કે મેસેજમાં આવેલી કોઈપણ અજાણી લિંક કે APK ફાઈલ પર ક્લિક ન કરો કે ડાઉનલોડ ન કરો.
  • પોલીસ ફોન પર અરેસ્ટ નથી કરતી: જો કોઈ તમને ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપે તો ગભરાશો નહીં. પોલીસ ક્યારેય ફોન પર કોઈની ધરપકડ કરતી નથી. તમે ગુનો કર્યો નથી તો ડરવાની જરૂર નથી. જો શંકા હોય તો તરત પોલીસનો સંપર્ક કરો.
  • જાહેર ગ્રુપ્સમાં ન જોડાઓ: સોશિયલ મીડિયામાં ગમે તે ગ્રુપમાં જોઈન થવાથી તમારી અંગત માહિતી ફ્રોડ કરનારાઓ પાસે પહોંચી શકે છે.

મોડાસા નજીક એમ્બ્યુલન્સમાં ભયંકર આગ: નવજાત સહિત ચારનાં કરુણ મોત

અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે એક અત્યંત કરુણ દુર્ઘટના બની હતી. ધનસુરા તરફ જતા માર્ગ પર આવેલા પેટ્રોલપંપની સામે થી પસાર થતી એમ્બ્યુલન્સમાં અચાનક અગમ્ય કારણોને કારણે ભયાનક આગ લાગી હતી. આ આગમાં સારવાર માટે લઈ જવાતાં નવજાત બાળક સહિત ચાર લોકો જીવંત ભડથું થઇ ગયા હતાં. અમદાવાદ તરફ જતી આ એમ્બ્યુલન્સના બર્નિંગ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે.

માહિતી મુજબ લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મોચીના નવા જન્મેલા બાળકને મોડાસાની રિચ હોસ્પિટલથી વધુ સારવાર માટે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી, જેમાં પાછળના ભાગમાં બેઠેલા નવજાત બાળક, એક ભાઈ, એક બહેન અને હોસ્પિટલ સ્ટાફ એમ ચાર લોકો જીવ ગુમાવી બેઠા. આ દરમિયાન આગળની સીટમાં બેઠેલા દર્દીના કાકા, દાદી અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર દાઝ્યા હતા પરંતુ તેઓ જીવ બચાવી શક્યા હતા.

મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું કે રાત્રે 1.40 વાગ્યે મળેલા કોલ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શરૂઆતમાં ત્રણનાં મોતની માહિતી મળી હતી, પરંતુ બાદમાં નવજાત બાળકના પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.

આ ઘટનામાં દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું કે રિચ હોસ્પિટલથી તેમને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને પેશન્ટને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપી ફેલાઇ કે પાછળ બેઠેલા લોકો બહાર નીકળી ન શક્યા અને જીવ ગુમાવવો પડ્યો, જ્યારે આગળ બેઠેલા ત્રણ લોકો જેમતેમ ગાડીમાંથી કૂદી બચી ગયા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.

ઓડિયાના લોકપ્રિય ગાયક હ્યુમેન સાગરનું નિધન

ઓડિયા સંગીત ઉદ્યોગમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. લોકપ્રિય ઓડિયા ગાયક હ્યુમેન સાગરનું અવસાન થયું છે. તેઓ માત્ર 34 વર્ષના હતા. તેમણે 17 નવેમ્બરની મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા. હ્યુમેન સાગરના અવસાનથી તેમના ચાહકોને જ નહીં પરંતુ ઓડિયા સંગીત ઉદ્યોગને પણ ભારે આઘાત લાગ્યો છે. આ નુકસાન ક્યારેય ભરપાઈ થઈ શકશે નહીં. તેમને 14 નવેમ્બરના રોજ ભુવનેશ્વરના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ જીવનની લડાઈ હારી ગયા.

અહેવાલ મુજબ, ૧૪ નવેમ્બરના રોજ બપોરે ૧:૧૦ વાગ્યે હ્યુમન સાગરને ગંભીર હાલતમાં એઈમ્સ ભુવનેશ્વરના ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વિગતવાર પરીક્ષણો અને સારવાર માટે મેડિકલ આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોની એક ખાસ ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી હતી. એવું કહેવાય છે કે ઉચ્ચ સારવાર છતાં, સારવારની તેમના પર કોઈ અસર થઈ ન હતી, અને ૧૭ નવેમ્બરના રોજ રાત્રે ૯:૦૮ વાગ્યે તેમનું અવસાન થયું.

હ્યુમન સાગરના મૃત્યુનું કારણ શું હતું?
હ્યુમન સાગરના મૃત્યુના કારણ અંગે, AIIMS ભુવનેશ્વરના ડોકટરોએ પુષ્ટિ આપી છે કે મૃત્યુનું કારણ મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ હતું. ડોકટરોના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓ અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા. આમાં મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ, એક્યુટ-ઓન-ક્રોનિક લિવર ફેલ્યોર, બાયલેટર ન્યુમોનિયા અને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી અને ગંભીર ડાબા વેન્ટ્રિક્યુલર સિસ્ટોલિક ડિસફંક્શનનો સમાવેશ થાય છે.

હ્યુમન સાગર કોણ હતો?
હ્યુમન સાગરની વાત કરીએ તો, તેઓ ઓડિશાના જાણીતા ગાયક હતા. તેઓ અભિજિત મજુમદાર દ્વારા રચિત “ઇશ્ક તુ હી તુ” ના ટાઇટલ ટ્રેક માટે જાણીતા છે. તેમણે આ ગીતમાં પોતાના સુરીલા અવાજથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન ઓડિયા ફિલ્મો માટે સેંકડો ગીતો ગાયા. તેમણે “મેરા યે જહાં” નામનું હિન્દી આલ્બમ પણ બહાર પાડ્યું. તેઓ સંગીત ઉદ્યોગમાં એક જાણીતા વ્યક્તિ હતા.

ત્રણ પ્રકારની મેદસ્વિતાઃ સ્વાસ્થ્ય માટે ‘સ્થૂળતાનું પ્રમાણ’ જાણીને તેને ઘટાડવી ખૂબ જરૂરી

‘સ્વસ્થ નાગરિક’ એ રાષ્ટ્રની મહત્વની મૂડી છે. સ્વાસ્થ્ય પ્રત્યે નાગરિકો જાગૃત બને અને ‘મેદસ્વિતા’થી મુક્ત બને તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે.

મેદસ્વિતા સ્વાસ્થ્ય સામે અનેક જોખમો સર્જતી હોવાથી તેને ઘટાડવી જરૂરી છે. મેદસ્વિતા (Obesity)ને જાડાપણું અથવા સ્થૂળતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક એવો વિકાર છે, જેમાં શરીરમાં વધુ પડતી મેદપેશી (ચરબી) જમા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું વજન તેના આદર્શ વજન કરતાં ૨૦ ટકાથી વધુ હોય છે, ત્યારે આ સ્થિતિ પાચનતંત્ર, શારીરિક રચના અને આરોગ્યને લગતી સમસ્યાઓ પેદા કરી શકે છે.

મેદસ્વિતાનું નિદાન સામાન્ય શારીરિક તપાસ દ્વારા કરી શકાય છે. શરીરમાં ચરબીના પ્રમાણને ચોકસાઈપૂર્વક માપવાની તકનીકો ઉપલબ્ધ છે, પરંતુ તેનો સામાન્ય રીતે વ્યવહારિક નિદાનમાં ઉપયોગ થતો નથી.

મેદસ્વિતાને માપવા અને તેનું પ્રમાણ નક્કી કરવા માટે બે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે:

  • સાપેક્ષ વજન (Relative Weight – RW) પદ્ધતિ

આ પદ્ધતિમાં વ્યક્તિનું વજન, તેની ઊંચાઈના આધારે સામાન્ય ગણાતા ઈચ્છિત વજનની સરખામણીમાં કેટલું વધુ કે ઓછું છે, તે ટકાવારીમાં ગણાય છે. જો RW ૧૨૦ ટકા કે તેથી વધુ હોય, તો તે મેદસ્વિતા સૂચવે છે. સાપેક્ષ વજનની ગણતરી નીચે પ્રમાણે કરી શકાય છે.
સાપેક્ષ વજન RW (કિ.ગ્રા.) = વ્યક્તિનું વજન (કિ.ગ્રા.) ÷ વ્યક્તિનું ઈચ્છિત વજન (કિ.ગ્રા.) 100

  • દેહદળ સૂચકાંક (Body Mass Index – BMI) પદ્ધતિ

BMI એ વ્યક્તિના શરીરમાં રહેલી વધારાની ચરબીનું પ્રમાણ દર્શાવે છે. તેની ગણતરી વજન (કિલોગ્રામમાં) ને ઊંચાઈ (મીટરમાં)ના વર્ગ વડે ભાગીને કરવામાં આવે છે, એટલે કે, દેહદળ સૂચકાંક BMI = વ્યક્તિનું વજન કિ.ગ્રા ÷ ઊંચાઈ (મીટરમાં)² છે.
સામાન્ય BMI ૨૦થી ૨૫ કિગ્રા/મીટર² ગણાય છે. જ્યારે ૨૭ કિગ્રા/મીટર² કે તેથી વધુ મેદસ્વિતા ગણાય છે.
મેદસ્વિતાનું વર્ગીકરણ દેહદળ સૂચકાંક (BMI) અને સાપેક્ષ વજન (RW)ના આધારે ત્રણ મુખ્ય શ્રેણીઓમાં કરવામાં આવે છે:
(૧) અલ્પ મેદસ્વિતા: આ શ્રેણીમાં સાપેક્ષ વજન (RW) ૧૨૦% થી ૧૪૦% ની વચ્ચે હોય છે, અને દેહદળ સૂચકાંક (BMI) ૨૦ થી ૩૦ કિગ્રા./મીટર² હોય છે.
(૨) મધ્યમ મેદસ્વિતા: આ શ્રેણીમાં RW ૧૪૦% થી ૨૦૦%ની વચ્ચે હોય છે, જ્યારે BMI ૩૦ થી ૪૦ કિગ્રા./મીટર² ની વચ્ચે હોય છે.
(૩) તીવ્ર મેદસ્વિતા: આ સૌથી ગંભીર શ્રેણી છે, જેમાં સાપેક્ષ વજન RW ૨૦૦%થી વધુ હોય છે અને દેહદળ સૂચકાંક (BMI) ૪૦ કિગ્રા./મીટર²થી વધુ હોય છે.

મેદસ્વિતા અંગે બીજી નોંધવા જેવી બાબત એ છે કે, શરીરના કયા ભાગમાં ચરબી જમા થાય છે તેને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. પેટ અને પડખાં (flank)માં જમા થતી ચરબી, જાંઘ અને નિતંબ (બેઠક વિસ્તાર)માં જમા થતી ચરબી કરતાં વધુ નુકસાનકારક ગણવામાં આવે છે.

પર્યુદરી મેદસ્વિતા: આ સ્થિતિ ત્યારે સૂચવાય છે જ્યારે ડુંટી આગળનો પરિઘ (કટિ – Waist) અને કેડના સાંધા આગળના પરિઘ (કટિસંધિ – Hip) વચ્ચેનો ગુણોત્તર પુરુષોમાં ૧ થી વધુ અને સ્ત્રીઓમાં ૦.૮૫થી વધુ હોય.

પેટની અંદરના અવયવોની આસપાસ જમા થયેલી ચરબી પણ પેટની દીવાલની ચરબી કરતાં વધુ હાનિકારક હોય છે. આ પ્રકારની મેદસ્વિતા ધરાવતા દર્દીઓમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ), લકવો, હૃદયરોગ અને વહેલા મૃત્યુનું જોખમ ઘણું વધારે હોય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે હવે દુનિયાના દેશોને ધમકી આપી, કહ્યું – ‘રશિયા સાથે વેપાર કરો તો…’

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે રશિયા સાથે વેપાર કરનાર કોઈપણ દેશને “ખૂબ જ કડક પ્રતિબંધો”નો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અને રિપબ્લિકન કાયદા ઘડનારાઓ મોસ્કોને લક્ષ્ય બનાવતા કડક કાયદા પર આગળ વધી રહ્યા છે. શું કોંગ્રેસ માટે રશિયા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર દબાણ લાવવા માટે પગલાં લેવાનો સમય આવી ગયો છે તે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું, “મેં સાંભળ્યું છે કે તેઓ તે કરી રહ્યા છે, અને તે ઠીક છે.”

ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “રશિયા સાથે વ્યાપાર કરનાર કોઈપણ દેશને ખૂબ જ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તેઓ તેમાં ઈરાનનો પણ સમાવેશ કરી શકે છે, મેં એ જ સૂચન કર્યું છે.” યુએસ રાષ્ટ્રપતિએ પુનરોચ્ચાર કર્યો, “તેથી કોઈપણ દેશ જે રશિયા સાથે વ્યાપાર કરશે તેને ખૂબ જ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. અમે તેમાં ઈરાનનો પણ સમાવેશ કરી શકીએ છીએ.”

ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આમાં રશિયન તેલની ખરીદી પર વધારાની ૨૫ ટકા ડ્યુટીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયેલા બિલમાં રશિયન તેલની ખરીદી અને વેચાણ પર ૫૦૦ ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ છે. આ દરખાસ્તને હાઉસ ફોરેન રિલેશન્સ કમિટીમાં લગભગ સર્વસંમતિથી સમર્થન મળ્યું. ગ્રેહામ અને કોંગ્રેસમેન રિચાર્ડ બ્લુમેન્થલે સંયુક્ત રીતે “રશિયા પ્રતિબંધ કાયદો ૨૦૨૫” રજૂ કર્યો, જેનો હેતુ યુક્રેનમાં પુતિનના ક્રૂર યુદ્ધને ભંડોળ પૂરું પાડતા દેશો પર ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો છે.

આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા ફટકારી…

0

ઉત્તર પ્રદેશના સપા નેતા આઝમ ખાન અને તેના પુત્રની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. જેમાં એમપી એમએલએ કોર્ટે આઝમ ખાનને બે પાન કાર્ડ રાખવાના કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આ કેસના તેમના પુત્ર અબ્દુલ્લા આઝમને પણ દોષી ઠેરવ્યો છે. આઝમ ખાન 23 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. જોકે, આ સજા ફટકારાતા તેમને હવે ફરી જેલમાં જવું પડશે.

અરજીકર્તા આકાશ સકસેનાને ખુશી વ્યક્ત કરી
આ અંગે ભાજપના નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આઝમ ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આઝમ ખાન બે પાન કાર્ડનો ઉપયોગ કરે છે અને બંનેમાં તેમની ઉંમર અલગ છે. હવે કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. તેમજ કોર્ટના આ ચુકાદા બાદ અરજીકર્તા આકાશ સકસેનાને ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે સત્યની જીત થઈ છે.

55 દિવસ બાદ તેમને ફરીથી સજા ફટકારવામાં આવી
ઉલ્લેખનીય છે, સપા નેતા આઝમ ખાનને ઓક્ટોબર 2023 માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમના પર અનેક ગુનાઓ દાખલ છે. જેના પરિણામે વિવિધ કેસોમાં ચુકાદાઓ જાહેર થતાં તેઓ જેલમાં રહ્યા. સપ્ટેમ્બર 2025 માં આઝમખાનને બધા કેસોમાં જામીન આપવામાં આવ્યા હતા અને 23 સપ્ટેમ્બરના રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, હવે 55 દિવસ બાદ તેમને ફરીથી સજા ફટકારવામાં આવી છે. આ વખતે તેમના પુત્ર અબ્દુલ્લાને પણ તેમની સાથે સજા ફટકારવામાં આવી છે.

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-પુત્રી-પુત્રને મોતના ઘાટ ઉતારી ખાડામાં દાટી દીધા

ભાવનગરમાં ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરી તેઓની લાશને ખાડામાં દાટી દીધી હોવાની માહિતી સામે આવી છે. ભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી.

બનાવની મળતી માહિતી પ્રમાણે, ગત 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પતિ દ્વારા નયનાબેનના પિયરપક્ષના લોકોને પણ જાણ કરતા તેઓ પણ ભાવનગર આવ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી. જો કે આ લોકો ગુમ થયાની જાણ મહિલાના પરિવારજનોને 6 તારીખના રોજ કરવામાં આવી હતી. નયનાબેનના પિતરાઈ ભાઈ હરેશભાઈ જોટાણાએ જણાવ્યું કે, લગ્નને 15 વર્ષ થઈ ગયા છે પરતું તેઓને કોઈ તકલીફ ન હતી. બનેવીની અલગ અલગ જગ્યાએ બદલીઓ થતી હોય બહેન બંને સંતાનો સાથે સુરત રહેતા હતા. જ્યારે બનેલી જ્યાં પણ નોકરી હોય ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતા.

મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ છે કે, આ બનાવમાં એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા થવી જોઈએ.

પોલીસ દ્વારા હાલ પતિ શંકાના દાયરામાં દેખાતા તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે મૃતક મહિલાના પરિવારજનોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

તમામ ઘટનાને લઈ એસપીએ જણાવ્યું કે, મૃતક મહિલાનો પતિ જ શંકાના દાયરામાં છે જેથી તેની હાલ કડક પૂછપરછ ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને મૃત્યુદંડની સજા

0

બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT-BD) એ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના સામેના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. ગયા વર્ષના વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે તેમની ગેરહાજરીમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે.

હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી
ફરિયાદીઓએ દોષિતો માટે મૃત્યુદંડની માંગ કરી હતી. 78 વર્ષીય હસીના પર ઓગસ્ટ 2024 માં થયેલા વ્યાપક બળવાને લગતા અનેક આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમને પદ છોડવાની ફરજ પડી હતી. યુએન માનવ અધિકાર કાર્યાલયના એક અહેવાલમાં અંદાજ છે કે હસીના સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલા કડક કાર્યવાહી બાદ 15 જુલાઈથી 15 ઓગસ્ટ દરમિયાન થયેલા “બળવા” દરમિયાન 1,400 લોકો માર્યા ગયા હતા.

શેખ હસીનાએ એક નિવેદન બહાર પાડ્યું
કોર્ટના નિર્ણય પહેલા શેખ હસીનાનું નિવેદન પણ બહાર આવ્યું. તેમના નિવેદનમાં, તેમણે બધા આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. એક ઓડિયો સંદેશમાં, હસીનાએ કહ્યું, “આપણે આ હુમલાઓ અને કેસ ખૂબ જોયા છે. મને કોઈ પરવા નથી. અલ્લાહે મને જીવન આપ્યું છે, અને એક દિવસ હું મરી જઈશ, પરંતુ હું મારા દેશના લોકો માટે કામ કરી રહી છું અને આમ કરતી રહીશ. આપણા બંધારણના અનુચ્છેદ 7(b) માં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બળજબરીથી સત્તા પરથી દૂર કરશે તેને સજા કરવામાં આવશે. યુનુસે આવું જ કર્યું (મને બળજબરીથી સત્તા પરથી દૂર કરવું). જો કોઈ કોર્ટમાં ખોટી ફરિયાદ દાખલ કરે છે, તો તેના પર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, અને એક દિવસ એવું થશે.” તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને સજાની ચિંતા ન કરવા વિનંતી કરી.

ઉત્તર પ્રદેશમાં 24 કલાકમાં પાંચ શહેરોમાં ધડાકેબાજ એન્કાઉન્ટર, કુખ્યાત ગુનેગારોમાં હડકંપ

0

ઉત્તર પ્રદેશમાં થયેલા શ્રેણીબદ્ધ એન્કાઉન્ટરોએ ગુનેગારોના હોશ ઉડાડી દીધા છે. 24 કલાકની અંદર, પાંચ શહેરોમાં કુખ્યાત ગુનેગારો સામે એન્કાઉન્ટર થયા છે. પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેર, પ્રતાપગઢ, સીતાપુર અને શાહજહાંપુરમાં કુખ્યાત ગુનેગારોને ઘેરીને કાર્યવાહી કરી છે. વિવિધ શહેરોમાં 10 થી વધુ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઓપરેશન લંગડા દ્વારા પાંચ ગુનેગારોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે ગુનેગારો સામે આ મોટી કાર્યવાહી યુપી પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) વચ્ચે સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી હતી.

મેરઠમાં એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશના એન્કાઉન્ટર અંગે મેરઠથી મોટી ખબર આવી રહી છે. પોલીસે અહીં ત્રણ વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. હસ્તિનાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેકપોઇન્ટ દરમિયાન પોલીસે ગુનેગારોને ઘેરી લીધા હતા. પોલીસનો ઘેરો જોઈને બાઇક પર સવાર ત્રણ ગુનેગારોએ ગોળીબાર કર્યો. તેમણે પોલીસ બેરિયર તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસનો પીછો શરૂ થયો. પોલીસ અને SWAT ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને ત્રણેય ગુનેગારોને પકડી પાડ્યા. તેમની પાસેથી બાઇક અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આ ત્રણેય ગુનેગારો માટે ઇનામની જાહેરાત કરી હતી, અને ત્રણેય પર ઘણા ગંભીર આરોપો છે. ત્રણેય ગુનેગારો એક જ બાઇક પર સવારી કરીને ગુનો કરવાનો ઇરાદો ધરાવતા હતા, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને ત્રણેયની ધરપકડ કરી. એન્કાઉન્ટર દરમિયાન એક ગુનેગારને પગમાં ગોળી વાગી હતી અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

શાહજહાંપુરમાં એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ટીમે એક મોટું એન્કાઉન્ટર કર્યું. પોલીસ કોર્ડન અને સર્ચ ઓપરેશન બાદ પાંચ કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી. આ વિસ્તારમાં વોન્ટેડ ગુનેગાર અબ્બાસ ગાઝીને છાતીમાં ગોળી વાગી હતી, ગોળી ત્યાંથી પસાર થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ ગુનેગારને સારવાર માટે લખનૌ રિફર કરવામાં આવ્યો છે. ફાયરિંગમાં એક પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ચૌહાણને પણ ગોળી વાગી હતી. તેની સારવાર ચાલી રહી છે. પોલીસ અને STF ટીમે અગાઉ બે ગુનેગારોની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછના આધારે છટકું ગોઠવીને પાંચ અન્ય વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી હતી. ઘાયલ ગુનેગાર અબ્બાસ ગાઝી છેલ્લા કેટલાક સમયથી પોલીસને વોન્ટેડ હતો. આરોપી પાસેથી હથિયારો અને 25,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે ગુનેગારોમાંથી એક અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો અને તેને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બુલંદશહેરમાં એન્કાઉન્ટર
પશ્ચિમ યુપીના બુલંદશહેરમાં પોલીસે 4 ગુનેગારોની ધરપકડ કરી છે. આ ચાર ગુનેગારો 2 બાઇક પર ગુનો કરવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ પોલીસ ટીમે ચારેય ગુનેગારોને ચેકપોસ્ટ પર ઘેરી લીધા. જ્યારે પોલીસે ગુનેગારોને રોકવાનો સંકેત આપ્યો, ત્યારે ગુનેગારોએ હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના પછી પોલીસે વળતો જવાબ આપ્યો. એન્કાઉન્ટરમાં 2 ગુનેગારોને ગોળી વાગી. પોલીસે ચારેય ગુનેગારોની ધરપકડ કરી છે. ચારેય ગુનેગારો સામે પહેલાથી જ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. એન્કાઉન્ટર સ્થળ પરથી 2 ગેરકાયદેસર પિસ્તોલ, 2 બાઇક અને કારતૂસ મળી આવ્યા છે.

બુલંદશહેરમાં ગુનેગારો સાથેના એન્કાઉન્ટર અંગે ખુર્જા પોલીસ સ્ટેશનના અધિકારી પૂર્ણિમા સિંહે જણાવ્યું હતું કે, “૧૬ નવેમ્બરના રોજ મોડી રાત્રે ખુર્જા પોલીસ કસાઈરુ કટ નજીક ચેકિંગ કરી રહી હતી. એન્કાઉન્ટર દરમિયાન, પોલીસ ટીમે બે બાઇક પર સવાર ચાર લોકોને રોકવાનો ઇશારો કર્યો હતો. તેમણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબારમાં બે ગુનેગારો ઘાયલ થયા હતા. તેમની ઓળખ અલીગઢના રહેવાસી રાજેન્દ્રના પુત્ર અમન અને કન્નૌજના રહેવાસી શાહબુના પુત્ર ગોવિંદ તરીકે થઈ છે. પોલીસે ધરપકડ કરેલા તેમના બે અન્ય સાથીઓની ઓળખ અલીગઢના રહેવાસી રાજેન્દ્રના પુત્ર કન્હૈયા અને કન્નૌજના રહેવાસી હુકુમ સિંહના પુત્ર શિવમ તરીકે થઈ છે. આ ગુનેગારો કુખ્યાત ગુનેગારો છે. તેઓ જાહેર પરિવહનમાં મુસાફરી કરતી વખતે લોકોના ખિસ્સામાંથી પૈસા ચોરી કરે છે. અમે ₹૧૨,૦૦૦, બે ગેરકાયદેસર પિસ્તોલ અને બે બાઇક જપ્ત કર્યા છે. ઘાયલોને સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કમિશનમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

પ્રતાપગઢમાં પણ એન્કાઉન્ટર
પ્રતાપગઢમાં પોલીસે બે ગુનેગારોની અડધી એન્કાઉન્ટરમાં ધરપકડ કરી હતી. એક ડઝનથી વધુ કેસોમાં વોન્ટેડ આદિત્ય અને દીપકને પગમાં ગોળી મારીને ધરપકડ કરવામાં આવી હતી. બંને ગુનેગારો પાસેથી એક પિસ્તોલ, એક મોટરસાઇકલ અને અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ગુનેગારો ઘણીવાર બસ અને રેલ્વે સ્ટેશનો પર લોકોને નિશાન બનાવતા હતા, છીનવી લેવા અને લૂંટ ચલાવતા હતા.

પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. એએસપી શૈલેન્દ્ર લાલ કહે છે, “કોડોર પોલીસ સ્ટેશન હેઠળની નહેર પાસે પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું… બે ગુનેગારો, આદિત્ય અને દીપક, બંને ઉત્તરાખંડના લખનપુરના રહેવાસી છે. આ ગુનેગારો પર એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે અને તેઓ ટ્રેન અને બસમાં મુસાફરી કરતા નિર્દોષ મુસાફરોને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા… તેમની પાસેથી એક પિસ્તોલ અને એક મોટરસાઇકલ મળી આવી હતી, અને તેમની પાસેથી પીડિતોના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતા.”

સીતાપુર જિલ્લામાં પણ એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશમાં શ્રેણીબદ્ધ એન્કાઉન્ટર વચ્ચે, સીતાપુર જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટરમાં એક કુખ્યાત ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસ ગોળીબારમાં વધુ એક ગુનેગાર ઘાયલ થયો છે.