Home Blog Page 233

૧ ઓવરમાં ૫ વિકેટ લઈ રચ્યો ઇતિહાસ

0

ઇન્ડોનેશિયન ક્રિકેટર ગેડે પ્રિયંદનાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો છે. ફક્ત એક ઓવરે પ્રિયંદનાનું નામ રેકોર્ડ બુકમાં સ્થાન અપાવ્યું છે, જે સ્થાન સુધી દિગ્ગજ બોલરો પણ પહોંચી શક્યા નથી. આ 28 વર્ષીય પાર્ટ-ટાઇમ ફાસ્ટ બોલરે બાલીમાં કંબોડિયા સામે એક ઓવરમાં 1 રન આપીને 5 વિકેટ લીધી હતી. પ્રિયંદના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો છે. તેની પહેલા કોઈ બોલર પુરુષ ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવી શક્યો નથી, મહિલા ક્રિકેટ તો છોડી દો. આ પહેલા, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા બોલરોએ એક ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ કોઈ પણ 5 વિકેટ સુધી પહોંચી શક્યું નથી. ગેડે પ્રિયંદનાની બોલિંગને કારણે, ઇન્ડોનેશિયાએ 60 રનથી મેચ જીતી લીધી.

સ્કોરમાં 1 રન ઉમેરાયો અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ
બાલીમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇન્ડોનેશિયાએ 5 વિકેટે 167 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન અને વિકેટકીપર ધર્મા કેસુમા 110 રન બનાવી અણનમ રહ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા કંબોડિયાએ 15 ઓવરમાં 5 વિકેટે 106 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટને ગેડે પ્રિયંદનાને બોલ સોંપ્યો. ઇન્ડોનેશિયા માટે બેટિંગ શરૂ કરનાર પ્રિયંદના ઇનિંગ્સમાં શરૂઆતમાં ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ બોલ મળતાં જ તેણે તબાહી મચાવી દીધી. ગેડેએ પહેલા ત્રણ બોલમાં શાહ અબરાર હુસૈન, નિર્મલજીત સિંહ અને ચાન્થોયુન રથનકને આઉટ કરીને હેટ્રિક લીધી. ત્યારબાદ તેણે મોંગદારા સોક અને પેલ વેન્નકને એક બોલમાં આઉટ કર્યા. કંબોડિયા કુલમાં ફક્ત એક રન ઉમેરીને 107 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગેડેની બોલિંગમાં એકમાત્ર વાઈડ રન હતો.

ટી20માં એક ઓવરમાં 4 કે તેથી વધુ વિકેટ લેનારા બોલરો

  • ગેડે પ્રિયંદના (ઇન્ડોનેશિયા)એ 2025માં કંબોડિયા સામે 5 વિકેટ લીધી હતી.
  • લસિથ મલિંગા (શ્રીલંકા) એ 2019 માં ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લીધી હતી.
  • રાશિદ ખાન (અફઘાનિસ્તાન) એ 2019 માં આયર્લેન્ડ સામે 4 વિકેટ લીધી હતી.
  • કર્ટિસ કેમ્ફર (આયર્લેન્ડ) એ 2022 માં નેધરલેન્ડ્સ સામે 4 વિકેટ લીધી હતી.
  • જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડિઝ) એ 2022 માં ઈંગ્લેન્ડ સામે 4 વિકેટ લીધી હતી

ઉત્તમ બોલિંગ છતાં POTM નહીં
આશ્ચર્યજનક રીતે, આવી રેકોર્ડબ્રેક બોલિંગ છતાં, ગેડે પ્રિયંદનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો ન હતો. આ એવોર્ડ ઇન્ડોનેશિયન વિકેટકીપર ધર્મા કેસુમાને મળ્યો, જેમણે 68 બોલમાં અણનમ 110 રનમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. કેસુમાની ઇનિંગ્સ ઇન્ડોનેશિયા માટે મજબૂત સાબિત થઈ, કારણ કે અન્ય કોઈ બેટ્સમેન 20 થી વધુ રન બનાવી શક્યા નહીં.

ભારતના મિથુને ઘરેલુ ક્રિકેટમાં એક ઓવરમાં 5 વિકેટ લીધી
પ્રિયંદના ભલે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં એક ઓવરમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હોય, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં આ સિદ્ધિ પહેલા પણ હાંસલ કરી ચૂક્યો છે. બાંગ્લાદેશના અલ-અમીન હુસૈને 2013-14ના વિજય દિવસ T20 કપમાં UCB વિરુદ્ધ BCB XI મેચ દરમિયાન આવું કર્યું હતું, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અભિમન્યુ મિથુને 2019-20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં કર્ણાટક માટે એક ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી.

સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજા સાથે દંપતિ ઝડપાયું

આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થોની તસ્કરી સામે કડક કાર્યવાહી અંતર્ગત સુરત સિટી ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ (DCB), ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), કસ્ટમ્સ વિભાગ તથા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંયુક્ત રીતે સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં હાઈડ્રોપોનિક વીડ (હાઈબ્રિડ ગાંજા) સાથે બે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ઝડપી લેવામાં આવ્યા છે.

તાઃ૨૨-૧૨-૨૦૨૫ના રોજ સાંજના ૭:૩૦ વાગ્યે, બેંકોકથી સુરત આવી રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નં.IX-263 દ્વારા આગમન કરેલા એક દંપતિને શંકાના આધારે અટકાવવામાં આવ્યા હતા. તેમની ચેક-ઇન બેગેજની સઘન તપાસ દરમિયાન 16 વેક્યુમ-પેક પારદર્શક પોલિથિન પેકેટો મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો પાંદડાવાળો પ્રતિબંધિત નશીલો પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલ પદાર્થનું કુલ વજન ૧૭.૬૫૮ કિલોગ્રામ હતું.

પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ પદાર્થ ગાંજો (કેનાબિસ) હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા કરાયેલા મૂલ્યાંકન મુજબ જપ્ત કરાયેલ નશીલા પદાર્થનું રાજ્યસ્તરીય મૂલ્ય અંદાજે રૂ.૬.૧૮ કરોડ થાય છે, જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ગેરકાયદે બજાર કિંમત અંદાજે રૂ.૧૭.૫ કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

સુરત સિટી ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળ તાલીમનાડુના ચેન્નાઈના ૫૫ વર્ષના મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન તથા ૫૩ વર્ષીય રસિયા અબ્દુલ કપૂરની કાયદેસર ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન પુરુષ આરોપીએ પ્રતિબંધિત નશીલા પદાર્થની તસ્કરીમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત આપી હતી. સમગ્ર પ્રકરણમાં નશીલા દ્રવ્યો અને માનસિક અસરકારક પદાર્થો અધિનિયમ અંતર્ગત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કડક દેખરેખ રાખી નશીલા પદાર્થોની તસ્કરી સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

Breaking News: દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ, બે ઘાયલ

દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ બાદમાં મામલો હિંસક બન્યો હતો. ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામે પક્ષે અંધાધૂંધ 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.

આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિત LCB, SOG અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.

બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

સુરતના કડોદરામાં એમ સ્કેવેર પાસે આવેલ થર્મોકોલના ગોડાઉનમાં આગ

0

પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલા એક થર્મોકોલના દાણાં બનાવતી ફેક્ટરી માં શોર્ટ સર્કિટ થવાને કારણે ગોડાઉન માં આજરોજ સવારે અચાનક આગ લાગી હતી.જે આગ જોત જોતામાં એટલી ભીષણ બની ગઈ હતી. કે.આગની જ્વાળા અને ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમે ફાયર કોલ મળતા જ પલસાણા પાઈપીએલ, કામરેજ, બારડોલી, ના ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને રાહત બચાવ તેમજ આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચાલુ રાખ્યો છે.જો કે હાલ સુધી કોઇ જાનહાનિ બની નથી.

(તેજસ વશી.)

એમેઝોનને શંકાસ્પદ ઉત્તર કોરિયન એજન્ટોની 1,800 નોકરી અરજીઓ બ્લોક

એમેઝોનના એક ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે યુએસ ટેકનોલોજી જાયન્ટે શંકાસ્પદ ઉત્તર કોરિયન એજન્ટોની 1,800 થી વધુ નોકરીની અરજીઓ બ્લોક કરી દીધી છે.

એમેઝોનના મુખ્ય સુરક્ષા અધિકારી સ્ટીફન શ્મિટે લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયનોએ ચોરાયેલી અથવા નકલી ઓળખનો ઉપયોગ કરીને દૂરસ્થ કાર્યકારી IT નોકરીઓ માટે અરજી કરવાનો પ્રયાસ કર્યો હતો.

“તેમનો ઉદ્દેશ્ય સામાન્ય રીતે સીધો હોય છે: નોકરી મેળવો, પગાર મેળવો અને શાસનના શસ્ત્ર કાર્યક્રમોને ભંડોળ પૂરું પાડવા માટે વેતન પાછું મેળવો,” તેમણે કહ્યું, અને ઉમેર્યું કે આ વલણ સમગ્ર ઉદ્યોગમાં, ખાસ કરીને યુ.એસ.માં મોટા પાયે થવાની સંભાવના છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયાના અધિકારીઓએ પ્યોંગયાંગના કાર્યકરો દ્વારા ઓનલાઈન કૌભાંડો આચરવા અંગે ચેતવણી આપી છે.

શ્રી શ્મિટે તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે , ગયા વર્ષે એમેઝોનમાં ઉત્તર કોરિયનો તરફથી નોકરીની અરજીઓમાં લગભગ એક તૃતીયાંશ વધારો જોવા મળ્યો છે. ઓપરેટિવ્સ સામાન્ય રીતે “લેપટોપ ફાર્મ”નું સંચાલન કરતા લોકો સાથે કામ કરે છે – જે યુએસમાં સ્થિત કમ્પ્યુટર્સનો ઉલ્લેખ કરે છે જે દેશની બહારથી દૂરસ્થ રીતે ચલાવવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, પેઢીએ નોકરીની અરજીઓની તપાસ કરવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) સાધનો અને તેના સ્ટાફ દ્વારા ચકાસણીના સંયોજનનો ઉપયોગ કર્યો હતો. આવા છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વ્યૂહરચનાઓ વધુ સુસંસ્કૃત બની ગઈ છે.

ખરાબ લોકો ચકાસણી મેળવવા માટે લીક થયેલા ઓળખપત્રોનો ઉપયોગ કરીને નિષ્ક્રિય લિંક્ડઇન એકાઉન્ટ્સને હાઇજેક કરી રહ્યા છે. તેઓ વિશ્વસનીય દેખાવા માટે સાચા સોફ્ટવેર એન્જિનિયરોને લક્ષ્ય બનાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કંપનીઓને શંકાસ્પદ નોકરીની અરજીઓની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી.

શ્રી શ્મિટે નોકરીદાતાઓને ચેતવણી આપી હતી કે તેઓ ઉત્તર કોરિયાની નોકરીની અરજીઓમાં છેતરપિંડી કરનારાઓના સંકેતો પર નજર રાખે, જેમાં ખોટી રીતે ફોર્મેટ કરેલા ફોન નંબરો અને મેળ ન ખાતા શિક્ષણ ઇતિહાસનો સમાવેશ થાય છે.

જૂનમાં, યુએસ સરકારે કહ્યું હતું કે તેણે 29 “લેપટોપ ફાર્મ” શોધી કાઢ્યા છે જે ઉત્તર કોરિયાના આઇટી કામદારો દ્વારા દેશભરમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા હતા .

ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ જણાવ્યું હતું કે, તેઓએ ઉત્તર કોરિયાના નાગરિકોને યુએસમાં નોકરી મેળવવામાં મદદ કરવા માટે અમેરિકનોની ચોરાયેલી અથવા બનાવટી ઓળખનો ઉપયોગ કર્યો હતો.

તેણે ઉત્તર કોરિયાના કાર્યકરો માટે નોકરીઓ સુરક્ષિત કરવામાં મદદ કરનારા યુએસ દલાલો પર પણ આરોપ મૂક્યો હતો.

જુલાઈમાં, એરિઝોનાની એક મહિલાને 300 થી વધુ યુએસ કંપનીઓમાં ઉત્તર કોરિયાના આઇટી કામદારોને દૂરસ્થ નોકરીઓ મેળવવામાં મદદ કરવા માટે લેપટોપ ફાર્મ ચલાવવા બદલ આઠ વર્ષથી વધુ જેલની સજા ફટકારવામાં આવી હતી.

ડીઓજેએ જણાવ્યું હતું કે આ યોજનાથી તેણી અને પ્યોંગયાંગ માટે $17 મિલિયન (£12.6 મિલિયન) થી વધુ ગેરકાયદેસર નફો થયો હતો.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં ફેરફાર

0

રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સુકું રહશે.અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાઅને ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાનની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી જૂનાગઢના કેશોદમાં નોંધાઈ હતી. અહીં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન ઓખામાં 22 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો પારો વધુ ગગડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, ગુજરાતમાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડશે. આ ઠંડી રવિ પાક માટે ઠડી સારી રહેશે.

ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 23, 27 અને 28 ડિસેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર ઉપરાંત લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. બીજી તરફ, 23 અને 28 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હળવો વરસાદ અને હિમવર્ષા જોવા મળી શકે છે. આ ઉપરાંત, 27 અને 28 ડિસેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્હી NCRમાં મંગળવારથી હવામાન ચોખ્ખું થવા જઈ રહ્યું છે. આ દરમિયાન હળવો તડકો નીકળી શકે છે. આ ઉપરાંત 10 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ આગાહી કરવામાં આવી છે. IMD અનુસાર, 23 થી 26 ડિસેમ્બર સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો નહીં થાય, પરંતુ 27-28 ડિસેમ્બરે મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ઉત્તરીય પવનોના પ્રભાવને કારણે 24 ડિસેમ્બરથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવી શકે છે. સાથે જ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 23 અને 24 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

ઝારખંડમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી રહી છે અને આગળ પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન કેન્દ્ર રાંચીના જણાવ્યા અનુસાર, 25 ડિસેમ્બર સુધી રાજધાનીનું લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 22 થી 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરવા મજબૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોને કારણે ઠંડી અને ધ્રુજારીની અસર હજુ થોડા દિવસો સુધી રહી શકે છે. આગામી 48 કલાક સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને ‘એક્સટ્રીમ કોલ્ડ ડે’ (અતિશય ઠંડો દિવસ) એલર્ટ આપવામાં આવ્યું છે. આ કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી રહી શકે છે. પ્રયાગરાજ, કાનપુર, લખનઉ, વારાણસી, સોનભદ્ર, મિર્ઝાપુર, ચંદૌલી, સંત રવિદાસ નગર, જૌનપુર, ગાઝીપુર, આઝમગઢ, સુલતાનપુર અને આંબેડકર નગરમાં આજે કડકડતી ઠંડી પડશે. આ જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ અને અતિશય ઠંડીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત RFO સોનલ સોલંકીનું 48 દિવસ બાદ અમદાબાદ સિવિલમાં મોત

સુરતના કામરેજ નજીક થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં આત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મીત સામે ઝઝુમી રહેલા મહિલા ફેરિસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. આ સમાચારથી આ વિભાગ અને તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસો પૂર્વે સુરતના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા રાખ્સો દ્વારા અંધાધુકા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમને ગભીર ઈજાઓ પડોંચી હતી. પ્રાથમિક તપાસમાં આ ડુમલો અંગત અદાવત અથવા વ્યાવસાયિક કારણોસર કોવાની આશંકા સેવાઈ રહી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ડોસ્પિટલના હેમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોના જાણાવ્યા અનુસાર, સોનલ સોલંકીને ગોળી વાગવાને કારવી શરીઆ મહત્વના અંગોને ગંભીર નુકસાન થયું હતું. તેમની હાલત નાજુક હોવાથી તેમને સતત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે અથાગ પ્રયાનો કરવામાં આવ્યા હતા. પરંતુ લોઠીનો વધુ પડતો સ્વાવ અને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર થવાને કારણે આજે સવારે તેમનું નિધન થયું હતું.

પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળ
સોનલ સોલંકીના મોતના સમાચાર મળતા જ સુરત અને અમદાવાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે. હવે આ કેસમાં ‘હત્યાના પ્રયાસ’ની કલમ બદલીને ‘હત્યા’ની કલમ ઉમેરવામાં આવશે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવી પણ ચર્ચા છે કે વન વિભાગમાં ફરજ દરમિયાન કડક કામગીરીને કારણે કોઈ માથાભારે તત્વોએ આ કાવતરું ઘડ્યું હોઈ શકે. આ કેસમાં પોલીસે RFOના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી.

વન વિભાગમાં શોકનું મોજું
એક નિષ્ઠાવાન અને બહાદુર મહિલા અધિકારી ગુમાવવા બદલ ગુજરાત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. સોનલ સોલંકી તેમના વિભાગમાં ખૂબ જ લોકપ્રિય હતા અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાના અનેક ઉદાહરણો આપવામાં આવે છે. આ કેસમાં હજુ સુધી મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ શકી નથી, ત્યારે પરિવારજનો અને સાથી કર્મચારીઓ આરોપીઓને વહેલી તકે પકડી કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.

iPhone 18 માટે રાહ વધુ લંબાઈ, 2026 નહીં પરંતુ 2027માં લોન્ચ થવાની શક્યતા

0

આઈફોન 18ની રાહ જોઈ રહેલા લોકો માટે એક ખરાબ ખબર છે. રિપોર્ટ્સ અનુસાર, આઈફોન 18 આગામી વર્ષે એટલે કે 2026માં નહીં પરંતુ 2027માં લોન્ચ કરવામાં આવશે. સમાચારો અનુસાર, એપલ આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન આગામી વર્ષે એટલે કે 2026ની શરૂઆતમાં શરૂ થશે. આ કારણે અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નેક્સ્ટ જનરેશન આઈફોન સિરીઝનો બેઝ મોડલ પ્રો મોડલ્સ સાથે નહીં પરંતુ તેમના પછી 2027માં લોન્ચ કરવામાં આવશે.

આ વખતે એપલ તેની આઈફોન સિરીઝની લોન્ચિંગ પ્રોસેસમાં ફેરફાર કરી શકે છે. દર વખતેની જેમ અલગ આ વખતે આગામી આઈફોન સિરીઝ એટલે કે આઈફોન 18 સિરીઝ બે તબક્કામાં લોન્ચ કરવાની અપેક્ષા છે. આઈફોન 18 પ્રો મોડલ્સ સપ્ટેમ્બર 2026માં લોન્ચ થઈ શકે છે. તેની સાથે જ કંપની તેનો પ્રથમ ફોલ્ડેબલ ફોન પણ રજૂ કરી શકે છે. જ્યારે સિરીઝનો બેઝ મોડલ આઈફોન 18, 2027ની શરૂઆતમાં આવી શકે છે. લેટેસ્ટ લીકથી ખ્યાલ આવ્યો છે કે આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન હજુ શરૂ થયું નથી. તેની શરૂઆત 2026માં થશે.

વીબો પર ટિપ્સ્ટર ફિક્સ્ડ ફોકસ ડિજિટલ અનુસાર, આઈફોન 18નું ટ્રાયલ પ્રોડક્શન ચીની નવા વર્ષ પછી જ શરૂ થવાની અપેક્ષા છે. જણાવી દઈએ કે ચીનમાં ચીની નવા વર્ષની રજાઓ સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતે પૂરી થાય છે. ત્યારબાદ ફેક્ટરીઓ સામાન્ય રીતે કામ શરૂ કરી દે છે અને મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ લે છે.

આ ખબરે તે અફવાઓને વધુ મજબૂત કરી દીધી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈફોન 18 આગામી વર્ષે નહીં પરંતુ 2027માં લોન્ચ થશે. જોકે, હજુ સુધી એપલે આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. આ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની સાથે કંપની આઈફોન 18e અને આગામી પેઢીના આઈફોન એર લોન્ચ કરશે.

2026માં લોન્ચ થશે આ આઈફોન્સ
એક અન્ય ટિપ્સ્ટરનો દાવો છે કે આઈફોન 18 પ્રો મોડલ માટે પ્રોડક્શન લાઇન્સ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકી છે. જેનાથી ખ્યાલ આવે છે કે પ્રો હાર્ડવેરનું ડિઝાઇન પહેલેથી જ ફાઇનલ થઈ ચૂક્યું છે. જોકે, પોસ્ટમાં આ પણ સૂચવવામાં આવ્યું છે કે આઈફોન 18 પ્રો અને 18 પ્રો મેક્સમાં અપેક્ષા કરતા ઓછા હાર્ડવેર ફેરફારો થશે. આ જ કારણે આઈફોન 18 પ્રો મોડલ પહેલા એટલે કે દર વર્ષેની જેમ 2026ના સપ્ટેમ્બરમાં આવવાની અપેક્ષા છે અને આઈફોન 18ને 2027માં રજૂ કરવામાં આવી શકે છે.

બાંગ્લાદેશમાં હિંસા યથાવત્: ઉસ્માન હાદી બાદ વધુ એક વિદ્યાર્થી નેતા પર ફાયરિંગ

બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીના મૃત્યુ બાદ સતત હિંસા વધી રહી છે. જોકે, આ દરમિયાન હવે નેશનાલિસ્ટ સિટીઝન પાર્ટી ખુલનાના પ્રમુખ અને વિદ્યાર્થી નેતા મોતાલેબ સિકંદર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો. મોતલેબને સોનાડાંગા વિસ્તારના જાહેરમાં ગોળી મારવામાં આવી હતી. હોસ્પિટલ સુત્રોના જણાવ્યા અનુસાર તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે ખુલનામાં અજાણ્યા હુમલાખોરોએ નેશનલ સિટીઝન્સ પાર્ટીના સેન્ટ્રલ વર્કર્સ યુનિયનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકંદરને ગોળી મારી હતી. જેમાં ગોળી તેમના કાન નજીકથી પસાર થતાં તેઓ ઘાયલ થયા હતા.

મોતાલેબ ખતરામાંથી બહાર
સોનડાંગા મોડેલ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિમેષ મંડલે જણાવ્યું હતું કે હુમલાખોરોએ સવારે 11.45 વાગ્યે શહેરના ગાઝી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક મોહમ્મદ મોતાલેબના માથામાં ગોળી મારી હતી. તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોનો ઉલ્લેખ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોતાલેબ ખતરામાંથી બહાર છે. ગોળી એક બાજુથી તેના કાનમાં ઘૂસીને બીજી બાજુથી બહાર નીકળી ગઈ છે.

મોતાલેબ મજૂર રેલીની તૈયારીમાં વ્યસ્ત
આ અંગે વધુ માહિતી આપતા એનસીપી ખુલના મ્યુનિસિપાલિટીના આયોજક સૈફ નવાઝે પ્રથમ આલોને જણાવ્યું હતું કે મોતાલેબ સિકંદર પાર્ટીના મજૂર સંગઠન, રાષ્ટ્રીય શ્રમિક શક્તિના કેન્દ્રીય આયોજક અને ખુલના વિભાગીય સંયોજક હતા. પાર્ટીએ થોડા દિવસોમાં ખુલનામાં એક વિભાગીય મજૂર રેલી યોજવાનું હતી. મોતાલેબ સિકંદર તેની તૈયારીમાં વ્યસ્ત હતા.

1 જાન્યુઆરી 2026થી નવા નિયમો અમલમાં: UPI પેમેન્ટ અને રેશન કાર્ડમાં મોટા ફેરફાર

0

1 જાન્યુઆરી, 2026 થી, દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે. બેંકિંગ, કર, ડિજિટલ ચુકવણી, રેશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે. નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાણો.

ખેડૂતો માટે નવા નિયમો
ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જાન્યુઆરી 2026 થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે. ખેડૂત આઈડી વિના, પીએમ કિસાન હપ્તા બંધ કરવામાં આવશે. પીએમએફબીવાય 2026 હેઠળ, જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે. નુકસાનની જાણ હવે 72 કલાકની અંદર ફરજિયાત રહેશે.

બૅન્કિંગ અને કર ફેરફારો
નવા વર્ષથી બેંકિંગ નિયમો અને આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ પણ બદલાશે. વધુ ડેટા-આધારિત રિપોર્ટિંગને કારણે, ક્રેડિટ સ્કોર અપડેટ નિયમ એપ્રિલ ૨2026 થી દર 7 દિવસે અપડેટ કરવામાં આવશે, જે અગાઉના 15 દિવસથી વધુ છે. વધુમાં, SBI જેવી બેંકોએ લોનના વ્યાજ દરો અને ફિક્સ્ડ ડિપોઝિટ દરોમાં ઘટાડો કર્યો છે, જેની અસર આવતા વર્ષે દેખાશે.

LPG અને ઇંધણના ભાવ
તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દર મહિનાની પહેલી તારીખે LPG અને એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં સુધારો કરે છે. ડિસેમ્બરમાં, વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં 10નો ઘટાડો કરવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે, જે સામાન્ય પરિવારોને રાહત આપી શકે છે.

નવો ડિજિટલ હાજરી નિયમ
સરકારી શાળાઓમાં ડિજિટલ હાજરી લાગુ કરવામાં આવશે. ઘણા રાજ્યોમાં, વિદ્યાર્થીઓની હાજરી હવે ટેબ દ્વારા રેકોર્ડ કરવામાં આવશે, જે શાળાઓ અને વહીવટ બંને માટે વધુ સારી ટ્રેકિંગ પ્રદાન કરશે.

નવી રેશન કાર્ડ સુવિધા
રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે 2026 થી એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આનાથી ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સીધો ફાયદો થશે.