Home Blog Page 231

ક્રિસમસ પર પીએમ મોદી દિલ્હીના સૌથી જૂના ચર્ચમાં પ્રાર્થનામાં જોડાયા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. પ્રધાનમંત્રીએ અહીં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો અને લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પર ચર્ચની તસવીરો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે.”

કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે. દિલ્હીભરના લોકો ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચની મુલાકાત લે છે. પીએમ મોદીએ આ પહેલા પણ ચર્ચની મુલાકાત લીધી છે.

પીએમ મોદીએ એક વિડિઓ શેર કર્યો
બીજી પોસ્ટમાં, પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વિડિઓ શેર કર્યો. તેમણે લખ્યું, “ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા લાવે.” ધ કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની સેવાની કેટલીક ઝલક અહીં છે.

કર્ણાટકમાં સ્લીપર બસમાં ભીષણ આગ: ટ્રક સાથે ટક્કર બાદ 10 મુસાફરો જીવતા ભૂંજાયા

0

કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાત્રે સ્લીપર બસમાં ટક્કર થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 12 અને 17 પણ બતાવવામાં આવી રહ્યો છે.

આ અકસ્માત NH-48 પર હિરિયૂર તાલુકા પાસે થયો હતો. બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાત્રે 2:30 વાગ્યે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલી ખાનગી કંપની ‘સીબર્ડ ટ્રાન્સપોર્ટ’ની બસને ટક્કર મારી હતી. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. તે સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી શકી નહોતી.

અરવલ્લી પર્વતમાળા મુદ્દે દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ

0

દેશમાં અરવલ્લી પર્વતમાળા મુદ્દે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને રાજધાની દિલ્હીમાં પ્રદર્શનો ચાલુ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. તેમજ ફરી એકવાર અરવલ્લી મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ પ્રશ્ન કર્યો કે પર્વતમાળાની વ્યાખ્યામાં આટલા ખામીયુક્ત ફેરફારને આગળ વધારવા સરકાર શા માટે આગ્રહ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ લગાવ્યો કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરાયેલા એક સમાચાર અહેવાલને ટાંકીને કહ્યું, હવે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી અરવલ્લી મુદ્દા પર સંપૂર્ણ સત્ય નથી કહી રહ્યા અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અરવલ્લીની વ્યાખ્યામાં મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફેરફારોનો ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સેન્ટ્રલ પ્રિવિલેજ કમિટી અને સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરી દ્વારા સ્પષ્ટ અને સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમ છતાં કેન્દ્ર સરકાર આ વ્યાખ્યાને અનુસરવા પર અડગ છે. કોંગ્રેસનો આરોપ છે કે નિષ્ણાત સંગઠનોના વાંધાઓને અવગણના કરતું આ પગલું પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ મુદ્દે મોદી સરકારની આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ખનન માફિયાઓને સંરક્ષણ આપી રહી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપની મિલીભગતને કારણે દક્ષિણ હરિયાણાના અનેક જિલ્લાઓમાં આ ગેરકાયદે ખાણકામનો વ્યવસાય માફિયાઓ માટે મોટા નફાનો સ્ત્રોત બની ગયો છે. તેમણે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા, જે આપણા પર્યાવરણ અને પ્રાણવાયુ માટે પર્યાય છે. તેનું રક્ષણ કરવાને બદલે ભાજપ ખનન માફિયાઓને રક્ષણ આપીને ગેરકાયદે સંપત્તિનો પર્વત બનાવવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને અરવલ્લી ટેકરીઓ માટે એક નવી વ્યાખ્યા સ્વીકારી છે. જેમાં ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ સંરક્ષિત ગણવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લી ટેકરીઓમાંથી લગભગ 90 ટકાને સંરક્ષણમાંથી બાકાત રાખી શકાય છે. જેનાથી મોટા પાયે ખનનની શક્યતા વધી શકે છે.

સાબુ બજારમાં ‘સંતુર’નો દબદબો: લાઇફબોયને પછાડી બની નંબર-૧ બ્રાન્ડ, રૂ.2850 કરોડનું વેચાણ

0

વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ એ દાવો કર્યો છે કે તેની ફલેગશિપ સાબુ બ્રાન્ડ સંતૂર હવે હિન્દુસ્તાન યુનિલિવરના લાઇફબોયને પાછળ છોડીને ભારતની સૌથી મોટી સાબુ બ્રાન્ડ બની ગઈ છે.

કંપનીનો દાવો છે કે સંતૂત્રે 2025 માં રૂ.2,850 કરોડની આવક કરી હતી. જે લાઇફબોયને પાછળ છોડી દીધી હતી. જ્યારે લક્સ ત્રીજા સ્થાને છે. જો કે, કંપનીઓને તેમની બ્રાન્ડ્સ માટે વ્યક્તિગત આવક જાહેર કરવાની જરૂર નથી. તેથી આ આંકડા ચકાસવા મુશ્કેલ છે.

વિપ્રો કન્ઝ્યુમર કેર કહે છે કે તેણે અનેકસ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરી છે અને તેના લીડ્સ પર વિશ્વાસ છે. WCCL ના CEO વિનીત અગ્રવાલે કહ્યું, અમારી અને લાઇફબોય વચ્ચે નોંધપાત્ર અંતર છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીના AC નીલ્સનના ડેટા અનુસાર, સંતૂરનો બજાર હિસ્સો 8.7% હતો. જ્યારે લાઇફબોયનો 12.2% અને લક્સનો 12.2% હતો.

પરંતુ અગ્રવાલે આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં સંતૂર ખૂબ જ મજબૂત છે. જ્યારે AC નીલ્સન પેનલ ગ્રામીણ બજારોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી. આંધ્રપ્રદેશ. તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંતૂરનું વેચાણ વધુ છે. એવું લાગે છે કે AC નીલ્સન પેનલ આ રાજ્યોને પૂરતું વજન આપતું નથી.

દરમિયાન, હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારી બ્રાન્ડ્સની સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ ડેટાસ્ત્રોતો જોઈએ છીએ. આમાં પ્રકાશિત કંપની પરિણામો અને નીલ્સન અને કાંતારના ડેટાનો સમાવેશ થાય છે.

“મુંબઈનો મેયર મરાઠી જ બનશે”: BMC ચૂંટણી માટે ઠાકરે બંધુઓનું ગઠબંધન

0

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે. પંચાયત ચૂંટણીમાં હાર બાદ, શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓ માટે ગઠબંધનની જાહેરાત કરી છે. લાંબા સમયથી અલગ અલગ રસ્તે ચાલી રહેલા ઠાકરે બંધુઓનું સાથે આવવું એ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ઘટના છે.

ઉદ્ધવ ઠાકરેએ મનસે વડા રાજ ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું, “અમે સાથે રહેવા માટે જોડે આવ્યા છીએ,” જે લોકો ભાજપની અંદર ચાલી રહેલી ઘટનાઓને સહન નથી કરી શકતા તેઓ પણ શિવસેના (UBT)-મનસે ગઠબંધનમાં જોડાઈ શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર કોઈપણ ઝઘડા કરતાં મોટું છે. અમે ઘોષણા કરીએ છીએ કે અમારું ગઠબંધન બની ગયું છે, મુંબઈના મેયર મરાઠી હશે અને અમારા હશે.”

કાર્યક્રમને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં નેતૃત્વનો અધિકાર હંમેશા ઠાકરે પરિવાર પાસે જ રહ્યો છે અને આગળ પણ રહેશે. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રનું નેતૃત્વ ઠાકરે પરિવારનું છે. ફક્ત ઠાકરે જ મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે છે.” ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને સભામાં હાજર સમર્થકોએ જોરદાર તાળીઓ અને સૂત્રોચ્ચાર સાથે વધાવી લીધું હતુ.

આ ગઠબંધનની જાહેરાત બાદ, શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. કાર્યક્રમમાં ઉમટેલી ભીડ અને લોકોના ઉત્સાહનો હવાલો આપતા તેમણે કહ્યું કે જનતા આ એકતાનું દિલથી સ્વાગત કરી રહી છે. સંજય રાઉતે કહ્યું, “ઉપસ્થિત લોકોની સંખ્યા અને ઉત્સાહને જોતાં, એવું કહી શકાય કે આજનો દિવસ ઐતિહાસિક છે. આ ફક્ત સ્ટેજ શેર કરવા વિશે નથી, પરંતુ જાહેર વિશ્વાસનું પ્રતીક છે,”

પૃથ્વીના ‘CT સ્કેન’માં સૌરાષ્ટ્ર-કચ્છની ફોલ્ટ લાઈનો ખુલાસી, ભૂકંપ પાછળનું કારણ સામે આવ્યું

સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ફોલ્ટલાઈન સક્રિય થઈ હોય તેમ ભૂકંપના હળવા આંચકા નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં આવેલા 2001ના વિનાશક ભૂકંપના 2026માં 25 વર્ષ થશે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 2008 થી 2024 વચ્ચે નોંધાયેલા 1300થી વધુ આંચકાઓનું વિશ્લેષણ કરાયું હતું.

આ માટે પડ કાયમી અને 20 કામચલાઉ સિસ્મિક સ્ટેશનોના ડેટાનો ઉપયોગ કરીને ગુજરાતના ભૂગર્ભનું સ્કેનિંગ કરાયું હતું. જેમાં સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યની નીચે અનેક ફોલ્ટ લાઈનો અને પળથ્વીના પડમાં થયેલા ફેરફારો એકબીજા સાથે સંપર્કમાં આવતા રહે છે. જે ધ્રુજારી અને ભૂકંપનું કારણ બને છે. તેમ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાનો અહેવાલ જણાવે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં સૌથી આ^ યંજનક પરિણામ જોવા મળ્યું હતું. ભૂસ્તરશાષણીય રીતે ‘કચ્છ રિફટ બેસિન’ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગુજરાતના બાકીના ભાગો કરતા પળથ્વીના પડમાં હલચલનું સ્તર ઘણું વધારે છે. મહત્વની વાત એ છે કે, આ હલચલ કચ્છ મેઈનલેન્ડ ફોલ્ટ, સાઉથ વાગડ ફોલ્ટ, અલ્લાહ બંધ ફોલ્ટ અને ગેડી ફોલ્ટ જેવી મુખ્ય સક્રિય ફોલ્ટ લાઈનો સાથે સીધી રીતે જોડાયેલી છે. જે ૨૫ વર્ષ પહેલા આવેલા મોટા ભૂકંપ માટે જવાબદાર ફોલ્ટ સિસ્ટમ છે.

રિપોર્ટ મુજબ, આ પ્રદેશમાં રિક્ટર સ્કેલ પર 9 કે તેથી વધુની તીવ્રતાના ઓછામાં ઓછા ચાર ભૂકંપ નોંધાયા હતા. ૧૮૧૯માં અલ્લાહ બંધમાં 7.8ની તીવ્રતાનો અને 2001માં કચ્છમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નર્મદા રિફટ બેસિનમાં થતી હલચલ સ્થાનિક ફોલ્ટ સ્ટ્રક્ચર્સને અનુસરે છે. જોકે, ઉત્તર ગુજરાત અને ખંભાત રિફટ બેસિનમાં, હલચલની દિશા ભારતીય પ્લેટની યુરેશિયન પ્લેટ તરફની એકંદર ગતિ સાથે વધુ સુસંગત છે.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના અમુક ભાગોમાં ભૂકંપ શા માટે વારંવાર આવે છે તેનાથી આ તારણોમાં સમજવામાં મદદ મળી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે, તેનું કારણ મર્યાદિત વિસ્તારમાં અનેક ફોલ્ટ લાઈનોની પરસ્પર પ્રતિક્રિયા છે. જે પળથ્વીના પડમાં જટિલ અને સ્ટ્રેસ પેદા કરે છે. હાલની પ્રક્રિયાઓમાં ફેરફાર સૂચવવો એ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય નહોતો. પરંતુ તે પળથ્વીના પડમાં થતી હલચલ અને સ્ટ્રેસની તપાસ કરવા માટે એક વૈજ્ઞાનિક માળખું પૂરું પાડે છે.

એસીબી ટ્રેપ: સુરતમાં સર્કલ ઓફિસર રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા

0

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ ઉધના મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ યોજી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ઉધના-1ના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉમર 38 વર્ષ) ને રૂ.10,000ની લાંચ લેતા રંગેહાથ પકડવામાં આવ્યા છે. આરોપી વર્ગ-3ના અધિકારી છે અને મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી મુજબ, તેના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકોના નામોની કાચી નોંધ પ્રમાણિત કરાવવા અરજી કરવામાં આવી હતી. આ કાયદેસર કામગીરી કરવાના બદલે આરોપી અધિકારીએ રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે એસીબી દ્વારા સુયોજિત રીતે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું. નક્કી યોજના મુજબ જ્યારે ફરિયાદી સર્કલ ઓફિસરને મળ્યા ત્યારે આરોપીએ ફરીથી રૂ.10,000ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને સ્થળ પર રંગેહાથ ઝડપી લીધો. તલાશી દરમિયાન સંપૂર્ણ લાંચની રકમ જપ્ત કરવામાં આવી.

આ ટ્રેપની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ધોબીના નેતૃત્વ હેઠળ સુરત ગ્રામ્ય એસીબીની ટીમે કરી હતી. સમગ્ર ઓપરેશનની દેખરેખ સહાયક નિયામક આર.આર. ચૌધરી (એસીબી સુરત એકમ) દ્વારા કરવામાં આવી હતી, જ્યારે વડોદરા રેન્જના ઉપ નિયામક આઈપીએસ બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

કીમ નદીના મેજર બ્રિજ પર ભારે અને માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ

0

અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી પર મેજર બ્રીજ છે. આ બ્રીજ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને સુરત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારી દ્વારા એક જાહેરનામાં દ્વારા પ્રતિબંધને લંબાવીને તા.૨૦/૧૨/૨૦૨૫ થી તા.૨૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બીજ ઉપર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. કીમ નદી ઉપર મેજર બીજના ટ્રાફિકને ડાયવર્ટ કરવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

અંકલેશ્વર હાંસોટ કદરામાં રોડ (NH-64) પર વડોલી વાંક અને સાહોળ ગામ વચ્ચે કીમ નદી ઉપર આવેલ મેજર બ્રીજ તરફ આવતા-જતા વાહનો અંકલેશ્વરથી (NH-48) કીમ થઈ ઓલપાડ આવવા-જવા માટે અને ઓલપાડથી કીમ થઈ અંક્લેશ્વર (NH-48) આવવા-જવા માટે ઉપયોગ કરી શકશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

લુધિયાણામાં ઘરેલુ હિંસા: નશામાં પતિએ 8 મહિનાની ગર્ભવતી પત્નીની નિર્દય હત્યા

0

લુધિયાણામાં ઘરેલુ હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 40 વર્ષીય વિજય કુમાર પર આરોપ છે કે તેણે નશામાં ધુત થઈને તેની આઠ મહિનાની ગર્ભવતી પત્ની પુષ્પાની નિર્દયતાથી હત્યા કરી દીધી. શરૂઆતમાં વિજયે તેને કુદરતી મૃત્યુ જેવું દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ પુષ્પાના શરીર પર ઈજાઓ જોયા બાદ, તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વિજયની ધરપકડ કરવામાં આવી.

પોલીસના જણાવ્યા મુજબ, પુષ્પાના શરીર પર માર માર્યાની ગંભીર ઈજાઓ હતી. એસીપીએ જણાવ્યું કે પુષ્પાની હત્યા કર્યા પછી, વિજયે તેના માતાપિતા અને પરિવારને કહ્યું કે પુષ્પાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. જોકે, પોસ્ટમોર્ટમ અને તેના શરીર પરની ઈજાઓથી સ્પષ્ટ થયું કે તે કુદરતી મૃત્યુ નથી.

પુષ્પાના ભાઈ અજયે પોલીસને જણાવ્યું કે વિજય ઘણીવાર દારૂ પીધા પછી તેને મારતો હતો, કારણ કે પુષ્પા તેને દારૂ છોડવા કહેતી હતી. તે દિવસે પણ વિજય નશામાં જ હતો અને તેણે પુષ્પાને મારી હતી, જેમાં તેણી ઘાયલ થઈ હતી. વિજયના નાક પર પણ ઈજાઓ દેખાય છે, જે સૂચવે છે કે પુષ્પાએ પોતાના બચાવમાં પલટવાર કર્યો હશે, પરંતુ આઠ મહિનાની ગર્ભવતી મહિલા કેટલુ કરી શકે?

આ મામલો સમજાવે છે કે દારૂના નશામાં ઝઘડો ક્યારેક જીવલેણ બની શકે છે. લોકો ઘણીવાર આને નાનો ઝઘડો સમજી લે છે, પરંતુ આ સાબિત કરે છે કે દારૂ પીધા પછી ઘરેલુ હિંસા ગમે ત્યારે જીવલેણ બની શકે છે. પુષ્પાની હત્યાએ પરિવાર અને સમાજ બંનેને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

લુધિયાણા પોલીસે શું કાર્યવાહી કરી?
આ મામલે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. પોલીસે તાત્કાલિક આરોપી વિજયની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. દારૂના વ્યસનને કારણે તેણે અન્ય ગુનાઓ કર્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આ કેસ ફક્ત લુધિયાણામાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઘરેલુ હિંસા અને દારૂના દુરુપયોગની અસર પર પ્રશ્નો ઉભા કરે છે. આ સમાજ અને વહીવટીતંત્ર માટે એક ગંભીર ચેતવણી છે કે નશા અને હિંસા વચ્ચેના જોડાણને નજર અંદાજ ન કરી શકાય.

નકલી દુલ્હનોનો જાળ: કુંવારાઓ સાથે કરોડોની ઠગાઈ

0

તમે નકલી દુલ્હનો વિશે ઘણા સમાચાર સાંભળ્યા અને જોયા હશે. પરંતુ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, એક નકલી મેટ્રિમોનિયલ વેબસાઇટ બનાવવામાં આવી હતી. એક માસ્ટરમાઇન્ડે 20 યુવતીઓને નકલી દુલ્હન તરીકે રજૂ કરી અને વરરાજાને છેતરવા માટે રાખ્યા હતા. આ છેતરપિંડી કરનારાઓએ મળીને 1,500 વરરાજા સાથે ₹1.5 કરોડ (આશરે $1.5 મિલિયન) ની છેતરપિંડી કરી હતી. ઘણા વધુ લોકો તેમની છેતરપિંડીનો ભોગ બને તે પહેલાં, આ નકલી મેટ્રિમોનિયલ નેટવર્કનો પર્દાફાશ થયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે થાટીપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મયુર નગર અને જ્યોતિ નગરમાં કાર્યરત બે નકલી મેટ્રિમોનિયલ કોલ સેન્ટરો સામે એક સાથે કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ 20 યુવતીઓની અટકાયત કરી હતી. આ કોલ સેન્ટરો મેટ્રિમોનિયલ વેબસાઇટ્સની આડમાં એકલા યુવાનોને નિશાન બનાવી રહ્યા હતા અને તેમની સાથે લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ નકલી મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ પર યુવાનોને રજીસ્ટર કરાવતા હતા. ત્યારબાદ તેમને મોડેલિંગ કરતી યુવતીઓના આકર્ષક અને નકલી ફોટા મોકલવામાં આવતા હતા અને “પરફેક્ટ મેચ” ની ખાતરી આપવામાં આવતી હતી. એકવાર યુવાનોએ તેમનો વિશ્વાસ મેળવી લીધો, પછી કોલ સેન્ટરમાં કામ કરતી મહિલાઓ તે જ ફોટાનો ઉપયોગ કરીને તેમને ફોન અને મેસેજ કરીને વાતચીત શરૂ કરતી. ધીમે ધીમે, તેઓ ભાવનાત્મક બંધન બનાવતા અને વિવિધ બહાના હેઠળ QR કોડનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર મેળવતા. મોટી રકમ મળતાં, તેઓ તેમના મોબાઇલ નંબર ડિસ્કનેક્ટ કરી દેતા અને સંપર્ક કાપી નાખતા.

SSP ધર્મવીર સિંહને માહિતી મળી કે લગ્ન યોજનાઓના નામે ચાલતા કોલ સેન્ટર થાટીપુર વિસ્તારમાં સક્રિય છે. ત્યારબાદ, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ અને થાટીપુર પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. મયુર નગરમાં મયુર પ્લાઝા પાછળના એક ઘરના પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં લેપટોપ, કમ્પ્યુટર અને રજિસ્ટરનો ઉપયોગ કરીને નકલી મેટ્રિમોનિયલ કોલ સેન્ટર કાર્યરત હોવાનું જાણવા મળ્યું હતું. બાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કોલ સેન્ટર 24 વર્ષીય રાખી ગૌર દ્વારા ચલાવવામાં આવતું હતું. ઓપરેટર સહિત કુલ 13 મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.

પહેલા કોલ સેન્ટરની શોધખોળ બાદ, પોલીસને માહિતી મળી હતી કે જ્યોતિનગરમાં આ જ ગેંગ દ્વારા સંચાલિત બીજું કોલ સેન્ટર કાર્યરત છે. ક્રાઈમ બ્રાન્ચની બીજી ટીમે દ્વારકાધીશ મંદિરની સામેના એક ફ્લેટના બીજા માળે દરોડો પાડ્યો હતો, જ્યાં સાત યુવતીઓ લગ્નના નામે લોકોને છેતરતી મળી આવી હતી. આ કોલ સેન્ટર 26 વર્ષીય સીતા ઉર્ફે શીતલ ચૌહાણ ચલાવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ તિલેશ્વર પટેલ છે, જે હાલમાં ફરાર છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ બે નકલી મેટ્રિમોનિયલ કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં આશરે 1,500 લોકો સાથે આશરે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાના આધારે, પોલીસ પીડિતોની સંખ્યા અને તેમાં સામેલ કુલ રકમનો અંદાજ લગાવી રહી છે.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કોલ સેન્ટરમાં કામ કરતી મહિલાઓને સ્માર્ટફોન આપવામાં આવ્યા ન હતા. તેમને ફક્ત સામાન્ય કીપેડ મોબાઇલ ફોન આપવામાં આવ્યા હતા, જેમાં વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા એપ્સનો અભાવ હતો. છેતરપિંડી પછી, કોઈપણ ડિજિટલ લીડ્સ પોલીસ સુધી ન પહોંચે તે માટે સિમ કાર્ડ અને નંબરોને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. પોલીસ હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ફરાર માસ્ટરમાઇન્ડ સહિત સમગ્ર નેટવર્કની શોધ કરી રહી છે.