Home Blog Page 206

જેલમાંથી સુકેશ ચંદ્રશેખરે RCB ખરીદવાની 8300 કરોડની ઓફર આપી

0

જેલમાં બંધ કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરે ‘ડાયઝિયો’ કંપનીને પત્ર લખીને IPL ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની માલિકી અને ઓપરેશનલ કંટ્રોલ ખરીદવાની દરખાસ્ત કરી છે. ગ્લોબલ ડ્રિંક્સ કંપની ડાયઝિયો RCBની પ્રમોટર છે. સુકેશે પોતાની કંપની “LS Holdings’ વતી 1 અબજ યુએસ ડોલર (આશરે ₹8,300 કરોડ) ની ઓફર આપી છે. તેણે દાવો કર્યો છે કે આ ઓફર તાજેતરમાં વેચાયેલી અન્ય કોઈપણ IPL ટીમ કરતા ઘણી સારી છે

સુકેશે તેના પત્રમાં જણાવ્યું છે કે, તેની દરખાસ્ત અદાર પૂનાવાલાની સંભવિત ઓફર કરતા વધુ વ્યવહારુ અને ચઢિયાતી છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ઈઊઘ અદાર પૂનાવાલા RCB ખરીદી શકે છે. સુકેશે લખ્યું છે કે, અમે 48 કલાકમાં સંપૂર્ણ સેટલમેન્ટ કરવા તૈયાર છીએ અને આ માટે કોઈ થર્ડ પાર્ટી ફંડિંગની જરૂૂર નથી, આ એક ‘ઓલ-કેશ ડીલ’ હશે.

સુકેશે RCB પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, RCB મારી હોમ ટીમ છે અને મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. મારી પાર્ટનર અને લેડી લવ જેકલીન ફર્નાન્ડીઝનું સપનું હતું કે તેની પોતાની સ્પોર્ટ્સ ટીમ હોય. જો આ એક્વિઝિશન સફળ થશે, તો તે જેકલીન માટે મારી તરફથી એક ભેટ હશે.

સુકેશે પત્રમાં પોતાની કાયદાકીય મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સામેના આરોપો હજુ સાબિત થયા નથી. તેણે સ્પષ્ટ કર્યું કે તેની કંપની “LS Holdings’ (જે બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં રજિસ્ટર્ડ છે) પર કોઈ કાયદાકીય કેસ નથી. તે આખી રકમ એસ્ક્રો એકાઉન્ટ (ઊતભજ્ઞિૂ અભભજ્ઞીક્ષિ)ં માં જમા કરાવવા પણ તૈયાર છે જેથી સોદાની પારદર્શિતા જળવાઈ રહે.

એસ્ક્રો એકાઉન્ટ શું છે?
એસ્ક્રો એકાઉન્ટ એ એક એવી નાણાકીય વ્યવસ્થા છે જેમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે ત્રીજો નિષ્પક્ષ પક્ષ (બેંક અથવા એજન્ટ) પૈસા સુરક્ષિત રાખે છે, જ્યાં સુધી કરારની તમામ શરતો પૂરી ન થાય. સુકેશે ડાયઝિયો પાસે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ (LOI) ની મંજૂરી માંગી છે જેથી તે BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો હેઠળ આગળની ચર્ચા કરી શકે.

એક દિવસમાં ચાંદીના ભાવ ₹1.06 લાખ ઘટ્યા, સોનું ₹20 હજાર સસ્તું થયું – અચાનક ભાવ કેમ ઘટ્યા?

0

જો તમે સોના કે ચાંદીમાં રોકાણ કરો છો, તો શુક્રવાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. 30 જાન્યુઆરીએ, સોના અને ચાંદીના બજારોમાં ઘટાડો જોવા મળ્યો જેના કારણે રોકાણકારો મૂંઝવણમાં મુકાયા. ચાંદીમાં એક જ દિવસમાં ₹1.06 લાખનો ઘટાડો થયો, જ્યારે સોનામાં લગભગ ₹20,000નો ઘટાડો થયો. પ્રશ્ન એ છે કે, આટલો મોટો ઘટાડો અચાનક કેમ થયો?

પ્રોફિટ બુકિંગને કારણે, 1 કિલો ચાંદીનો ભાવ ₹3.99 લાખથી ઘટીને ₹2.93 લાખ થયો, જે લગભગ 26.5% ઘટ્યો. ચાંદી કેટલાક સમયથી સતત ઊંચી હતી. રોકાણકારોને નફો મળતાં જ તેમણે વેચાણ શરૂ કર્યું, અને ભાવમાં તીવ્ર ઘટાડો થયો.

સોનાના ભાવમાં ઘટાડો: સોનામાં પણ કેમ ઘટાડો થયો?
ચાંદીની સાથે સોનામાં પણ નબળાઈ જોવા મળી. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ ₹20,323 ઘટીને ₹1.49 લાખ થયો. પાછલા સત્રમાં આ જ ભાવ ₹1.69 લાખની આસપાસ હતો. વધુમાં, સોના અને ચાંદીના ETF માં પણ 23% સુધીનો ઘટાડો નોંધાયો છે.

MCX અને બુલિયન માર્કેટ વચ્ચે ભાવ કેમ અલગ અલગ હોય છે?
લોકો ઘણીવાર વિચારે છે કે MCX અને બુલિયન માર્કેટ વચ્ચે દર કેમ અલગ અલગ હોય છે. MCX એક ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જ્યાં ખરીદી અને વેચાણ દર સેકન્ડે થાય છે, તેથી કિંમતો ઝડપથી બદલાય છે. બીજી બાજુ, બુલિયન માર્કેટ ભૌતિક સોના અને ચાંદીનું વેચાણ કરે છે, જેના પર પરિવહન, સંગ્રહ અને કર ખર્ચ થાય છે.

સોનાની ખરીદીની ટિપ્સ: સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?
જો તમે મંદી દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો બે બાબતો યાદ રાખો: પ્રથમ, હંમેશા BIS હોલમાર્ક સાથે પ્રમાણિત સોનું ખરીદો. બીજું, IBJA જેવી વિશ્વસનીય વેબસાઇટ પર દૈનિક દર તપાસો.

ચાંદીની શુદ્ધતા તપાસ: વાસ્તવિક ચાંદી કેવી રીતે ઓળખવી?
વાસ્તવિક ચાંદી ચુંબક સાથે ચોંટી જતી નથી, તેમાં ગંધ હોતી નથી, અને બરફમાં મૂકવામાં આવે ત્યારે ઝડપથી પીગળી જાય છે. સફેદ કપડાથી ઘસવામાં આવે ત્યારે કાળો નિશાન પણ અધિકૃતતાની નિશાની છે.

ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર ‘વશીકરણ’ કર્યું હતું! પરમહંસ આચાર્યનો વિચિત્ર દાવો

0

યુજીસીના નિયમોને લઈને દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો હતો અને ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે લગાવતા આ મામલો સમાપ્ત થયો હતો. આ સાથે કોર્ટે સરકાર અને યુજીસીને નિયમો નવેસરથી તૈયાર કરવા અને તેના માટે એક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન અયોધ્યાના પરમહંસ આચાર્યએ આ અંગે ખૂબ જ રસપ્રદ દાવો કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. આચાર્યએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે Donald Trump પીએમ મોદી PM Modi પર તંત્ર-મંત્ર કરાવ્યા હતા અને તેની અસરથી તેઓ વશીકરણનો શિકાર બન્યા હતા. આ વશીકરણને કારણે યુજીસીએ આવો નિયમ બનાવ્યો હતો, પરંતુ હવે અમે તેમને વૈદિક મંત્રોમાંથી મુક્ત કર્યા છે.

મીડિયા સાથે વાત કરતા પરમહંસ આચાર્યએ કહ્યું કે અમને આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થઈ ગયું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જવાબ આપ્યો કે તેમના વધતા પ્રભાવને જોઈને દુનિયાએ તંત્ર-મંત્ર કરાવીને વશીકરણ કર્યું છે. જ્યારે મેં ધ્યાન કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પે આ વશીકરણ કરાવ્યું છે. હવે અમે અહીં વૈદિક મંત્રોનો પાઠ કર્યો છે તેથી તેમની પર કોઈ જાદુટોણા કે વશીકરણની અસર થશે નહીં. હવે અમને આશા છે કે નરેન્દ્ર મોદી કોઈ એવો કાયદો નહીં બનાવે જે દેશના વિકાસમાં અવરોધ ઉભો કરે. દેશને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

તેમણે કહ્યું કે ફરીથી એવું કંઈ ન થાય તેવી મને આશા છે. અમે અયોધ્યાથી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને પૂજા પાઠ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે પરમહંસ આચાર્ય પણ યુજીસીના નિયમો અંગે ખૂબ જ આક્રમક હતા અને સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. તેમણે આ નિયમોનો વિરોધ કરતા કહ્યું કે કાં તો તેમને રદ કરવા જોઈએ અથવા તેમને ઈચ્છા-મૃત્યુની મંજૂરી આપવી જોઈએ.

UGC રુલ્સ પર આચાર્ય પરમહંસ ગુસ્સે થયા હતા
આચાર્યએ કહ્યું કે આનાથી દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે. આનાથી હિન્દુઓ વિભાજીત અને અલગ થઈ જશે. આવા નિયમને કારણે ભાજપ આખા દેશમાંથી આપણી નજર સામે જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે હું નથી ઇચ્છતો કે આવું થાય. તેથી હું આ નિયમો બનતા પહેલા ઈચ્છા મૃત્યુની માંગણી કરું છું. આ નવો UGC નિયમ આખા દેશને બાળી નાખશે અને લોકો અરસ પરસ લડશે. આપણી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર થશે. પરમહંસ આચાર્યએ કહ્યું કે જો આ નિયમ પહેલા લાગુ કરવામાં આવ્યો હોત, તો તમે બિહારમાં 1000% ચૂંટણી હારી ગયા હોત. જો તમે આ નિયમ પાછો નહીં ખેંચો તો હું મરી જઈશ.

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાઈરસ અંગે WHOનું મહત્વનું અપડેટ, જાણો શું કહ્યું

0

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં નિપાહ વાયરસના ચેપના બે કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એશિયાના કેટલાક દેશોએ ભારતથી તેમના પ્રદેશમાં પ્રવેશતા લોકોમાં વાયરસના ચેપના લક્ષણોની તપાસ માટે નિર્દેશ આપ્યા છે. એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ મહત્વનું અપડેટ આપ્યું છે.

આજે શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) એ જણાવ્યું હતું કે ભારતમાં નિપાહ વાયરસના ફેલાવાનું જોખમ ઓછું છે. મુસાફરી કે વેપાર પર પ્રતિબંધોની કોઈ જરૂર નથી.

વાયરસ ફેલાવાની શક્યતા કેટલી?
WHOની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી એક અપડેટમાં મુજબ ભારતમાં માનવ-થી-માનવ ચેપમાં વધારો થયો હોવાના કોઈ પુરાવા નથી. રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક જોખમ જોખમ ખુબજ ઓછું છે.WHO એ જણાવ્યું હતું કે કેસ ફક્ત એક જિલ્લા પૂરતા સીમિત છે, દર્દીઓએ તાજેતરમાં જીલ્લા બહાર કોઈ મુસાફરી કરી ન હતી.કેન્દ્રિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

UAEએ પ્રોટોકોલ લાગુ કર્યા:
UAEએ તેના એરપોર્ટસ પર પ્રોટોકોલ લાગુ કર્યા છે. UAEની મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એંસ પ્રિવેન્શન (MoHAP)એ જણાવ્યું કે તેઓ એવિએશન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. UAEમાં પ્રવેશતા મુસાફરોને તાવ, શ્વસન તકલીફ અથવા ન્યુરોલોજીકલ રોગના લક્ષણો દેખાય તેની તપાસ કરવામાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

નિપાહ વાયરસ કેટલો ઘાતક?
નિપાહ વાયરસ (NiV) એક ઝૂનોટિક વાયરસ છે, આ વાયરસ ચામાચીડિયા અને ફલાયિંગ ફોક્સીઝ જેવાં પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. ખોરાક અને પાણી દ્વારા આ વાયરસ માણસમાંથી માણસમાં પણ ફેલાઈ શકે છે.

આ વાયરસ સામાન્ય રીતે માનવ શરીરમાં પાંચથી 14 દિવસ સુધી રહે છે, અને ત્રણથી ચાર દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. આ વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે. વાયરસના ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંચકી આવવી, તાવ અને માથનાં દુખાવાથી તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવી તકલીફો થઇ શકે છે. નીપાહ વાયરસ ન્યુરોલોજીકલ રોગનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીઓ 24 થી 48 કલાકની અંદર કોમામાં સરી શકે છે.

વડોદરા નજીક કરજણ પાસે NH-48 પર ટ્રક-બસની ભીષણ ટક્કર, 2 લોકોના મોત, 10 ઘાયલ

0

વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર શુક્રવારે (30મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને 25 થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ દોડી આવી હતી. 10 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કરજણ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક કે બેદરકારી અંગે તપાસ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

દિલ્હીમાં 6 વર્ષની બાળકી પર સગીરોએ કર્યો ગેન્ગરેપઃ બે આરોપી ઝડપાયા

0

દિલ્હી પોલીસે મંગળવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં છ વર્ષની બાળકી સાથે બળાત્કારના આરોપમાં બે છોકરાઓની ધરપકડ કરી છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. ત્રીજો આરોપી હાલ ફરાર છે. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના 18 જાન્યુઆરીએ બની હતી. બાળકીના પરિવાર તરફથી ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને બાળકોને યૌન અપરાધોથી સંરક્ષણ (POCSO) અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

તપાસકર્તાઓએ જણાવ્યું કે 10, 13 અને 16 વર્ષની ઉંમરના ત્રણ છોકરાઓએ કથિત રીતે બાળકીને લલચાવીને તેના પર યૌન અત્યાચાર કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે સગીરોને કસ્ટડીમાં લઈ કિશોર ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે ત્રીજાની શોધ ચાલુ છે. બાળકીની તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે અને તેને જરૂરી સારવાર તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. તેનું નિવેદન નોંધાઈ ચૂક્યું છે અને સગીરો સાથે સંબંધિત કેસોમાં લાગુ પડતી તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાના વિરોધમાં સોમવારે પીડિતાના પરિવારજનો અને પડોશીઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. આ ઘટના 18 જાન્યુઆરીની સાંજે બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આરોપી છોકરાઓ પીડિતાના પડોશી છે અને અવારનવાર તેના ઘરની નજીક તેની સાથે રમતા હતા. એક સંબંધીએ જણાવ્યું કે સાંજે લગભગ 7 વાગ્યે બાળકી પોતાની માસીના ઘરેથી પરત ફરી રહી હતી, ત્યારે છોકરાઓએ તેને લલચાવીને પોતાની સાથે લઈ ગયા. આરોપ છે કે નજીકની એક છત પર તેના પર યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે બાળકી ઘરે પરત આવી, ત્યારે તે લોહીથી લથપથ હતી અને તેના કપડાં પર પણ લોહી લાગેલું હતું. ત્યાર બાદ પરિવાર તેને પહેલા પોલીસ સ્ટેશન લઈ ગયો અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ડાંગની આશ્રમશાળામાં સગીરા સાથે દુષ્કર્મ શાળાના મહિલા પ્રમુખના પતિની ધરપકડ

0

ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં 15 વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ 15 વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી.

સગીરાને વિશ્વાસમાં લઈને રસોઈયાએ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને તેને પીવડાવી દીધુ હતું. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી.

સગીરા જ્યારે બેભાન જેવી અવસ્થામાં હતી, ત્યારે આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ પ્રફુલ નાયક તેને રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની લાચારીનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.

માતાએ તાત્કાલિક આશ્રમમાં પહોંચી તપાસ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મુખ્ય આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૃત્યમાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, આશ્રમશાળા જેવી સંસ્થા, જ્યાં વાલીઓ પોતાની દીકરીઓને સુરક્ષિત સમજીને મોકલે છે, ત્યાં જ આવું કૃત્ય આચરતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.

ક્રિપ્ટોકરન્સી ક્રેશ: 24 કલાકમાં ₹16 લાખ કરોડ ઉડી ગયા, બિટકોઇન-ઇથેરિયમ 6%થી વધુ તૂટ્યા

0

ક્રિપ્ટોકરન્સી માર્કેટ, જે અસ્થિરતા પછી સ્થિર થઈ ગયું હતું, શુક્રવારે ક્રેશ થયું . ક્રિપ્ટો માર્કેટ કેપ 24 કલાકમાં 5% થી વધુ ઘટ્યું. બિટકોઇન અને ઇથેરિયમ સહિત અનેક ક્રિપ્ટોકરન્સીમાં 6% થી વધુ ઘટાડો થયો. ક્રિપ્ટો રોકાણકારોએ 24 કલાકમાં ₹15.62 લાખ કરોડ ગુમાવ્યા. સવારે લગભગ 10:30 વાગ્યે, ક્રિપ્ટો માર્કેટ કેપ 5.42% ઘટીને $2.82 ટ્રિલિયન પર ટ્રેડ થઈ રહી હતી.

આ ઘટાડાથી બધી મુખ્ય ક્રિપ્ટોકરન્સી પર અસર પડી. બિટકોઇન $82,835 પર ટ્રેડ થઈ રહ્યું હતું, લગભગ 6% ઘટીને. ગયા અઠવાડિયામાં તે 7% થી વધુ ઘટ્યું છે. દરમિયાન, ઇથેરિયમ છેલ્લા 24 કલાકમાં 6% થી વધુ ઘટીને $2,740 પર ટ્રેડ થઈ રહ્યું છે. બિનાન્સ, રિપલ અને સોલાના જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ 24 કલાકમાં 6% થી વધુ ઘટાડો જોવા મળ્યો.

કેન્ટન બૂમ
ક્રિપ્ટો માર્કેટમાં નોંધપાત્ર ઘટાડાથી કેન્ટન ક્રિપ્ટો કોઈન પર કોઈ અસર પડી નથી . તેના બદલે, તેમાં વધારો થયો. છેલ્લા 24 કલાકમાં તે લગભગ 6 ટકા વધ્યો, જે $0.1722 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં તેમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, અને તેનું એક મહિનાનું વળતર લગભગ 16 ટકા છે.

ભય અને લોભ સૂચકાંકમાં ઘટાડો
ક્રિપ્ટો માર્કેટમાં ઘણા સમયથી કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. પરિણામે, રોકાણકારો ભયભીત છે. CoinMarketCap મુજબ, તેનો ભય અને લોભ સૂચકાંક, જે ગુરુવારે 38 હતો, શુક્રવારે ઘટીને 28 પર આવી ગયો. આ સૂચવે છે કે લોકો ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં વધુને વધુ સાવચેત છે . જેઓ પહેલાથી જ રોકાણ કરે છે તેઓએ પણ તેમના રોકાણો ઘટાડી દીધા છે અને ઉપાડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય! હોટલ, પીજી અને હોસ્ટેલમાં રહેતા લોકોની ઓળખ હવે આ રીતે થશે

0

ગુજરાતમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખ પ્રક્રિયામાં હવે મોટો ટેકનોલોજીકલ ફેરફાર આવ્યો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિકસિત ‘પથિક’ સોફ્ટવેરને UIDAI આધારિત ડેટાબેઝ સાથે સીધું જ જોડવામા આવ્યું છે ને એનાજ ડેમોસ્ટ્રેશન માટે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંધલ અને અજીત રાજીયન દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે .

અગાઉ હોટલોમાં રહેતા મહેમાનો પાસેથી ઓળખપત્રની નકલ લેવાતી હતી અને તેની મેન્યુઅલ એન્ટ્રી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા સમય બગડતો હોવા સાથે ભૂલ થવાની સંભાવનાઓ પણ હતી. જે બાબતને ધ્યાને રાખીને હાલ નવી QR કોડ આધારિત ઓળખ પદ્ધતિ પોલીસે અમલમાં મુકી છે. જે હવે થોડી જ સેકન્ડમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખની ચકાસણી થઈ જશે અને આના કારણે હોટલ સંચાલકો તેમજ પોલીસ વિભાગ બંને માટે કામગીરી સરળ બની છે.

પથિક સિસ્ટમની મહત્વપૂર્ણ બાબત એ છે કે, તેમાં નાગરિકોની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મુસાફરોનો આધાર નંબર ક્યાંય સંગ્રહિત થતો નથી. તેના બદલે ડિજિટલી સાઈન કરેલી વિગતો અને ફોટોગ્રાફના આધારે ઓળખ ચકાસણી કરવામાં આવે છે. એટલે કે સુરક્ષા અને ગોપનીયતા – બંનેનું સંતુલન જાળવવામાં આવ્યું છે.

આ ટેકનોલોજીકલ પહેલને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગને પ્રદર્શિત કરવા માટે માત્ર 11 સંસ્થાઓની પસંદગી કરી હતી, જેમાં પોલીસ વિભાગમાંથી એકમાત્ર પસંદગી પામનાર પ્રોજેક્ટ ‘પથિક’ રહ્યો છે. આ પસંદગી ગુજરાત પોલીસ માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2017માં પ્રયોગાત્મક રીતે શરૂ કરાયેલો પથિક પ્રોજેક્ટ હવે રાજ્યવ્યાપી અમલમાં આવી ગયો છે. હાલ રાજ્યની 9,000થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાઈ છે અને શરદ સિંધલના દિલ્હીથી પરત આવ્યા બાદ આધાર સાથે આ સોફ્ટવેર વિધીવત રીતે જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.

પોલીસ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પથિક સિસ્ટમથી શહેરોમાં રહેતા અને આવનારા લોકો અંગે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ થવાથી સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. સાથે જ હોટલ ઉદ્યોગ માટે પણ આ વ્યવસ્થા સરળ અને સમય બચાવનારુ સાબિત થશે.

સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી, 10 કરોડની ખંડણીની માંગ

0

લોરેન્સ બિશ્નોઈ ગેંગ અત્યારસુધી ઘણી જાણીતી ફિલ્મી સેલિબ્રિટીને ધમકી આપી ચૂકી છે. આ ગેંગે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું તો એન્કાઉન્ટર જ કરાવી નાખ્યું હતું. ત્યારે હવે વધુ એક સિંગર પર આ ગેંગની નજર પડી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે જાણીતા ગાયક બી પ્રાકને ધમકી આપી છે.

સિંગર દિલનૂરને આવ્યો ધમકીભર્યો વોઈસ મેસેજ
લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સિંગર બી પ્રાક પાસે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જો આ રકમ નહીં આપવામાં આવે તો તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક મેંમ્બરે બી પ્રાકના સાથી દિલનૂરને ફોન કરીને કહ્યું હતું કે, “10 કરોડ રૂપિયા આપ, નહીંતર માટીમાં ભેળવી દઈશું.” ધમકી આપનારે પોતાની ઓળખ આરજુ બિશ્નોઈ તરીકે આપી હતી અને એક અઠવાડિયાની અંદર આ રકમ ચૂકવવા કહ્યું હતું.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આપવામાં આવેલી ધમકીને લઈને મોહાલી ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંજાબી સિંગર દિલનૂરે SSP મોહાલી પાસે ફરિયાદમાં લખાવ્યું છે કે, “કોલ કરવા વાળાએ પોતાને આરજુ બિશ્નોઈ ગણાવીને કહ્યું કે, તારા મિત્ર, બોલીવૂડ અને પંજાબી સિંગર બી પ્રાકને કહીં દે કે તે 10 કરોડ રૂપિયાની ખંડણઈ આપી દે, નહીંતર એક અઠવાડિયામાં તેનું ખરાબ પરિણામ આવશે.”

મળતી માહિતી મુજબ, 5 જાન્યુઆરીના રોજ એક ફોરેન નંબરથી દિલનૂરને બે મિસ્ડ કોલ આવ્યા હતા. જેનો દિલનૂરે કોઈ જવાબ આપ્યો ન હતો. 6 જાન્યુઆરીએ બીજા ફોરેન નંબરથી કોલ આવ્યો હતો. જેને રિસિવ કરતા દિલનૂરને સામેવાળી વ્યક્તિની વાતચીત શંકાસ્પદ લાગી હતી. જેથી તેણે કોલ કાપી નાખ્યો હતો. ત્યારબાદ તરત તેને એક વોઈસ મેસેજ આવ્યો હતો. જેમાં 10 કરોડ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી હતી.