Home Blog Page 185

ગુજરાત વિધાનસભામાં રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ, ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

હાલમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે હવે આજે સત્રના ત્રીજા દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જો કે આ બજેટ રજૂ થાય તે અગાઉ રાજ્યમાં વિપક્ષ તરીકે વિરોધ પ્રદર્શન પણ શરુ થયા છે.

વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસકાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે.

બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે. ત્યાર બાદ લગભગ 1 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે. ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, MSME સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે. સભ્યો દ્વારા પ્રજા સંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ થવાની શક્યતા છે.

નાણા મંત્રીએ વિધાનસભામાં બજેટ સ્પીચ શરુ કરી
ગુજરાત વિધાનસભામાં રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ : કનુ દેસાઈ
PMJAYના ધોરણે રાજ્ય સરકારના ૬ લાખ ૪૦ હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્‍શનરોને ₹૧૦ લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ​મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર “અર્નિંગ વેલ-લીવીંગ વેલ” પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું ₹૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું (₹૪,૦૮,૦૫૩ કરોડ) વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ
•અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.

•સ્વચ્છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹૫૭૭ કરોડની જોગવાઇ.
•શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
•ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ₹૩૨૯ કરોડની જોગવાઇ.
•સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ.

સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઇ
•મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
•વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
•GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
•સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની

વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
•ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
•રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
•કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ
રાજ્યની લગભગ ૪૮%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

•શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.
•શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹૩૩૫૪ કરોડની જોગવાઇ.
•અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઇ.
•અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹૧૯૦૦ કરોડની જોગવાઇ.
•પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઇ
•ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
•અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹૩૧૨ કરોડની જોગવાઇ.
•વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
•વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ.

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

•રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹૧૦૦૦૮ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹૯૫૦ કરોડની જોગવાઇ.
•અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ.
•ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹૭૭૪ કરોડની જોગવાઇ.
*રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹2006 કરોડની જોગવાઇ
•અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ•વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ.
•અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ.
•કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹28 કરોડની જોગવાઇ
•વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹૧૮૫ પ્રતિ ક્વિન્‍ટલ કરવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
•૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹૧ પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹૫૯ કરોડની જોગવાઇ.
•શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ.
•કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
•NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ
•૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹૮૪૨ કરોડની જોગવાઇ.
•NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹૭૦૦ કરોડની જોગવાઇ.
•“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹૪૨૫ કરોડની જોગવાઇ.
•રાજ્યના ૮ લાખ અંત્યોદય તથા ૨૪ લાખ બીપીએલ એમ મળી કુલ ૩૨ લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ.
•NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹૧૦૦ પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹૧૧૭ કરોડની જોગવાઇ.

યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડની જોગવાઇ
•અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.

સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.
•યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.
•ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ

આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

•પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.
•G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
•આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹400 કરોડની જોગવાઇ
•મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
•૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹૧૨૬ કરોડની જોગવાઇ.
•સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ.
•i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
•સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.

‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડ’ : કનુ દેસાઈ
​રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી’ અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયું છે. જેને લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાઈ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની જોગવાઇ સૂચવું છું.

‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડ’
​દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ સૂચવું છું.

18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹112કરોડની જોગવાઇ

•પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૯ કરોડની જોગવાઇ.
•પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹૧૧૪ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૧૮ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૨ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
•દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹૯૧ કરોડની જોગવાઇ.
•સરકારી શાળાઓની ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજિત ૯ લાખ ૭૨ હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
•પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.
•રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે ૧૩૨૮ વિદ્યાર્થીઓને લાભ આપવા ₹૧૮ કરોડની જોગવાઇ.
•ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.
•મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹૩૦૫૫ કરોડની જોગવાઇ.
•નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
•રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઇ.
•પી.એમ. પોષણ યોજના અંતર્ગત ૭૪ તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹૫૫૨ કરોડની જોગવાઇ.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઇ
વિકસિત ગુજરાત@૨૦૪૭ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.

•નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે ₹૨૨૬ કરોડની જોગવાઇ.
•શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•શ્રમિક બસેરા યોજના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
•રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹૯૭ કરોડની જોગવાઇ.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા ₹84 કરોડની જોગવાઇ

•વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹૬૪ કરોડની જોગવાઇ.
•ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹૬૦ કરોડની જોગવાઇ.
•નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
•રાજ્યની તમામ સરકારી ITIના ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે ૨ યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
•મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
•સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્‍વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹૫ લાખની સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.

‘સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટમાં i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવા માટે ₹80 કરોડ’
અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણ્યું છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલી ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹80 કરોડની જોગવાઇ સૂચવું છું.

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઇ

•આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
•મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹૧૧૧ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.

•સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૫ કરોડની જોગવાઇ.
•કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
•અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹૪૦ કરોડની જોગવાઇ.
•આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
•રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.
•યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે ₹૧૨ કરોડની જોગવાઇ.

ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200કરોડની જોગવાઇ

•દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹૧૪૬ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹૨૨ કરોડની જોગવાઇ.
•કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.

સુરત મનપાની કડક કાર્યવાહી: સાઉથ-વેસ્ટ ઝોનમાં 168 મિલકતો સીલ, રૂ.70 લાખથી વધુ વસૂલાત

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 168 જેટલી મિલકતોને સીલ મારી દીધી હતી. આ સાથે જ રૂપિયા 70 લાખથી વધુની વસૂલાત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ અઠવાલાઇન્સ, વેસુ, ડુમસ, ભટાર, મજુરા, અલથાણ, સિટીલાઇટ તેમજ ભીમરાડ જેવા વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરી રહ્યા હતા, તેમની સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અનેક બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેવી મિલકતો સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ, કે તુરંત જ અનેક મિલકતદારોએ બાકી લેણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ ઝુંબેશ દરમિયાન મનપાએ એક જ દિવસમાં કુલ ₹70,67,183 (સિત્તેર લાખ સડસઠ હજાર એકસો ત્યાસી રૂપિયા)ની રોકડ વસૂલાત કરી હતી.

સાઉથ-વેસ્ટ ઝોન દ્વારા સતત વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કડક વસૂલાત અને ઝુંબેશના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં આ ઝોન દ્વારા કુલ ₹189.54 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. હજુ પણ માર્ચ મહિના સુધી આ કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ અને દારૂના આંકડાઓ પર પ્રશ્ન પૂછાયો

અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નશીલા પદાર્થો અને દારૂના મોટા જથ્થા ઝડપાયા હોવાના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. આંકડા મુજબ શહેરમાં ૧૮ કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ, ૨.૬૦ કરોડ રૂપિયાનો દેશી દારૂ તેમજ અંદાજે ૨૦.૫૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, ઉપરાંત ૯૦ લાખથી વધુના અન્ય માદક પદાર્થો પણ કબજે લેવાયા છે.

શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રીએ આ વિગતો આપી હતી. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શહેરમાં નશીલા પદાર્થોના વધતા દૂષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ પર માત્ર ૪૫ દિવસમાં ૭૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે આ મામલે આઇપીએસ કક્ષાના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી હતી. ચાવડાએ વધુમાં કહ્યું કે રાજ્યનો એકપણ ધારાસભ્ય એવો દાવો કરી શકે નહીં કે તેના વિસ્તારમાં દારૂ મળતો નથી.

સુરત પોલીસનો ફિલ્મી ઓપરેશન: ‘ચા વાળા’ બની 21 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપ્યો

સુરત પોલીસની એક દબંગ કાર્યવાહીનો નમૂનો સામે આવ્યો છે, સુરત પોલીસે નાસતા ફરતા આરોપીને 21 વર્ષે દબોચ્યો છે, તે પણ એક ખાસ ઓપરેશન અંતર્ગત. ખરેખરમાં, છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપીને સુરત પોલીસે યુપીના પ્રયાગરાજમાંથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસે પોતાનો વેશપલટો કરી જોનપુરથી પ્રયાગરાજ સુધી પીછો કર્યો અને બાદમાં ઓળખ છુપાવી ચા વાળા બનીને આરોપીને પકડી પાડ્યો હતો.

આ સમગ્ર ઓપરેશનમાં સુરત પોલીસે આરોપીઓને પકડવા માટે વેશપલટો કર્યો હતો. એક હેડ કોન્સ્ટેબલ ‘ચા વાળા’ બની ભીડભાડ વિસ્તારમાં નજર રાખી રહ્યા હતા, જ્યારે અન્ય ટીમે આસપાસ ગુપ્ત વોચ ગોઠવી હતી.

ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય માહિતીના આધારે ચોક્કસ લોકેશન ટ્રેસ કરી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીઓ સામે 2005માં હથિયાર સાથે મારામારીનો ગુનો નોંધાયો હતો. 21 વર્ષ પહેલાં અશ્વિનીકુમાર ગૌશાળા સર્કલ પાસે ફરિયાદી નવીન રાવળિયા સાથે ઝઘડો થયો હતો. તે સમયે આરોપીઓ પાસે પિસ્તોલ અને તલવાર હતી અને તલવારથી હુમલો કર્યો હતો. લોકો ભેગા થતા આરોપીઓ પિસ્તોલ અને રિક્ષા સ્થળ પર જ મૂકી પોતાના વતન ભાગી ગયા હતા. ત્યારથી બંને આરોપીઓ અલગ-અલગ સરનામાં પર રહી પોતાની ઓળખ છુપાવતા હતા.

પોલીસે સંતોષ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ રાજબહાદુર ઉર્ફે રામકુમાર યાદવને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પ્રયાગરાજના અત્તરસુઈયા ચૌરાહા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેઓ ત્યાં ઈંડાની લારી અને ગેરેજ ચલાવી સામાન્ય જીવન જીવી રહ્યા હતા, જેથી કોઈને શંકા ન જાય. સુરત શહેર એસઓજી અને વરાછા પોલીસ સ્ટેશનની સંયુક્ત કાર્યવાહીથી આ મોટી સફળતા મળી છે.

મેરઠમાં પકડાયેલી પાકિસ્તાની મહિલા સબા વિશે શું સત્ય છે? પુત્રી એમન અને પુત્ર ફરહાજ વકીલ, પતિ બેન્ડનો વેપારી

0

ઉત્તર પ્રદેશના મેરઠમાં 37 વર્ષથી નકલી મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરીને રહેતી પાકિસ્તાની મહિલા સબા, જેને નાઝિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ધરપકડથી વ્યાપક ચર્ચા થઈ છે. સબાની પુત્રી, આઈમાન, પણ પાકિસ્તાની નાગરિક છે અને તેનો જન્મ ત્યાં થયો હતો. સબાના બે પુત્રોનો જન્મ મેરઠમાં થયો હતો. પુત્રી આઈમાન અને પુત્ર ફરહાઝ બંને કાયદાનો અભ્યાસ કરે છે. સબાના પતિ, ફરહત મસૂદ, એક બેન્ડ બિઝનેસમેન છે.

જ્યારે પોલીસે પાકિસ્તાની મહિલા સબા ઉર્ફે નાઝિયાની ધરપકડ કરી અને તેને દિલ્હી ગેટ પોલીસ સ્ટેશન લાવી, ત્યારે તેનો પુત્ર ફરહાઝ પણ ત્યાં પહોંચ્યો. તેણે પોલીસને જણાવ્યું કે તેના પિતા, જે એક બેન્ડ બિઝનેસમેન છે, તેમની પાસે નાદિર અલી વક્ફના નામે કિંમતી મિલકત છે. આ મિલકત અંગે વિવાદ છે. ફરિયાદી રૂખસાના આ મિલકત પર ભાડૂઆત છે. તેણે અગાઉ તેની સામે કોર્ટ કેસ દાખલ કર્યો હતો, જે પેન્ડિંગ છે. આ વિવાદ અંગે રૂખસાનાએ સબા વિરુદ્ધ FIR દાખલ કરી છે.

દરમિયાન, સબાની પુત્રી, આઈમન, જેનું નામ આ કેસમાં છે, તે કહે છે કે તેના પિતા ભારતીય હોવાથી, તે પણ ભારતીય નાગરિક છે. તેની માતા લાંબા સમયથી ભારતીય નાગરિકતા મેળવવા માંગતી હતી. આઈમન દલીલ કરે છે કે જો તેણીને છેતરપિંડીના દોષી ઠેરવવામાં આવી હોત, તો તે વકીલ કેવી રીતે બની શકી હોત?

નોંધનીય છે કે રૂખસાનાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે સબાના પિતા ISI એજન્ટ હતા. એવી શંકા છે કે માતા અને પુત્રી પાકિસ્તાની જાસૂસો અથવા સ્લીપર સેલ તરીકે કામ કરી રહ્યા છે. એવો આરોપ છે કે બંને ઓળખના ઢાંકણ હેઠળ વારંવાર આર્મી હેડક્વાર્ટર અને દિલ્હીમાં વિદેશ મંત્રાલયની મુલાકાત લેતા હતા.

મેરઠ પોલીસે સબાનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. ફોનની તપાસમાં ખબર પડશે કે માતા અને પુત્રી કેટલી વાર પાકિસ્તાન ગયા હતા અને ત્યાં તેઓ કોને મળ્યા હતા. એસએસપી અવિનાશ પાંડે કહે છે કે પ્રાથમિક તપાસમાં સબા સામેના આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું છે. તેથી, એફઆઈઆર નોંધવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. નકલી ઓળખ કાર્ડ બનાવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાહકની ફરિયાદ ભારે પડી: Ola Electricના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

0

દેશની મુખ્ય ઈલેક્ટ્રી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ‘ઓલા ઈલેક્ટ્રીક’ની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈવીમાં લાગી રહેલી આગ જેવા પડકારોનો સામનો કરી રહેલા કંપનીના સીઈઓ અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ મોટી મુસીબતમાં ફસાયા છે. ગોવાની ગ્રાહક તકરાર નિવારણ આયોગે ઓલા ઈલેક્ટ્રીક સંબંધીત એક કેસમાં કડક વલણ અપનાવીને ભાવિશ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

વાસ્તવમાં પ્રીતિશ ચંદ્રકાંત ઘાડીએ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરી છે. ઘાડીએ આક્ષેપ કર્યો છે કે, તેમણે ઓલાને ઈલેક્ટ્રીક બાઈક રેપિરંગ કરવા માટે આપ્યું હતું. જોકે કંપની તે બાઈકની કોઈપણ માહિતી આપતી નથી. ચોંકાવનારી વાત એ છે કે, ઘાડીએ ઓલાને પહેલેથી જ બાઈકની સંપૂર્ણ કિંમત ચુકવી દીધી છે, છતાં તેમને હજુ સુધી બાઈક અપાઈ નથી. એટલું જ નહીં કંપની તેમને સંતોષકારણ જવાબ પણ આપતી નથી.

ફરિયાદીએ કહ્યું કે, તેણે ઓલા ઈલેક્ટ્રીક પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઈલેક્ટ્રીક બાઈક ખરીદી હતી. થોડા સમય બાદ તેમાં ખામી શરૂ થઈ ગઈ, ત્યારબાદ તેમણે બાઈક રિપેરિંગ કરવા માટે ઓલાને સોંપી દીધી. ઘણો લાંબો સમય થવા છતા હજુ સુધી બાઈક રિપેરિંગ કરીને પરત અપાઈ નથી અને હાલ તેઓની બાઈક ક્યાં છે, તેની માહિતી કંપની આપી જ નથી.

ગોવાના ગ્રાહક વિવાદ નિવારણ પંચ ઘાડીની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. પંચે ચોથી ફેબ્રુઆરીએ આપેલી આદેશમાં કહ્યું છે કે, ગ્રાહકે ઓલાને સંપૂર્ણ કિંમત ચૂકવી છતાં કંપનીએ ખૂબ જ બેજવાબદારભર્યું વર્તન દાખવ્યું છે. કંપનીએ ગ્રાહક વિરુદ્ધ કરેલો વ્યવહાર બેજવાબદાર અને ઉદાસીન છે. આ જ કારણે ફરિયાદીની બાઈક વિશે સ્પષ્ટ માહિતી મળે તે માટે, પંચે ઓલા ઈલેક્ટ્રીકના CEO અને ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal)ને વ્યક્તિગત હાજર થવાનો આદેશ આપ્યો છે. પંચે તેમને બાઈક રિપેરિંગ કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો અને ડિલીવરી કેમ કરવામાં આવી નથી, તેનો જવાબ આપવા આદેશ કર્યો છે.

હાજર ન થતા ધરપકડ વોરંટ
પંચનો આદેશ છતાં ભાવિશ અગ્રવાલ હાજર થયા નથી, જેના કારણે પંચે કડક વલણ અપનાવીને બેંગલુરુ પોલીસને તેમના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ફટકારવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ 1,47,499ના રકમના જામીન વોરંટ જારી કરવામાં આવ્યા છે. પંચે તેમના બેંગલુર સ્થિત નિવાસસ્થાને વોરંટ મોકલવાનો આદેશ આપ્યો છે. જો તેઓ પોલીસ સમક્ષ હાજર થાય અને આ રકમ જેટલા જામીન રજૂ કરે, તો તેમની ધરપકડ ટાળી શકાય છે. પંચે આગામી સુનાવણી 23 ફેબ્રુઆરી-2026ના રોજ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. સીઈઓ અને ફાઉન્ડર ભાવિષ અગ્રવાલે આ જ દિવસે હાજર થવાનું છે.

જર્સીમાં જાતીય શોષણ સહિતના આરોપોમાં ભારતીય નાગરિકની ધરપકડ

ન્યુ જર્સીમાં યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ વોડેલા યશસ્વી કોટ્ટાપલ્લી તરીકે ઓળખાતા ભારતીય નાગરિકની 13 વર્ષથી ઓછી ઉંમરના બાળક પર કથિત જાતીય હુમલો, તેમજ દુકાનમાં ચોરી અને જાહેર અવ્યવસ્થાના ગુનાઓ સહિતના અનેક બાકી આરોપોમાં અટકાયત કરી છે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અનુસાર, કોટ્ટાપલ્લી હાલમાં કસ્ટડીમાં છે અને યુએસ ઇમિગ્રેશન કાયદા હેઠળ દેશનિકાલની કાર્યવાહી સુધી તેને અટકાયતમાં રાખવામાં આવશે. અધિકારીઓએ તેને જાતીય હુમલો અને ચોરી સંબંધિત ન્યુ જર્સી રાજ્યમાં સક્રિય આરોપો સાથે ગુનેગાર ગેરકાયદેસર વિદેશી તરીકે વર્ણવ્યો હતો.

ICE એ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓ દેશનિકાલની કાર્યવાહી ચાલુ રાખશે ત્યાં સુધી તેને કેદમાં રાખવામાં આવશે.

આ અટકાયત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ભારતીય નાગરિકોના દેશનિકાલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અહેવાલો દર્શાવે છે કે ફક્ત 2025 માં 3,258 ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા, જે 2009 પછીનો સૌથી વધુ આંકડો છે.

ફોજદારી કેસમાં કોર્ટ કાર્યવાહી અંગે વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વૈશ્વિક માંગ ઘટતા સોના-ચાંદીમાં ભારે ઘટાડો, ચાંદી રૂ.10,000 અને સોનું રૂ.3,000 ઘટ્યું

વૈશ્ર્વિક ડીમાન્ડમાં ઘટાડા અને સોના ચાંદીના ભાવ હજુ વધુ ઘટી શકે છે તેવા રિપોર્ટના આધારે ચાંદીમાં આજે ગઈકાલના બંધથી રૂા.10,000 નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ ગઈકાલનાં બંધથી રૂા. 3000નો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે એમસીએકસમાં ચાંદીનો બંધ ભાવ 2,39,891 પર જોવા મળ્યો હતો. જે આજે એક સમયે ઘટીને 2,29,300 સુધી પહોંચતાં રૂા.10,000નો ઘટાડો નોંધાયો હતો. જો કે બપોર બાદ થોડી રીકવરી થઈ હતી અને હાલ ચાંદી 234210 પર જોવા મળી છે. એટલે કે અત્યારે હજુ રૂા.5500 ચાંદી ઘટેલી છે.

બીજી બાજુ સોનામાં પણ નરમાઈ જોવા મળી છે. ગઈકાલે 1,54,760 પર સોનુ બંધ આવ્યું હતું. જ્યારે આજે સોનુ ઘટીને 1,51,244 સુધી પહોંચ્યું હતું. એટલે કે લગભગ રૂા.3500 જેટલો દિવસ દરમ્યાન ઘટાડો નોંધાયો છે. હાલ 152950 પર પહોંચ્યો છે. બપોરના ત્રણ વાગ્યે સોનુ ગઈકાલ કરતાં રૂા.2000નો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ ઘટીને 4924 ડોલર પર આવી ગયું છે. જ્યારે ચાંદી 74.80 ડોલર પર જોવા મળે છે, રાજકોટમાં સોનાનો ભાવ 156930 પર જોવા મળ્યો છે.

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત લેખક અને સલમાન ખાનના પિતા સલીમ ખાન અચાનક બીમાર પડી ગયા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતાના પિતાના સ્વાસ્થ્ય વિશે વધુ અપડેટની રાહ જોવાઈ રહી છે. જોકે, આજે સવારે સલમાન ખાન હોસ્પિટલમાં જોવા મળ્યો હતો. “બેટલ ઓફ ગલવાન” ના શૂટિંગમાં વ્યસ્ત અભિનેતાને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. હોસ્પિટલની બહારથી સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તેમના ચાહકો ચિંતિત થઈ ગયા હતા. લોકો અભિનેતાના પિતાના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

સલમાનના પિતા સલીમ ખાન 90 વર્ષના છે. ખાન પરિવારે હજુ સુધી તેમના બગડતા સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. ખુદ સલમાન ખાને પણ હોસ્પિટલની બહાર મીડિયા સાથે વાત કરી નથી. તે સ્પષ્ટ નથી કે સલીમ ખાનને કોઈ તકલીફ છે કે તેઓ ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા છે. જોકે, સલમાન સહિત પરિવારના અન્ય સભ્યો હજુ સુધી હોસ્પિટલમાં જોવા મળ્યા નથી.

ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન કાળી ટી-શર્ટ પહેરીને હોસ્પિટલ છોડી રહ્યો છે. કડક સુરક્ષા વચ્ચે તેમની કાર રવાના થઈ. જોકે, અભિનેતાના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. તેમની સાથે જોવા મળતા ઘણા લોકો બેટલ ઓફ ગલવાન ટી-શર્ટ પહેરેલા હતા. એક નવા વીડિયોમાં, અતુલ અગ્નિહોત્રી પણ લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા જોવા મળે છે. એક નિર્માતા અને સલમાનની બહેન, અલવીરા ખાનના પતિ, પણ જાણીતા છે. સલમાન ખાન ક્યારે હોસ્પિટલમાં પહોંચ્યો તે જાણી શકાયું નથી, પરંતુ તેમને ત્યાંથી જતા જોવામાં આવ્યા હતા. હકીકતમાં, 60 વર્ષની ઉંમરે, સલમાન ખાન અપરિણીત રહે છે. તે તેના માતાપિતા સાથે રહે છે અને તેમની સંભાળ રાખે છે.

પાકિસ્તામાં આત્મઘાતી હુમલો, ભારત પર આરોપ

0

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 સેનાના જવાનો માર્યા ગયા. આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં એક સેના ચેકપોસ્ટ પર થયો હતો. એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલી કાર ચેકપોસ્ટ સાથે અથડાવી દીધી હતી, જેમાં ત્યાં હાજર 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

મંગળવારે પાકિસ્તાની સેના દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાજૌર જિલ્લામાં સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની સંયુક્ત ચેકપોસ્ટ પર 16 ફેબ્રુઆરીએ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાએ આ હુમલા માટે તહરીક-એ-તાલિબાન (TTP) ને જવાબદાર ઠેરવી છે. પાકિસ્તાની સેનાએ આરોપ લગાવ્યો છે કે TTP એ ભારતની મદદથી આ હુમલો કર્યો છે.

પાકિસ્તાની સૈન્યએ દાવો કર્યો હતો કે હુમલા બાદ સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો, જેમાં 12 હુમલાખોરો માર્યા ગયા હતા. સૈન્યએ ઉમેર્યું હતું કે વિસ્ફોટથી ચોકીની આસપાસના રહેણાંક મકાનોની બારીઓ તૂટી ગઈ હતી. સૈન્યએ અહેવાલ આપ્યો હતો કે આ ઘટનામાં એક નાગરિકનું મોત થયું હતું અને મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય ઘાયલ થયા હતા.

પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે “ભારતીય પ્રોક્સી TTP” ના હુમલાખોરોએ ચોકી પર હુમલો કર્યો અને પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ ગોળીબાર કર્યો, ત્યારે હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલું વાહન દિવાલ સાથે અથડાવ્યું. પાકિસ્તાની સેનાએ 11 સુરક્ષા કર્મચારીઓ અને એક યુવાન છોકરીના મૃત્યુની જાણ કરી છે.

પાકિસ્તાની સૈન્યના નિવેદનમાં તેની નિષ્ફળતાઓ માટે ભારતને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પ્રાયોજિત આતંકવાદીઓને ખતમ કરવા માટે કાર્યવાહી ચાલી રહી છે અને ભારતીય સેના આઝમ-એ-ઇસ્તેહકમના નેજા હેઠળ સતત આતંકવાદ વિરોધી ઝુંબેશ ચલાવી રહી છે.

આ હુમલો બાજૌર જિલ્લાના વાર મામુન્ડ તહસીલમાં પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં સ્ટેશન હાઉસ ઓફિસરના મૃત્યુના થોડા દિવસો પછી થયો હતો. છેલ્લા એક વર્ષમાં કેપીમાં આવા હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. પ્રાંતમાં આવા હુમલાઓમાં 2024 માં 1,620 લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2025 માં વધીને 2,331 થયા છે.

કેપી અને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સતત હિંસા જોવા મળી છે. બંને પ્રાંતોમાં ઘણા સશસ્ત્ર જૂથો પાકિસ્તાની સરકાર સામે યુદ્ધ કરી રહ્યા છે. આ પ્રાંતોની બહાર, દેશની રાજધાની ઇસ્લામાબાદમાં પણ આ મહિનાની શરૂઆતમાં એક મોટો હુમલો થયો હતો. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક શિયા મસ્જિદ પર થયેલા હુમલામાં છત્રીસ લોકો માર્યા ગયા હતા.