Home Blog Page 181

લોરેન્સ બિશ્નોઇ ગેંગની ‘મેડમ ઝહર’ની ધરપકડ, જાણો સમગ્ર મામલો ?

0

દિલ્હી પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગની મહિલા ડોન નેહા ઉર્ફે મેડમ જહર અને તેના પ્રેમી બોબી કબૂતરની ધરપકડ કરી છે. નેહા બ્યુટી પાર્લરની આડમાં ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવતી હતી, જ્યારે બોબીએ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસની રેકી કરી હતી. તેમના કબજામાંથી હથિયારો અને ડ્રગ્સનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે.

અંડરવર્લ્ડ અને ગેંગસ્ટરની દુનિયામાં, ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલા ડોન પણ વધુને વધુ પ્રભુત્વ મેળવી રહ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ (કાઉન્ટર ઇન્ટેલિજન્સ) એ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગની સક્રિય સભ્ય ખુસનુમા અંસારી ઉર્ફે નેહાની ધરપકડ કરી છે. નેહા ગેંગમાં “મેડમ જહર” તરીકે જાણીતી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નેહા ઉત્તરપૂર્વ દિલ્હીમાં બ્યુટી પાર્લર ચલાવતી હતી. જો કે, આ પાર્લરની આડમાં, તે ખરેખર લોરેન્સ બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગ માટે ડ્રગ્સ સિન્ડિકેટ અને હથિયાર સપ્લાય ઓપરેશનનું સંચાલન કરતી હતી.

પોલીસે મહિપાલપુર ફ્લાયઓવર નજીક ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરી. નેહા લોરેન્સ બિશ્નોઈ ગેંગના મુખ્ય બંદૂકધારી અને હથિયાર સપ્લાયર બોબી કબૂતર ઉર્ફે મહફૂઝની ગર્લફ્રેન્ડ છે. આ બંને છેલ્લા સાત વર્ષથી સંપર્કમાં છે. બોબી કબૂતર એ ગુનેગાર છે જેણે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પહેલા રેકી કરી હતી અને હત્યારાઓને મૂસેવાલાના રૂટ અને ગતિવિધિઓ વિશે ચોક્કસ માહિતી પૂરી પાડી હતી.

બોબી કબૂતરનું નેટવર્ક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI ના એજન્ટ સલીમ પિસ્તોલ સુધી વિસ્તરેલું હતું. તેણે સલીમ પિસ્તોલનો ઉપયોગ સલીમ પિસ્તોલ પાસેથી હથિયારો એકઠા કરવા અને બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગને સપ્લાય કરવા માટે કર્યો હતો. આ હથિયારોનો ઉપયોગ મૂસેવાલા હત્યા કેસથી લઈને અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબાર, દિલ્હીમાં નાદિર શાહ હત્યા કેસ અને સીલમપુર ડબલ મર્ડર સુધીના અનેક ગંભીર ગુનાઓમાં થયો છે.

ટેકનિકલ દેખરેખ અને ગુપ્ત માહિતીના આધારે, સ્પેશિયલ સેલે બોબી કબૂતર, નેહા અને બે સાથીઓ (મોહમ્મદ રાજી ખાન અને શાહબાઝ) ની ધરપકડ કરી હતી. બોબી સતત પોતાની ઓળખ અને સ્થાન બદલતો રહ્યો, પરંતુ પોલીસે તેને ઘેરી લીધો અને પકડી લીધો. હાલમાં, પોલીસ નેહા પાસેથી બિશ્નોઈ અને હાશિમ બાબા ગેંગના ડ્રગ કનેક્શન અને અન્ય રહસ્યો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અમદાવાદમાં ગુનાખોરીમાં ઉછાળો, બે વર્ષમાં બળાત્કારના 565 કેસ

અમદાવાદ સલામત શહેર હોવાના ગાણાં ગાવામાં આવે છે. પરંતુ આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં બળાત્કારના કુલ 565 ગુના નોંધાયા છે. એટલું જ નહીં ખૂન, ચોરી અને અપહરણ તેમજ દારૂને લગતા ગુનાઓના બનાવોમાં વધારો થયો હતો. અમદાવાદમાં સતત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ યોજાઇ રહી છે ત્યારે અનેક પ્રકારના ગુનાઓમાં વધારો થઇ રહ્યો છે.

કોંગ્રેસના સભ્યો દ્વારા અમદાવાદમાં ગુનાખોરી અંગે પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં ગૃહ વિભાગે માહિતી આપી હતી. ડિસેમ્બર-2025ની સ્થિતિએ અમદાવાદ અને રાજકોટમાં મળીને બે વર્ષમાં કુલ 62, 762 આરોપીઓ પકડાયા હોવાની અને 385 આરોપીઓને પકડવાના બાકી હોવાની જાણકારી પણ અપાઇ હતી. 44,288 ગુનાના ભેદ પણ ઉકેલવામાં આવ્યા છે.

અન્ય એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ડ્રગ્સ, અફીણ, ચરસ અને ગાંજા સંબંધિત ગુનામાં રાખવામાં આવેલા આરોપીઓની કુલ સંખ્યા 737 છે. જ્યારે કુલ 338 આરોપીઓને જેલમાંથી જામીન મળતા મુક્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદની સાબરમતી જેલમાં જાન્યુઆરી-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 6 આરોપીઓએ આપઘાત કર્યો હોવાની માહિતી પણ અપાઇ હતી. તેની પાછળના કારણોમાં સજા થવાનો તણાવ, પોતાના ગુના બદલ શું સજા થશે, ટીબીની બીમારીથી લાગી આવતા, પ્રેમિકાએકેસ કરતા જેલમાં રહેવું પડેશે તેવો ડર અને જામીન નહીં મળવા સહિતના કારણોથી જેલમાં આરોપીઓએ આપઘાત કર્યો હોવાનું વિભાગ દ્વારા જણાવાયું હતું.

ગુજરાતમાં વિવિધ એજન્સીઓએ વર્ષ 2025 દરમિયાન અમદાવાદમાં ₹10.71 કરોડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ₹3.87 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું, તેમ રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન સુરતમાં ₹6.63 કરોડની IMFL અને ₹13.29 કરોડની કિંમતના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ અને સુરતમાં દારૂ અને ડ્રગ્સના જથ્થા, ધરપકડ કરાયેલા અને ફરાર આરોપીઓની સંખ્યા અને ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારીઓ સામે લેવાયેલા પગલાંની વિગતો માંગી હતી.

લેખિત જવાબમાં, ગૃહ વિભાગે જણાવ્યું હતું કે દારૂના વેપાર અથવા ડ્રગ્સના વેચાણમાં સંડોવણી બદલ છેલ્લા એક વર્ષમાં 24,793 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 316 આરોપીઓ હજુ પણ ફરાર છે. છેલ્લા એક વર્ષમાં જિલ્લા ફેર બદલી, સસ્પેન્શન અને દંડ જેવા પગલાં દ્વારા 40 અધિકારીઓ અને 574 કોન્સ્ટેબલો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.

દારૂબંધીનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું હતું કે શું રાજ્યમાં કાયદાનું અસરકારક રીતે પાલન થઈ રહ્યું છે? હું મંત્રી પાસેથી જાણવા માંગુ છું કે શું રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે? તેમજ, દારૂના ચલણમાં સંડોવણી બદલ નીચલા સ્તરના પોલીસ કર્મચારીઓને દંડ કરવા માટેના નિર્ધારિત નિયમો છે, તો શું સરકાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે પણ આવા નિયમો બનાવવાનો ઈરાદો ધરાવે છે? તેવો પ્રશ્ન કર્યો હતો.

આના જવાબમાં સરકારે કહ્યું કે દારૂ અને નશીલા પદાર્થો વિરુદ્ધ ગુજરાત પોલીસના પ્રયાસો મજબૂત અને સતત છે. કાયદો અમલમાં છે તેને કારણે જ ગુજરાત ATS એ કેન્દ્રીય દળો સાથે મળીને નશીલા પદાર્થોના કન્સાઈનમેન્ટ પકડવા માટે હિંમતભર્યા ઓપરેશન હાથ ધર્યા છે. કેટલાય કિસ્સાઓમાં, ATS એ એવા નશીલા પદાર્થો જપ્ત કર્યા છે જે ગુજરાતમાં ઉતારવાના પણ નહોતા.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું, માયાવતીએ એકલા ચૂંટણી લડવાની જાહેરાત

0

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકારણ અત્યારથી ગરમાયું છે. જેમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું આ ચૂંટણી માટે આંબેડરવાદી લોકો દેશમાં સક્રિય થાય. તેમજ દિલ્હીમાં ટાઈપ-8 બંગલાની ફાળવણી પાછળ લખનઉ ગેસ્ટ હાઉસ કાંડને જવાબદાર ગણાવ્યો છે.

અમને સત્તાથી દૂર રાખવા માટે વધુ પ્રયાસો કરાશે
માયાવતીએ બુધવારે લખનઉમાં જાહેરાત કરી હતી કે તેઓ યુપી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે લોકશાહી અને બંધારણને મજબૂત કરવાને બદલે, આજકાલ સફળતાની ચાવી તરીકે એઆઇ વિશે ચર્ચાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે જેમ જેમ યુપીની ચૂંટણી નજીક આવશે. તેમ તેમ અમારા વિરોધીઓ અમને સત્તાથી દૂર રાખવા માટે વધુ પ્રયાસો કરશે. તેઓ અમારી વિરુદ્ધ કાવતરું ઘડશે. તેથી સમગ્ર દેશના આંબેડકરવાદીઓએ ડૉ. આંબેડકરના આત્મસન્માન માટેના આંદોલનને મજબૂત બનાવવા માટે કામ કરતા રહેવું જોઈએ.

ચૂંટણી ગઠબંધનમાં લડવાની બાબત સંપૂર્ણપણે પાયાવિહોણી
માયાવતીએ જણાવ્યું કે, બસપા યુપી વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં લડવાની બાબત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે. બસપા પોતાના દમ પર ચૂંટણી લડશે. બસપાના સભ્યો સારી રીતે જાણે છે કે કોંગ્રેસ, સપા અને ભાજપ જેવા પક્ષો સંકુચિત અને આંબેડકર વિરોધી વિચારો ધરાવે છે. તેઓ ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવા માટે આવા ષડયંત્ર રચે છે. તેમજ કાર્યકરોને અપીલ કરી કે વર્ષ2007 ની જેમ એકલા ચૂંટણી લડો અને પૂર્ણ બહુમતી સાથે બસપા સરકાર બનાવો.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટાઇપ-8 બંગલો ફાળવવામાં આવ્યો
માયાવતીએ દિલ્હીમાં તેમને ટાઇપ-8 બંગલો ફાળવવામાં અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બંગલો ફાળવવામાં આવ્યો છે. મેં તેનો સ્વીકાર કર્યો છે. જોકે, કેટલાક લોકો તેના વિશે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. લોકોએ આ અંગે પણ સાવધ રહેવાની જરૂર છે.

ભારતનું ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન

0

ભારતના ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 ખાલી રાજ્યસભા બેઠકો માટે રાજ્યસભા ચૂંટણીઓની જાહેરાત કરી છે. મતદાનની તારીખ 16 માર્ચ, 2026 છે અને તે જ દિવસે મતગણતરી થશે. મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, આસામ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ખાલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો એપ્રિલમાં અલગ અલગ તારીખે ખાલી થશે. રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ એક તૃતીયાંશ બેઠકો માટે દર બે વર્ષે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાય છે. સૌથી અગત્યનું, લોકસભાથી વિપરીત, રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી, તેથી જ તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે.

રાજ્યસભા ચૂંટણી માટે સંપૂર્ણ શિડ્યૂલ

  • રાજ્યસભા ચૂંટણી માટેનું જાહેરનામું 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવશે.
  • નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 5 માર્ચ, 2026 છે.
  • નોમિનેશનની ચકાસણી 6 માર્ચે થશે, જ્યારે નોમિનેશન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 9 માર્ચ, 2026 છે.
  • રાજ્યસભા ચૂંટણી માટે મતદાન 16 માર્ચ, 2026 ના રોજ સવારે 9:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી થશે.
  • મત ગણતરી તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે શરૂ થશે.
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 20 માર્ચ, 2026 છે.

કયા રાજ્યોમાં બેઠકો ખાલી છે?

  • મહારાષ્ટ્ર: 7 બેઠકો
  • ઓડિશા: 4 બેઠકો
  • તમિલનાડુ: 6 બેઠકો
  • પશ્ચિમ બંગાળ: 5 બેઠકો
  • આસામ: 3 સીટો
  • બિહાર: 5 સીટો
  • છત્તીસગઢઃ 2 સીટો
  • હિમાચલ: 1
  • તેલંગાણા: 2
  • હરિયાણા: 2

મહારાષ્ટ્રમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • ડો.ભગવત કિશનરાવ કરાડ
  • ડૉ.(શ્રીમતી) ફૌઝિયા તહસીન અહેમદ ખાન
  • પ્રિયંકા વિક્રમ ચતુર્વેદી
  • શરદચંદ્ર ગોવિંદરાવ પવાર
  • ધૈર્યશીલ મોહન પાટીલ
  • રજની અશોકરાવ પાટીલ
  • રામદાસ બંધુ આઠવલે

ઓડિશામાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • મમતા મોહંતા
  • મુજીબુલ્લા ખાન
  • સુજીત કુમાર
  • નિરંજન બિશી

તમિલનાડુમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • એન.આર. એલાન્ગો
  • પી. સેલવારસુ
  • એમ. થમ્બીદુરાઈ
  • તિરુચી શિવ
  • ડો. કનિમોઝી એન.વી.એન. સોમુ
  • જી.કે. વાસન

પશ્ચિમ બંગાળમાંથી કોણ નિવૃત્ત થશે?

  • સાકેત ગોખલે
  • ઋતબ્રત બેનર્જી
  • વિકાસ રંજન ભટ્ટાચાર્ય
  • મૌસમ નૂર
  • સુબ્રત બક્ષી

આસામમાંથી કોણ નિવૃત્ત થઈ રહ્યું છે?

  • રામેશ્વર તેલી
  • ભુવનેશ્વર કલિતા
  • અજીત કુમાર ભુયા

બિહારમાંથી રાજ્યસભામાંથી કોણ નિવૃત્ત થશે?

  • અમરેન્દ્ર ધારી સિંહ
  • પ્રેમચંદ ગુપ્તા
  • રામનાથ ઠાકુર
  • ઉપેન્દ્ર કુશવાહા
  • હરિવંશ નારાયણ સિંહ

છત્તીસગઢમાંથી કોણ નિવૃત્ત થશે?

  • કવિ તેજપાલ સિંહ તુલસી
  • ફૂલો દેવી નેતામ

હરિયાણામાંથી કોણ નિવૃત્ત થશે?

  • કિરણ ચૌધરી
  • રામચંદર જાંગરા

હિમાચલ પ્રદેશમાંથી કોણ નિવૃત્ત થશે?

  • ઈન્દુ બાલા ગોસ્વામી

તેલંગાણામાંથી કોણ નિવૃત્ત થશે?

  • ડૉ. અભિષેક મનુ સિંઘવી
  • કે.આર. સુરેશ રેડ્ડી

વેસ્ટ ઝોનમાં ગુજરાતનો ડંકો! ‘ગ્રાફિક્સ અને મીડિયા’ સેક્ટરમાં રેડ એન્ડ વ્હાઇટના વિદ્યાર્થીઓને ₹75,000 સન્માન સાથે નેશનલ ટિકિટ

ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘ભારત કૌશલ્ય સ્પર્ધા 2025-26’ ના વેસ્ટ ઝોન રાઉન્ડમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન નોંધાવ્યું છે. પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યો જેવાકે ગુજરાત. મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ખાસ કરીને ગ્રાફિક્સ અને મીડિયા સેક્ટરમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજયુકેશનના વિદ્યાર્થીઓએ મેડલ જીતીને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. તેમજ રાજ્ય કક્ષા ની સ્પર્ધા માં રેડ એન્ડ વ્હાઇટ ના ટોટલ 6 વિદ્યાર્થીઓ એવેબ ટેકનોલોજી, ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા, ગ્રાફિક્સ ડિઝાઇન ટેક્નોલોજીસ સ્કિલ ક્ષેત્રે નામ રોશન કર્યું, પ્રથમ ક્રમાંક પર આવ્યા હતા જયદીપ ડેર, દિયા સંતોકી, આયુષ ધોળકિયા તેમજ દ્વિતીય ક્રમાંક પર અમિત ડાભી, વિદિશા ભાગીયા, રાધી મેહતા.

ગ્રાફિક ડિઝાઈન ટેક્નોલોજી વિષયમાં રેડ એન્ડ વ્હાઇટના વિદ્યાર્થી આયુષ ધોળકિયા એ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો અને તેમને રૂપિયા 50,000 ની સન્માન રકમ એનાયત કરવામાં આવી. ડિજિટલ ઇન્ટરેક્ટિવ મીડિયા કેટેગરીમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજયુકેશનની વિદ્યાર્થિની વિદિશા ભાગીયા એ બ્રોન્ઝ મેડલ મેળવીને રૂપિયા 25,000 ની સન્માન રકમ પ્રાપ્ત કરી. બંને વિદ્યાર્થીઓને કુલ રૂપિયા 75,000 ની સન્માન રકમ આપવામાં આવી છે.

આ જીત સાથે આયુષ હવે નોઈડા ખાતે યોજાનારી નેશનલ લેવલ સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે. નેશનલ લેવલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય તો તેમને ચીનના શાંઘાઈ ખાતે યોજાનારી વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે.

રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજયુકેશનના ફાઉન્ડર હિતેશકુમાર દેસાઈ તેમજ હસમુખભાઈ રફાળિયા એ જણાવ્યું કે આ પરિણામ ઇન્ડસ્ટ્રી આધારિત પ્રેક્ટિકલ તાલીમની સફળતા દર્શાવે છે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક મંચ માટે તૈયાર કરવાનો સંસ્થાનો સંકલ્પ વધુ મજબૂત બનાવે છે.

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ચેતવણી, આજે 4 જિલ્લામાં ગાજવીજ

રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાંની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાંની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાંની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય બનતાં વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

આજે, એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા- સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. પવન આશરે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યાર બાદ 19થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યાર બાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુતમ તાપમાન આગામી 3 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ચીની રોબોટ હરકત: ગાલગોટિયાસ યુનિવર્સિટી જ નહીં, બીજા પેવેલિયનમાં પણ દેખાયો

0

નવી દિલ્હીમાં યોજાઈ રહેલ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 છેલ્લા બે દિવસથી વિશ્વભરમાં ચર્ચામાં છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સમિટમાં વિશ્વભરના ટેક દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે. પહેલા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે બીજા દિવસે 17 ફેબ્રુઆરીએ ગલગોટિયાસ યુનિવર્સિટીએ એક કંઈક એવું કરી દીધું કે જેના કારણે વિશ્વભરમાં ભારતની શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ પછી ગલગોટિયાસ યુનિવર્સિટીને AI સમિટમાં તાત્કાલિક તેનો સ્ટોલ ખાલી કરવા કહેવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ એક્સ્પોમાં એક રોબોટિક ડોગને પોતાનો ગણાવી રજૂ કર્યો હતો, પરંતુ તે વાસ્તવમાં ચીનમાં બનેલો ડોગ હતો જે ઓનલાઈન ખરીદી માટે ઉપલબ્ધ હતો.

ગલગોટિયાસના કથિત ચાઇનીઝ રોબોટિક ડોગનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. જોકે યુનિવર્સિટીએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે રોબોટિક ડોગ ચીની રોબોટિક્સ કંપની પાસેથી ખરીદવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ ફક્ત શૈક્ષણિક સાધન તરીકે થઈ રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ હોબાળો કેમ થયો?
વાઈરલ ક્લિપમાં ગ્રેટર નોઈડામાં આવેલી ગલગોટિયાસ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ એઆઈ સમિટમાં હાજરી આપતા મહેમાનોને “રોબોટિક ડોગ” રજૂ કરતા જોવા મળે છે. પ્રસ્તુતકર્તાઓના જણાવ્યા મુજબ, આ રોબોટ નિયમિતપણે તેમના કેમ્પસમાં પેટ્રોલિંગ કરે છે. તેમણે સમજાવ્યું કે આ ઉપકરણ વિવિધ કાર્યો કરી શકે છે, ખાસ કરીને દેખરેખ માટે ઉપયોગી.

ચીની કંપની યુનિટ્રીના રોબોટને ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માં લાવવા બદલ વિવાદમાં ફસાઈ ગઈ છે . તેને એઆઈ એક્સ્પોમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. જો કે, આ કૃત્ય ફક્ત ગાલગોટિયાસ યુનિવર્સિટી પૂરતું મર્યાદિત નહોતું. આ રોબોટ હોલ નંબર 6 માં દયાનંદ સાગર યુનિવર્સિટીના પેવેલિયનમાં દેખાઈ રહ્યો હતો. જ્યારે અમે પ્રશ્નો પૂછ્યા, ત્યારે અમને કહેવામાં આવ્યું કે હા, તે ચીની રોબોટ છે, પરંતુ અમે તેમાં સર્વેલન્સ સ્થાપિત કર્યું છે અને તેને ગૌણ ઉપયોગ માટે તૈયાર કર્યો છે. અમારા પ્રશ્નો અને જવાબો પછી, રોબોટ પેવેલિયનમાંથી ‘ગાયબ’ થઈ ગયો.

હા, તે એક ચીની રોબોટ છે.
બુધવારે બપોરે, જ્યારે મીડિયા થોડે દૂર, ગાલગોટિયાસ યુનિવર્સિટી પેવેલિયનમાં એકત્ર થયું હતું, ત્યારે દયાનંદ સાગર યુનિવર્સિટી પેવેલિયનમાં યુનિટ્રીનો એક રોબોટ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. યુનિટ્રી એક મુખ્ય ચીની રોબોટ ઉત્પાદક છે, જેણે 2025 માં વિશ્વમાં સૌથી વધુ રોબોટ વેચ્યા છે. યુનિવર્સિટી પેવેલિયનના મુલાકાતીઓને યુનિટ્રી રોબોટ બતાવવામાં આવી રહ્યો હતો, પરંતુ તેમને કહેવામાં આવી રહ્યું ન હતું કે તે ચીની રોબોટ છે. જ્યારે અમે પૂછ્યું કે શું તે ચીની રોબોટ છે, ત્યારે તેને ચલાવનાર વ્યક્તિએ કહ્યું, “હા, તે ચીની રોબોટ છે. યુનિટ્રીએ તેને બનાવ્યું છે.”

‘ગૌણ હેતુઓ માટે તૈયાર’
યુનિવર્સિટી પેવેલિયનમાં, અમને કહેવામાં આવ્યું કે આ રોબોટ ગૌણ હેતુઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેઓએ સર્વેલન્સ સાધનો સ્થાપિત કર્યા જેથી તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે થઈ શકે. જોકે, પ્રશ્ન એ છે કે, જો રોબોટ પોતે ભારતીય નથી, સ્વદેશી નથી, તો તેને શા માટે એવી સમિટમાં લાવવામાં આવી રહ્યો છે જ્યાં ભારતીય ટેકનોલોજી અને ભારતની કૃત્રિમ બુદ્ધિમત્તાની ચર્ચા થઈ રહી છે?

થોડી વાર પછી રોબોટ ગાયબ થઈ ગયો.
અમે પ્રશ્નો પૂછ્યા અને વિડીયો લીધા પછી, UNITRI રોબોટને દયાનંદ સાગર યુનિવર્સિટી પેવેલિયનમાંથી દૂર કરવામાં આવ્યો. અમે તેને લાંબા સમય સુધી જોયો નહીં. જો કે, અમે લીધેલા ફોટા અને વિડીયોએ પુષ્ટિ આપી કે AI ઇમ્પેક્ટ સમિટમાં ગાલગોટિયા એકમાત્ર UNITRI રોબોટ નહોતો. તે અન્ય પેવેલિયનમાં પણ દેખાયો હતો. જ્યારે અમે રોબોટનો ફોટો Google Lens માં મૂક્યો, ત્યારે અમને ખબર પડી કે તે UNITRI નો Go2 રોબોટ કૂતરો હતો. તે ચાર પગવાળો રોબોટ છે અને તેને રોબો ડોગ તરીકે પ્રમોટ કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભામાં રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ, ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન

હાલમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે હવે આજે સત્રના ત્રીજા દિવસે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જો કે આ બજેટ રજૂ થાય તે અગાઉ રાજ્યમાં વિપક્ષ તરીકે વિરોધ પ્રદર્શન પણ શરુ થયા છે.

વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરી નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2026-2027નું બજેટ રજૂ કરવામાં આવશે. આ વર્ષે બજેટનું કુલ કદ 4 લાખ કરોડનું હોવાની શક્યતા છે, જેના કારણે વિવિધ વિકાસકાર્યો માટે વધારાની જોગવાઈ થવાની આશા છે.

બપોરના 12 વાગ્યા આસપાસ સત્રની કાર્યવાહી શરૂ થશે. ત્યાર બાદ લગભગ 1 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ પ્રશ્નોત્તરી કાળથી થશે. ગૃહ વિભાગ, રમતગમત વિભાગ, MSME સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવશે. સભ્યો દ્વારા પ્રજા સંબંધિત મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ થવાની શક્યતા છે.

નાણા મંત્રીએ વિધાનસભામાં બજેટ સ્પીચ શરુ કરી
ગુજરાત વિધાનસભામાં રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ : કનુ દેસાઈ
PMJAYના ધોરણે રાજ્ય સરકારના ૬ લાખ ૪૦ હજાર જેટલા કર્મયોગીઓ તેમજ પેન્‍શનરોને ₹૧૦ લાખ સુધીની કેશલેશ તબીબી સારવારનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ​મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર “અર્નિંગ વેલ-લીવીંગ વેલ” પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં અમારી સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું ₹૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું (₹૪,૦૮,૦૫૩ કરોડ) વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹1376 કરોડની જોગવાઇ
•અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.

•સ્વચ્છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹૫૭૭ કરોડની જોગવાઇ.
•શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
•ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્‍ક ટોઇલેટ માટે કુલ ₹૩૨૯ કરોડની જોગવાઇ.
•સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ.

સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹14 કરોડની જોગવાઇ
•મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
•વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
•GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
•સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની

વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
•ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
•રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
•કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹33504 કરોડની જોગવાઇ
રાજ્યની લગભગ ૪૮%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

•શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.
•શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹૩૩૫૪ કરોડની જોગવાઇ.
•અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઇ.
•અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹૧૯૦૦ કરોડની જોગવાઇ.
•પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹400 કરોડની જોગવાઇ
•ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
•અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹૩૧૨ કરોડની જોગવાઇ.
•વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
•વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ.

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹29709 કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.

•રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹૧૦૦૦૮ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹૯૫૦ કરોડની જોગવાઇ.
•અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ.
•ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹૭૭૪ કરોડની જોગવાઇ.
*રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹2006 કરોડની જોગવાઇ
•અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ•વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ.
•અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ.
•કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹28 કરોડની જોગવાઇ
•વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹૧૮૫ પ્રતિ ક્વિન્‍ટલ કરવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
•૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹૧ પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹૫૯ કરોડની જોગવાઇ.
•શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ.
•કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
•NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ
•૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹૮૪૨ કરોડની જોગવાઇ.
•NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹૭૦૦ કરોડની જોગવાઇ.
•“પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹૪૨૫ કરોડની જોગવાઇ.
•રાજ્યના ૮ લાખ અંત્યોદય તથા ૨૪ લાખ બીપીએલ એમ મળી કુલ ૩૨ લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ.
•NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹૧૦૦ પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹૧૧૭ કરોડની જોગવાઇ.

યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડની જોગવાઇ
•અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.

સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.
•યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.
•ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ

આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીજીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.

•પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.
•G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
•આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹400 કરોડની જોગવાઇ
•મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
•૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹૧૨૬ કરોડની જોગવાઇ.
•સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ.
•i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
•સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.

‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડ’ : કનુ દેસાઈ
​રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ‘ગુજરાત ટેક્સટાઇલ પોલિસી’ અંતર્ગત ₹67 હજાર કરોડથી વધુનું મૂડીરોકાણ થયું છે. જેને લીધે 2 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારી સર્જાઈ છે. આવનાર સમયમાં આ ક્ષેત્રમાં વધારે મૂડીરોકાણ અપેક્ષિત છે અને તેથી મોટા પાયે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે ₹2755 કરોડની જોગવાઇ સૂચવું છું.

‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹1775 કરોડ’
​દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 19% યોગદાન સાથે, ગુજરાત રોજગારી સર્જન માટે ખૂબ જ મજબૂત MSME (નાના અને મધ્યમ ઉદ્યોગ) ઇકોસિસ્ટમ ધરાવે છે. 29 લાખથી વધુ MSME રજીસ્ટ્રેશન ધરાવતાં અગ્રેસર રાજ્યોની સૂચીમાં ગુજરાત સ્થાન ધરાવે છે. આ એકમોને પ્રોત્સાહન માટે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમ.એસ.એમ.ઈ. માટે ₹1775 કરોડની જોગવાઇ સૂચવું છું.

18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹112કરોડની જોગવાઇ

•પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૯ કરોડની જોગવાઇ.
•પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹૧૧૪ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૧૮ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૨ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
•દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹૯૧ કરોડની જોગવાઇ.
•સરકારી શાળાઓની ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજિત ૯ લાખ ૭૨ હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
•પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.
•રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે ૧૩૨૮ વિદ્યાર્થીઓને લાભ આપવા ₹૧૮ કરોડની જોગવાઇ.
•ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.
•મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹૩૦૫૫ કરોડની જોગવાઇ.
•નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
•રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઇ.
•પી.એમ. પોષણ યોજના અંતર્ગત ૭૪ તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹૫૫૨ કરોડની જોગવાઇ.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઇ
વિકસિત ગુજરાત@૨૦૪૭ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.

•નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે ₹૨૨૬ કરોડની જોગવાઇ.
•શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•શ્રમિક બસેરા યોજના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
•રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹૯૭ કરોડની જોગવાઇ.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા ₹84 કરોડની જોગવાઇ

•વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹૬૪ કરોડની જોગવાઇ.
•ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹૬૦ કરોડની જોગવાઇ.
•નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
•રાજ્યની તમામ સરકારી ITIના ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે ૨ યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
•મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
•સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્‍વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹૫ લાખની સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.

‘સુરત, વડોદરા, મહેસાણા, રાજકોટમાં i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવા માટે ₹80 કરોડ’
અમારી સરકારે ટેકનોલોજીને પરિવર્તનનું સાધન ગણ્યું છે. સ્ટાર્ટઅપ માટે i-Hub અમદાવાદ ખાતે ઊભી થયેલી ઇકોસિસ્ટમને વિસ્તારતાં સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટ ખાતે i-Hubના રીજનલ સેન્‍ટર સ્થાપવામાં આવશે. જેના માટે ₹80 કરોડની જોગવાઇ સૂચવું છું.

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹65 કરોડની જોગવાઇ

•આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
•મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹૧૧૧ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.

•સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૫ કરોડની જોગવાઇ.
•કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
•અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹૪૦ કરોડની જોગવાઇ.
•આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
•રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.
•યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે ₹૧૨ કરોડની જોગવાઇ.

ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹200કરોડની જોગવાઇ

•દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
•વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹૧૪૬ કરોડની જોગવાઇ.
•આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹૨૨ કરોડની જોગવાઇ.
•કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.

સુરત મનપાની કડક કાર્યવાહી: સાઉથ-વેસ્ટ ઝોનમાં 168 મિલકતો સીલ, રૂ.70 લાખથી વધુ વસૂલાત

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 168 જેટલી મિલકતોને સીલ મારી દીધી હતી. આ સાથે જ રૂપિયા 70 લાખથી વધુની વસૂલાત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ અઠવાલાઇન્સ, વેસુ, ડુમસ, ભટાર, મજુરા, અલથાણ, સિટીલાઇટ તેમજ ભીમરાડ જેવા વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરી રહ્યા હતા, તેમની સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અનેક બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેવી મિલકતો સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ, કે તુરંત જ અનેક મિલકતદારોએ બાકી લેણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ ઝુંબેશ દરમિયાન મનપાએ એક જ દિવસમાં કુલ ₹70,67,183 (સિત્તેર લાખ સડસઠ હજાર એકસો ત્યાસી રૂપિયા)ની રોકડ વસૂલાત કરી હતી.

સાઉથ-વેસ્ટ ઝોન દ્વારા સતત વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કડક વસૂલાત અને ઝુંબેશના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં આ ઝોન દ્વારા કુલ ₹189.54 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. હજુ પણ માર્ચ મહિના સુધી આ કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ અને દારૂના આંકડાઓ પર પ્રશ્ન પૂછાયો

અમદાવાદમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નશીલા પદાર્થો અને દારૂના મોટા જથ્થા ઝડપાયા હોવાના આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે. આંકડા મુજબ શહેરમાં ૧૮ કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ, ૨.૬૦ કરોડ રૂપિયાનો દેશી દારૂ તેમજ અંદાજે ૨૦.૫૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે, ઉપરાંત ૯૦ લાખથી વધુના અન્ય માદક પદાર્થો પણ કબજે લેવાયા છે.

શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રીએ આ વિગતો આપી હતી. અમિત ચાવડાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શહેરમાં નશીલા પદાર્થોના વધતા દૂષણ મુદ્દે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટ પર માત્ર ૪૫ દિવસમાં ૭૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે આ મામલે આઇપીએસ કક્ષાના અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી હતી. ચાવડાએ વધુમાં કહ્યું કે રાજ્યનો એકપણ ધારાસભ્ય એવો દાવો કરી શકે નહીં કે તેના વિસ્તારમાં દારૂ મળતો નથી.