Home Blog Page 181

ઉત્તર પ્રદેશ સરકારે PMFBY હેઠળ 2.51 લાખ ખેડૂતોને ₹285 કરોડનું વળતર

0

ઉત્તર પ્રદેશ સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (ખરીફ-2025) હેઠળ 2.51 લાખ ખેડૂતોને ₹285 કરોડનું વળતર, મુખ્યમંત્રી ખેડૂત અકસ્માત કલ્યાણ યોજના હેઠળ 3,500 પરિવારોને ₹175 કરોડની સહાય અને આપત્તિ મિત્રોને જીવન વીમા લાભોનું વિતરણ કર્યું. આ પ્રસંગે, વિવિધ જિલ્લાઓમાં કૃષિ ઇમારતો અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિવિધ જિલ્લાઓમાં કૃષિ ઇમારતો અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓનો શિલાન્યાસ પણ કર્યો અને તમામ લાભાર્થીઓને હાર્દિક અભિનંદન અને હોળીના પવિત્ર તહેવારની શુભકામનાઓ પાઠવી.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વર્ષ 2025-26 માં, અમે રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાં 876 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમાંથી, પાકના નુકસાનથી પ્રભાવિત 514,322 ખેડૂતોને 260 કરોડ રૂપિયા કૃષિ રોકાણ અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું છે. અમે જાનહાનિના 5,398 પીડિતોને 216 કરોડ રૂપિયા અને ઘરના નુકસાનના 27,448 પીડિતોને 24 કરોડ રૂપિયાનું વિતરણ પણ કર્યું છે.

શનિવારે લખનૌમાં એક કાર્યક્રમમાં ખેડૂતોને સહાય રકમ જાહેર કરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જ્યારે પણ કોઈ આફત આવે છે, ત્યારે અમારો પ્રયાસ એ હોય છે કે પૈસા 24 કલાકની અંદર પીડિતના ખાતામાં પહોંચે. તેમણે કહ્યું કે પહેલા કોઈ આફત આવતી હતી અને વર્ષો સુધી કોઈ પીડિતની તબિયત વિશે પૂછતું ન હતું. વળતરની વાત તો ભૂલી જાઓ, તે ઉપલબ્ધ નહોતું. જો કોઈને તે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તો હું જોઈ રહ્યો હતો. 2015-16માં એક વાર, કોઈને 2 રૂપિયા, કોઈને 4 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવતા હતા. આજે તમે જોઈ રહ્યા હશો, સરકાર બદલાઈ ગઈ અને અમે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અગાઉ, મુખ્યમંત્રી ખેડૂત અકસ્માત વીમા હેઠળ, ફક્ત ખેડૂતોને જ આવરી લેવામાં આવતા હતા, પરિવારના સભ્યોને નહીં. જ્યારે અમારી સરકાર સત્તામાં આવી, ત્યારે અમે દરેકને આવરી લેવાનું વચન આપ્યું હતું. અગાઉ, શેરખેડુતોને આવરી લેવામાં આવતા ન હતા. સહ-ખેડૂતોને આવરી લેવામાં આવતા ન હતા. આજે, અમે આ ખાદ્ય ઉત્પાદક ખેડૂતો અથવા તેમના સહયોગીઓને ₹1,000 કરોડથી વધુ ફાળવ્યા છે, અને દુષ્કાળ અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યના અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં ₹5 લાખની સહાય પૂરી પાડી રહ્યા છીએ.

ભારત મંડપમમાં અર્ધનગ્ન હોબાળો કરનાર યુથ કોંગ્રેસના 4 કાર્યકરોને 5 દિવસની રિમાન્ડ

0

પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત ‘ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ અહીં અર્ધનગ્ન હાલતમાં પ્રવેશીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે કડક વલણ અપનાવતા પટિયાલા હાઉસ કોર્ટે પકડાયેલા ચાર કાર્યકરોની જામીન અરજી ફગાવી દીધી છે અને તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે.

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટમાં સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શન કોઈ સામાન્ય વિરોધ નહોતો પરંતુ તે નેપાળમાં થયેલા હિંસક ‘Gen-Z’ આંદોલનથી પ્રેરિત હતો, જેના કારણે ત્યાંની સરકાર પડી ગઈ હતી. પોલીસના મતે આની પાછળ કોઈ મોટું કાવતરું હોઈ શકે છે. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું કે આરોપીઓના ડિજિટલ પુરાવા તપાસવા અને આ ઘટના માટે ફંડિંગ ક્યાંથી આવ્યું તે જાણવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને પ્રદર્શનમાં વપરાયેલી ટી-શર્ટ્સ અને તેના પર લખેલા સ્લોગન્સ પાછળના માસ્ટરમાઈન્ડની શોધખોળ ચાલી રહી છે.

પ્રદર્શનકારીઓએ પહેરેલી ટી-શર્ટ પર ‘PM સાથે સમાધાન થયું છે’, ‘ઈન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ’ અને ‘ઈપ્સટેઈન ફાઈલો’ જેવા ગંભીર સૂત્રો લખેલા હતા, જેની સાથે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી. પોલીસે દલીલ કરી હતી કે આ ટી-શર્ટ કોણે છપાવી અને આ સ્લોગન્સ પાછળનો હેતુ શું હતો તેની ઊંડી તપાસ કરવી પડશે. બીજી તરફ, આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે આ એક શાંતિપૂર્ણ લોકશાહી વિરોધ હતો અને પ્રદર્શનકારીઓ સાથે જ ગેરવર્તણૂક કરવામાં આવી છે.

આ ઘટના બાદ દેશના રાજકારણમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિતના ભાજપના નેતાઓએ આ ઘટનાને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવી છે અને આક્ષેપ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય મહેમાનો સામે ભારતની છબી ખરાબ કરવાનો આ પ્રયાસ છે. તેના વિરોધમાં BJYM દ્વારા કોંગ્રેસ મુખ્યાલય પાસે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યારે કોંગ્રેસે આને કાર્યકરોનો લોકશાહી અધિકાર ગણાવીને તેમનો બચાવ કર્યો છે. આ ઘટનાને પગલે હાલ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સખત કરી દેવામાં આવી છે

સુરતના લિંબાયતમાં ઘરના પહેલા માળેથી માતા-પુત્રી નીચે પટકાયા, CCTV કેમેરામાં કેદ

સુરતના લિંબાયતના રુદ્ર પેલેશ સોસાયટીમાં નિર્માણાધીન મકાન પર સર્જાયેલા અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોય અકસ્માતે માતા-પુત્રી નીચે પટકાયા હતા. ધડાકાભેર અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું છે.

લિબાયતના રુદ્ર પેલેશ સોસાયટીમાં આ ઘટના બની, આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જોવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગયા હતા. મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આડશ મૂકવામાં આવી નહોતી, જે આ અકસ્માતનું કારણ બની હતી. સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ ઘટના સૌથી વધુ ચકિત કરનાર એ રહી કે નીચે પટકાતાની સાથે જ નાની પુત્રી કોઈ ગંભીર ઇજા વિના તરત ઊભી થઈ ગઈ હતી અને પોતાની માતા તરફ દોડી ગઈ હતી. માતા નીચે પડ્યા બાદ થોડી ક્ષણો માટે અચેત અવસ્થામાં રહી હતી. ત્યારે પુત્રીએ હિંમત હાર્યા વગર પોતાની માતાને જગાડવાનો અને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીના આ માસૂમ પ્રયાસો જોઈને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા અને બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડોક્ટરોની તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, આ ગંભીર દેખાતી ઘટનામાં પણ માતા અને પુત્રીને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચી છે. બાલ્કનીમાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને નિર્માણાધીન મકાનોમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર જરૂરિયાત અંગે ચર્ચા શરૂ થઈ છે.

કીર્તિ પટેલના ડરથી જૂનાગઢના યુવકનો આપઘાતનો પ્રયાસ

કીર્તિ પટેલે જૂનાગઢમાં ભવનાથ મેળામાં મૃગીકાંડમાં સ્નાન કર્યાનો વિવાદ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે. કીર્તિ પટેલના ડરથી યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયત્ન કરતાં કેસ નોંધાયો હતો. જૂનાગઢના યુટ્યૂબર અજમલ સીડાએ કીર્તિ પટેલ અને તેના સાથીઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતાં ચકચાર મચી ગઈ છે.

શું છે મામલો
જૂનાગઢનો યુટ્યૂબર અજમલ સીડા મુસ્લિમ છે અને સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. કીર્તિ પટેલે શિવરાત્રી મેળા દરમિયાન સાધુ-સંતો અને ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિરોધ કરતો વીડિયો તેણે બનાવ્યો હતો. ધર્મ પ્રત્યેની આસ્થા સાથે બનાવાયેલો આ વીડિયો કીર્તિ પટેલ અને તેની ટોળકીને પસંદ આવ્યો નહોતો.

આ વીડિયોથી ઉશ્કેરાયેલી કીર્તિ પટેલે, દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સહિત ચાર યુવકો સાથે મળીને તેના પર સોશિયલ મીડિયાના માધ્યમથી દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આ ટોળકીએ તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

કીર્તિ પટેલ અને તેના સાગરીતો દ્વારા સતત આપવામાં આવતી ધમકીઓ અને ઘરે આવી જવાની ચીમકીથી યુવક અત્યંત ડરી ગયો હતો. માનસિક તણાવમાં આવી ગયેલા આ યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, યુવકે પહેલા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર જેતપુર નવાગઢમાં ભાદરના પુલ પાસે બીજી વાર ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેઈ પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અઠવાડિયામાં ત્રીજી વખત કીર્તિ પટેલ સામે ફરિયાદ
કીર્તિ પટેલ કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી રહે છે. એક અઠવાડિયામાં તેની સામે ત્રીજી વખત ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિએ મહિલા PI સાથે કરેલી બબાલને લઈ એક FIR નોંધાઈ હતી. તેમજ આ મામલે સાધુ સંતો તરફથી પણ એક FIR એમ કુલ બે ફરિયાદ તો પહેલાથી જ નોંધાયેલી હતી.

કીર્તિ પર નોંધાયા છે 10 ગુના
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 10 ગુનો નોંધાયા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તે બહાર આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર 13 લાખ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. તેના પર લોકોને બદનામ કરવા, ખંડણી અને અન્ય ક્રિમિનલ પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો આરોપ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢમાં કેસ નોંધાયેલા છે.

ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે’

0

ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક ‘AI Impact Summit’ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.’

શ્રીનગરમાં CRPF બુલેટપ્રૂફ વાહન અકસ્માતમાં 7 જવાન ઈજાગ્રસ્ત

0

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં અહમદનગર નજીક પાણીની નહેર પાસે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) વાહનના અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. CRPF અને જમ્મુ અને કાશ્મીર SDRFના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

શ્રીનગરના દાગપોરા વિસ્તારમાં શનિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના સાત જવાનોનું બુલેટપ્રૂફ બંકર વાહન રસ્તા પરથી લપસીને નહેરમાં પડી જતાં તેઓ ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અહમદ નગરના ઉમર હેયર-ડાગપોરા રોડ પર થયો હતો જ્યારે બુલેટપ્રૂફ (BP) વાહનના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે રસ્તા પરથી પલટી ગયું હતું અને પાણીની નહેરમાં પડી ગયું હતું.

ઘાયલ થયેલા તમામ જવાનોને તાત્કાલિક સારવાર માટે સૌરા સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઘાયલ જવાનોની ઓળખ નગીન્દર સિંહ (36), અજીત કુમાર રામ (36), રાજ કિશોર રાય (40), અમિત કુમાર યાદવ (38), રાજધન રામ (55), માનકર કુમાર (40) અને નીરજ કુમાર (45) તરીકે થઈ છે.

સુરતના જાણીતા બિલ્ડર આપઘાત કેસમાં મોટો વળાંક: મહિલા મિત્ર સામે દુષ્પ્રેરણાનો ગુનો, અટકાયત

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં હવે મહત્વનો વળાંક આવ્યો છે. સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ ઉમરા પોલીસ મથક દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

પોલીસ તપાસ અનુસાર તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે તેમના પરિવારજનોએ ગંભીર આક્ષેપો સાથે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને મહિલાએ તેમને માનસિક તેમજ આર્થિક રીતે ત્રાસ આપ્યો હોવાનો દાવો કર્યો હતો.

બીજી તરફ, ઘટનાના થોડા દિવસો બાદ મહિલા મિત્રએ પણ પોલીસમાં અરજી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરી નથી, પરંતુ તેમનું મર્ડર થયું છે. અરજીમાં તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પરિવાર તુષાર ઘેલાણીનો માત્ર પૈસા માટે ઉપયોગ કરતો હતો અને તેમની યોગ્ય કાળજી લેતો ન હતો.

મહિલા મિત્રએ વધુમાં દાવો કર્યો હતો કે દીકરીના લગ્ન માટે તુષાર ઘેલાણીએ લગભગ 20 દિવસ પહેલા પોતાની માતા પાસેથી 25 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને પરિવાર તરફથી તેમને સતત દબાણમાં રાખવામાં આવતા હતા.

જ્યારે બીજી તરફ, તુષાર ઘેલાણીના પરિવારજનોએ મહિલાની વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેમાં મહિલાએ તેમને ઈમોશનલ તેમજ ફાઈનાન્સિયલ બ્લેકમેલ કરીને ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બંને પક્ષોની અરજી અને પુરાવાઓના આધારે તપાસ કર્યા બાદ પોલીસને મહિલા મિત્રની સંડોવણી સામે આવતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો?
સુરતના અગ્રણી બિલ્ડર અને ‘ઘેલાણી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. જે બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટીકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે, ઈજા એટલી ગંભીર હતી કે, બુધવારે તબીબોએ તેમને ‘બ્રેઈનડેડ’ જાહેર કર્યા હતા.

કોણ હતા તુષાર ઘેલાણી?
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

બાંદા બહુચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં પતિ-પત્નીને ફાંસી

0

બાંદા બહુચર્ચિત પોર્નોગ્રાફી કેસમાં, POCSO કોર્ટે 160 પાનાના ચુકાદામાં આરોપી રામ ભવન અને તેની પત્ની દુર્ગાવતીને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને સરકારને પીડિત બાળકોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો.

31 ઓક્ટોબર 2020 ના રોજ, CBI એ આરોપી રામ ભવન વિરુદ્ધ 50 થી વધુ બાળકો પર જાતીય શોષણ કરવા અને તેમના વીડિયો બનાવવા અને તેમને વિદેશમાં વેચવા બદલ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં, શુક્રવારે (20 ફેબ્રુઆરી 2026) ના રોજ, 160 પાનાના ચુકાદામાં, POCSO કોર્ટે રામ ભવન અને તેની પત્ની દુર્ગાવતીને મૃત્યુદંડની સજા ફટકારી હતી અને તેમને મૃત્યુદંડ સુધી ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે, કોર્ટે સરકારને પીડિત બાળકોને પ્રત્યેકને 10 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ આપ્યો છે.

સીબીઆઈને ઇન્ટરપોલ પાસેથી માહિતી મળી.
30 ઓક્ટોબર, 2020 ના રોજ, સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો. તપાસ દરમિયાન, 16 નવેમ્બર, 2020ના રોજ, સિંચાઈ વિભાગમાં પોસ્ટ કરાયેલા જુનિયર એન્જિનિયર રામ ભવનને સીબીઆઈ ટીમે ચિત્રકૂટથી ધરપકડ કરી હતી. બાદમાં, 28 ડિસેમ્બર, 2020 ના રોજ, સીબીઆઈએ રામ ભવનની પત્ની દુર્ગાવતીને આ કેસમાં સાક્ષીઓને ધમકાવવાના આરોપસર ચિત્રકૂટથી ધરપકડ કરી હતી. ત્યારથી, બંને આરોપીઓને બાંદા ડિવિઝનલ જેલમાં રાખવામાં આવ્યા છે. આરોપી રામ ભવન મૂળ બાંદા જિલ્લાના નારાયણી શહેરનો છે. સીબીઆઈએ આ કેસમાં ૭૪ સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.

પતિ-પત્નીના કૃત્યો જોઈને તમારું લોહી ઉકળી જશે.
બાંદા જિલ્લાનો એક જુનિયર એન્જિનિયર અને તેની પત્ની બાળકો પર અત્યાચાર ગુજારી રહ્યા હતા અને તેમના અશ્લીલ વીડિયો ડાર્ક વેબ પર વેચી રહ્યા હતા. કોર્ટે આ કેસને “દુર્લભમાં દુર્લભ” જાહેર કર્યો છે. પતિ રામભવન સિંચાઈ વિભાગમાં JE હતો, જ્યારે પત્ની દુર્ગાવતી ગૃહિણી હતી. રામભવન ચિત્રકૂટમાં પોસ્ટેડ હતો. પતિ-પત્ની બંને ગરીબ પરિવારોના બાળકોને લલચાવીને પોતાની જાળમાં ફસાવતા હતા અને સાથે મળીને સગીરો પર બળાત્કાર કરતા હતા. પીડિત બાળકોની ઉંમર 5 થી 16 વર્ષની વચ્ચે હતી, કેટલાક ત્રણ વર્ષથી ઓછી ઉંમરના હતા. પત્ની બાળકો સાથે સેક્સ પણ કરતી હતી, રામભવન પણ તેમનો બળાત્કાર કરતો હતો. પછી બંને તેનો વીડિયો બનાવતા હતા અને ડાર્ક વેબ દ્વારા, તે અશ્લીલ વીડિયો/ફોટા આંતરરાષ્ટ્રીય પીડોફાઇલ નેટવર્ક દ્વારા વિદેશમાં મોકલતા હતા.

AI સમિટના હોબાળા બાદ ભાજપનું દેશભરમાં વિરોધ પ્રદર્શન, રાહુલ ગાંધી સામે નારેબાજી

0

AI સમિટ દરમિયાન થયેલા હોબાળા બાદ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ અને કાશ્મીરમાં એકસાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પક્ષે કોંગ્રેસ અને તેના નેતાઓ સામે દેશભરમાં આક્રોશ વ્યક્ત કર્યો છે.

દિલ્હીમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યાલય બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરો ‘કોંગ્રેસ–રાહુલ ગાંધી = ગદ્દાર’ અને ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’ જેવા પોસ્ટર સાથે નારેબાજી કરતા નજરે પડ્યા હતા.

બીજી તરફ, મુંબઈના મુલુંડ વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા ઝંડા બતાવી વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધી અહીંથી ભિવંડી જઈ રહ્યા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી સંબંધિત કેસમાં શનિવારે ભિવંડી કોર્ટમાં તેમની હાજરી હતી.

રાજ્યના સુરતમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપ કાર્યકરોએ અલગ-અલગ સ્થળોએ દેખાવો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં સ્થિત ભારત મંડપમમાં યોજાયેલી AI સમિટ 2026 દરમિયાન ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભારત–અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું, જેના પગલે આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં વધારો, તમિલનાડુ–કેરળમાં ભારે વરસાદ, દિલ્હીમાં પવન

0

દેશના ઉત્તર અને પશ્ચિમી પ્રદેશોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ગરમી વધી રહી છે. જ્યારે સક્રિય પશ્ચિમી વિક્ષેપ જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા લાવી રહ્યો છે. આજે રાત્રે મોડી રાત્રે એક નવો પશ્ચિમી વિક્ષેપ આ પ્રદેશોને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે 22 ફેબ્રુઆરી સુધી છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષા થશે.

તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે, શનિવારે દક્ષિણ તમિલનાડુ અને દક્ષિણ કેરળમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 22 તારીખે ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના છે, સાથે વરસાદ પણ પડશે. 23 અને 24 તારીખે છત્તીસગઢ અને ઓડિશામાં વરસાદની સંભાવના છે.

નારનોલમાં સૌથી ઓછું તાપમાન અને કેરળમાં સૌથી વધુ તાપમાન નોંધાયું.
દેશના ઘણા રાજ્યોમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર-પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં લઘુત્તમ તાપમાન ૧૨-૧૫° સેલ્સિયસ નોંધાઈ રહ્યું છે. અહીં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે છે. ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૮.૫° સેલ્સિયસ નારનૌલ (હરિયાણા) માં નોંધાયું હતું. ભારતના મેદાની વિસ્તારોમાં સૌથી વધુ ૩૭.૦° સેલ્સિયસ તાપમાન કોટ્ટાયમ (કેરળ) માં નોંધાયું હતું.

આ રાજ્યોમાં તાપમાન વધી રહ્યું છે
મહારાષ્ટ્ર, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને માહેમાં મહત્તમ તાપમાન ૩૪-૩૭°C ની વચ્ચે હતું. પશ્ચિમ રાજસ્થાન, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૩૦-૩૪°C ની વચ્ચે હતું. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૨૫-૩૦°C ની સપાટીએ તાપમાન નોંધાયું હતું. આ રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩-૫°C વધુ હતું.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી સાત દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-4°Cનો વધારો થવાની ધારણા છે. આગામી બે દિવસમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°Cનો વધારો થવાની ધારણા છે. આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°Cનો વધારો થવાની ધારણા છે. દેશના બાકીના ભાગોમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા નથી.

આજે દિલ્હીમાં હવામાન કેવું રહેશે?
દિલ્હી-એનસીઆરમાં આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે, એટલે કે દિવસ તડકો રહેશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 27°C થી 29°C અને લઘુત્તમ તાપમાન 12°C થી 14°C ની વચ્ચે રહેવાની ધારણા છે. દિવસ દરમિયાન 10-15 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.