Home Blog Page 149

ઈરાન યુદ્ધની અસર હિંદ મહાસાગર સુધી, ડિયેગો ગાર્સિયા પર હુમલાથી દુનિયા ચોંકી

0

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા અને બ્રિટનના સંયુક્ત સૈન્ય મથક ડિયેગો ગાર્સિયા પર બે મધ્યમ અંતરની મિસાઈલોથી હુમલો કર્યો છે. આ ઘટના બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.

રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા છોડવામાં આવેલી બંને મિસાઈલો અમેરિકી સૈન્ય અડ્ડાને ભેદવામાં નિષ્ફળ રહી છે અને બેઝને કોઈ નુકસાન થયું નથી. અમેરિકાએ આ મિસાઈલને રોકવા માટે પોતાના જંગી જહાજ પરથી જખ-3 ઈન્ટરસેપ્ટર લોન્ચ કર્યું હતું. જોકે, ઈન્ટરસેપ્ટર મિસાઈલને હવામાં તોડી પાડવામાં સફળ રહ્યું કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી. ઈરાનથી ડિયેગો ગાર્સિયાનું અંતર અંદાજે 4118 કિલોમીટર છે. ઈરાનની અત્યાર સુધીની જાણીતી મિસાઈલ ક્ષમતા આટલી લાંબી રેન્જની નથી, જે સૂચવે છે કે ઈરાને ગુપ્ત રીતે પોતાની સૈન્ય શક્તિમાં મોટો વધારો કર્યો છે.

સામાન્ય રીતે ઈરાનની ગતિવિધિઓ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (મિડલ ઈસ્ટ) હેઠળ આવતી હોય છે, પરંતુ ડિયેગો ગાર્સિયા યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વિસ્તારમાં આવે છે. આ હુમલાથી સાબિત થાય છે કે, હવે યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે અને ઈરાન સીધા અમેરિકાના વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલા અંગે વ્હાઇટ હાઉસ કે બ્રિટનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. આ ઘટનામાં ઇઝરાયલ કે અન્ય પડોશી દેશોની ભૂમિકા અથવા પ્રતિક્રિયા પર પણ દુનિયાની નજર રહેશે.

ડિયેગો ગાર્સિયા એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનો ટાપુ છે, જે અમેરિકા અને બ્રિટન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. અહીંથી જ અમેરિકા એશિયા અને મિડલ ઈસ્ટ પર નજર રાખે છે અને બોમ્બર વિમાનોનું સંચાલન કરે છે.

“મને નસીબ પર 0% વિશ્વાસ છે”: નવાઝુદ્દીન સિદ્દીકી

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી જમીન સાથે જોડાયેલા અવાજોમાંથી એક છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નવાઝે સફળતા વિશે એક મજબુત અને નિખાલસ વિચાર રજૂ કર્યો હતો. જેમાં તેણે લાંબા સમયથી ચાલતી માન્યતાને પડકારી અને કહ્યું કે કારકિર્દી ઘડવામાં ‘નસીબ’ મહત્વનું નથી.

જ્યાં ઘણા લોકો પોતાની સફળતાનો શ્રેય નસીબને આપે છે એવી ઇન્ડસ્ટ્રીમાં, નવાઝુદ્દીન પોતાના મંતવ્ય પર અડગ રહ્યા કે મહેનત, તાલીમ અને સતત અભ્યાસ જ સફળતા માટેના સાચા સાધનો છે. પોતાના વિચાર શેર કરતા તેણે કહ્યું, હું આ વ્યવસાયમાં ઘણી પ્રેક્ટિસ સાથે આવ્યો છું અને હું દરેક અભિનેતાને કહું છું કે તેઓ નસીબ પર ઓછો અને પ્રેક્ટિસ પર વધુ વિશ્વાસ રાખે. તાલીમ ખુબ મહત્વની છે અને વર્કશોપ્સ પણ એટલી જ જરૂૂરી છે.

તેમણે સીધો પડકાર આપ્યો કે નસીબ વ્યક્તિના જીવનમાર્ગને નક્કી કરી શકે છે-એવું તેમણે ઘણી વાર સાંભળ્યું છે મેં ઘણા મોટા કલાકારો અને નિર્દેશકો પાસેથી સાંભળ્યું છે કે નસીબ ખુબ મહત્વનું છે. પરંતુ હું તમને કહું છું કે નસીબ કામ નથી કરતું. મારા માટે તો કામ નથી કર્યું. કદાચ બીજા માટે કામ કરે, પરંતુ મને તેમાં 0% વિશ્વાસ છે.

ઓનલાઈન ગેમિંગ એક્ટ હેઠળ 300 સાઈટ્સ બ્લોક, નિયમ ભંગે ભારે દંડની ચેતવણી

0

ભારત સરકારે ગેરકાયદે જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ સામે એક્શન લેતા 300 વેબસાઈટને બ્લોક કરી દીધી છે. આ વેબસાઈટ ગેરકાયદે રીતે જુગાર અને સટ્ટાબાજીને સમર્થન કરતી હતી તો કેટલીક સાઈટ પર સટ્ટાબાજી ચાલું પણ હતી. સરકારે કુલ 8400 જેટલી વેબસાઈટ પર કાયમી ધોરણે તાળું મારી દીધું છે.

બ્લોક કરી દેતા સરકારના આ એક્શનને ડિજિટલ સ્ટ્રાઈક તરીકે માનવામાં આવી રહ્યું છે. આ વેબસાઈટમાંથી મોટાભાગની વેબસાઈટ ગેમિંગ એક્ટના માપદંડ અનુસાર ન હોવાથી બ્લોક કરી દેવામાં આવી હતી. 4900 જેટલી વેબસાઈટ અને એપ્લિકેશનને ઓનલાઈન ગેમિંગના કાયદા અંતર્ગત બ્લોક કરી દેવાઈ છે.

શા માટે બ્લોક કરવામાં આવી?
જે વેબસાઈટ ઓનલાઈન ગેમ્સ કે જે સટ્ટાબાજીનું સમર્થન કરતી હતી અથવા સટ્ટાબાજી ચાલવતી હતી, ઓનલાઈન કેસિનો સ્લોટ આપતી, લાઈવ ડીલર ટેબલ બુકિંગ આપતી, સટ્ટામાર્કેટની માફક કામ કરતી, જુગાર માટેના ઓનલાઈન પ્લેટફોર્મ પર ક્નેક્ટ કરાવતી, કેસીનો ગેમ્સ એપ્સ તથા રિયલ મની કાર્ડ તરીકે ચાલતી એ તમામ વેબ અને એપ્લિકેશન બ્લોક કરી દેવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જે પ્લેટફોર્મની સામે કાયદાકીય રીતે એક્શન લેવામાં આવ્યું છે, જે તમામ ગેરકાયદે હતા.આ સાથે આ પગલામાં આઈટી એક્ટનો પણ સહારો લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ એક્ટ લાગુ થયા બાદ આ પ્રકારની પ્રવૃતિઓ પર કંટ્રોલ આવી રહ્યો છે. 20 ઓગસ્ટ 2025ના ગેમિંગ એક્ટનું બિલ લોકસભા અને 21 ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી પસાર થયું હતું. 22 ઓગસ્ટના રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે કાયદાકીય રીતે અમલમાં મૂકાયું હતું.

પહેલી ઑક્ટોબરથી લાગુ કરાયું
પહેલી ઑક્ટોબરથી આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગેરકાયદેસર પ્લેટફોર્મ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રિયલ મની ગેમ્સ પર સખત એક્શન લેવામાં આવી રહ્યું છે. હવે જો કોઈ રિયલ મની ગેમ્સને લઈને ઓફર કરે છે તો અથવા પ્રચાર કરે છે તો 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. 1 કરોડ રૂપિયાનો આર્થિક દંડ પણ થઈ શકે છે. બીજી તરફ ઈ સ્પોર્ટ્સને વેગ મળે એ માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે જેમાં કોઈ પૈસાની વાત આવતી નથી.

રણવીર સિંહની ‘ધૂરંધર-2’નો બોક્સ ઓફિસ પર ધમાકો, પ્રથમ દિવસે 102 કરોડની કમાણી

રણવીર સિંહની અભિનયથી સજ્જ એડવાન્સ એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’એ બોલિવૂડ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે પહેલા દિવસે (19 માર્ચ) જ 102.55 કરોડ રૂૂપિયાની નેટ કમાણી કરીને બોલિવૂડમાં એક દિવસમાં 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરનારી પહેલી હિન્દી ફિલ્મ બની છે. પેડ પ્રિવ્યુઝ (18 માર્ચ) સાથે મળીને ફિલ્મનું કુલ કલેક્શન હવે 145.55 કરોડ રૂૂપિયા પાર થઈ ગયું છે.

સેકનિલ્કના અહેવાલ મુજબ, ડે-0 (પેડ પ્રિવ્યુઝ) પર ફિલ્મે 43 કરોડ રૂૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ ડે-1 પર તેણે 102.55 કરોડની ધમાકેદાર કમાણી કરી, જેમાં ગ્રોસ કલેક્શન 172.63 કરોડ સુધી પહોંચ્યું છે. આ આંકડા ફિલ્મની જબરદસ્ત લોકપ્રિયતા અને એડવાન્સ બુકિંગની તાકાત દર્શાવે છે.

આજે બીજા દિવસે (ડે-2) ફિલ્મની શરૂૂઆત પણ ઘણી મજબૂત રહી છે. સવારે 8 વાગ્યા સુધીના આંકડા અનુસાર, ફિલ્મે 3.05 કરોડ રૂૂપિયાનું કલેક્શન કર્યું છે. વીકએન્ડ હોવાને કારણે આજે અને આવતીકાલે કલેક્શનમાં વધુ વધારો થવાની શક્યતા છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ફિલ્મ વીકએન્ડ પર 150 કરોડથી વધુનું કલેક્શન કરી શકે છે.

પાલઘરમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

0

પાલઘર જિલ્લામાં 2018માં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનાને ‘જઘન્ય’ ગણાવીને વિશેષ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. વિશેષ જજ એન.કે. કાંરેડેએ 11 માર્ચે આપેલા ચુકાદામાં આરોપી સંદેશ ગણપત ખરપડે (35)ને ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી સંદેશ ખરપડેને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

તપાસકર્તા પક્ષના જણાવ્યા મુજબ પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં પાંચમી ઑગસ્ટ, 2018ના રોજ આ ઘટના બની હતી. બાળકીનાં માતા-પિતા કામે ગયા હતા ત્યારે આરોપી મીઠાઇ આપવાને બહાને બાળકીને પોતાના ઘરે લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીના કૃત્યથી બાળકીને ઇજા થઇ હતી અને બાદમાં તેનાં માતા-પિતાએ લોહી વહેતું જોયું હતું.

કોર્ટે પીડિતાની ‘વિશ્ર્વસનીય’ જુબાની તેમ જ હુમલાની પુષ્ટિ કરતા તબીબી પુરાવા પર આધાર રાખ્યો હતો. આરોપીએ આચરેલા ગુનાને ‘જઘન્ય’ ગણાવ્યો હતો. બચાવ પક્ષે દલીલ કરી હતી કે અગાઉના વિવાદને કારણે ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને પીડિતાના અંગો પર બાહ્ય ઇજાઓના અભાવ તરફ ધ્યાન દોર્યું હતું.

જોકે કોટે આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે કોઇ પણ માતા-પિતા તેમના બાળકના જીવનને ‘એરણ’ પર નહીં મૂકે અને તેને બરબાદ કરશે નહીં. આરોપીએ તેની નબળી નાણાકીય સ્થિતિ અને પહેલી વાર ગુનો આચર્યાનો ઉલ્લેખ કરીને દયા દાખવવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે જણાવ્યું હતું કે ગુનો જઘન્ય હોવાથી આરોપીને ગંભીર સજા થવી જોઇએ. વિશેષ સરકારી વકીલ વિજય એમ. મુંડેએ આરોપો પુરવાર કરવા માટે પીડિતા સહિત 12 સાક્ષીદારને ચકાસ્યા હતા.

મહારાષ્ટ્રમાં ટ્રક સાથે કાર ટકરાતાં IIT બોમ્બેના 3 વિદ્યાર્થીઓના મોત, લોનાવલાથી પરત ફરતા દુર્ઘટના

0

દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માતમાં IIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે વિદ્યાર્થીઓ લોનાવલાની સફર પછી તેમની કારમાં મુંબઈ પરત ફરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે પનવેલ એક્ઝિટ પહેલા આશરે 10.7 કિલોમીટર દૂર બની હતી. પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે, કાર ચલાવતા વિદ્યાર્થીએ ડાબી બાજુની લેનમાં એક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન, તેણે વાહન પરનો કાબુ ગુમાવ્યો, અને કાર ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઘણી વખત પલટી ખાઈને સેફ્ટી રેલિંગ સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. અકસ્માત બાદ, અજાણ્યો ટ્રક ચાલક તેનું વાહન લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો. મૃતકોમાં શ્રેયાંશ શર્મા (જયપુર), ઓમકુમાર બોરસે (નાસિક), લેય દેશભ્રતાર (નાગપુર)નો સમાવેશ થાય છે.

ભારત-મ્યાનમાર સરહદ પર મોટું કાવતરું? ખતરનાક સાયકોટ્રોપિક દવાઓનો જથ્થો જપ્ત

0

ભારત-મ્યાનમાર સરહદ પર એક મોટા ઓપરેશનમાં, એન્ટી-નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે ₹23.72 કરોડ (આશરે $1.7 મિલિયન USD) ની કિંમતની 7.907 કિલો મેથામ્ફેટામાઇન ગોળીઓ જપ્ત કરી. આ ઓપરેશન સરહદ નજીક મિઝોરમના ચંફાઇ જિલ્લામાં થયું હતું. આસામ રાઇફલ્સ અને ચંફાઇ પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દવાઓ ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તે સાયકોટ્રોપિક ડ્રગ્સ છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે.

INS ના અહેવાલ મુજબ, મેથામ્ફેટામાઇન ગોળીઓનો આ જથ્થો હમુનહમેલ્થા રોડ પર પાર્ક કરેલા એક ત્યજી દેવાયેલા વાહનમાંથી મળી આવ્યો હતો. વાહન જપ્ત કરવામાં આવ્યું છે. વાહન અને ડ્રગ્સ બંનેને વધુ તપાસ માટે એક્સાઇઝ અને નાર્કોટિક્સ વિભાગને સોંપવામાં આવ્યા છે. તાજેતરમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ છ યુક્રેનિયન નાગરિકો અને એક અમેરિકનની ધરપકડ કરી હતી જેઓ મિઝોરમ દ્વારા મ્યાનમારમાં આતંકવાદીઓને ડ્રોન તાલીમ આપવા માટે પ્રવેશ્યા હતા. તેમની પૂછપરછમાં દેશ વિરુદ્ધ કાવતરામાં તેમની સંડોવણી બહાર આવી હતી.

ભારતમાં પ્રતિબંધિત મેથામ્ફેટામાઇન શું છે?
ક્લેવલેન્ડ ક્લિનિકમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, મેથામ્ફેટામાઇન, જેને ટૂંકમાં મેથ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ ધ્યાન ખાધ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) ની સારવાર માટે થાય છે. દવા તરીકે, તેનો ઉપયોગ ધ્યાન સુધારવા અને આવેગજન્ય વર્તન ઘટાડવા માટે થાય છે.

તે એક ઉત્તેજક છે જે શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઝડપી બનાવે છે. તે ડોપામાઇનનું સ્તર પણ વધારે છે, જે મગજનું એક રસાયણ છે જે હલનચલનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ડોપામાઇન મગજમાં એવા સંકેતો મોકલે છે જે તમને એવા વર્તનનું પુનરાવર્તન કરવા માટે પ્રોત્સાહિત કરે છે જે તમને ખુશ કરે છે.

સાયકો ડ્રગ્સના ઘણા નામ છે, તે ખૂબ જ ખતરનાક છે.
વેબએમડી પર પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, ગેરકાયદેસર વિશ્વમાં મેથામ્ફેટામાઇનને સામાન્ય રીતે સ્પીડ, ક્રિસ્ટલ, ક્રેન્ક, ટીના, ગ્લાસ, ચાક, ગોફાસ્ટ અથવા બરફ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્ફટિક સ્વરૂપમાં, આ દવા કાચના ટુકડા જેવી લાગે છે, તેથી તેનું નામ કાચ છે. ગેરકાયદેસર રીતે ગોળીઓમાં વેચાતી, તેને યાબા અથવા શાબુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં, તેને સામાન્ય રીતે બરફ અથવા મેથ કહેવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકોએ તેનો ઉપયોગ કર્યો હતો
રિપોર્ટ મુજબ, મેથામ્ફેટામાઇન એક માનવસર્જિત ઉત્તેજક દવા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, સૈનિકો આ દવાને મોરચા પર સતર્ક અને જાગૃત રહેવા માટે લેતા હતા. તેનો ઉપયોગ વજન ઘટાડવા, હતાશા અને ADHD ને નિયંત્રિત કરવા માટે પણ થતો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આ દવાનું વેચાણ અને ખરીદી ગેરકાયદેસર છે.

અમેરિકામાં પણ આ દવાઓ પર પ્રતિબંધ છે, અચાનક મૃત્યુનું જોખમ રહેલું છે.

  • યુનાઇટેડ સ્ટેટ્સમાં મેથામ્ફેટામાઇન ગોળીઓ પર પણ પ્રતિબંધ છે. જોકે, મેથામ્ફેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ (ડેસોક્સિન) કાયદેસર છે, જેનો ઉપયોગ ADHD માટે થાય છે.
  • જોકે, ડોકટરો ડેસોક્સિન સૂચવવાનું પણ ટાળે છે. મેથામ્ફેટામાઇનનો ઉપયોગ અચાનક સ્ટ્રોક, હાર્ટ એટેક, અનિયંત્રિત ધબકારા અથવા શ્વાસ લેવામાં તકલીફનું જોખમ વધારી શકે છે. આનાથી અચાનક મૃત્યુ પણ થઈ શકે છે.

આ દવા ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

  • મેથામ્ફેટામાઇન એક મનોરોગકારક પદાર્થ છે , જેનું ઉત્પાદન, કબજો, પરિવહન, આયાત-નિકાસ, ખરીદી, વેચાણ અને ઉપયોગ ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
  • નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 મુજબ, જો કોઈ તેનું ઉલ્લંઘન કરતું જોવા મળે છે, તો તેને ડ્રગની માત્રા અનુસાર સજા ભોગવવી પડશે.

ડ્રગ્સની માત્રાના આધારે જેલ અને દંડ

  • 2 ગ્રામ દારૂ રાખવા પર 1 વર્ષ સુધીની કેદ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • 2 ગ્રામથી 50 ગ્રામ સુધી, 10 વર્ષ સુધીની કેદ, 1 લાખ રૂપિયા સુધીનો દંડ
  • 50 ગ્રામથી વધુ વજન રાખવા પર 10 થી 20 વર્ષની જેલ અને ₹1,00,000 થી ₹2,00,000 સુધીનો દંડ થઈ શકે છે. દંડને વધારીને ₹2,00,000 પણ કરી શકાય છે.

સુરતમાં 18 વર્ષ જૂના 50 રૂપિયાના હત્યા કેસમાં ઝારખંડથી આરોપી ઝડપાયો

0

શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવતા વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે ‘બબલુ’ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

આ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસતો ફરતો હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગતો નહોતો.

આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે. માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું.

પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી. આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય. છતાં પોલીસની તીવ્ર નજર અને સુનિશ્ચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી.

આ ઓપરેશન દરમિયાન પોલીસને જંગલ વિસ્તારની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, છતાં ટીમે હિંમત અને ધીરજ રાખીને આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી સામે સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને હવે આગળની કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે! આંધી-તોફાન સાથે વરસાદની તીવ્ર આગાહી

0

ગુજરાતમાં હાલમાં વાતાવરણમાં જબરદસ્ત પરિવર્તન જોવા મળી રહ્યું છે. ધોમધખતા તાપની વચ્ચે અચાનક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, રાજ્યના અનેક જિલ્લામાં ગઈ કાલે એકથી દોઢ ઈંચ સુધી વરસાદ પણ થયો છે. ધૂળની ડમરી અને ભારે પવન ફુંકાવા સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મીની વાવાઝોડાએ ધરતીપુત્રોના સપનાઓ ઉડાવી નાખ્યા છે, છાપરા ઉડી ગયા છે, ઉભો પાક બળી ગયો છે અને ખેડૂતની મહેનત પળવારમાં રાખ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરી છે. ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગ અને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે. 24 કલાક બાદ તાપમાનમા વધારો રહી શકે છે. આગામી સાત દિવસ તાપમાનમા 4-5 ડિગ્રીનો વધારો થશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યનું વાતાવરણ પલટાયું છે. રાજ્યમાં આવતીકાલ 20 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ભારે પવન અને આંધી વંટોળ પણ આવી શકે છે. અંબાલાલ પટેલે રાજ્યમાં વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આવવાની નવી આગાહી કરી છે. રાજ્યમાં 25થી 26 અને 28 થી 31 માર્ચે પણ ફરી બે પશ્વિમ વિક્ષેપ આવશે. જેના કારણે રાજ્યનું વાતાવરણ ફરી બદલાશે. એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલની આગાહી છે.

નવી આગાહી કહે છે કે, 2 સિસ્ટમ સક્રિય હોવાથી હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે માવઠું પડી શકે છે. કમોસમી વરસાદનું એક કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે.

વન વિભાગમાં મોટી ફેરફાર: 35 RFO અધિકારીઓની બદલી, કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે વહીવટી સુધારણા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 18 માર્ચ, 2026ના રોજ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યભરના 35 પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO – રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વર્ગ-2)ની સામુહિક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી અપેક્ષિત આ નિર્ણયને વહીવટી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

વિભાગના ઉપ સચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, આ બદલીઓ રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તથા વર્કિંગ પ્લાન સર્કલ વચ્ચે કરવામાં આવી છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારોનો મુખ્ય હેતુ વહીવટમાં ગતિ લાવવી અને ક્ષેત્રિય સ્તરે કાર્યક્ષમતા વધારવી છે.

આદેશ મુજબ, તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની હાલની ફરજમાંથી મુક્ત થઈને નવી નિમણૂંકના સ્થળે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોનું માનવું છે કે હાલ આ બદલીઓ ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પરંતુ આવનારા સમયમાં અન્ય RFO અધિકારીઓ માટે પણ ટ્રાન્સફરનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.

બદલીઓની યાદીમાં કેટલીક મહત્ત્વપૂર્ણ હલચલ જોવા મળી છે. જીવરાજભાઈ દેસાઈને ભુજ મોનિટરિંગ રેન્જમાંથી નળ સરોવર ખાતે ખસેડાયા છે, જ્યારે નિખિલ નિમ્બાર્કને સાસણ ગીરથી ગાંધીનગર ઉર્જા રેન્જમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દક્ષાબેન વઘાશીયાને ખીજડિયા પરથી જોડિયા રેન્જમાં મોકલાયા છે. આ ઉપરાંત, શક્તિભાઈ ભાલિયાને ધ્રોલથી સંશોધન વિભાગ, આણંદપુરામાં અને હીરેનકુમાર પટેલને વાંકલથી વલસાડ વર્કિંગ પ્લાન રેન્જમાં બદલી આપવામાં આવી છે.

ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ બદલીઓમાં મહિલા અધિકારીઓને પણ સ્થાન મળ્યું છે. પ્રતિક્ષાબેન ચૌધરી (પાલનપુર), નીધિ ચૌહાણ (માણસા) અને જ્યોતિબેન વાજા (જૂનાગઢ) સહિતની અધિકારીઓનો સમાવેશ યાદીમાં થયો છે, જે વિભાગમાં મહિલા પ્રતિનિધિત્વને મજબૂત બનાવે છે. આ સમગ્ર ફેરફારને રાજ્યના વન વ્યવસ્થાપનમાં નવી દિશા આપવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે, જેમાં વધુ સક્રિય અને અસરકારક કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.