Home Blog Page 141

સુરતના અડાજણમાં લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે રહેતા યુવકે કટલેરીની દુકાનમાં મજૂરી કામ કરતી કિશોરી પર દાનત બગાડી હતી. યુવકે તેની સાથે મિત્રતા કર્યા બાદ તેને મળવા બોલાવી હતી અને પાલનપુર કેનાલ રોડ ઉપર રાત્રિના સમયે કોલ્ડ્રીંક્સ પીવડાવી કિશોરીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

આ વાતની જાણ કોઈને કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કરી કિશોરીને બાળકની માતા બનાવી દીધી હતી અને બાદમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીની માતાએ આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ અડાજણ પોલીસ મથકમાં પાલનપુર જકાતનાકા ખાતે વિવેકાનંદ ટાઉનશીપની પાસે આવેલ સૂર્યવંદન એપાર્ટમેન્ટમાં રહેતા અર્પિત આનંદ પ્રકાશ ગુપ્તા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની 15 વર્ષની દીકરી અડાજણ વિસ્તારમાં એક કટલેરીની દુકાનમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી. આ દરમિયાન ફ્રુટની લારી ચલાવતો અર્પિત ગુપ્તા તેમની દુકાને વસ્તુની ખરીદી માટે ગયો હતો અને ત્યારબાદ અવારનવાર દુકાનમાં ખરીદીના બહાને જઈ કિશોરી સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા કરી હતી. વર્ષ 2025 માં ઓગસ્ટ મહિનામાં કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી મળવા માટે પાલનપુર કેનાલ રોડ પર બોલાવી હતી.

કિશોરી રાત્રિના સમયે મળવા માટે જતા અર્પિત ગુપ્તાએ તેમને કોલ્ડ્રીંક્સ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેની સાથે તેમને મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ અવારનવાર તેનું શારીરિક શોષણ કરી આ વાતને જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી બાળકની માતા બનાવી દીધી હતી અને બાદમાં અર્પિત ગુપ્તા પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ આ મામલે હકીકત માતાને જણાવતા તેઓએ ગતરોજ આ મામલે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અર્પિત ગુપ્તા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, ‘ફીમેલ સર્વિસ’ આપવાનું કહીને કરતી હતી બ્લેકમેઇલ

સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઓનલાઈન વેબસાઈટ પર ‘ફીમેલ સર્વિસ’ શોધવી કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરને ભારે પડી છે. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઈઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી, જેમાં તેઓ ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરી લલચાવતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવી મહિલા આરોપીઓને આપત્તિજનક સ્થિતિમાં મૂકી દેતા હતા. આ સ્થિતિનો લાભ ઉઠાવી ટોળકી દ્વારા પીડિતને બ્લેકમેઈલ કરી મોટા પ્રમાણમાં નાણાં પડાવવામાં આવતા હતા. પોલીસ તપાસમાં આ ટોળકીના તાર ઊંડે સુધી જોડાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એક આરોપી પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નું આબેહૂબ નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ કાર્ડમાં યુવરાજસિંહ જાડેજાનું નામ અને સબ ઇન્સ્પેક્ટરનો રેન્ક દર્શાવવામાં આવ્યો છે, જેની ઇશ્યુ ડેટ 14 માર્ચ,2018 અને જન્મ તારીખ 10 જાન્યુઆરી,1992 લખેલી છે. તપાસ એજન્સીના નામે રોફ જમાવીને લોકોને ડરાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ટોળકીના અન્ય સભ્યો અને અગાઉ કરેલા ગુનાઓની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ થોડા દિવસ પહેલા ગૂગલ પર ‘ફીમેલ સર્વિસ’ સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક રમેશ પાલ નામના શખ્સ સાથે થયો હતો. રમેશે તેમને લલચાવી ફોસલાવીને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સૂર્યમંજરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં બોલાવ્યા હતા.

કમલભાઈ જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે રાજવી નામની મહિલાએ તેમને અંદર બેસાડ્યા હતા. થોડીવારમાં પ્રિન્સી નામની યુવતી સર્વિસના બહાને રૂમમાં આવી હતી. હજુ તો વાતચીત શરૂ થાય તે પહેલા જ રૂમમાં અચાનક ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પીએસઆઈ, રાઈટર અને કોન્સ્ટેબલ તરીકે આપી હતી. તેમણે કમલભાઈને ગડદાપાટુનો માર મારી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કમલભાઈને ડરાવ્યા હતા કે તમે અહીં યુવતી પર રેપ કર્યો છે, તમારો વીડિયો બની ગયો છે. બદનામ કરવાની અને કેસ કરવાની ધમકી આપીને આ ટોળકીએ સમાધાન પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા સુપરવાઈઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ આ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો હતો.

ઉમરા પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને દબોચી લીધા છે. જેમાં આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર, રાજવી દેવગાણીયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતનો સમાવેશ થાય છે. આ આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ રમેશ પાલ હાલ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ તેજ કરી છે.

1 એપ્રિલથી ચાઈનીઝ CCTV કેમેરા પર પ્રતિબંધ? સરકાર લઈ શકે મોટો નિર્ણય

0

ભારતમાં સીસીટીવી કેમેરાના જોખમને પગલે સીસીટીવીની સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ કેમેરા વેચવામાં આવી રહ્યા છે, જે લોકોની સિક્યુરિટી માટે ગંભીર ખતરો છે. એક રિપોર્ટ મુજબ, આગામી 1 એપ્રિલથી હિકવિઝન, દહુઆ અને TP-Link જેવી મોટી બ્રાન્ડના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ લાગી શકે છે. આ બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

હિકવિઝન, દહુઆ અને TP-Linkએ ચાઈનીઝ કંપનીઓ છે. આમ, અયોગ્ય અને સર્ટિફિકેશન વગરના સીસીટીવી કેમેરાના ઉપયોગ અને ખરીદી પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. સિક્યુરિટીમાં યોગ્ય સાબિત ન થતાં સીસીટીવી કેમેરા પર આ નિર્ણયની અસર પડી શકશે.

દેશભરના અનેક રેલવે સ્ટેશનો પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફીડ્સ પાકિસ્તાન સુધી પહોંચી રહી હતી. આ ખુલાસા બાદ, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. ત્યારબાદ તરત જ સરકારે એક આદેશ જારી કરીને સરકારી કચેરીઓને હવેથી ફક્ત એવા સીસીટીવી કેમેરા ખરીદવાનો આદેશ આપ્યો હતો જે સંપૂર્ણપણે સુરક્ષિત અને સર્ટિફાઈડ હોય.

સીસીટીવી કેમેરાથી વધી રહ્યું છે જોખમ
સરકારના આ નિર્ણયની સીધી અસર ચીનથી આવતા કેમેરા પર પડશે અથવા તો જેના સોફ્ટવેર વિદેશ કંપનીઓના છે. આજે મોટાભાગે સીસીટીવી કેમેરા ઈન્ટરનેટથી જોડવામાં આવે છે. એટલે માત્ર મોબાઈલ સાથે નહીં પરંતુ કંપનીના સર્વરથી પણ કનેક્ટ કરવામાં આવે છે. જો કેમેરાનું સોફ્ટરવેર કે સર્વર સિક્યોર નથી તો સીસીટીવીની વીડિયો ફીડ્સ અન્ય કોઈ પાસે પહોંચી શકે છે અને તેનો જે-તે વ્યક્તિને ખ્યાલ પણ હોતો નથી. જેને ધ્યાનમાં રાખીને સરકાર નવા નિયમો હેઠળ દરેક સીસીટીવી કેમેરાનું ટેસ્ટિંગ અને સર્ટિફિકેટશન કરવાનું રહેશે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટી સહિતની તપાસ કરાશે. આમ, સર્ટિફિકેશન વગરના કેમેરાને ભારતમાં હવે વેંચી શકાશે નહીં.

સરકારના આ નિર્ણયની અસર બજાર પર પણ પડશે. એવું માનવામાં આવે છે કે, સસ્તા કેમેરા હટવાથી કેમેરાની કિંમત વધી શકે છે. બીજી તરફ, ભારતીય કંપનીઓ હવે સુરક્ષિત અને ભરોસાપત્ર વિકલ્પની તપાસ કરતાં નવી તક મળશે. દેશભરમાં કરોડો સીસીટીવી કેમેરા પહેલાથી ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. તેમાંથી અનેક કેમેરા એવા હશે કે જેમના પાસવર્ડ ક્યારેય બદલ્યા નહીં હોય અથવા સોફ્ટવેર અપડેટ કર્યું ન હોય. આ પ્રકારના સીસીટીવી કેમેરા સૌથી વધુ જોખમમાં છે.

નવા કેમેરા લગાવવા પર પ્રતિબંધ મૂકીને કે પ્રતિબંધ લગાવીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. આનો ઉકેલ લાવવા માટે સરકારે હાલના તમામ સીસીટીવી કેમેરાનું ઓડિટ કરાવવું જોઈએ. ખાસ કરીને જાહેર સ્થળોએ લગાવેલા કેમેરાનું. આનું કારણ એ છે કે, કટોકટીના સમયે આ કેમેરા હેક થઈ શકે છે અને વ્યક્તિઓને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તાજેતરના સંઘર્ષોમાં આપણે જોયું છે કે, ઈરાન અને ઇઝરાયલમાં સીસીટીવી કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

યુદ્ધ કે સાયબર વૉરમાં સીસીટીવી કેમેરાનો દુશ્મન એક સોફ્ટ ટાર્ગેટ તરીકે ઉપયોગ કરી શકે છે. કારણ કે ભારતમાં સીસીટીવી કેમેરાની સિક્યુરિટીને લઈને કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યુ નથી.

હૈદરાબાદમાં ગેસ કાળાબજારીનો ભાંડો ફૂટ્યો: 414 સિલિન્ડર સાથે 10 આરોપી ઝડપાયા

હૈદરાબાદ ટાસ્ક ફોર્સે 414 કોમર્શિયલ સિલિન્ડર સાથે 10 લોકોની ધરપકડ કરી છે. તેઓ આ સિલિન્ડરો કાળા રંગમાં ઊંચા ભાવે વેચી રહ્યા હતા. ₹21,88,000 ની કિંમતના કુલ 414 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. સંયુક્ત પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરીને ગેસના કાળાબજારનો અંત લાવ્યો હતો. કમિશનર ટાસ્ક ફોર્સ અને જ્યુબિલી હિલ્સ ઝોન ટીમે બંજારા હિલ્સ પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો.

પોલીસને વિશ્વસનીય સ્ત્રોત પાસેથી ગેસ બ્લેક માર્કેટિંગ વિશે માહિતી મળી હતી. માહિતીના આધારે, હૈદરાબાદના બંજારા હિલ્સમાં નાગાર્જુન એક્સ રોડ નજીક એક કબ્રસ્તાનમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે HP ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરી રહ્યા હતા અને ગ્રાહકોને મોંઘા ભાવે વેચી રહ્યા હતા. તેમના કબજામાંથી ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ગેસ બ્લેક માર્કેટિંગ માટે આરોપીને પોતાનું ઘર ભાડે આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.

ગેસના કાળાબજાર બદલ લોકોની ધરપકડ

  • મોહમ્મદ આમિર
  • મોહમ્મદ યુસુફ
  • મોહમ્મદ ઇસ્માઇલ
  • એ. રામા રાવ
  • લવ કુમાર
  • મોહમ્મદ સકરુદ્દીન
  • મોહમ્મદ
  • મિનાઈ અંસારી
  • રાજેશ પાલ
  • રામ રાજ સિંહ (સિલિન્ડર સંગ્રહ કરવા માટે પોતાનું ઘર ભાડે આપ્યું હતું)

દિલ્હીમાં પણ સંગ્રહખોરો સામે કાર્યવાહી
દિલ્હી પોલીસે રાણોલા વિસ્તારમાં એક ગેસ એજન્સીના માલિક વિરુદ્ધ LPG સિલિન્ડરોના સંગ્રહ અને કાળાબજાર કરવા બદલ કેસ નોંધ્યો છે અને દરોડા દરમિયાન 459 સિલિન્ડર જપ્ત કર્યા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીની ઓળખ HP બાલાજી ગેસ એજન્સીના માલિક સુશીલ કુમાર સિંઘલ તરીકે થઈ છે, જે કથિત રીતે વ્યાપારી LPG સિલિન્ડરોના ગેરકાયદેસર સંગ્રહ અને દુરુપયોગમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, LPGની સંભવિત અછતની ચિંતા વચ્ચે મોટા પાયે સંગ્રહખોરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો.

બદામના ગેરલાભ: દરેક માટે ફાયદાકારક નહીં, જાણો કોને ટાળવું જોઈએ સેવન

0

બદામ ખાવાના ગેરલાભબદામ પોષક તત્વોથી ભરપૂર ખાસ ડ્રાયફૂટ્સ છે. બદામનું સેવન શરીર માટે ઘણું ફાયદાકારક છે. વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ છે પણ બદામ એક ડ્રાયફ્રૂટ છે જેનું સેવન દેશ અને દુનિયામાં લગભગ સૌથી વધુ થાય છે. બદામમાં રહેલા વિવિધ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડેન્ટ આપણને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે, પરંતુ બદામનું સેવન કરવું દરેક માટે ફાયદાકારક નથી. આવો જાણીએ કોણે બદામ ન ખાવી જોઈએ.

બદામ ખાવાના ફાયદાબદામ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા લોકો બદામને આખી રાત પલાળીને સવારે ખાલી પેટે ખાય છે. બદામના સેવનથી વજન ઓછું થવું, હાડકાનું સારું સ્વાસ્થ્ય, તમારો મૂડ સુધારવો, હૃદયરોગ, કેન્સર અને ખાંડનું જોખમ ઘટાડવું જેવા ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

બદામ ખાવાના ગેરફાયદાઆપણે બધાએ અત્યાર સુધી બદામ ખાવાના ફાયદા વિશે ઘણું બધુ વાંચ્યુ અને સાંભળ્યું છે. જો કે તમને આશ્ચર્ય થશે કે બદામ ખાવાના પણ ગેરફાયદા છે. પોષક તત્વોથી ભરપૂર બદામ દરેક માટે ફાયદાકારક નથી હોતી. કિડનીમાં પથરી હોય તેવા લોકોએ બદામ ન ખાવી જોઈએ. બદામમાં ઓક્સલેટ હોય છે, જેનાથી પથરીની સમસ્યા વધી શકે છે. સ્થૂળતાથી પીડિત લોકોએ બદામ ન ખાવી જોઈએ. આ ઉપરાંત શરદી ઉધરસની સમસ્યા હોય તેવા લોકોએ બદામ ખાવાનું ટાળવું જોઈએ.

હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોએ બદામ ન ખાવી જોઈએજેમને હાઈ બ્લડપ્રેશર હોય તેમણે બદામ ન ખાવી જોઈએ. બદામમાં મેંગેનીઝ હોય છે, જેની વધુ માત્રા બ્લડ પ્રેશર અને એન્ટિબાયોટિક્સની અસરને ઘટાડી શકે છે.

પાચન સંબંધિત સમસ્યાથી પરેશાનહેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જે લોકો પાચનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેમણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. આ ડ્રાયફ્રૂટની અસર ગરમ હોય છે, સાથે જ બદામ પણ હાઈ ફાઈબરવાળો ખોરાક હોય છે. તેના કારણે પેટમાં સોજો-દુખાવો, ગેસ, કબજિયાત અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.

વસ્તી ગણતરી 2027 ડિજિટલ બનશે: પ્રથમ તબક્કાનું ફિલ્ડવર્ક જલ્દી શરૂ, કમિશનરની મોટી જાહેરાત

0

ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે દેશવ્યાપી વસ્તી ગણતરી 2027 અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ દરમિયાન, તેમણે કહ્યું, “વસ્તી ગણતરીની તૈયારીઓ હવે અદ્યતન તબક્કામાં પહોંચી ગઈ છે, અને થોડા જ દિવસોમાં, ઘણા રાજ્યોમાં પ્રથમ તબક્કા – ઘર યાદી અને રહેઠાણ વસ્તી ગણતરી – માટે ફિલ્ડવર્ક શરૂ થવાનું છે. વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવે છે, અને આ વખતે, ડેટા સંગ્રહ ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.”

સ્વતંત્રતા પછી ૮મી વસ્તી ગણતરી
તેમણે વધુમાં કહ્યું, “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની સમગ્ર વહીવટી તંત્ર જમીની સ્તરે કાર્ય પૂર્ણ કરવા માટે કાર્યરત છે. છેલ્લી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી. આઝાદી પછીની આ આઠમી વસ્તી ગણતરી છે. આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ગુપ્ત છે અને તેની માહિતી RTI દ્વારા પણ જાહેર કરવામાં આવશે નહીં. રાજ્ય સરકારનું તંત્ર આ વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરશે. આ વસ્તી ગણતરી પ્રક્રિયા ગૃહમંત્રીના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવશે, જેમનું મંત્રાલય રાજ્યના મુખ્ય સચિવને સૂચનાઓ જારી કરશે.”

ઘરની યાદી એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે થશે
વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી 2027 ના હેતુનું ગેઝેટ સૂચના 16 જૂન, 2025 ના રોજ બહાર પાડવામાં આવી હતી. તેના પ્રથમ તબક્કાના સમયગાળા માટે સૂચના 07 જાન્યુઆરી, 2026 ના રોજ બહાર પાડવામાં આવી હતી. વસ્તી ગણતરી ઘરયાદી કામગીરી એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 ની વચ્ચે પૂર્ણ થશે. પ્રશ્નોના પ્રથમ તબક્કા માટે સૂચના 22 જાન્યુઆરી, 2026 ના રોજ જારી કરવામાં આવી હતી, જ્યારે બીજા તબક્કા માટે સમયગાળા અને પ્રશ્નો માટે સૂચના પછીથી જારી કરવામાં આવશે. વસ્તી ગણતરીના બીજા તબક્કામાં જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સરકારે લોકોને વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.

૧૯ ભાષાઓમાં તૈયાર કરાયેલ માર્ગદર્શિકા
તેમણે કહ્યું, “આ વખતે, સ્વ-ગણતરીની નવી સિસ્ટમ દ્વારા, લોકો સંબંધિત માહિતી જાતે દાખલ કરી શકે છે. આ વખતે, વસ્તી ગણતરી જાતિના આધારે હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં અગિયાર રાજ્યોનો સમાવેશ થાય છે. આમાં કેરળ, તમિલનાડુ અને ત્રિપુરા જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે. વસ્તી ગણતરી માટે કુલ 11000 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. જિલ્લા સ્તરે વસ્તી ગણતરી માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વસ્તી ગણતરી માટે 19 ભાષાઓમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને તાલીમ આપવામાં આવી છે. વસ્તી ગણતરી એપ્લિકેશન સોળ ભાષાઓમાં વિકસાવવામાં આવી છે.”

કયા પ્રશ્નો હશે?
સરકારે ૧ એપ્રિલ, ૨૦૨૬ થી શરૂ થનારા વસ્તી ગણતરી ઘરયાદી અને આવાસ ગણતરીના પ્રથમ તબક્કા દરમિયાન રહેવાસીઓને પૂછવા માટે ૩૪ પ્રશ્નોની સૂચના આપી છે. પ્રથમ તબક્કામાં પ્રશ્નોમાં ઘરના ફ્લોર અને છતમાં વપરાતી સામગ્રી, ત્યાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા, ઘરના વડાનું લિંગ, ખાવામાં આવતા અનાજનો પ્રકાર, મૂળભૂત અને આધુનિક જરૂરિયાતોની ઉપલબ્ધતા અને માલિકીના વાહનોનો પ્રકાર શામેલ હશે. પ્રશ્નો મકાન નંબર (મ્યુનિસિપલ અથવા સ્થાનિક સત્તાવાળા અથવા વસ્તી ગણતરી નંબર), વસ્તી ગણતરી ઘર નંબર અને ઘરના ફ્લોર, દિવાલો અને છતમાં વપરાતી મુખ્ય સામગ્રીથી શરૂ થશે. ત્યારબાદ ગણતરીકર્તાઓ ઘરના ઉપયોગ, તેની સ્થિતિ અને તેમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની સંખ્યા વિશે પૂછશે. અધિકારીઓ ઘરના વડા વિશે પણ માહિતી એકત્રિત કરશે, જેમાં નામ અને લિંગનો સમાવેશ થાય છે.

લિવ-ઇન કપલ્સને પરિણીત ગણવામાં આવશે
સ્વ-ગણતરીના પોર્ટલ પર વારંવાર પૂછાતા પ્રશ્નો જણાવે છે કે જો લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા બે લોકો એકબીજાને કાયમ માટે પોતાના માને છે, તો તેમને વસ્તી ગણતરી દરમિયાન પરિણીત યુગલ તરીકે ગણવામાં આવે. વસ્તી ગણતરી દરમિયાન સ્વ-ગણતરીના વિકલ્પ પસંદ કરનારાઓ માટે આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલ વસ્તી ગણતરીના બંને તબક્કાઓ – હાઉસલિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (LLO) અને વસ્તી ગણતરી માટે ઉપલબ્ધ રહેશે. દેશની 16મી વસ્તી ગણતરી દરમિયાન પૂછાયેલા પ્રશ્નોના જવાબ સરળતાથી આપવા માટે પોર્ટલમાં વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) ની સૂચિ પણ છે. FQ પૂછે છે, “શું લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલને પરિણીત યુગલ તરીકે ગણવામાં આવશે? જો તેઓ એકબીજાને કાયમ માટે પોતાના માને છે, તો તેમને પરિણીત યુગલ તરીકે ગણવામાં આવશે.”

OJAS ભરતી 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ વધારી અરજીની સમય મર્યાદા, અહીં જાણો ક્યાં સુધી કરી શકાશે અરજી?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં દિવ્યાંગો માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. GSSSB દ્વારા સુપરવાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટરની વિવિધ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા માટે સમય મર્યાદા વધારી છે.

ઓજસ ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની નવી તારીખો સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી 2026ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટસુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર
જગ્યા203
વય મર્યાદા18થી 36 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ7-4-2026
ક્યાં અરજીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મિકેનીકલ ગ્રુપ)35
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ઇલેક્ટ્રીકલ ગ્રુપ)49
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ઓટોમોલાઈલ ગ્રુપ)24
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (કમ્પ્યુટર ગ્રુપ)27
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ફેબ્રુકેશન ગ્રુપ)13
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનિંગ ગ્રુપ)3
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (કેમિકલ ગ્રુપ)7
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રુપ)5
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ગ્રુપ)4
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (એપરલ એન્ડ ફેશન ગ્રુપ)19
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસિંગ ગ્રુપ)9
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (એમ્પ્લોયેબીલીટી સ્કીલ્સ ગ્રુપ)5
કૂલ200

શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગની ભરતી માટે વિવિધ સુપરવાઈઝ ઈન્સ્ટ્રક્ટર માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટની વિગતવાર શૈક્ષણિક લાયકાત વિશે જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવી.

વય મર્યાદા
GSSSB ભરતી 2026 માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ નહીં. દિવ્યાંગ ઉમેદવારોને દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષ કારક કામ જણાંતા સંબંધીત કચેરીમાં ₹29,200 થી ₹92,300 લેવલ-5 પ્રમાણે કાયમી નિમણૂંક મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

પીએમ મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જાણો કેવું છે શિડ્યૂલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેમનો કાર્યક્રમ સામે આવ્યો છે. સવારે લગભગ 10 વાગ્યે, વડા પ્રધાન ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે. બપોરે લગભગ 12:45 વાગ્યે, વડા પ્રધાન સાણંદ ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ, વડા પ્રધાન વાવ-થરાદ જશે જ્યાં સાંજે 4 વાગ્યે તેઓ ₹20,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે. તેઓ આ પ્રસંગે પણ સભાને સંબોધિત કરશે.

મહાવીર જયંતિના અવસરે, વડા પ્રધાન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. અશોકના પૌત્ર અને જૈન પરંપરામાં અહિંસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જૈન ધર્મના પ્રચાર માટે જાણીતા સમ્રાટ સંપ્રતિના નામ પરથી બનેલું આ મ્યુઝિયમ, જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરે છે.

મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સ્થિત આ મ્યુઝિયમમાં સાત અલગ-અલગ વિંગ્સ છે, જેમાંથી દરેક ભારતની સભ્યતાની પરંપરાઓના વિશિષ્ટ પાસાઓને સમર્પિત છે. તે મુલાકાતીઓને સદીઓના જ્ઞાન અને વારસાની વ્યાપક સફર કરાવશે.

મ્યુઝિયમમાં સદીઓ જૂના દુર્લભ અવશેષો, જૈન કલાકૃતિઓ અને પરંપરાગત વારસો સચવાયેલો છે. જેમાં પથ્થર અને ધાતુની નકશીકામ કરેલી મૂર્તિઓ, વિશાળ તીર્થ પટ્ટ અને યંત્ર પટ્ટ, ચિત્રો, ચાંદીના રથ, સિક્કાઓ અને પ્રાચીન હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. જે સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વિશાળ હોલમાં ગોઠવાયેલા બે હજારથી વધુ દુર્લભ ખજાનાઓ સાથે આ મ્યુઝિયમ મુલાકાતીઓને જૈન ધર્મના ઉત્ક્રાંતિ અને તેની ઊંડી સાંસ્કૃતિક અસરની ક્રમિક સમજ મેળવવામાં સક્ષમ બનાવશે.

સાણંદમાં વડા પ્રધાન
વડા પ્રધાન અમદાવાદના સાણંદ GIDC ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધામાં વ્યાપારી ઉત્પાદન શરૂ થવા સાથે ભારતની સેમિકન્ડક્ટર સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. વ્યાપારી ઉત્પાદન અદ્યતન ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (IPMs) ના ઉત્પાદન સાથે શરૂ થશે, જે ઓટોમોટિવ અને ઔદ્યોગિક ઉપયોગો માટે મહત્વપૂર્ણ ઘટકો છે. દરેક મોડ્યુલમાં 17 ચિપ્સ હોય છે અને તે કેલિફોર્નિયા સ્થિત આલ્ફા એન્ડ ઓમેગા સેમિકન્ડક્ટર (AOS) ને સપ્લાય કરવામાં આવશે. જ્યારે પ્લાન્ટના તમામ તબક્કાઓ પૂર્ણ થશે, ત્યારે તેની ક્ષમતા દરરોજ 6.33 મિલિયન યુનિટ ઉત્પાદન કરવાની હશે.

કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન એ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળનું એક મોટું પગલું છે. માઇક્રોન ટેકનોલોજી પછી વ્યાપારી ઉત્પાદન શરૂ કરનાર આ કાર્યક્રમ હેઠળનો બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે.

વાવ-થરાદમાં શું કરશે પીએમ મોદી

  • વડા પ્રધાન ₹20,000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ પાવર, રેલ્વે, માર્ગ પરિવહન, આરોગ્ય, શહેરી વિકાસ, આદિજાતિ વિકાસ અને ગ્રામીણ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે.
  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે: વડા પ્રધાન ₹5,100 કરોડથી વધુના ખર્ચે બનેલા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે, જે પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે.
  • રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ઇડર-બડોલી બાયપાસ અને ધોળાવીરા-સાંતલપુર સેક્શન (NH-754K) ના અપગ્રેડેશન માટે શિલાન્યાસ કરવામાં આવશે. આનાથી પ્રવાસન સ્થળો અને લોજિસ્ટિક્સને વેગ મળશે.
  • ફ્લાયઓવર: ગાંધીનગર-કોબા રોડ પર ભાઈજીપુરા જંકશન અને PDPU જંકશન ખાતે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન/શિલાન્યાસ થશે, જેથી એરપોર્ટ જતો ટ્રાફિક હળવો થશે.
  • ઊર્જા ક્ષેત્ર: ₹3,650 કરોડના ખર્ચે ખાવડા પુલિંગ સ્ટેશન-2 અને સંકળાયેલ ટ્રાન્સમિશન સિસ્ટમ્સનું ઉદ્ઘાટન થશે, જે 4.5 GW રિન્યુએબલ એનર્જીના વહન માટે મદદરૂપ થશે.
  • રેલ્વે પ્રોજેક્ટ્સ: કાનાલુસ-જામનગર ડબલિંગ અને હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાનું પણ પ્રસ્થાન કરાવવામાં આવશે.
  • આરોગ્ય અને પર્યટન: અમદાવાદ સિવિલ અને ગાંધીનગર સિવિલ ખાતે ‘રેન બસેરા’નું ઉદ્ઘાટન. રાણીની વાવ (પાટણ) ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું લોકાર્પણ થશે.
  • પાણી પુરવઠો: બનાસકાંઠા અને પાટણ માટે કસરા-દાંતીવાડા અને ડિંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઇન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. અંબાજી અને આસપાસના 34 ગામો માટે પાણી પુરવઠા યોજનાનો શિલાન્યાસ.
  • સાબરમતી રિવરફ્રન્ટ: ગાંધીનગર જિલ્લામાં ₹1000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટના ત્રણ વિસ્તરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે.
  • આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદના વેજલપુરમાં સરકારી બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. આ સુવિધા આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં મદદ કરશે.

₹20 હજારથી ઓછી કિંમતે Redmi 15A 5G અને Tecnoના નવા 5G સ્માર્ટફોન લોન્ચ

20 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન નવા લોન્ચ: શુક્રવારે ભારતમાં 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતના બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. Xiaomi એ REDMI 15A 5G લોન્ચ કર્યો છે, જ્યારે TECNO એ TECNO Spark 50 5G લોન્ચ કર્યો છે. નવા Redmi ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.9-ઇંચ ડિસ્પ્લે છે. ફોનમાં 6 GB RAM, 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. ચિપસેટ Unisoc નું T8300 છે, જે મૂળભૂત કાર્યો માટે રચાયેલ છે. આ ફોનમાં 6300mAh બેટરી છે. જ્યારે, TECNO Spark 50 5G માં 6.78-ઇંચ ડિસ્પ્લે અને 6500mAh બેટરી છે. આ ફોનમાં MediaTek Dimensity 6400 ચિપસેટ છે.

Redmi 15A 5G ની કિંમત અને ઉપલબ્ધતા

રંગોઅદ્ભુત વાદળી, અમેઝ પર્પલ અને એસ બ્લેક
(4 જીબી + 64 જીબી)₹12,999
(4 જીબી + 128 જીબી)₹14,499
(6 જીબી + 128 જીબી)₹16,499
કોષ3 એપ્રિલથી
વેચાણ ક્યાં થશે?Mi.com, Flipkart અને ઑફલાઇન સ્ટોર્સ પર

Redmi 15A 5G સુવિધાઓ અને વિશિષ્ટતાઓ

પ્રદર્શન6.9-ઇંચ એચડી+ ડિસ્પ્લે, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 810 નિટ્સ પીક બ્રાઇટનેસ
પ્રોસેસરયુનિસોક T8300 (6nm)
ઓપરેટિંગ સિસ્ટમએન્ડ્રોઇડ 16 (Xiaomi HyperOS સાથે)
રામ4 જીબી / 16 જીબી (એલપીડીડીઆર૪એક્સ)
સંગ્રહ64 જીબી / 128 જીબી (યુએફએસ 2.2), 1 ટીબી સુધી વધારી શકાય છે
પાછળનો કેમેરાLED ફ્લેશ સાથે 32MP પ્રાઇમરી + સેકન્ડરી કેમેરા
સેલ્ફી કેમેરા8 મેગાપિક્સલ
બેટરી6300mAh, 15W ફાસ્ટ ચાર્જિંગ અને 7.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ
અન્ય સુવિધાઓIP52 (ધૂળ અને પાણી રેટિંગ), 3.5mm ઓડિયો જેક, FM રેડિયો

Tecno સ્પાર્ક 50 5G કિંમત અને ઉપલબ્ધતા

રંગોફેન્ટસી પર્પલ, મિન્ટ ગ્રીન, ઇન્ક બ્લેક અને શેમ્પેન ગોલ્ડ
(4 જીબી + 128 જીબી)₹16,999
(6 જીબી + 128 જીબી)₹18,999
કોષ3 એપ્રિલ, બપોરે 12 વાગ્યાથી
વેચાણ ક્યાં થશે?Amazon.in અને ભારતના અગ્રણી રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ

ટેક્નો સ્પાર્ક 50 5G સુવિધાઓ અને વિશિષ્ટતાઓ

પ્રદર્શન6.78-ઇંચ એચડી+ ડિસ્પ્લે, 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 560 નિટ્સ બ્રાઇટનેસ
પ્રોસેસરમીડિયાટેક ડાયમેન્સિટી 6400 (6nm)
ઓપરેટિંગ સિસ્ટમએન્ડ્રોઇડ 16 (HiOS 16 સાથે)
રામ4 જીબી / 6 જીબી (એલપીડીડીઆર૪એક્સ)
સંગ્રહ128 જીબી (યુએફએસ 2.2), એસડી કાર્ડ દ્વારા ૨ ટીબી સુધી વધારી શકાય છે
પાછળનો કેમેરા50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
સેલ્ફી કેમેરા8 મેગાપિક્સલ
બેટરી અને ચાર્જિંગ6500mAh, 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
અન્ય સુવિધાઓ3.5 મીમી ઓડિયો જેક, જીપીએસ, ગ્લોનાસ, 210 ગ્રામ

મિડલ-ઈસ્ટ યુદ્ધ: કુવૈતના પાવર સ્ટેશન પર ઈરાનનો હુમલો, ભારતીય કામદારનું મોત

0

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની આગમાં હવે પાડોશી દેશોને પણ ઝપેટમાં લીધા છે. ઈરાન દ્વારા કુવૈતના પાવર સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટનમાંમાં એક ભારતીય કામદારનું મોત નીપજ્યું હોવાનું કુવૈતના વીજ મંત્રાલયે પુષ્ટિ કરી હતી. હુમલામાં પાવર સ્ટેશનની ઈમારતને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ, ઈરાની મીડિયાના અહેવાલ મુજબ ઈરાનના ઉત્તરી પ્રાંતમાં આવેલી તબરીઝ પેટ્રોકેમિકલની ફેસિલિટી પર પણ વળતો હુમલો કરવામાં આવ્યો હતો, જોકે સદનસીબે ત્યાંથી કોઈ જોખમી પદાર્થો લીક થયા નથી.

લેબનોનમાં તૈનાત યુનાઈટેડ નેશન્સ ફોર્સે રવિવારે મોડી રાત્રે તેમના એક શાંતિ રક્ષકના મોતની પૃષ્ટી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના નિવેદન અનુસાર, એક ગોળા તેમના કેમ્પ પર પડતા આ ઘટના બની હતી. હાલ આ હુમલો કોણે કર્યો તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધને એક મહિનાનો સમય થઈ ગયો છે. જો કે હવે ઈરાન વધુ આક્રમક થતું જોવા મળી રહ્યું છે. ઈરાનના સંયુક્ત સૈન્ય કમાન્ડના પ્રવક્તાએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે હવે અમેરિકા અને ઇઝરાયેલના અધિકારીઓના ખાનગી નિવાસો પણ ઈરાન માટે સત્તાવાર સૈન્ય લક્ષ્યાંકો ગણાશે. આ નિવેદન બાદ સમગ્ર ક્ષેત્રમાં ભયનો માહોલ છે અને યુદ્ધ વધુ વ્યાપક અને ભયાનક બનવાની ભીતિ સેવાઈ રહી છે.

આ યુદ્ધમાં હવે હુતી બળવાખોરોની પણ એન્ટ્રીથી વિશ્વની ચિંતામાં વધારો થયો છે. જો હુતીઓ લાલ સમુદ્રમાં બાબ-અલ-મંડેબ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરશે, તો વિશ્વના અંદાજે 12 ટકા વેપાર પર તેની માઠી અસર પડી શકે છે. અમેરિકા અને ઇઝરાયેલ સતત ઈરાન પર હુમલા કરી રહ્યા છે, જ્યારે ઈરાન તેના વળતા હુમલાઓ દ્વારા ઇઝરાયેલ અને પડોશી અખાતી દેશોને નિશાન બનાવી રહ્યું છે, જે વૈશ્વિક શિપિંગ અને સપ્લાય ચેઈન માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે.