Home Blog Page 137

‘ધુરંધર 2’નો ઈતિહાસ: ભારતમાં 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ

આદિત્ય ધરની ફિલ્મ ’ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ સ્પાય થ્રિલર ફિલ્મે 18મા દિવસે 1000 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કર્યો છે, જે પોતાના માટે એક રેકોર્ડ બનાવે છે. ભારતીય બોક્સ ઓફિસ પર આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે. 19 માર્ચે રિલીઝ થયેલી “ધુરંધર 2” દરરોજ બે આંકડાનો બિઝનેસ કરી રહી છે.

આ એક્શન થ્રિલર ફિલ્મે અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું છે અને તેના ત્રીજા અઠવાડિયામાં પણ થિયેટરોમાં જોરદાર ભીડ જોવા મળી રહી છે. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, “ધુરંધર 2” એ તેના 18મા દિવસે 28.75 કરોડ રૂૂપિયાની જંગી કમાણી કરી છે.

ફિલ્મે પહેલા અઠવાડિયામાં 674 કરોડ રૂૂપિયા અને બીજા અઠવાડિયામાં 263.65 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. આમ, ધુરંધર 2નું કુલ કલેક્શન 1013.77 કરોડ રૂૂપિયા થયું છે અને ગ્રોસ કલેક્શન હવે 1213.74 કરોડ રૂૂપિયા થયું છે. ‘ધુરંધર 2’ હવે બાહુબલી 2ને લક્ષ્ય બનાવી રહી છે જેણે 1030.42 કરોડ રૂૂપિયાની કમાણી કરી હતી. વધુમાં ‘પુષ્પા 2’ (1234.10 કરોડ રૂૂપિયા) નો લાઈફટાઈમ કલેક્શન રેકોર્ડ પણ જોખમમાં છે.

રણવીરસિંહ અભિનીત આ ફિલ્મે ‘RRR’ (₹782.20 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹646 કરોડ) અને ‘KGF 2’ (₹859.70 કરોડ) જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. ‘જવાન’, ‘પઠાણ’, ‘સ્ત્રી 2’, અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો પણ ‘ધૂરંધર 2’ ની સરખામણીમાં ફિક્કી પડી ગઈ છે. આશ્ચર્યજનક રીતે ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં જ વિશ્વભરમાં ₹1000 કરોડનો આંકડો પાર કરી દીધો.

ગુજરાતમાં એલર્ટ: અમદાવાદ-રાજકોટ-વડોદરા RTOને બોમ્બ ધમકી, હજારો લોકો પરત મોકલાયા

0

રાજ્યમાં ફરી ધમકીનું ભૂત ધૂણતું જોવા મળ્યુ છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા શહેરની RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

ઈરાન વિરુદ્ધ અપશબ્દો બોલતા ડોનાલ્ડ ટ્રમ્પ ફસાયા: કાયદાકીય નિયમો વચ્ચે ખુરશી પર સંકટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન અંગે આપત્તિજનક ટિપ્પણી કર્યા બાદ ભારે વિવાદમાં ફસાઈ ગયા છે. તેમના નિવેદનથી અમેરિકાના વિરોધ પક્ષના નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે અને હવે તેમના વિરુદ્ધ 25મા સુધારા લાગુ કરવાની માંગ ઉઠી રહી છે.

માહિતી મુજબ, ઓછામાં ઓછા 5 અમેરિકી સાંસદોએ ટ્રમ્પને પદ પરથી દૂર કરવા આ બંધારણીય પ્રાવધાનનો ઉપયોગ કરવાની માંગ કરી છે. સાંસદોના મતે, ટ્રમ્પ તેમના રાષ્ટ્રપતિ પદના ફરજો યોગ્ય રીતે નિભાવવા અસમર્થ છે અને દેશના હિતમાં તેમને હટાવવું જરૂરી છે. જો આ પ્રક્રિયા અમલમાં આવે તો ઉપ રાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ બાકીના કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ પદ સંભાળી શકે છે.

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે 4 એપ્રિલે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈરાન અંગે અપશબ્દોનો ઉપયોગ કર્યો. આ નિવેદન બાદ અનેક ડેમોક્રેટ નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી. અમેરિકાની સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ બેકા બેલિન્ટે કહ્યું કે, જો આ પ્રકારનું નિવેદન બરાક ઓબામા અથવા જો બાઈડને આપ્યું હોત તો રિપબ્લિકન પક્ષ તેમને હટાવવાની માંગ કરત.

સેનેટર ક્રિસ મર્ફીએ જણાવ્યું કે, જો તેઓ ટ્રમ્પની કેબિનેટમાં હોત તો તરત જ 25મા સુધારા લાગુ કરવા માટે કાનૂની સલાહ લેતા. જ્યારે કોંગ્રેસ સભ્ય યાસ્મીન અન્સારીએ ટ્રમ્પને માનસિક રીતે અયોગ્ય ગણાવી તેમને હટાવવાનો આ યોગ્ય સમય ગણાવ્યો.

અમેરિકામાં 25મા સુધારા હેઠળ, જો રાષ્ટ્રપતિ અસમર્થ ગણાય તો કેબિનેટ પહેલું પ્રસ્તાવ મૂકે છે. જો રાષ્ટ્રપતિ વિરોધ કરે તો મામલો કોંગ્રેસ અને સેનેટમાં જાય છે, જ્યાં 2/3 બહુમતીથી મંજૂરી મળે તો રાષ્ટ્રપતિને પદ છોડવું પડે છે. મિડિયા અહેવાલો મુજબ, વિવાદ વધ્યા બાદ ટ્રમ્પે ત્રણ દિવસની રજા પણ લીધી છે, જેને કારણે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.

મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ: ઈઝરાયલ-ઈરાનના તીવ્ર હુમલા, ઈરાકમાં પણ ભયાનક તબાહી

અમેરિકા અને ઈઝરાયલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલો યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં તો ઈરાને ઈઝરાયલના મહત્ત્વપૂર્ણ શહેર તહેરાનમાં અમેરિકા સાથે મળીને ભયાનક હુમલાઓ કર્યા હતા.

તેહરાન ઇમરજન્સી સેન્ટરના અહેવાલ અનુસાર, ગઈકાલે રાત્રે તેહરાન પ્રાંત પર થયેલા અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં છ નિર્દોષ બાળકોના મોત થયા છે, જેમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓનો સમાવેશ થાય છે. આ તમામ મૃતક બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું જણાવાયું છે, જેમને તેહરાને આ હુમલાના ભોગ બનેલા ‘શહીદ’ તરીકે જાહેર કર્યા છે. મધ્ય-પૂર્વમાં વધી રહેલા આ ભીષણ જંગમાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકોના મોતના સમાચારથી આંતરરાષ્ટ્રીય સ્તરે માનવીય સંકટની ચિંતા વધુ ઘેરી બની છે.

ઈરાન દ્વારા ઈઝરાયલના હાઈફા શહેર પર કરવામાં આવેલા વળતા હુમલા બાદ ત્યાં ભારે વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ હુમલામાં અનેક ઈમારતો અને રહેણાંક વિસ્તારોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો છે, જેમાં કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની પણ આશંકા છે. ઈઝરાયલના આ મહત્વના બંદર શહેર પર થયેલા આક્રમણને કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ઈમરજન્સી સેવાઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. ઈરાને આ હુમલાને ઈઝરાયલના અગાઉના કૃત્યોનો જવાબ ગણાવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે અત્યંત ઘાતક અને જોખમી તબક્કામાં પહોંચી ગયું હોય તેવું જણાય છે.

નિવૃત્ત ફોર-સ્ટાર નેવી એડમિરલ અને ભૂતપૂર્વ નેવી સીલ વિલિયમ મેકરેવને ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, તેમના કાર્યોએ અમેરિકાને વિશ્વ મંચ પર અપમાનિત કર્યું છે અને બાળકોની નજરમાં પણ દેશની છબી ખરડી છે. મેકરેવને ગંભીર આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પના નિર્ણયો અને કાર્યશૈલીએ રાષ્ટ્રને વિભાજિત કરવાનું સૌથી ખરાબ કામ કર્યું છે. એક ઉચ્ચ સૈન્ય અધિકારી દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરવામાં આવેલી આ ટિપ્પણી અમેરિકાના આંતરિક રાજકારણમાં ચાલી રહેલા ગંભીર અસંતોષ અને નેતૃત્વ સામેના સવાલોને સ્પષ્ટપણે રજૂ કરે છે.

ઈરાકના સુલેમાનિયા પ્રાંતમાં કુર્દિશ અલગતાવાદીઓના ઠેકાણાઓ પર ડ્રોન હુમલા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ હુમલાઓમાં અમેરિકાના સમર્થક અલગતાવાદી સંગઠનોના સૈન્ય પોઝિશન્સને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. આ ડ્રોન સ્ટ્રાઈક્સ પાછળ કયા દેશનો હાથ છે તે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી, પરંતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા મોટા સંઘર્ષ વચ્ચે કુર્દિશ જૂથો પરના આ હુમલા પ્રાદેશિક અસ્થિરતામાં વધારો કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાના સ્થળે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે.

સુરતમાં પતિ-પત્નીનો આપઘાત: ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રાજપુત ફળિયામાં રહેતા 24 વર્ષીય ભાવેશ ચુડાસમા અને 23 વર્ષીય તેજલ ચુડાસમાએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. નવપરિણીત દંપતીના લગ્નને માત્ર એક વર્ષ જ પૂર્ણ થયું હતું, ત્યારે જ બંનેએ આ અંતિમ પગલું ભરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના એક ચાલના રૂમમાં બની હતી, જ્યાં બંનેએ અલગ-અલગ જગ્યાએ ફાંસો ખાધો હતો. તેજલબેને રૂમમાં કપડાં ધોવાની ચોકડી પાસે છતમાં લાગેલા હૂક સાથે નાયલોનની પટ્ટી બાંધી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે ભાવેશભાઈએ સીલિંગ ફેનના હૂક સાથે દોરી બાંધી આપઘાત કર્યો હતો. એક જ રૂમમાં બંનેના મૃતદેહ લટકતા જોવા મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પડોશીઓના જણાવ્યા મુજબ, દંપતી વચ્ચે કોઈ ખાસ ઝઘડો કે વિવાદ જોવા મળ્યો નહોતો. છતાં, લગ્નના માત્ર 12 મહિનામાં જ આ દુખદ ઘટના બનતા કારણો હજુ અકબંધ છે. સમગ્ર ફળિયામાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહોને નીચે ઉતારી પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેના કારણે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પરિવારજનો દ્વારા આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ભારતીય વાયુસેનાની તૈયારી તેજ: Mk-84 જેવી શક્તિશાળી બોમ્બ માટે સ્વદેશી વિકલ્પોની શોધ

0

ભારતીય વાયુસેનાને અમેરિકન Mk-84 જેવા જ હવાઈ બોમ્બની જરૂર છે. વાયુસેનાએ આ સ્વદેશી બોમ્બ માટે સ્થાનિક કંપનીઓ પાસેથી માહિતી માંગી છે. Mk-84 એ એક ભારે યુએસ-નિર્મિત હવાઈ બોમ્બ છે જે ફાઇટર એરક્રાફ્ટમાંથી છોડવામાં આવે છે. તેનું વજન આશરે 2,000 પાઉન્ડ (લગભગ 900-1,000 કિગ્રા) છે. તે એક સામાન્ય હેતુનો બોમ્બ છે, જેનો અર્થ છે કે તેનો ઉપયોગ વિવિધ લક્ષ્યો સામે થઈ શકે છે.

યુએસ Mk-84 એરિયલ બોમ્બ આટલા ખાસ કેમ છે?
આ બોમ્બમાં ખૂબ જ ઊંચી વિસ્ફોટક શક્તિ છે, જેના કારણે મોટો વિસ્ફોટ થાય છે અને નુકસાન થાય છે. તેનો ઉપયોગ બંકર, ઇમારતો, રનવે અને વેરહાઉસ જેવા મજબૂત દુશ્મન લક્ષ્યોને નષ્ટ કરવા માટે થાય છે. Mk-84 ને આધુનિક સિસ્ટમો સાથે જોડીને, તેનો ઉપયોગ ચોકસાઇવાળા બોમ્બ તરીકે પણ થઈ શકે છે.

ભારતીય વાયુસેનાએ સ્વદેશી બોમ્બ બનાવવાની તૈયારીઓ તેજ કરી
ભારતીય વાયુસેનાએ 1000 કિલોગ્રામના હવાઈ બોમ્બની ડિઝાઇન, વિકાસ અને ખરીદી માટે રસ વ્યક્ત કરવા (EoI) ની માંગ કરી છે.
આ પ્રક્રિયા સંરક્ષણ પ્રાપ્તિ પ્રક્રિયા (DAP 2020) હેઠળ હાથ ધરવામાં આવશે. આમાં ટેઇલ યુનિટ અને અન્ય જરૂરી સાધનોનો પણ સમાવેશ થશે.
આ પ્રોજેક્ટ મેક-II (ઉદ્યોગ ભંડોળ) હેઠળ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બાય (ભારતીય-IDDM) શ્રેણી હેઠળ ખરીદવામાં આવશે.
આ બોમ્બ ભારે વિસ્ફોટ કરશે અને દુશ્મન પર વધુ દબાણ લાવવામાં સક્ષમ હશે.
તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તેનો ઉપયોગ વાયુસેના પાસે ઉપલબ્ધ રશિયન અને પશ્ચિમી બંને પ્રકારના ફાઇટર જેટમાં થઈ શકે.

આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે
હાલમાં, આવા બોમ્બ વિદેશથી ખરીદવામાં આવે છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, છ પ્રોટોટાઇપ (પરીક્ષણ મોડેલ) બનાવવામાં આવશે, જેમાં વાસ્તવિક અને ડમી મોડેલ બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેનું પરીક્ષણ કરવામાં આવશે અને જરૂરી તકનીકી સ્પષ્ટીકરણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ તબક્કામાં ઓછામાં ઓછી 50 ટકા સામગ્રી ભારતમાં બનાવવામાં આવવી જોઈએ.

600 બોમ્બ ખરીદવાની યોજના છે
બીજા તબક્કામાં, લાયક કંપનીઓ પાસેથી 600 બોમ્બ ખરીદવામાં આવશે. EoI જારી કરવાથી લઈને કરાર પર હસ્તાક્ષર થવા સુધી, સમગ્ર પ્રોજેક્ટમાં આશરે 2.5 વર્ષનો સમય લાગશે. આમાં ડિઝાઇન, પરીક્ષણ, મૂલ્યાંકન અને અન્ય પ્રક્રિયાઓનો સમાવેશ થશે. તમામ પરીક્ષણો ભારતની અંદર વાયુસેનાના એકમો અથવા નિયુક્ત સ્થળોએ કરવામાં આવશે. આ પરીક્ષણો વાયુસેના પાસે ઉપલબ્ધ વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે.

ભારતીય તેમજ વિદેશી કંપનીઓ
ભારતીય કંપનીઓ (ખાનગી ક્ષેત્ર સહિત) ભાગ લેવા માટે પાત્ર છે. જો જરૂરી હોય તો વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી પણ શક્ય છે, પરંતુ ડિઝાઇન અને બાંધકામમાં ભારતીય ભાગીદારી ફરજિયાત રહેશે. કંપનીઓની પસંદગી ટેકનિકલ ક્ષમતાઓ, માળખાગત સુવિધાઓ, ભારતીય ઇક્વિટી અને સ્થાપિત ધોરણોના આધારે કરવામાં આવશે.

દિલ્હીમાં નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો પર્દાફાશ: એક આરોપીની ધરપકડ

0

દિલ્હી પોલીસે નકલી ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં પ્રખ્યાત સેન્સોડાઇન બ્રાન્ડના 7,000થી વધુ નકલી ટૂથપેસ્ટ તૈયાર થઈ રહ્યા હતા. આ નકલી ઉત્પાદનો દિલ્હી-એનસીઆરથી લઈને સદર બજાર દ્વારા દેશભરમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવતા હતા, જે લોકોના આરોગ્યને ગંભીર જોખમમાં મુકી દે છે. આ મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં અત્યારે એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ખાનગી બાતમીના આધારે પોલીસે પાડ્યાં દરોડા
ખંજવાલાના મહાવીર વિહાર વિસ્તારમાં એક વેરહાઉસમાં નકલી સેન્સોડાઇન ટૂથપેસ્ટ બનાવવામાં આવી રહી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં નકલી સેન્સોડાઇન ટૂથપેસ્ટ, ખાલી ટ્યુબ, પેકેજિંગ સામગ્રી અને મશીનરી જપ્ત કરી છે. આ કેસના સંદર્ભમાં ફેક્ટરી સંચાલક હરિઓમ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે નકલી માલનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી
આ દરોડા દરમિયાન પોલીસે જોયું કે વેરહાઉસમાં છ મજૂરો ખાલી ટ્યુબને હલકી ગુણવત્તાવાળા પેસ્ટથી ભરવા માટે મશીનરીનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ટ્યુબને સીલ કરવામાં આવી રહી હતી અને વાસ્તવિક સેન્સોડાઇન જેવી પેક કરવામાં આવી રહી હતી, જેથી તેને બજારમાં વેચી શકાય. આવી ટૂથપેસ્ટ લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમી સાબિત થઈ શકે છે, જેથી પોલીસે સત્વરે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય આરોપીઓની ઓળખ કરવા માટે કામ લાગી ગઈ છે.

હોકી ઇન્ડિયામાં બવાળો: વરિષ્ઠ અધિકારી પર યૌન ઉત્પીડન અને દુરુપયોગના ગંભીર આરોપો

0

ભારતીય હોકી માટે મહત્વપૂર્ણ ગણાતા આવનારા વર્લ્ડ કપ પહેલાં જ હોકી ઇન્ડિયા વિવાદોમાં ઘેરાયું છે. સંગઠનના એક વરિષ્ઠ અધિકારી સામે જાતીય સતામણી, ગેરવર્તણૂક અને પદના દુરુપયોગ જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. આ મામલો એક અનામી ઇમેઇલ દ્વારા બહાર આવ્યો છે.

આ ઇમેઇલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ના ડિરેક્ટર જનરલ, આંતરિક ફરિયાદ સમિતિની ડિરેક્ટર કલ્પના શર્મા અને હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીને મોકલવામાં આવ્યો હતો. ઇમેઇલમાં આરોપી અધિકારીના વર્તન અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દિલીપ તિર્કીએ પણ પુષ્ટિ કરી છે કે સંગઠનને આવી ફરિયાદ મળી છે.

ઇમેઇલમાં જણાવ્યા અનુસાર, આરોપી અધિકારી પર મહિલા અધિકારીઓ, કોચ અને ખેલાડીઓ પ્રત્યે અયોગ્ય વર્તન કરવાનો, જાતીય સતામણી કરવાનો, અનિચ્છનીય ફોન કોલ્સ દ્વારા પરેશાન કરવાનો અને ખાનગી વાતચીત માટે દબાણ કરવાનો આરોપ છે. વધુમાં, જો કોઈ ઇનકાર કરે તો તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડવાની ધમકી આપવાનો, કોચિંગ કોર્સ અથવા વ્યાવસાયિક તકના બહાને પૈસા માંગવાનો તેમજ અયોગ્ય ફોટોગ્રાફ્સ માંગવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે દિલીપ તિર્કીએ જણાવ્યું કે, “હોકી ઇન્ડિયામાં ઉત્પીડનના આરોપોને ગંભીરતાથી લેવામાં આવે છે અને આ મામલે નિષ્પક્ષ તપાસ માટે સ્વતંત્ર સમિતિની રચના કરવામાં આવશે.”

સૂત્રોના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ સામે આ પ્રથમ ફરિયાદ નથી. વર્ષ 2023માં પણ તેમની સામે ઔપચારિક ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું. છતાં, સપ્ટેમ્બર 2025માં તેમને ફરી સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હાલ તેમનું નામ સત્તાવાર સમિતિમાં નથી, છતાં તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલા વર્લ્ડ કપ ક્વોલિફાયર કાર્યક્રમમાં તેમનું નામ જોવા મળ્યું હતું.

કેટલાક અમ્પાયરોના દાવા મુજબ, અગાઉ પણ આ મુદ્દે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી થઈ નહોતી. એક વરિષ્ઠ અમ્પાયરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, “મારી પાસે પણ પૈસા અને ફોટોગ્રાફ્સ માંગવામાં આવ્યા હતા. જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે મને બાજુ પર રાખવામાં આવ્યો.”

આ સમગ્ર મામલો હવે ગંભીર બની રહ્યો છે અને તપાસ બાદ વધુ વિગતો સામે આવવાની સંભાવના છે.

ઈરાનના બુશેહર પરમાણુ પ્લાન્ટ નજીક હુમલો: 1નું મોત, રિયાધ હુમલા અંગે IRGCનો ઇનકાર

ઈરાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બુશેહર પરમાણુ પ્લાન્ટ નજીક થયેલા હવાઈ હુમલામાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હોવાનું ઈરાનની પરમાણુ એજન્સીએ જણાવ્યું છે. આ હુમલામાં પ્લાન્ટની એક સહાયક ઇમારતને નુકસાન પણ પહોંચ્યું છે. યુદ્ધ દરમિયાન આ પ્લાન્ટ પર થયેલો આ ચોથો હુમલો હોવાનું કહેવાય છે. એજન્સીએ શનિવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી જાહેર કરી હતી.

આ વચ્ચે દક્ષિણ ઈરાનના ખુઝેસ્તાન પ્રાંતમાં આવેલા મહશહર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જોરદાર વિસ્ફોટોની ઘટના સામે આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ, વિસ્ફોટ બાદ વિસ્તારમાંથી ઘાટા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, આ વિસ્ફોટોના ચોક્કસ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બીજી તરફ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર થયેલા ડ્રોન હુમલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે. IRGCના જણાવ્યા અનુસાર, આ હુમલો ઈરાની સેનાએ નહીં પરંતુ ઇઝરાયલે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

બુશેહર પરમાણુ પ્લાન્ટ પર્શિયન ગલ્ફ નજીક આવેલો છે.
ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, હુમલાથી પ્લાન્ટના મુખ્ય ઘટકોને કોઈ નુકસાન થયું નથી, અને ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી. જોકે, પ્લાન્ટના મુખ્ય કાર્યો પર કોઈ અસર થઈ નથી. બુશેહર પરમાણુ પ્લાન્ટ દક્ષિણ ઈરાનમાં પર્શિયન ગલ્ફ પર સ્થિત છે અને તે દેશનો પ્રથમ વ્યાપારી પરમાણુ પાવર સ્ટેશન છે.

યુએસ-ઈરાન તણાવ અને ટ્રમ્પની ધમકીઓ
યુદ્ધ શરૂ થયા પછીથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ રહ્યો છે. તાજેતરમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના માળખાકીય સુવિધાઓ પર સંભવિત હુમલાઓની ચેતવણી આપી હતી, જેમાં પુલ અને પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુએસ સૈન્યએ ઈરાનના બાકી રહેલા ભાગોનો નાશ કરવાનું પણ શરૂ કર્યું નથી. તેમણે ઈરાનને પાષાણ યુગમાં પાછા મોકલવાની ધમકી પણ આપી હતી.

સિલ્વાસામાં નાઇટ્રોજન ગેસના ગોદામમાં ભયાનક વિસ્ફોટ: 3 લોકોના મોત, 8 ઘાયલ

0

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સિલ્વાસામાં નાઇટ્રોજન વેરહાઉસમાં થયેલા મોટા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. શનિવારે સવારે 9:30 વાગ્યાની આસપાસ ડેમની સ્કૂલ ફળિયા વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો. રહેવાસીઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હોવાની જાણ કરી હતી જેનાથી ભય અને મૂંઝવણ ફેલાઈ હતી. જ્યારે બાકીના પીડિતો સારવાર હેઠળ છે. ઘાયલોની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ વેરહાઉસ એક વ્યસ્ત રસ્તાની નજીક અને એક શાળાથી માત્ર 30 મીટર દૂર આવેલું હતું, જેના કારણે સલામતીના ધોરણો અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે શું સ્ટોરેજ સુવિધા યોગ્ય પરવાનગીઓ સાથે કાર્યરત હતી કે નહીં.

બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ
ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમો અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી. સાવચેતીના ભાગ રૂપે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે, અને વધુ જોખમ ન રહે તે માટે પ્રયાસો ચાલુ છે.

જો ગોદામ ગેરકાયદેસર હશે તો કાર્યવાહી કરીશું – કલેક્ટર
દાદરા નગર હવેલીના કલેક્ટર પ્રિયંક કિશોરે આ ઘટના વિશે માહિતી આપતા કહ્યું, “તપાસ ચાલુ છે અને FSL ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. અહીં એક ગેસ એજન્સી કાર્યરત હતી. તે ઓક્સિજન સપ્લાય કરતી હતી. આ ઉપરાંત, તે અન્ય વિવિધ ગેસ પણ સપ્લાય કરતી હતી”.

તેમણે ઉમેર્યું, “તે કયા પ્રકારનો ગેસ સપ્લાય કરી રહ્યું હતું અને કયા ગેસથી આ વિસ્ફોટ થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી અમે વધુ કંઈ કહી શકીએ નહીં. હાલમાં, 8 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો વેરહાઉસ ગેરકાયદેસર હોવાનું માલૂમ પડશે, તો અમે કડક કાર્યવાહી કરીશું”.

વિસ્ફોટનું કારણ શું હતું?
વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, અધિકારીઓને શંકા છે કે તે ટેકનિકલ ખામી અથવા સંભવિત બેદરકારીને કારણે હોઈ શકે છે.