Home Blog Page 136

દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવિંગ બદલ ડેવિડ વોર્નર મુશ્કેલીમાં, સિડનીમાં ધરપકડ

0

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને વિવાદાસ્પદ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ફરી એકવાર મેદાન બહારની હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં કરાચી કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા વોર્નર લીગમાંથી ટૂંકો બ્રેક લઈને પોતાના વતન સિડની પરત ફર્યા હતા, જ્યાં રવિવારે રાત્રે દારૂૂ પીને વાહન ચલાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. મળતી વિગતો મુજબ, આ ઘટના સિડનીના મારૌબા વિસ્તારમાં બની હતી.

ડેવિડ વોર્નર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે સામે પોલીસનું ચેકિંગ જોઈને તેમણે સમયસૂચકતા વાપરી કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. જોકે, સતર્ક પોલીસ અધિકારીઓએ શંકાના આધારે તેમની પાસે જઈને તપાસ કરી હતી.

પ્રાથમિક શ્વાસ પરીક્ષણમાં નિષ્ફળ ગયા બાદ વોર્નરની અટકાયત કરી તેમને મારૌબા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા બ્લડ આલ્કોહોલ ટેસ્ટમાં ચોંકાવનારું રીડિંગ સામે આવ્યું છે. વોર્નરના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 0.104 નોંધાયું હતું, જે કાયદેસરની નિર્ધારિત મર્યાદા કરતા ઘણું વધારે છે.

પોલીસે તાત્કાલિક ધોરણે તેમની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો. જોકે, કાયદાકીય પ્રક્રિયા બાદ હાલ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે, પરંતુ તેમની મુસીબત હજુ પૂરી થઈ નથી. તેમને મે 2026 માં સ્થાનિક કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

ઈરાન-અમેરિકા સીઝફાયરથી શેરબજાર અને સોનું-ચાંદીમાં તેજી જોરદાર તેજી

0

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના અહેવાલ આવતા વૈશ્વિક સ્તરે સર્જાયેલી શાંતિની અસરે આજે ભારતીય શેરબજારમાં તોફાની તેજી જોવા મળી છે. આજે બુધવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડબ્રેક છલાંગ લગાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ 2700 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ પણ ઓપનિંગમાં જ 800 પોઈન્ટનો જોરદાર વધારો નોંધાવ્યો હતો. જયારે ક્રુડના ભાવમાં 19 ટકા સુધી ઘટાડો થયો હતો.

બુધવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,616.58 ની સામે સીધો 77,290 ના સ્તર પર પહોંચી ગયો હતો. માત્ર ગણતરીની સેક્ધડોમાં જ તેની ગતિ તેજ થઈ હતી અને તે 77,392 ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ના નિફ્ટીએ પણ માર્કેટ ખુલતાની સાથે જ 800 અંકનો જંગી ઉછાળો લીધો હતો.

શેરબજારમાં આ ’ગ્રાન્ડ વેલકમ’ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલો બે અઠવાડિયાનો યુદ્ધવિરામ છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા ફેલાઈ હતી. જોકે, બે અઠવાડિયાના સીઝફાયરની સમજૂતી થતાં જ બજારમાંથી યુદ્ધનો ભય દૂર થયો છે. સેન્સેક્સ નિફ્ટીની સાથે બેંક નિફ્ટી પણ 2600 અંક અને મીડ કેપ નિફ્ટી પણ 1800 અંક વધી હતી.

આજે તમામ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઈન્ડિગો શેર 10% વધ્યો હતો. આજે અદાણી,રિલાયન્સ, ઓઈલ કંપનીઓના શેરના ભાવ વધ્યા હતા જ્યારે તમામ બેંકના શેર પણ વધ્યા છે. આજે ડોલરની સામે ભારતનો રૂૂપિયો પણ વધુ 36 પૈસા સુધરતા આયાતકારોને ફાયદો થશે. ડોલર હાલ 92.64 પર જોવા મળી રહ્યો છે.

આ અચાનક આવેલી તેજીને કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં લાખો કરોડ રૂૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે જો વૈશ્વિક સંકેતો આવા જ પોઝિટિવ રહ્યા તો બજારમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.

યુદ્ધ વિરામ ની જાહેરાતની સાથે સાથે ક્રૂડના ભાવમાં પણ મોટો કડાકો બોલી ગયો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રૂડ 109.87 ડોલર સુધી પહોંચ્યું હતું. જે આજે યુદ્ધ વિરામની જાહેરાતની સાથે જ એક સમયે 90 ડોલર સુધી આવી રહ્યું હતું. જોકે ત્યારબાદ ક્રૂડ થોડું વધ્યું હતું અને હાલ 94 ડોલર પર જોવા મળી રહ્યું છે. એટલે કે દિવસ દરમિયાન 14 થી 19 % નો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડના ભાવ ઘટતા આવનારા દિવસોમાં અર્થ તંત્રને મોટી રાહત મળશે.

એશિયન દેશોના શેર માર્કેટમાં પણ શાનદાર તેજી
ભારતીય શેરબજાર આજે જોરદાર વધારા સાથે ખુલ્યા બાદ એશિયન માર્કેટમાં પણ ભારે તેજી જોવા મળી હતી. જાપાનના નીકેઇ સ્ટોક માર્કેટમાં પણ 2872 પોઇન્ટની તેજી જોવા મળી હતી એટલે કે જાપાનનુ સ્ટોક માર્કેટ 5.5 ટકા વધ્યું છે. બીજી બાજુ શાંઘાઇ, હેંગસેંગ, કોરીયાના સ્ટોક માર્કેટ પણ તેજી સાથે ખુલ્યા છે. હેંગસેંગ માર્કેટમાં 780 પોઇન્ટની તેજી, કોરીયાના માર્કેટમાં 7 ટકાની તેજી જોવા મળી છે. હજુ યુરોપીયન માર્કેટ બપોરે ખુલે ત્યારે તેમાં પણ તેજી જોવા મળશે. બીજી બાજુ સિંગાપુર નિફટીમાં પણ 850 પોઇન્ટની તેજી જોવા મળી હતી. એટલે કે સિંગાપુર માર્કેટમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સોનામાં 3500 અને ચાંદીમાં 12000નો વધારો
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામના સમાચારની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો છે. આંકડા મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ ₹2,31,348 હતો. આજે બજાર ખુલતા જ તે ₹2,40,601 ના સ્તર પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદીએ ₹2,44,770 ની હાઈ સપાટી વટાવી છે. હાલમાં ચાંદી ₹2,43,205 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹11,857 (+5.13%) નો ધરખમ વધારો દર્શાવે છે. સોનાના ભાવમાં પણ આજે નોંધપાત્ર તેજી જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,50,289 હતો, જે આજે વધીને ₹1,53,550 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,53,944 ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સોનું ₹1,53,382 પર ટ્રેડ કરી રહ્યું છે.રાજકોટમાં હાલ હાજર ભાવ સોનાનો 156100 અને ચાંદીનો ભાવ 251240 પર જોવા મળી રહ્યો છે.

RBI આજે મોનેટરી પોલિસી મીટિંગમાં રેપો રેટ જાહેર કરશે

0

ભારતીય રિઝર્વ બેંક (RBI) 8 એપ્રિલ, બુધવારના રોજ નાણાકીય વર્ષ 2027 માટે તેની પ્રથમ નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ અંગેનો નિર્ણય જાહેર કરશે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ પહેલી MPC બેઠક પણ હશે, જે કેન્દ્રીય બેંકના વિકાસ અને ફુગાવાના અંદાજોને અસર કરી શકે છે. અગાઉ, અર્થશાસ્ત્રીઓ, ટ્રેઝરી હેડ્સ અને વ્યૂહરચનાકારો દ્વારા કરવામાં આવેલા અનેક મતદાનમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંક તેના દરો યથાવત રાખશે, પરંતુ નાણાકીય વર્ષ પરની તેની ટિપ્પણીઓ તેના વલણને નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. ચાલો તમને એ પણ જણાવીએ કે તમારી નાણાકીય પરિસ્થિતિ નક્કી કરતા પાંચ પરિબળો કયા પર આધાર રાખે છે.

સચીનના ઠગબાજ દ્વારા નવસારીના બિલ્ડર સાથે ત્રણ લાખની છેતરપિંડી

નવસારીમાં રહેતા બિલ્ડર સાથે સુરતના સચિન વિસ્તારમાં રહેતા એક યુવકે ફાયર સેફ્ટી એનઓસી અપાવવાના બહાને ₹3 લાખની છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બિલ્ડર રાજેશકુમાર દલસુખભાઈ તળાવીયાએ પોતાના પ્રોજેક્ટ માટે ફાયર એનઓસી મેળવવા માટે લાઇઝનીંગનું કામ કરતા કેતન હરીશભાઈ સુરતીને જવાબદારી સોંપી હતી. આરોપીએ કામ કરવાની બાહેંધરી આપીને એડવાન્સ રૂપે ₹3 લાખ લઈ લીધા, પરંતુ પછી કામ કર્યું નહીં અને પૈસા પરત પણ આપ્યા નહીં.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વતની અને હાલ નવસારીના જલાલપુર રોડ પર લીમડા ચોક પાસે ચામુંડા કૃપા સોસાયટીમાં રહેતા રાજેશકુમાર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા વાપીમાં પ્રોજેક્ટ પૂર્ણ કર્યા બાદ તેમણે કેતન સુરતીને ફાયર એનઓસી માટે કામ સોંપ્યું હતું. જોકે, આરોપીએ પૈસા લીધા બાદ એનઓસી અપાવ્યું નહીં અને રકમ પોતાના અંગત ઉપયોગમાં ખર્ચી નાખી.

પૈસા પરત માંગતા આરોપીએ વારંવાર વાયદા કરીને સમય પસાર કર્યો હતો. ચાર મહિના કરતાં વધુ સમય વીતી જવા છતાં એક પણ રૂપિયા પરત ન આપ્યા. આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પણ બાઉન્સ થયો હતો. ત્યારબાદ ફરીથી પૈસાની માંગણી કરતા આરોપીએ ખોટી ભલામણો કરાવી અને અંતે બિલ્ડરને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આખરે ભોગ બનનાર રાજેશકુમારે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં માછલી પકડવા ગયેલી 11 વર્ષની બાળકી તળાવમાં ડૂબી જતા મોત

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે તળાવમાં આજે સવારના સમયગાળા દરમિયાન માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની માસુમ બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બનાવની વિગત એવી છે કે વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી માત્ર 11 વર્ષની સંજુકુમારી ગોવિંદરા મહારા નામની બાળકી સવારે 11:15 વાગ્યાના અરસામાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગઈ હતી.

આ સમયે અચાનક જ તે તળાવમાં પડી જતા ઊંડા પાણીમાં ગરમ થઈ ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ વિભાગ ને જાણ કરતા ની સાથે જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પાણીમાં માસુમ બાળકીની શોધખોળ કરી તેને બહાર કાઢી તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે પોલીસે તેના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.

ખડગેના નિવેદન પર ગુજરાતમાં ભાજપનો વિરોધ, માફીની માંગ ઉઠી

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાંણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓ પર આપેલા નિવેદન પર હાલ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. બે દિવસ પહેલા શરૂ થયેલા આ વિવાદે હાલ વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કોંગ્રેસના ખડગેના ગુજરાતીઓ પર બફાટને લઈને ગુજરાત ભાજપે હાલ ભારે વિરોધ નોંધાવ્યો છે. ભાજપે સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિવિધ શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન યોજી ભારે રોષ સાથે કોંગ્રેસ પાસે આ મામલે માગ કરી છે.

વિગતે વાત કરીએ તો, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં ચૂંટણી રેલી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અશિક્ષિત ગણાવતા કહ્યું કે, ત્યાંના લોકોને નરેન્દ્ર મોદી સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના લોકો વધુ સમજુ અને શિક્ષિત છે, એટલે કોઈ તેને ભ્રમિત કરી શકશે નહીં.’ ત્યારે આ નિવેદનને લઈને ગુજરાતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સાથે જ ચૂંટણીના માહોલ વચ્ચે વિવિધ રાજકીય પાર્ટીઓ પણ આ મામલાને લઈને રાજકીય લાભ ઉઠાવી રહી છે.

ખડગેના આ વિવાદિત નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ મામલે સુરતમાં સુરત બીજેપીના કાર્યકરોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે, સુરતના અડાજન વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓએ મોં પર કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ નોંધાવ્યો છે. ‘ગુજરાતના અપમાન બદલ માફી માગે કોંગ્રેસના બેનર’ સાથે ભાજપ આ મામલે શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આ તરફ અમદાવાદમાં પણ ભાજપે મૌન ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે મૌન વિરોધમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ જોડાયા છે. સાથે જ થોડી વારમાં ગાંધીનગરમાં પણ ભાજપ વિરોધ પ્રદર્શન કરશે તેવી અહેવાલો હાલ સામે આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગર ભાજપ સંગઠન પણ ધરણાં પ્રદર્શન કરશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે ચૂંટણી વચ્ચે આગામી સમયમાં આ મુદ્દો ક્યાં જઈને અટકે એ જોવું રહ્યું!

મની લોન્ડ્રિંગ કેસમાં સુકેશને મળ્યા શરતી જામીન, છતાં જેલમાંથી તાત્કાલિક મુક્તિ નહીં

0

મની લોન્ડ્રિંગના કેસમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખરને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો છે. દિલ્હીની કોર્ટે સુકેશના કેસમાં સુનાવણી કરી હતી. આ દરમિયાન લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સુકેશને જામીન મળતા એ મુક્ત થયો હતો. ₹200 કરોડની વસુલીના કેસમાં ઠગ સુકેશનું નામ ખુલતા પૂછપરછ કરવામાં આવી હતી. જામીન આપતાની સાથે કોર્ટે કેટલીક શરત મૂકી છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, સુકેશે 5 લાખ રૂપિયા વ્યક્તિગત બોન્ડ ભરવા અને સમકક્ષ રકમ જામીનની જમા કરાવવા પર મુક્તિનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

શું રહેશે શરતો?
ટુ લીવ્સ સિંબલ કૌભાંડ અંતર્ગત મની લોન્ડ્રિંગ કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર મુક્ત થયા બાદ પણ એમની મુશ્કેલી ઓછી થઈ નથી. અન્ય કેસ હજું ન ઉકેલાતા તે બહાર આવી શકે એમ નથી. એમની પર આશરે 31 જેટલા કેસ ફાઈલ થયેલા છે એમાંથી 26 કેસમાંથી એમને જામીન મળી ગયા છે.ટુ લીવ્સ કૌભાંડ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું એમાં એમનું નામ ખૂલ્યું હતું. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, જામીન પર મુક્ત થયા બાદ તે કેટલાક પુરાવા, સાક્ષી કે બીજા કોઈ સોર્સનો સંપર્ક નહીં કરી શકે. તપાસ અધિકારીને ચોક્કસ સરનામું અને મોબાઈલ નંબર આપવો પડશે. પાસપોર્ટ જમા કરાવવો પડશે.

જેક્લીન સાથેના પત્રને લઈ ચર્ચામાં
મંજૂરી વગર તે કોઈ રીતે દેશ છોડીને ભાગી શકશે નહીં, જોકે અન્ય કેસ ચાલું હોવાને કારણે તે સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકશે નહીં. હજુ થોડો સમય જેલવાસ ભોગવવો પડશે. સુકેશ સામે 2017નો કેસ AIADMK નેતા TTV દિનાકરણ માટે મધ્યસ્થી તરીકે કામ કરવાના અને વી.કે. શશિકલા જૂથ માટે પાર્ટીના ‘બે પાંદડા’ વાળા ચૂંટણી ચિહ્નને સુરક્ષિત કરવા માટે ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપવાના આરોપો સાથે સંબંધિત હતો. એક્ટ્રેસ જેક્લીન ફર્નાડીઝને જ્યારે એમના જન્મદિવસ પર પત્ર લખ્યો એ સમયે એ સૌથી વધારે ચર્ચામાં રહ્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં ઈસ્ટરના તહેવારની પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

ગલ્ફ તણાવની અસર: ભારતીય ઊર્જા બજારમાં કરાર ભંગના કેસ વધવાની ભીતિ

0

વર્ષ 2026માં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે ગલ્ફ દેશોમાં તેલ અને ગેસની નિકાસ પર ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગોમાં કરારમાંથી મુક્તિ) ની જાહેરાત કરવામાં આવી છે. આ કાનૂની ધ્રુજારીની અસર હવે ભારતીય કોર્ટરૂૂમમાં પણ દેખાવા લાગી છે. નિષ્ણાતોના મતે, આગામી મહિનાઓમાં ભારતીય અદાલતોમાં કરાર ભંગના કેસોમાં ‘એક્ટ્સ ઓફ ગોડ’ (કુદરતી આફત) કરતા ‘એક્ટ્સ ઓફ સ્ટેટ’ (સરકારી હસ્તક્ષેપ) ના બચાવ વધુ જોવા મળશે.

શું છે ‘ફોર્સ મેજ્યોર’ અને ડેટા શું કહે છે?
જ્યારે કોઈ એવી ઘટના બને જે પક્ષકારોના નિયંત્રણની બહાર હોય અને તેના કારણે કરારનું પાલન અશક્ય બને, ત્યારે તેને ‘ફોર્સ મેજ્યોર’ કહેવામાં આવે છે. બોમ્બે અને દિલ્હી હાઈકોર્ટ તેમજ NCLT ના 305 કેસના વિશ્ર્લેષણમાં જાણવા મળ્યું છે કે, 2020ના કોવિડ સમયગાળા બાદ આવા કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. 2022માં આ દર 10,000 કેસ દીઠ 53 સુધી પહોંચી ગયો હતો.

જો તમે એવું વિચારતા હોવ કે ફોર્સ મેજ્યોરનું બહાનું કાઢીને તમે કરારમાંથી બચી જશો, તો સાવધાન! અદાલતો 70% કિસ્સામાં આ દલીલ સાથે અસંમત થાય છે. વિશ્ર્લેષણ દર્શાવે છે કે માત્ર 23 થી 29 ટકા કેસમાં જ પક્ષકારોને સફળતા મળે છે. અદાલતો માને છે કે જો કોઈ ઘટના કરારના પાલનને ‘અશક્ય’ ન બનાવતી હોય પણ માત્ર ‘મુશ્કેલ’ બનાવતી હોય, તો તેને બહાના તરીકે ગણી શકાય નહીં.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર સામાન્ય ‘ફોર્સ મેજ્યોર’ કલમ પર આધાર રાખવો હવે પૂરતો નથી. વ્યવસાયોએ હવે ભૂરાજકીય જોખમો અને નિયમનકારી ફેરફારોને સીધા જ તેમના કરારની શરતોમાં સામેલ કરવા પડશે. 2026ની ગલ્ફ કટોકટી જેવી ઘટનાઓ સાબિત કરે છે કે તમારા બિઝનેસને રોકનારી શક્તિ કદાચ આકાશમાંથી આવતું તોફાન નહીં, પણ કોઈ નિયમનકારની કલમનો ફટકો હોઈ શકે છે.

આમ, બદલાતા સમયમાં ‘વ્યવસાય કરવાની સરળતા’ માટે માત્ર નિયમો હળવા હોવા પૂરતા નથી, પરંતુ નીતિઓનું અનુમાન લગાવી શકાય તેવું કાનૂની વાતાવરણ હોવું પણ એટલું જ અનિવાર્ય છે.

ગુજરાતમાં પુરવઠો પૂરતો: ગેસ-પેટ્રોલની અછત નહીં, કાળાબજાર સામે 2451 દરોડા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોને ગભરાવાની કોઈ જરૂૂર નથી. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને જીવનજરૂૂરિયાતની ચીજવસ્તુઓ પર સતત નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અને બજારોમાં એવી અફવાઓ ઉડી રહી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત ઉભી થશે. પરંતુ, સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોઈ જ વસ્તુની અછત નથી અને તમામ પુરવઠો સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકોએ ગભરાઈને ફટાફટ પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર લાઈનો લગાવવાની કોઈ જ જરૂૂર નથી.

અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ પ્રેસ બ્રિફિંગમાં આપવામાં આવી હતી. જેમાં IOC ના નોડલ અધિકારી સંજીબ બેહરા, રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

IOC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીબ બેહરાએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ખૂટી પડવાની (ડ્રાય આઉટ) સ્થિતિ નથી. ગુજરાતમાં અત્યારે 6688 પેટ્રોલ પંપ, 16 સ્ટોરેજ ડેપો, 11 LPG બોટલિંગ પ્લાન્ટ અને 1042 ગેસ એજન્સીઓ કાર્યરત છે.

રાજ્યમાં 2,43,088 ગેસ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. માર્ચના અંતમાં અફવાઓને કારણે લોકો ગભરાઈને પેટ્રોલ પુરાવવા લાગ્યા હતા, જેના કારણે વેચાણમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ગેસની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં રાંધવા અને અજવાળા માટે કેરોસીનનું વિતરણ પણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની સૂચના મુજબ, ગુજરાત માટે 1452 કિલો લિટર (KL) કેરોસીનની ખાસ ફાળવણી કરવામાં આવી છે. દરેક જિલ્લાને 36 ઊંક કેરોસીન આપવામાં આવ્યું છે, જેનો ભાવ ₹61.40 થી ₹66.14 પ્રતિ લિટર રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પરિવારોને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન અપાશે. દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી આ વિતરણ થશે, જેના માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ પણ શરૂૂ કરવામાં આવ્યું છે.

સરકાર કોઈને પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા દેવા માંગતી નથી. કાળાબજારી રોકવા માટે રાજ્યભરમાં 2451 દરોડા પાડવામાં આવ્યા છે અને 24 ગેસ વિતરકોને નોટિસ ફટકારવામાં આવી છે. સરકારે અપીલ કરી છે કે માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો, અફવાઓથી દૂર રહો. કોઈ પણ ફરિયાદ હોય તો સરકારના હેલ્પલાઈન નંબર 1800 233 0222 પર સંપર્ક કરો.

ઈરાનના અલ્બોર્ઝમાં બૉમ્બ ધમાકામાં 18નાં મોત

પશ્ચિમ એશિયામાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હવે પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે અને સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કોઈપણ પક્ષ ઝુકવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો કરાર નહીં થાય તો મોટા પાયે હુમલાઓ કરવામાં આવશે. બીજી તરફ, ઈરાને પણ સ્પષ્ટ કહ્યું છે કે હુમલા બંધ ન થાય ત્યાં સુધી કોઈ સમાધાન શક્ય નથી.

મંગળવારે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના ખોરરામાબાદ એરપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં અલ્બોર્ઝ પ્રાંતમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે. ઈરાની રેડ ક્રેસેન્ટના જણાવ્યા મુજબ, 17 રહેણાંક વિસ્તારો પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેને તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આક્રમણોના જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર અનેક મિસાઈલો છોડીને પ્રતિકાર કર્યો છે. ઈઝરાયલી મીડિયા અનુસાર, આ હુમલાઓથી મધ્ય ઈઝરાયલમાં નુકસાન થયું હતું, જોકે ઈઝરાયલે ઘણી મિસાઈલોને અટકાવવાનો દાવો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં ક્લસ્ટર મ્યુનિશનથી પણ નુકસાન થયાનું કહેવાય છે.

ઈરાનના લશ્કરી સૂત્રો મુજબ દેશભરના મિસાઈલ લોન્ચર સંપૂર્ણ રીતે સક્રિય છે અને દરરોજ મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. તેહરાનમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને આકાશમાં લડાકુ વિમાનોની અવરજવર વધી છે. આ બધું અમેરિકાના વધતા દબાણ અને ટ્રમ્પની કડક ચેતવણી સાથે જોડાયેલું માનવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે દક્ષિણપશ્ચિમ ઈરાનના શિરાઝ ખાતે આવેલી પેટ્રોકેમિકલ સુવિધા પર હવાઈ હુમલો કર્યો છે. આ સુવિધા ઇરાની સશસ્ત્ર દળો માટે વિસ્ફોટકો અને બેલિસ્ટિક મિસાઇલ માટે જરૂરી રસાયણો બનાવતી હતી.