Home Blog Page 126

સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો શક્તિ પ્રદર્શન: ઢોલ-નગારા સાથે ભવ્ય રેલીમાં ઉમેદવારી નોંધણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં ભાજપના ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ પ્રસંગે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પ્રભારી ગૌતમભાઈ ગેડીયા અને બારડોલી નગર પ્રભારી ભાવેશભાઈ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન, મહામંત્રી નિસર્ગભાઈ મહેતા, મુકેશભાઈ પટેલ તેમજ તાલુકા પ્રમુખ ડૉ. આનંદભાઈ પટેલ, મહામંત્રી જીતુભાઈ વાસીયા અને હિમાંશુભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

ઢોલ-નગારા અને વાજતે ગાજતે નીકળેલી ભવ્ય રેલી વચ્ચે વિશાળ જનમેદની સાથે ઉમેદવારો બારડોલી નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.

ઇનપુટ: તેજસ વશી.

કડોદરા નગર પાલિકા ચૂંટણી: ભાજપના ઉમેદવારોની ભવ્ય રેલી સાથે ઉમેદવારી નોંધણી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત કડોદરા-ચલથાણ નગરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય રીતે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અકળામુખી હનુમાનજીના દર્શન કરીને શુભ શરૂઆત કરી હતી.

સુરત જિલ્લા મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશ દેસાઈ, કૃપાશંકર શુક્લા સહિતના આગેવાનો અને વિશાળ જનમેદની સાથે ડીજે અને ઢોલ-નગારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. કડોદરા થી શરૂ થયેલી આ રેલી કામરેજ સેવાસદન સુધી પહોંચી, જ્યાં તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ઇનપુટ: તેજસ વશી.

માંડવી-અરેઠમાં ભાજપના ઉમેદવારોની ઉમેદવારી નોંધણી, ચૂંટણી જંગનો શંખનાદ

આજ રોજ માંડવી કચેરી ખાતે માંડવી અને અરેઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા જી, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિજી, અરેઠ તાલુકા પ્રમુખ આતિશ ભાઈ,મહામંત્રી તથા કાર્યકર્તાઓ સમર્થકો ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણમાં જંગી ઉર્જા અને જીતનો વિશ્વાસ પ્રગટાવ્યો.

કાર્યકર્તાઓના જુસ્સા અને સંગઠનની શક્તિ સાથે હવે જીત નિશ્ચિત બની રહી છે. વિકાસના સંકલ્પ સાથે ભાજપ ફરી એકવાર જનતા નો આશીર્વાદ મેળવવા સજ્જ છે.

ઇનપુટ: તેજસ વશી.

ખાસ ક્ષણે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચે લાંબી ચર્ચા: રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની મુલાકાત

0

ભારતીય લોકશાહીમાં શનિવારે સવારે એક સુંદર ક્ષણ જોવા મળી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લગભગ બે મિનિટ સુધી એકબીજા સાથે વાત કરી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને સોશિયલ મીડિયા પર લોકો તેને લોકશાહી શિષ્ટાચારનું પ્રતીક ગણાવી રહ્યા છે.

મહાત્મા જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ દ્રશ્ય સામે આવ્યું.

પીએમ મોદી અને રાહુલ ગાંધીએ વાત કરી
જ્યારે પીએમ મોદી તેમના કાફલા સાથે સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ પર પહોંચ્યા, ત્યારે રાહુલ ગાંધી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સાથે ઉભા હતા. બંનેએ એકબીજાનું સ્વાગત કર્યું અને લાંબી વાતચીત કરી હતી.

જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ફૂલેને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા, ત્યારે અન્ય મંત્રીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ
પીએમ મોદી અને રાહુલ ગાંધીએ પ્રખ્યાત સમાજ સુધારકને શ્રદ્ધાંજલિ આપી અને લાંબી વાતચીત કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફૂલેને તેમની 200મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, સમાનતા અને સામાજિક ન્યાય પ્રત્યેના તેમના જીવનભરના સમર્પણની પ્રશંસા કરી.

  • એક પોસ્ટમાં તેમણે કહ્યું “મહાન સમાજ સુધારક મહાત્મા ફુલેનું જીવન નૈતિક હિંમત, આત્મચિંતન અને સમાજના ભલા માટે અતૂટ સમર્પણનું પ્રેરણાદાયક ઉદાહરણ છે.”
  • રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે જ્યોતિબા ફુલેએ પોતાનું જીવન હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા માટે સમર્પિત કર્યું હતું.
  • રાહુલ ગાંધીએ કહ્યું કે ભેદભાવ અને અસમાનતા સામે જ્યોતિબા ફુલેના વિરોધથી દેશને ન્યાય અને સમાનતા તરફનો સ્પષ્ટ માર્ગ દેખાડ્યો.
  • રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમના આદર્શો સામાજિક ન્યાય પ્રાપ્ત કરવાના પ્રયાસોને પ્રેરણા આપતા રહેશે.

નવસારી જિલ્લા પંચાયત ત્રણ બેઠકો પર ભાજપનો બિનહરીફ મળેલી સંભાવના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ જીતની શરૂઆત કરી દીધી છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 3 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી પોતાનું ખાતું ખોલાવ્યું છે.

માત્ર નવસારી જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગણદેવી તાલુકા પંચાયતની વિવિધ બેઠકો જેવી કે બિગરી-1, બિગરી-2, ભાઠા, અજરાઈ, માસા અને મટવાડ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિપક્ષી છાવણીમાં આ ગાબડું પડતા કાર્યકરોમાં સોપો પડી ગયો છે.

ગણદેવી અને ચીખલીમાં વિપક્ષ મેદાનમાં નહોતો
આ ત્રણેય બેઠકો ગણદેવી અને ચીખલી તાલુકાની છે. ગણદેવી તાલુકાની બે અને ચીખલી તાલુકાની એક બેઠક પર વિપક્ષી ઉમેદવારો મેદાનમાં નહોતા ઉતર્યા, જેના કારણે ભાજપના ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

આ ઉમેદવારો થયા બિનહરીફ વિજેતા
બિનહરીફ જીતનાર ઉમેદવારોમાં દેવસર બેઠક પરથી રેખાબેન બિપિનભાઈ પટેલ, બિગરી બેઠક પરથી ભીખુભાઈ અમરતભાઈ પટેલ અને ચીખલી તાલુકાની ઘેજ બેઠક પરથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલનો સમાવેશ થાય છે.

10% બેઠકો જીતતા ભાજપમાં ખુશીનો માહોલ
જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 3 બેઠકો પર બિનહરીફ જીત મળતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતની ખુશીમાં પાર્ટી આગેવાનો દ્વારા ફૂલહાર અને ફટાકડાં ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

તાલુકા પંચાયત

  • બીગરી-1 સીમાબેન સુરેશભાઈ ટંડેલ
  • બીગરી- 2 મહેશ કુમાર રમનલલાલ પટેલ
  • દેવસર- 2 પુસ્પબેન સુરેશભાઈ પટેલ
  • માસા– જયશ્રીબેન ભાવેશકુમાર પટેલ
  • ભાઠા– હીનાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ
  • અજરાઇ– સંગીતબેન આશિષભાઈ દેશાઇ

જીલ્લા પંચાયત

  • રેખાબેન વિપીનભાઈ પટેલ
  • ભીખુભાઇ પટેલ

અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા પહેલા ભડક્યો તણાવ: લેબેનોન પર ઈઝરાયલનો હુમલો, 3ના મોત

0

એક તરફ પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની શરતો નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થવાની તૈયારીમાં છે, બીજી તરફ ઈઝરાયલે દક્ષિણ લેબેનોનમાં હુમલા ચાલુ રાખીને તણાવ વધારી દીધો છે. શનિવારે સવારે દક્ષિણ લેબેનોનના મેફાદૌન કસબામાં એક રહેણાંક બિલ્ડિંગ પર થયેલા ઈઝરાયેલી હુમલામાં ૩ નાગરિકોના મોત નિપજ્યા છે.

સીઝફાયરમાં લેબેનોનનો મુદ્દો જ મોટો અવરોધ:
ઈરાનનો દાવો: બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધવિરામમાં લેબેનોનનો પણ સમાવેશ થાય છે, તેથી ઈઝરાયલે હુમલા રોકવા જોઈએ.

અમેરિકા-ઈઝરાયલનું વલણ: ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહૂ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે લેબેનોન આ સમજૂતીનો ભાગ નથી અને હિઝબુલ્લાહ વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ રહેશે.

પાકિસ્તાનમાં બેઠક પહેલા વિવાદ, યુદ્ધવિરામ થશે કે નહીં?
લેબેનોનમાં સતત થતા હુમલા ઈરાનને ઉશ્કેરી શકે છે, જેની સીધી અસર ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાતચીત પર પડી શકે છે. જો ઈરાન લેબેનોનના મુદ્દે મક્કમ રહેશે, તો કાયમી યુદ્ધવિરામની આશા ઠગારી નીવડી શકે છે.

અમૂલની ઐતિહાસિક સિદ્ધિ: ₹1 ટ્રિલિયન ટર્નઓવર પાર કરી રચ્યો નવો રેકોર્ડ

0

સોમવારે બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, અમૂલ ભારતની પ્રથમ ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપની બની છે જેણે નાણાકીય વર્ષ 26 માં આશરે 11 ટકાનો વધારો નોંધાવીને ₹1 ટ્રિલિયન ટર્નઓવરનો સીમાચિહ્ન પાર કર્યો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત પ્રદર્શન દ્વારા આ વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કંપનીએ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા પ્રદેશોમાં તેના તાજા દૂધ ઉત્પાદનનો વિસ્તાર કર્યો અને નાણાકીય વર્ષના છેલ્લા છ માસમાં મજબૂત બે-અંકી વૃદ્ધિ નોંધાવી હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, અમૂલના CEO જયેન મહેતાએ જણાવ્યું કે, આ સિધ્ધિ ભારતની વિતરણ કંપનીઓ પર ભાર આપવાના કારણે મળી છે. ખાસ કરીને નાના શહેરો જેની વસ્તી 5,000 થી વધુ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કંપની ભવિષ્યમાં પણ આ બે-અંકી વૃદ્ધિ દર જાળવી રાખવાની અપેક્ષા રાખે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડે જણાવ્યું કે પ્રોટીન, પ્રોબાયોટિક અને ઓર્ગેનિક ઉત્પાદનો જેવી શ્રેણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ઉત્પાદન વૈવિધ્યકરણે પણ આ સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છાશ અને પનીર સહિત મૂલ્યવર્ધિત ડેરી સેગમેન્ટમાં મજબૂત માંગ જોવા મળી હતી જેણે એકંદર વિસ્તરણમાં ફાળો આપ્યો હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડે એ વાત પર ભાર મુક્યો કે, આ અગ્રણી ડેરી કંપની હવે 50 થી વધુ દેશોમાં કાર્યરત છે અને તેની વૈશ્વિક વિસ્તરણ વ્યૂહરચના સક્રિયપણે અનુસરી રહી છે. કંપની આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં નવા બજારોને લક્ષ્ય બનાવી રહી છે અને એક વર્ષમાં લગભગ 10 વધારાના આંતરરાષ્ટ્રીય ભૌગોલિક સ્થળોએ પ્રવેશવાની યોજના ધરાવે છે.

જ્યારે અમૂલનું કુલ ટર્નઓવર ₹1 ટ્રિલિયનને વટાવી ગયું છે, ત્યારે તેની માર્કેટિંગ શાખા – ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ નાણાકીય વર્ષ 26 માટે ₹73,450 કરોડની આવક નોંધાવી છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 11.4 ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલ કરાયેલા આંકડાઓમાં આ વિસંગતતા સહકારી નેટવર્કના માળખામાંથી ઉદ્ભવે છે, જ્યાં અસંખ્ય પ્રાદેશિક ડેરીઓ અમૂલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદનો વેચે છે, છતાં તેમની આવક GCMMF ના કુલ ટર્નઓવરમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થતી નથી. વધુમાં, ગુજરાતમાં પશુધનના ચારાનું વેચાણ જેવા કેટલાક ઘટકો અમૂલના કુલ ટર્નઓવરમાં શામેલ છે પરંતુ GCMMF ના અહેવાલ કરાયેલા આંકડાઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

કંપનીએ તેની વૃદ્ધિ માટે તેના 1,200 થી વધુ ઉત્પાદનોના વ્યાપક પોર્ટફોલિયો, એક મજબૂત વિતરણ નેટવર્ક અને બદલાતા ગ્રાહક વલણોને અનુકૂલન કરવાની ક્ષમતાને શ્રેય આપ્યો છે. 18 જિલ્લા યુનિયનોથી બનેલું તેનું સહકારી માળખું, સ્થાનિક વ્યુહરચના અને મજબૂત બ્રાન્ડ ઓળખ દ્વારા તેની અગ્રણી બજાર સ્થિતિ જાળવી રાખવામાં મદદ કરે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડ મુજબ, અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ લાખો ગ્રાહકોના વિશ્વાસ અને 3.6 મિલિયનથી વધુ ડેરી ખેડૂતોના યોગદાનને દર્શાવે છે, જ્યારે ગોરધનભાઈ ધામેલીયાએ તેને સહકારી મોડેલની મજબૂતાઈ અને માપનીયતાના પુરાવા તરીકે બિરદાવ્યું હતું.

મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે, કંપનીનો વિસ્તરણ ફક્ત સ્કેલ પૂરતો મર્યાદિત નથી. તેના બદલે, તે વૈશ્વિક અર્થતંત્રમાં ખેડૂત-માલિકીની સંસ્થાઓની સંભાવનાને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને તકનીકી અને વ્યાપારી લાભો સીધા ઉત્પાદકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિશે પણ છે.

ઈરાન પર ટ્રમ્પના નવા હુમલાની તૈયારી? ઇસ્લામાબાદ વાતચીત વચ્ચે અમેરિકાનો સૈન્ય જમાવડો વધ્યો

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ ઈરાન સાથેની મહત્વપૂર્ણ શાંતિ વાર્તા માટે ઇસ્લામાબાદમાં હાજર છે, ત્યારે બીજી તરફ વોશિંગ્ટન મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય હાજરી ઝડપી ગતિએ વધારી રહ્યું છે. અમેરિકી દળો સતત વિવિધ સ્થળોએ તૈનાત થઈ રહ્યા છે. કૂટનીતિ અને સૈન્ય ગતિવિધિઓ સાથે-સાથે ચાલતા હોવાને કારણે સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ માત્ર દેખાય એટલી સરળ નથી, પણ અંદરખાને ઘણું વધુ ચાલી રહ્યું છે.

અમેરિકી સેનાનું વધતું મજબૂત જમાવડું
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકી સેનાએ વિસ્તારમાં પોતાનું જમાવડું નોંધપાત્ર રીતે વધાર્યું છે. ફાઇટર જેટ્સ અને હુમલાખોર વિમાનો પહેલેથી જ વિસ્તારમાં પહોંચ્યા છે. ઉપરાંત, 28મી એરબોર્ન ડિવિઝનના 1500થી 2000 સૈનિકોને નજીકના સમયમાં તૈનાત કરવાની શક્યતા છે. અમેરિકી નૌકાદળમાં પણ મોટું મૂવમેન્ટ ચાલી રહ્યું છે. USS જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુષ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ એટલાન્ટિક મહાસાગર પાર કરી રહ્યું છે, જ્યારે USS બોક્સર એમ્ફિબિયસ ગ્રુપ પ્રશાંત મહાસાગર તરફથી આગળ વધી રહ્યું છે. બંને ખાડી વિસ્તારમાં પહોંચી રહ્યા છે, જ્યાં પહોંચવામાં એક અઠવાડિયાથી વધુ સમય લાગી શકે છે. હાલમાં મધ્ય પૂર્વમાં અમેરિકી સૈનિકોની સંખ્યા 50,000ને પાર પહોંચી ગઈ છે, જે સામાન્ય 40,000ના સ્તર કરતાં વધુ છે.

ઈરાનનો અવિશ્વાસ યથાવત
ભલે આજે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થઈ રહી છે, પરંતુ તેહરાનને વોશિંગ્ટન પર વિશ્વાસ નથી. ઈરાની પ્રતિનિધિમંડળના નેતા મોહમ્મદ બાઘેર ગાલિબાફે કહ્યું કે ઈરાન સારા ઇરાદા સાથે ચર્ચામાં જોડાયું છે, પરંતુ અમેરિકા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમણે ઉમેર્યું કે અમેરિકાની સાથેની ચર્ચાનો અગાઉનો અનુભવ હંમેશા નિષ્ફળતા અને વચનોના ભંગ સાથે જ પૂર્ણ થયો છે.

ટ્રમ્પની કડક ચેતવણી
કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ હજુ પણ ખુલ્લો છે. તેમણે જણાવ્યું કે અમેરિકાના જંગી જહાજોમાં સૈન્ય સામાન ભરાઈ રહ્યો છે અને જો કૂટનીતિ નિષ્ફળ જાય તો તેનો ઉપયોગ થઈ શકે છે.

દબાણ અને તૈયારીની ડબલ સ્ટ્રેટેજી
વાતચીત સાથે સૈન્ય તૈનાતી વધારવી ટ્રમ્પ પ્રશાસનની ડબલ સ્ટ્રેટેજી દર્શાવે છે. આનો અર્થ એ જરૂરી નથી કે તાત્કાલિક હુમલો થવાનો છે, પરંતુ વાતચીત દરમિયાન દબાણ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. સાથે જ, જો ચર્ચા નિષ્ફળ જાય તો સંભવિત પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની પણ આ એક રીત છે.

સુરતના રાજકારણમાં AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ, કલેક્ટર કચેરીમાં તણાવ

0

સુરતના રાજકારણમાં આજે ભારે ગરમાવો જોવા મળ્યો, જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઈલ પી લેતા હડકંપ મચી ગયો. સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તરત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં હાલ તેઓ તબીબી નિરીક્ષણ હેઠળ છે.

મતદાર યાદીમાં ભૂલથી ફોર્મ ન ભરાતા નિરાશા
માહિતી મુજબ, મતદાર યાદીમાં થયેલી ભૂલના કારણે ગૌશાલીબેન પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતાં. આ ટેકનિકલ ખામી અને ચૂંટણી પંચના નિયમોને કારણે તેઓ ગંભીર રીતે નિરાશ થઈ ગયા હતા.

ટેકનિકલ ખામી સામે આક્રોશ, અંતિમ પગલું ભર્યું
ગૌશાલીબેને જણાવ્યું કે પાર્ટીએ તેમને પૂરું સમર્થન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પંચના નિયમો મુજબ ફોર્મ ભરતા પહેલાં ડેટામાં સુધારો શક્ય ન હોવાથી તેમની ઉમેદવારી અટવાઈ ગઈ. આ પરિસ્થિતિથી હતાશ થઈ તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરીમાં રાજકીય ઘર્ષણ, નારેબાજીથી માહોલ તંગ
ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી રાજકીય અથડામણનું મેદાન બની ગઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા સાથે ગોપાલ ઈટાલિયા પણ હાજર હતા, ત્યારે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાને જોઈ ભાજપના કાર્યકરો દ્વારા ‘મોદી-મોદી’ના નારા સાથે ‘કેજરીવાલ ચોર છે’ જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના કારણે માહોલ ગરમાયો.

બંને પક્ષ આમને-સામને, પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો
ભાજપના નારાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ‘ઝાડુ-ઝાડુ’ અને ‘પરિવર્તન’ના નારા લગાવી પ્રતિકાર કર્યો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે તણાવ એટલો વધ્યો કે ગમે ત્યારે અથડામણ થાય તેવી સ્થિતિ ઉભી થઈ. પોલીસે તરત જ હરકતમાં આવી બંને જૂથોને અલગ પાડ્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી.

નેતાઓની દરમિયાનગીરીથી શાંતિ, ફોર્મ પ્રક્રિયા પૂર્ણ
જ્યારે પરિસ્થિતિ બેકાબૂ થવાની નજીક હતી, ત્યારે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓએ દરમિયાનગીરી કરી કાર્યકરોને શાંત પાડ્યા. પોલીસની કડક સુરક્ષા વચ્ચે અંતે ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે પોતાના ફોર્મ રજૂ કર્યા. સુરતની ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું.

પેટ્રોલ-ડીઝલમાં રાહત: મુકેશ અંબાણીની કંપનીનો મોટો નિર્ણય, ભાવ નહીં વધે

0

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધતા હોવા છતાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને BP Plcના સંયુક્ત સાહસ Jio-BPએ ગ્રાહકોને રાહત આપી છે. કંપનીએ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. દેશની બીજી સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપનીનો આ નિર્ણય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓની જેમ જ છે, જે ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પર વધારાનો બોજ મૂકવાનું ટાળી રહી છે.

રિલાયન્સનો સ્પષ્ટ સંદેશ: ભાવમાં વધારો નહીં
એક ઉદ્યોગ કાર્યક્રમમાં સંયુક્ત સાહસના ચીફ એક્ઝિક્યુટિવ અક્ષય વાધવાએ જણાવ્યું કે, “અમે આ મુદ્દે રાષ્ટ્ર સાથે છીએ.” મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ $100 પ્રતિ બેરલને પાર કરી ગયા છે. છતાં, સરકાર અને તેલ કંપનીઓએ સ્થાનિક ગ્રાહકોને આ વધારાની સીધી અસરથી બચાવવા પ્રયાસ કર્યો છે. સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને પણ ભાવ નિયંત્રણમાં રાખવામાં મદદ કરી છે.

નયારા અને શેલે વધાર્યા ભાવ
જ્યારે Jio-BPએ ભાવ સ્થિર રાખ્યા છે, ત્યારે નયારા એનર્જીએ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો છે. નયારા, જેમાં રોઝનેફ્ટનો મોટો હિસ્સો છે, દેશની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર છે અને તેના 6,967 આઉટલેટ્સ છે. ઉપરાંત, શેલ ઇન્ડિયાએ પણ પોતાના 343 પેટ્રોલ પંપ પર ભાવમાં વધારો કર્યો હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

Jio-BPના વેચાણમાં વધારો
અક્ષય વાધવાએ જણાવ્યું કે કંપનીએ હાલમાં કોઈપણ ભાવવધારાની યોજના બનાવી નથી. તેમણે ઉમેર્યું કે માર્ચ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 30% અને ડીઝલના વેચાણમાં 25%નો વધારો નોંધાયો છે. Jio-BP દ્વારા આપવામાં આવતી “ઉચ્ચ માઇલેજ” ટેકનોલોજી અને વિશેષ ઉમેરણો આ વધારાનું મુખ્ય કારણ છે.

દેશભરમાં મજબૂત હાજરી અને પૂરતો સ્ટોક
હાલમાં દેશમાં કુલ 1,02,075 પેટ્રોલ પંપમાંથી 2,185 Jio-BPના છે. કંપની પેટ્રોલમાં 4% અને ડીઝલમાં 6% બજાર હિસ્સો ધરાવે છે. વાધવાએ ખાતરી આપી કે કંપની પાસે પૂરતો ઇંધણ સ્ટોક ઉપલબ્ધ છે અને વેચાણ પર કોઈ મર્યાદા નથી. તમામ પેટ્રોલ પંપ સામાન્ય રીતે કાર્યરત છે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી નહીં પડે.