Home Blog Page 12

Video: નેપાળમાં ભૂસ્ખલનનો કહેર! બસ પર ધસી પડી વિશાળ ચટ્ટાન, ઉડી ગયા પરખચ્ચા

નેપાળના બાજુરા જિલ્લામાં ચોમાસાની વચ્ચે કુદરતનો એવો ખોફનાક નજારો જોવા મળ્યો કે થોડી ક્ષણો માટે બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પહાડ પરથી અચાનક એક વિશાળ ખડક ધડાકાભેર નીચે આવી અને રસ્તા બસ સાથે અથડાઈ હતી.ખડકની ટક્કર એટલી જોરદાર હતી કે બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના બાજુરા જિલ્લાના જગન્નાથ ગ્રામ્ય નગરપાલિકા-5ના ભુકાહા ખોલા વિસ્તારમાં બની હતી. ચોમાસાને કારણે પહાડી વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન પહાડ પરથી ભારે ભરખમ ખડક તૂટીને સીધી રસ્તા પર આવી અને ત્યાં ઊભેલી મિડ-વેસ્ટર્ન ટ્રાન્સપોર્ટની બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
સદનસીબે અકસ્માત થયો ત્યારે બસમાં એકપણ મુસાફર કે ડ્રાઇવર હાજર નહોતા અને મોટી જાનહાનિ ટળી હતી.

ચટ્ટાન બસ પર પડતાં વાહનને ભારે નુકસાન થયું હતું. ઘટનાના પગલે રસ્તા પર વાહનવ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાયો હતો. સ્થાનિક સ્તરે ચોમાસા દરમિયાન પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ચટ્ટાન ધસી પડવાની ઘટનાઓને લઈને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Video 🚨 કોલંબિયામાં 7.4નો વિનાશક ભૂકંપ, 111નાં મોત; અનેક વિસ્તારોમાં ભારે તબાહી

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપનું કેન્દ્ર ચૉકો પ્રાંતના San José del Palmar નજીક હોવાનું જણાવાયું છે. ભૂકંપના જોરદાર આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સહિત અનેક શહેરોમાં અનુભવાયા હતા.

ભૂકંપ બાદ લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને અનેક લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચવા માટે ઘરો તથા ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે, જ્યારે સેંકડો મકાનો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે.

તાજા અહેવાલ મુજબ મૃત્યુઆંક 111 પર પહોંચી ગયો છે અને 87 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વચ્ચે પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ભૂકંપના કારણે 1,575 જેટલા ઘરોને નુકસાન થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઉપરાંત છ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં ત્યાં ફ્લાઇટ કામગીરી અટકાવવામાં આવી હતી. સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવી છે.

ભૂકંપ બાદ આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. અધિકારીઓ અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે અને નુકસાન તથા જાનહાનિનો આંકડો હજુ બદલાઈ શકે છે.

કોલંબિયાના આ ભૂકંપને 21મી સદીમાં દેશને અસર કરનારા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે.

Stadium Run 5.0 Brings Together 650 Runners for an Action-Packed Morning in Surat

Surat, August 9, 2026: Stadium Run 5.0 witnessed an overwhelming response as 650 participants took to the track at 5:00 AM, competing across three endurance categories — 1-Hour, 2-Hour and 3-Hour Runs.

The event delivered an energetic experience throughout, with live music, drummers and dhol performances keeping the atmosphere lively from the first lap to the finish.

The experience extended beyond running, with a strong focus on hydration, nutrition and recovery. @clearwater kept participants hydrated, while @supersandwichco served hot sandwiches and @fukucoffee added a refreshing cold brew experience. @alpinoporteincafe provided protein bowls and shakes, @superone’s energydrink helped keep energy levels high, and @prideofcows served protein Greek yogurt as a post-run treat. Other partners who helped event come alive were decathlon, Gujarat Guardian, Sam’s performance coaching, Nirmal Hospitals, and Mytickets.

The event also celebrated sporting excellence, with 18 winners — the top three male and female runners across each of the three categories — being recognised for their performances.

Speaking about the event, Mehul Adajaniya, Event Director of Stadium Run and Founder of Brand Circus Events, said, “Stadium Run is not just about how many kilometres you complete; it is about the energy, the community and the experience you take back with you. The response this year has been incredible, and it reinforces what we believe — there is always a reason to keep moving.”

Stadium Run 5.0 was curated by Brand Circus Events, bringing together endurance, entertainment, nutrition and community to create a distinctive running experience in Surat.

આજે સાંજે 7 વાગ્યા સુધી આ 15 જિલ્લાઓમાં વરસાદનું ઓરેંજ એલર્ટ

વરસાદના શોર્ટ બ્રેક બાદ આજે ભારતીય હવામાન વિભાગની નાવકસ્ટ આગાહી મુજબ આજે સાંજના 7 વાગ્યા સુધીમાં આ જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.

દાહોદ,પંચમહલ,મહીસાગર,ખેડા,આણંદ,અમદાવાદ,ગાંધીનગર,અરવલ્લી,સાબરકાંઠા,બનાસકાંઠા,પાટણ,મેહસાણા,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ અને પવનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વરસાદની તીવ્રતા અને સ્થાનિક હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

સાથે રાજ્યના બીજા જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર સાથે વોચ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન IMD દ્વારા ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ અસરગ્રસ્ત રહ્યા હતા.

હોબાળા વચ્ચે સરકારનું મોટું પગલું! લોકસભામાં 4 બિલ રજૂ, જાણો શું છે ખાસ?

0

સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળા વચ્ચે આજે લોકસભામાં ચાર મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલોમાં કેરળનું નામ બદલીને ‘કેરળમ’ કરવાનો પ્રસ્તાવ સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. આ ઉપરાંત ટ્રિબ્યુનલની કામગીરીમાં સુધારા, ખનિજ સંસાધનોના નિયમન અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા સંબંધિત જોગવાઈઓ પણ સામેલ હતી.

સૌથી પહેલા Kerala (Alteration of Name) Bill, 2026 રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પસાર થયા બાદ બંધારણની પ્રથમ અનુસૂચિમાં ‘કેરળ’ની જગ્યાએ ‘કેરળમ’ નામ થશે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી, જ્યારે કેરળ વિધાનસભાએ પણ નામ બદલવા અંગે ઠરાવ પસાર કર્યો હતો.

બીજું Tribunals Reforms Bill, 2026 જેનો હેતુ વિવિધ ટ્રિબ્યુનલની કામગીરીને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવાનો છે. તેમાં સભ્યોની નિમણૂક, કાર્યકાળ અને સેવા શરતો સંબંધિત સુધારા પ્રસ્તાવિત છે.લોકસભાના બીજા શેશનમાં બિલ પાસ કરી દેવામાં આવ્યું હતું.

ત્રીજું Mines and Minerals (Development and Regulation) Amendment Bill, 2026 છે, જે ખનિજ ક્ષેત્રના નિયમન અને વિકાસ સાથે સંબંધિત છે.

ચોથું National Cooperative Development Corporation (NCDC) Bill, 2026 છે, જે સહકારી ક્ષેત્રને વધુ નાણાકીય અને સંસ્થાકીય મજબૂતી આપવાના હેતુથી લાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓના લાઠીચાર્જ મુદ્દે સંસદમાં ચર્ચા માટે સરકાર તૈયાર, અમિત શાહના જવાબ પહેલાં રિજિજુની આ શરત

0

દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીનો સતત વિરોધ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની વિપક્ષની માંગ વચ્ચે કેન્દ્ર સરકારે આખરે ચર્ચા કરવા તૈયારી દર્શાવી છે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ચર્ચાથી પાછળ હટશે નહીં અને જરૂર પડશે તો ગૃહમંત્રી અમિત શાહ પોતે જ ગૃહમાં જવાબ આપશે. જોકે, રિજિજુએ વિપક્ષ સામે એક મહત્વની શરત પણ મૂકી છે—શાહ જ્યારે જવાબ આપે ત્યારે વિપક્ષે શાંતિથી તેમની વાત સાંભળવી પડશે.

રિજિજુએ કહ્યું કે વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહી અંગે સરકાર દરેક મુદ્દાનો જવાબ આપવા તૈયાર છે. તેમનું કહેવું છે કે જો ચર્ચા માટે સરકાર તૈયાર થઈ રહી હોય, તો સરકારનો જવાબ પણ સંપૂર્ણ રીતે સાંભળવો જોઈએ. માત્ર ચર્ચાની માંગણી કરીને સરકાર જવાબ આપવા ઊભી થાય ત્યારે નારેબાજી કરવી યોગ્ય નથી.

વિપક્ષ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓ ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા છે. આ મુદ્દાને લઈને સંસદની કાર્યવાહી પર પણ અસર જોવા મળી છે.

આ દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે અન્ય મુદ્દાઓને લઈને પણ મતભેદ યથાવત છે. વિપક્ષ વિદ્યાર્થીઓના મુદ્દા સાથે અયોધ્યાના રામ મંદિરના ચઢાવાની ચોરીના આરોપો પર પણ ચર્ચાની માંગ કરી રહ્યો છે. બીજી તરફ, સરકાર સંસદીય બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનના મુદ્દે ચર્ચા માટે તૈયાર હોવાનું જણાવી ચૂકી છે.

હવે સૌની નજર સંસદમાં થનારી ચર્ચા પર છે. જો અમિત શાહ ગૃહમાં આ મુદ્દે જવાબ આપે છે, તો વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સરકારનું સત્તાવાર વલણ શું છે અને વિપક્ષના સવાલોના કેવા જવાબ મળે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

ગણપતિ મહોત્સવ પહેલાં રેલવેની મોટી ભેટ! વડોદરા-વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ખાસ ટ્રેનો જાહેર

0

ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને વિશ્વામિત્રીથી રત્નાગિરી વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની યોજનાને પગલે ગણેશોત્સવમાં મહારાષ્ટ્ર જવા ઇચ્છતા મુસાફરોને મુસાફરી માટે વધારાનો વિકલ્પ મળશે.

ટ્રેન નંબર 09114 વડોદરાથી 15 સપ્ટેમ્બરે સવારે 11:15 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે રત્નાગિરી પહોંચશે. પરત ફરતી ટ્રેન 09113 16 સપ્ટેમ્બરે રત્નાગિરીથી રાત્રે 1:30 વાગ્યે ઉપડશે અને સાંજે 5:30 વાગ્યે વડોદરા પહોંચશે.આ ટ્રેન ભરુચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માણગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલૂણ, સાવર્ડા, અરાવલી રોડ અને સંગમેશ્વર રોડ જેવા સ્ટેશનો પર રોકાશે. તેમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર ઇકોનોમી, સ્લીપર અને જનરલ કોચનો સમાવેશ રહેશે.

ટ્રેન નંબર 09110 વિશ્વામિત્રીથી 12થી 23 સપ્ટેમ્બર દરમિયાન નિર્ધારિત દિવસોએ સવારે 10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 12:30 વાગ્યે રત્નાગિરી પહોંચશે. પરત આવતી ટ્રેન 09109 રત્નાગિરીથી રાત્રે 1:30 વાગ્યે ઉપડીને સાંજે 5:30 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.આ ઉપરાંત 09124/09123 ટ્રેન 14 અને 21 સપ્ટેમ્બરે પણ વિશ્વામિત્રી-રત્નાગિરી વચ્ચે દોડશે. આ સેવા સવારે 5:55 વાગ્યે વિશ્વામિત્રીથી ઉપડીને રાત્રે 8 વાગ્યે રત્નાગિરી પહોંચશે, જ્યારે પરત ટ્રેન રાત્રે 9 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે.

ગણપતિ મહોત્સવ દરમિયાન વધતી મુસાફરોની સંખ્યાને પહોંચી વળવા માટે આવી સ્પેશિયલ સેવાઓ મહત્વની બની શકે છે. પશ્ચિમ રેલવે અગાઉ પણ ગણપતિ ઉત્સવ દરમિયાન ગુજરાત અને રત્નાગિરી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવી ચૂકી છે.

ટિકિટ બુક કરતા પહેલાં મુસાફરોએ સંબંધિત તારીખ, ટ્રેન નંબર અને સમયની તાજી માહિતી રેલવેની સત્તાવાર વ્યવસ્થા/IRCTC પરથી ચકાસવી જરૂરી છે.

રાંચીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: 5 બેરિકેડ તૂટ્યા; પોલીસે કર્યો લાઠીચાર્જ

0

ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC-JSSC પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓ સામે ચાલી રહેલા આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ કરવા આગળ વધતાં 5 બેરિકેડ તોડી પાડતા પોલીસે લાઠીચાર્જ કરતાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.

અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓ કાબૂમાં ના રહેતા અને અનેક બેરિકેડ પાર કરતા પોલીસ દ્વારા ભીડને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, પાણીનો મારો સહન કરતા કેટલાક પ્રદર્શનકારીઓ નારા લગાવતા અને વિરોધ કરતા જોવા મળ્યા હતા. આંદોલનકારીઓ વિધાનસભાની નજીક પહોંચતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.

સ્થિતિ વધુ વણસતાં વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને વિખેરી નાખવા લાઠીચાર્જ કર્યો હોવાના અહેવાલો છે. લાઠીચાર્જના કારણે સ્થળ પર અફરાતફરી સર્જાઈ હતી.

આંદોલનકારીઓ JPSC-JSSC ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ સહિતની માંગણીઓ કરી રહ્યા છે. સરકાર દ્વારા તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિરાકરણની માંગ સાથે આંદોલન ચાલુ રાખી રહ્યા છે.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે શ્રાવણ, જાણો 4 સોમવારની તારીખો અને મહત્વના તહેવારો

0

મહાદેવના ભક્તો માટે સૌથી પવિત્ર સમય નજીક આવી રહ્યો છે.શ્રાવણ એટલે ભક્તિ, ઉપવાસ અને શિવ આરાધનાનો મહિનો. મંદિરોમાં ગુંજતો ‘હર હર મહાદેવ’નો નાદ અને શિવલિંગ પર થતો જળાભિષેક આ પવિત્ર માસની આગવી ઓળખ છે. જો તમે પણ શ્રાવણના વ્રત, સોમવાર અને મહત્વના તહેવારોની તૈયારી કરી રહ્યા છો, તો 2026ની આ તારીખો ખાસ સાચવી રાખજો.

ગુજરાતમાં અમાવસ્યાંત પંચાંગની પરંપરા હોવાથી 13 ઓગષ્ટ 2026, ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થશે અને 10 સપ્ટેમ્બર 2026, ગુરુવારના રોજ પૂર્ણ થશે.

2026માં ગુજરાતમાં શ્રાવણ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે:
પ્રથમ
સોમવાર: 17 ઓગષ્ટ
બીજો સોમવાર: 24 ઓગષ્ટ
ત્રીજો સોમવાર: 31 ઓગષ્ટ
ચોથો સોમવાર: 7 સપ્ટેમ્બર

શ્રાવણ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે.

આ પવિત્ર માસ દરમિયાન અનેક ધાર્મિક પર્વો પણ આવશે. નાગ પંચમી 19 ઓગષ્ટ, રક્ષાબંધન 28 ઓગષ્ટ અને જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026ના રોજ મનાવવામાં આવશે.

શ્રાવણ માસનું મહત્વ માત્ર પરંપરા કે વ્રત સુધી સીમિત નથી. પૌરાણિક કથાઓમાં પણ આ માસને ભગવાન શિવ સાથે વિશેષ રીતે જોડવામાં આવ્યો છે. ખાસ કરીને સમુદ્રમંથનની કથા શ્રાવણની મહત્તા સમજવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સમુદ્રમંથન અને મહાદેવનું હળાહળ વિષપાન

પુરાણોમાં વર્ણવાયેલી કથા અનુસાર દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું સમુદ્રમંથન કર્યું હતું. આ દરમિયાન અમૃત સહિત અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવી, પરંતુ સૌપ્રથમ અત્યંત ભયંકર હળાહળ વિષ પ્રગટ થયું. તેની તીવ્રતા એવી હતી કે સમગ્ર સૃષ્ટિ પર સંકટ ઊભું થઈ શકે તેમ હતું.

દેવો અને અસુરો કોઈ ઉપાય ન શોધી શકતાં ભગવાન શિવની શરણમાં ગયા. લોકકલ્યાણ માટે મહાદેવે આ વિષનું પાન કર્યું અને તેને પોતાના કંઠમાં રોકી રાખ્યું. જેના કારણે તેમનું કંઠ નીલવર્ણ થયું અને તેઓ ‘નીલકંઠ’ તરીકે પ્રસિદ્ધ થયા. શિવના કંઠમાં રહેલા વિષની ગરમી શાંત કરવા દેવો દ્વારા જળ અર્પણ કરવાની પરંપરા સાથે પણ આ કથાને જોડવામાં આવે છે.

હોસ્ટેલમાં સાંપનો આતંક! એક જ રૂમમાં સૂતી 6 વિદ્યાર્થિનીઓને સાપે ડસ્યા, 3નાં મોત

0

રાતના અંધકારમાં હોસ્ટેલમાં સૂતી વિદ્યાર્થિનીઓને કદાચ અંદાજ પણ નહીં હોય કે થોડી જ ક્ષણોમાં તેમની જિંદગીમાં આટલી મોટી કરુણ ઘટના બની જશે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ઝેરી સાપે એક જ રૂમમાં સૂતી છ વિદ્યાર્થિનીઓને ડસતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને સારવાર દરમિયાન ત્રણ વિદ્યાર્થિનીઓનાં મોત થયાં હતા.

મળતી માહિતી મુજબ, ગઢચિરોલી જિલ્લાના ધાનોરા તાલુકાના જપતલાઈ ગામમાં આવેલી એક ખાનગી અનુદાનિત નિવાસી આશ્રમશાળાના હોસ્ટેલમાં આ ઘટના બની હતી. કુમ્પરલિંગો કલ્ચરલ એજ્યુકેશનલ રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત આ આશ્રમશાળાના હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ રાત્રે ઊંઘી રહી હતી.

અહેવાલો અનુસાર, રાત્રે આશરે 2:30 વાગ્યે રૂમમાં ઘૂસેલા ઝેરી સાપે એક પછી એક છ વિદ્યાર્થિનીઓને ડસી હતી. ઘટના બાદ તમામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન ત્રણ વિદ્યાર્થિનીઓનું મોત થયું હતું. અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હોસ્ટેલમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.