Home Blog Page 1157

15 માર્ચ 2023 : આજનો દિવસ આ પાંચ રાશિ માટે છે ખુબ ફળદાયક, વાંચી લો બુધવારનું રાશિફળ

15 March 2023 horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ
મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાના ભાઇ-બહેનોની પ્રગતીથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ
નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતી થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન માનસિક‌ ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

સિંહઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી નિર્ણયો રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમં વૃદ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાા યોગ બને છે. માતૃસુખ ઉત્તમ, નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી, ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતી બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ
માનસિક શાંતી વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મકરઃ
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળ તી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ
નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધા શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિ‍ષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો  પરેશાન કરે. ખોટા ખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

Gold Rate : સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

0

Tremendous jump in the price  

  • Gold Rate Today : સોના અને ચાંદીમાં હવે આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જો તમે સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર લેટેસ્ટ કિંમત ખાસ ચેક કરી લો..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 14 માર્ચ 2023ના રોજ સોનું અને ચાંદી મોંઘા થયા છે. સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ (Silver price) 66 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો  ભાવ 57772 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 66621 રૂપિયા પ્રતિ કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 56968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 57772 રૂપિયા પર આવી ગયું છે.

શું છે આજે સોના અને ચાંદીના ભાવ :

999 ટચનું 10 ગ્રામ સોનું 804 રૂપિયા મોંઘુ થઈને 57772 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 801 રૂપિયા વધીને 57541 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 ટચનું 10 ગ્રામ સોનું 737 રૂપિયા વધીને 52919ના સ્તરે પહોંચ્યું છે.

750 ટચનું સોનું 603 રૂપિયા મોંઘુ થઈને 43329ના સ્તરે પહોંચી ગયું છે.  585 પ્યોરિટીવાળું ગોલ્ડ 471 રૂપિયા વધીને 33797ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 2955 રૂપિયા વધીને 66621 રૂપિયાના સ્તરે પહોંચી છે.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ :

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો.

આ પણ વાંચો :-

India Toll Tax News : આ લોકોએ નથી ચૂકવવો પડતો ટોલ ટેક્સ, દેશમાં ક્યાંય પણ કરી શકે છે સફર

0

These people do not have  

  • India Toll Tax :  એક્સપ્રેસ વે (Expressway) હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે. જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે (Ministry of transport) એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.

ભારતનું (India) રસ્તાનું માળખું હવે સુગ્રથિત અને વ્યવસ્થિત બની રહ્યું છે. હાઈવે પર સફર કરવી આસાન બની રહી છે. પરંતુ આ માટે આપણે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. એક્સપ્રેસ વે હોય કે સ્ટેટ અને નેશનલ હાઈવે (National Highway) દરેક જગ્યાએ લોકોએ ટેક્સ આપવો પડે છે. હવે તો એમાં પણ ફાસ્ટ ટેગ (Fast tag) આવી જતા પ્રક્રિયા સરળ થઈ ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે દેશમાં કેટલીક ગાડીઓ એવી છે. જેમણે ક્યાંય પણકોઈ જ પ્રકારનો ટોલ નથી આપવો પડતો. આ માટે પરિવહન મંત્રાલયે એક યાદી જાહેર કરી છે. જેમાં લગભગ 25 લોકોનો સમાવેશ થાય છે.

આ લોકોને નથી ભરવાનો ટોલ ટેક્સ :

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના ઉપરાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી
કોઈ પણ રાજ્યના રાજ્યપાલ
ભારતના ચીફ જસ્ટિસ
લોકસભા અધ્યક્ષ
કેબિનેટ મંત્રી
કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી

સુપ્રીમ કોર્ટના જજ
સંઘના રાજ્યમંત્રી
કેન્દ્ર શાસિત પ્રદેશોના એલજી
પૂર્ણ સામાન્ય કે સમકક્ષ રેન્કના ચીફ ઑફ સ્ટાફ
કોઈ રાજ્યની વિધાનસભા પરિષદના સભાપતિ કે વિધાનસભાના અધ્યક્ષ
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
હાઈકોર્ટના જજ
સાંસદ

થલ સેનાના સેના કમાન્ડર અને અન્ય સેવાઓના સમકક્ષ, રાજ્ય સરકારના મુખ્ય સચિવ, ભારત સરકારના સચિવ, સચિવ, રાજ્યોની પરિષદ, લોકસભા સચિવની ગાડીઓને ટોલ ટેક્સ નથી આપવો પડતો.

આમને પણ મળે છે છૂટ :

આ સાથે અર્ધ સૈનિક બળો અને પોલીસ સહિતના યુનિફોર્મમાં કેન્દ્રીય અને રાજ્યના સશસ્ત્ર બળ, એક્ઝીક્યૂટિવ મેજિસ્ટ્રેટ, ફાયર ફાયટર ડિપાર્ટમેન્ટ, શબ વાહિનીને પણ ટેક્સ નથી આપવો પડતો. આ સિવાય રાજકીય યાત્રા પર આવેલા ગણમાન્ય, કોઈ રાજ્યની વિધાનસભાના સભ્ય અને સંબંધિત રાજ્યની અંદર કોઈ પણ રાજ્યની વિધાન પરિષદના સભ્ય, જો કે પોતાનું માન્ય ઓળખપત્ર બતાવે તો તેમન ટોલ ટેક્સમાંથી છૂટ મળી શકે છે.

અહીં એ જાણવું જરૂરી છે કે વાહનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તાનું નિર્માણ કરવા માટે ટોલ ટેક્સનો ઉપયોગ કરી શકાય છે. આ ગતિવિધિ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયંત્રણમાં છે. ટોલ વસૂલવા માટે ભારત સરકારે ફાસ્ટ ટેગની રજૂઆત કરી છે જે કેશલેસ ટોલ ટ્રાવેલ ચૂકવવાની પ્રક્રિયા છે.

આ પણ વાંચો :-

શું તમારા ત્યાં પણ કબૂતરોએ AC પર બનાવ્યું છે ઘર ? જોજો ઠંડી હવાના બદલે ડબ્બામાંથી નીકળશે ધૂમાડા

Is your pigeons built on AC too?
  • ભારતમાં ખૂબ જ ગરમી છે. એટલા માટે 6 મહિના માટે AC જરૂરી છે. વધુ પડતા ઉપયોગથી ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જાય છે. વધુ પડતી ગંદકીના કારણે AC ઠંડક ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે. આ કિસ્સામાં, ફિલ્ટરને ચાલુ કરતા પહેલા તેને સાફ કરો.

ગરમીની (Heat) સિઝન શરૂ થઈ ગઈ છે. ઉનાળો (Summer) આવતાની સાથે જ આપણને એસી યાદ આવે છે. એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેનું મોટું કારણ છે વધતુ જતું પ્રદૂષણ. ત્યારે ગરમીથી બચવા લોકો ઘરે એસી લગાવતા હોય છે. પણ એમાંય કબૂતરોનો (Pigeons) ત્રાસ હોય છે. જો તમારા એસી પર પણ જો કબૂતરો આવીને બેસતા હોય તો ચેતજો નહીં તો ઠંડી હવાના બદલે ડબ્બામાંથી નીકળશે ધૂમાડા.

એર ફિલ્ટર્સ સાફ કરો :

ભારતમાં ખૂબ જ ગરમી છે. એટલા માટે 6 મહિના માટે AC જરૂરી છે. વધુ પડતા ઉપયોગથી ફિલ્ટરમાં ગંદકી ભરાઈ જાય છે. વધુ પડતી ગંદકીના કારણે AC ઠંડક ઘટાડે છે અને વધુ વીજળી વાપરે છે. આ કિસ્સામાં, ફિલ્ટરને ચાલુ કરતા પહેલા તેને સાફ કરો.

કન્ડેન્સર કોઈલ સાફ કરો :

કન્ડેન્સર કોઈલ AC ના આઉટડોર યુનિટ પર સ્થિત છે. બહાર હોવાથી કબૂતરો તેમના માળાઓ બનાવે છે. જો ત્યાં વધુ પડતો કચરો હોય, તો તેઓ ગરમીને યોગ્ય રીતે મુક્ત કરી શકશે નહીં અને મશીનને ઠંડુ થવાથી અટકાવશે. કબૂતરોથી બચાવવા માટે તેની આસપાસ જાળી મૂકી શકાય છે.

જેથી પક્ષીઓ તેના પર બેસી ન જાય અને તેમનું ઘર ન બનાવે. કોઈલને સોફ્ટ બ્રશથી સાફ કરો અને તમે તમારી નળીનો ઉપયોગ કરીને બધી ધૂળ દૂર કરવા માટે હળવેથી પાણીનો છંટકાવ કરી શકો છો.

થર્મોસ્ટેટ સેટિંગ તપાસો :

જો તમારું AC અચાનક બંધ થઈ ગયું હોય તો તમારે તેનું થર્મોસ્ટેટ ચેક કરવું જોઈએ. થર્મોસ્ટેટ રૂમનું તાપમાન સેટ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે AC ને ચાલુ અને બંધ કરે છે. થર્મોસ્ટેટને યોગ્ય તાપમાન પર સેટ કરો. તે પછી પણ જો પ્રોબ્લેમ આવે તો તરત જ એન્જિનિયરને ફોન કરો.

એસી મોટર તપાસો :

જો ACના કારણે તમારું વીજળીનું બિલ વધારે આવે છે. તો તેની પાછળનું કારણ ACમાં રહેલી મોટર હોઈ શકે છે. જો મોટર બગડતી હોય તો ચોક્કસપણે સર્વિસિંગ કરાવો.

કોમ્પ્રેસર તપાસો :

ખરાબ AC કોમ્પ્રેસર કૂલિંગ સિસ્ટમને અસર કરી શકે છે. જો કોમ્પ્રેસર ખરાબ હોય. તો સાફ કરવા કરતાં કોમ્પ્રેસર બદલવું વધુ સારું છે.

આ પણ વાંચો :-

આ બોલિવુડ એક્ટ્રેસે ઝીલવા પડ્યાં અનેક રિજેક્શન, હાથમાંથી છૂટી ગઈ અનેક સારી ફિલ્મો, કારણ જાણી ચોંકી જશો

The Bollywood actress has
  • બોલિવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ જણાવ્યું કે તેણે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કર્યા છે. ઘણી વખત તો પોતાની સુંદરતાના કારણે તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood Film Industry) અભિનેત્રીઓના પ્રોજેક્શનને લઈને હંમેશા ડિબેટ થાય છે. અમુક વર્ગનું કહેવું છે કે એક્ટ્રેસના નક્કી કરવામાં આવેલા પેરામીટર્સમાં જ તેમનું સિલેક્શન થાય છે. એટલે કે તેમનો રંગ ગોરો હોય, દેખાવમાં સુંદર હોય, પાતળી હોય, લાંબી હોય.

અમુક એક્ટ્રેસે (Actress) આ વાત કબૂલી છે કે ઘણી વખત તે ખર્ચામાં ફિટ ન હોવાના કારણે તેમને ફિલ્મો ગુમાવવી પડે છે. પરંતુ અહીં દિયા મિર્જાનું સ્ટેટમેન્ટ ઈન્ડસ્ટ્રીનું અલગ પાસુ દર્શાવે છે.

દિયા મિર્જાનો મોટો ખુલાસો :

એક ખાસ વાતચીતમાં દિયાએ જણાવ્યું કે પાછલા 20 વર્ષોથી વધારે એક્ટિંગ ફિલ્ડમાં સક્રિય રહેવા છતાં તેમને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ સહન કરવા પડ્યા છે.

Dia Mirza, Vaibhav Rekhi announce birth of first child

તેમને ઘણા પ્રકારના સ્ટીરિયોટાઈપમાંથી ગુજરવું પડ્યું છે. ઘણી વખત તો તેમને પોતાની સુંદરતાના કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.

દિયાને આ કારણે કરવો પડ્યો રિજેક્શનનો સામનો :

દિયા તેના પર ડિટેલમાં વાત કરતા કહે છે કે હું હંમેશા એવા મેકર્સની સાથે કામ કરવાની ઈચ્છા રાખે છે. જેમનું સીરિયસ સિનેમા પર ફોકસ હોય. ઘણા લોકોએ મને પોતાની ફિલ્મોનો ભાગ એટલા માટે નથી બનાવી કારણ કે મારો લુક આગળ આવી જાય છે.

Dia Mirza: People Still Identify With 'Rehnaa Hai Terre Dil Mein' And It Has Become A Cult Film

મારા પર ફિલ્મ મેકર્સ એક્યુઝ લગાવે છે કે હું ખૂબ જ સુંદર દેખાઉ છું અને આ કારણે કામ નથી મળી શકતું. એવું નથી કે મને પોતાના લુકથી કમ્પલેન છે કે હું પોતાને પસંદ નથી કરતી. પરંતુ આ વાતમાં સંપૂર્ણ સત્યતા છે ઘણા એક્ટર્સને તેમના લુકના કારણે સીમિત કરી દેવામાં આવે છે. જે એક આર્ટિસ્ટ માટે સારી વાત નથી.

ફિલ્મ ‘ભીડ’ને લઈને ચર્ચામાં દિયા :

મહત્વનું છે કે દિયા હાલ અનુભવ સિન્હાની ફિલ્મ ભીડને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ લોકડાઉન પર આધારિત છે. તેમાં દિયા એક પ્રીવિલેજ્ડ માતાની ભુમિકામાં જોવા મળી રહી છે. જે પોતાની દિકરીને હોસ્ટેલથી લેવા માટે ઘરથી નિકળે છે.

આ પણ વાંચો :-

Shocking ! વિદાય ટાણે અચાનક વરરાજા કપડાં ફાડવા લાગ્યા, પરિજનોએ હાથમાં ચપ્પલ લીધી અને….જે થયું જાણીને સ્તબ્ધ થશો

0

Bye-bye, suddenly the bridegroom started tearing his clothes, the family members took

  • લગ્નોમાં જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને લીધા વગર જ પાછી ફરી જાય છે.

લગ્નોમાં (Marriages) જ્યારે વિવાદ થાય છે ત્યારે અનેકવાર એવું થાય છે કે મામલો મંડપથી લઈને પોલીસ મથક સુધી પહોંચી જતો હોય છે. કેટલાક કેસના પતાવટ થઈ જાય છે પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે જાન દુલ્હનને (Bride) લીધા વગર જ પાછી ફરી જાય છે.

આવા કેસોમાં મોટાભાગે ભૂલ છોકરાવાળાઓની જોવા મળતી હોય છે. હાલ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઝાંસીથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં જાનનું છોકરીવાળા દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ લગ્નની તમામ રસ્મો પણ શરૂ થઈ. જયમાલા બાદ દુલ્હા દુલ્હનના (bride bride) ફેરા પણ પતી ગયા. હવે વિદાયનો સમય આવ્યો. જેવા વરરાજા કારમાં બેઠા તો પડી ગયા. જમીન પર પડતાની સાથે જ વરરાજાએ એવી હરકતો ચાલુ કરી દીધી કે દુલ્હન તો સ્તબ્ધ થઈ ગઈ.

તેણે સાસરે જવાની ના પાડી દીધી. આ જોઈને મામલો ગરમાઈ ગઓ. સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. જાનૈયાઓ કોઈ પણ ભોગે દુલ્હનને લઈ જવા માટે માથાપચ્ચી કરી રહ્યા હતા. જ્યારે દુલ્હન પક્ષ વરરાજાને વાઈની બીમારી છૂપાવવા બદલ દીકરીને સાસરે ન મોકલવા માટે મક્કમ હતા.

અલીગોળ ખિડકી રહીશ દીપક શાક્યની 28 વર્ષની બહેન આરતીના લગ્ન પ્રેમનગર પોલીસ મથક હદના રાજકુમાર સાથે નક્કી થયા હતા. બે મહિના પહેલા સગાઈ થઈ અને 11 માર્ચે લગ્ન થયા. ધૂમધામથી લગ્ન થયા અને 12 માર્ચે વિદાયનો સમય આવ્યો તો બહેનને કારમાં બેસાડ્યા બાદ જ્યારે વરરાજા કારમાં બેસવા ગયા ત્યારે અચાનક બેભાન થઈને પડી ગયા. શરીર અકડાતા અને કપડાં ફાટતા જોઈને પરિજનોએ ચપ્પલ સૂંઘાડવા માંડ્યા ત્યારબાદ વરરાજા ઠીક થયા. આ જોઈને દુલ્હન ભડકી ગઈ અને કાર નીચે ઉતરીને વરરાજા સાથે જવાની ના પાડી દીધી.

બીજી બાજુ સસારીયાઓ દુલ્હનને પોતાની સાથે લઈ જવાની જીદ કરવા લાગ્યા. જેને કારણે વિવાદની સ્થિતિ સર્જાઈ ગઈ અને હંગામો મચી ગયો. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. દુલ્હન પક્ષનો આરોપ છે કે વરરાજાના વાઈની બીમારીથી પીડિત છે એ વાત તેમણે લગ્ન સમયે જણાવી નહીં. બીજી બાજુ વરરાજા પક્ષના લોકોનું કહેવું હતું કે વરરાજાને ખેંચ આવતી નથી. આ મામલો હાલ મેડિકલ તપાસ સુધી પણ પહોંચી ગયો છે. પોલીસ સમગ્ર મામલે સામાન્ય સહમતિ બનાવવામાં લાગી છે.

આ પણ વાંચો :-

બેંક-ATM માંથી રૂપિયા કાઢીને રીક્ષામાં બેસતા પહેલા સાવધાન, નહિ તો થઈ શકે છે આવું

0

Be careful before getting

  • Navsari News : બેંક અને ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી, રિક્ષામાં બેઠા બાદ મુસાફરોના સ્વાંગમાં રૂપિયા મોબાઈલ ચોરી લેતી ટોળકી ઝડપાઈ.

બેંક કે ATM માંથી રૂપિયા ઉપાડી નીકળતા લોકોને નિશાન બનાવી રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસીને તેમની નજર ચૂકવી રોકડ, મોબાઈલ ચોરતી ટોળકીના ત્રણને નવસારી (Navsari) એલસીબી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કર્યા છે. આરોપીઓ પકડાતા આંતર જિલ્લા ચોરીઓનો ભેદ ઉકેલાયો છે.

નવસારી શહેરમાં બેંક કે ATM માંથી રોકડ રૂપિયા લઈને નીકળતા લોકોને રિક્ષામાં આવતી ટોળકી છેતરતી હોવાની ફરીયાદો વધતા જિલ્લા પોલીસ સતર્ક બની હતી. જેમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બેંક અને ATM ના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. જેની સાથે જ શહેરમાં લગાવવામાં આવેલા નેત્રમ પ્રોજેક્ટના ફૂટેજ મેળવી તમામનું એનાલીસિસ કરતા ઘણી જગ્યાએ સુરત પાસિંગની રિક્ષા ઓળખાય હતી.

જેની વોચ દરમિયાન પોલીસે બાતમીને આધારે શહેરના ઝવેરી સડક પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ નજીકથી ઓળખ થયેલ સુરત પાસિંગની રિક્ષાને અટકાવી હતી. આ રીક્ષામાં બેસેલા ત્રણ યુવકોની શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસે તેમને ઝડપી આકરી પૂછપરછ કરી હતી.

સઈદ શેખ, રઈસ ઉર્ફે લલ્લા શેખ અને ઈમરાન એહમદખાનને અટકમાં લઈ પૂછપરછ કરાઈ. જેમાં થોડા દિવસો અગાઉ નવસારીમાં એક યુવાનને રિક્ષામાં બેસાડી તેના પેન્ટના ખિસ્સામાંથી 15 હજાર ચોરી કર્યાં સાથે જ શહેરમાંથી 10 ચોરીઓ કબૂલી હતી.

નવસારી એલસીબી પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓ સુરતના રહેવાસી છે અને તેઓ સુરતથી રિક્ષા ભાડે ફેરવવાના બહાને લાવતા હતા. રિક્ષામાં બે આરોપી પાછળ મુસાફરના સ્વાંગમાં બેસતા હતા. તેઓ બેંક કે ATM બહાર ઉભા રહીને જે ગ્રાહક રોકડ લઈ રિક્ષાની શોધ કરે એને ટાર્ગેટ કરીને બાદમાં મુસાફરના સ્વાંગમાં તેની સાથે બેસી તેની નજર ચૂકવી રોકડ કે મોબાઈલ ચોરી લેતા હતા. જોકે નવસારી પોલીસને હાથે ચઢ્યા બાદ આ ત્રણેય આરોપીઓ ગુજરાતના અલગ અલગ ગુનામાં જેલની હવા ખાશે.

આ પણ વાંચો :-

સુરતમાં રાત્રે અઢી વાગ્યે બ્રિજ પર આ*ઘાત કરવા પહોંચ્યા આધેડ, સતર્ક પોલીસે નીચે જાળી પકડીને બચાવી લીધા

0

In Surat at 2.30 am, the middle-aged man

  • સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પોલીસ મથક પાસેના બ્રીજ પાસે અડધી રાતે એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતા હતા.

જો કે ત્યાં હાજર પોલીસકર્મીઓની (policeman) નજર પડતા જ નજીકમાં આવેલા ફાયર સ્ટેશનથી જાળીઓ તેમજ ફાયરના અધિકારીઓને બોલાવી લીધા હતા. બીજી તરફ પોલીસકર્મીઓ બ્રીજ નીચે નેટની જાળી પકડીને ઉભા રહ્યા હતા અને આધેડ કુદતા તેને બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો (Videos) પણ સામે આવ્યો છે.

અડધી રાત્રે બ્રીજ પર આપઘાત કરવા પહોંચ્યા આધેડ :

સુરતના કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના દરમ્યાન પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરીને પોલીસ મથકે આવ્યા હતા. ત્યારે કાપોદ્રા પોલીસ મથક પાસે આવેલા બ્રીજ પર એક આધેડ બ્રીજ પર ચડીને આપઘાતનો પ્રયાસ કરતો હતો. પોલીસકર્મીઓનું ધ્યાન જતા જ ત્યાં દોડી ગયા હતા અને બીજી તરફ આધેડને સમજાવી નીચે ઉતારવાનો પ્રયાસ કરતા હતા.

દરમ્યાન કાપોદ્રા પોલીસ મથકની બાજુમાં આવેલા ફાયર સ્ટેશનથી ફાયરના અધિકારીઓને નેટની જાળી લઈને બોલાવી લીધા હતા. એક તરફ પોલીસકર્મીઓ આધેડને બ્રીજ પરથી આપઘાતનો પ્રયાસ ના કરવા સમજાવી રહ્યા હતા તો અન્ય પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટની જાળી પકડીને ઉભા હતા. સદનસીબે તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેને માથામાં થોડીક ઈજાઓ થતા તે બેભાન જેવો થઇ ગયો હતો.

નેટમાં પડીને બેભાન થઈ જતા સારવાર માટે ખસેડાયા :

આ બનાવ અંગેની જાણ 108ની ટીમને પણ કરવામાં આવી હતી. જેથી 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વધુમાં આધેડની તપાસ કરતા તેની પાસેથી કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા, જેથી તેની ઓળખ થઇ શકી ન હતી. બીજી તરફ તે આપઘાતનો પ્રયાસ કેમ કરતો હતો અને તેનું નામ શું અને ક્યાં રહેતો હતો તે જાણી શકાયું ન હતું.

તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસકર્મીઓનો રેસ્ક્યુનો વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓ બ્રીજની નીચે નેટ પકડીને ઉભા છે જ્યારે આધેડ બ્રીજ પર લટકી રહ્યો હતો. જયારે પોલીસકર્મીઓ તેને આવું પગલું ન ભરવા પણ સમજાવી રહ્યા છે તેમ છતાં આધેડ માન્યા ન હતા જોકે પોલીસની સતર્કતાથી મધ રાત્રે પણ આધેડનો જીવ બચી જવા પામ્યો છે.

આ પણ વાંચો :-

ડરના મના હૈ : અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઈ ગયા હોવાના પણ છે કિસ્સા

0

Ghostly places in Gujarat

  • Gujarat Haunted Places : ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે.

દેશ-દુનિયામાં ફરવાલાયક (walkable) અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના (Gujarat) પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો (Haunted places) છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે…

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જો કે આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.

આ પણ વાંચો :-

જેલમાં દિન દહાડે ગંદો ખેલ ! બે ડઝનથી વધુ મહિલા જેલરોએ પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ

Day Dahad dirty game in prison

  • Lady Jailer Have Sex with Prisoners : જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે.

ગુનેગારોને (Criminals) જેલમાં કેદીઓ તરીકે એટલા માટે રાખવામાં આવે છે તેઓ બહાર અન્ય કોઈ ગુનો કરી ન શકે અને તેમને સુધારવાની તક મળે. પરંતુ જેલના જવાબદાર અધિકારીઓ (Responsible Officer) જ બગડેલા હોય અને તે અધિકારી મહિલા હોય તો શું કહેવું. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે ડઝનથી વધુ મહિલા જેલરોએ જેલના કેદીઓ સાથે વારો પાડીને સંબંધ બાંધ્યા છે. આ બાબતનો ખુલાસો ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેઓ પોતે આ કાંડમાં સામેલ હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે એક જેલરને કેદી સાથેની કામુક તસવીરોની અદલા બદલી કરતાં પકડી પાડવામાં આવી છે. એ પણ ખુલાસો થયો છે કે જેલરે ચૂપચાપ એક ફોન પણ કેદીને આપ્યો હતો. જેનિફર ગવને એક ચોરને તેનો મોબાઈલ લાવવા માટે 150 યુરો આપ્યા હતા. આ કેદી દુરચારના કેસમાં 8 મહિનાથી જેલમાં છે.

એમિલી વોટસન (Emily Watson) નામની જેલરે જેલમાં બંધ ડ્રગ ડીલર જ્હોન મેગી સાથે ગઠબંધન કર્યું હતું. જોન મેગી ખતરનાક ડ્રાઇવિંગ માટે 8 વર્ષથી જેલના સળિયા પાછળ છે. અને આયેશા ગુન ભયંકર લૂંટારા ખુર્રમ રઝાકને “અત્યંત કામુક” તસવીરો અને વિડિયો મોકલવાના કેસમાં સામેલ હતી. પ્રિઝન ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ માર્ક ફેરહર્સ્ટે જેલમાં હાયરિંગનીની પ્રણાલીની ટીકા કરી છે.

જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં નોકરી મેળવનારા ઘણા લોકો પાસે જીવનનો પૂરતો અનુભવ નથી અને તેઓ કેદીઓ સાથે વ્યવહાર કરવા માટે પૂરતા ગંભીર નથી. આ આંકડાઓ એ સાબિત કરે છે કે અમે વર્ષોથી ભરતી કરનારાઓને ચેતવણી કેમ આપતા હતા.

ન્યાય મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2019 ની શરૂઆતથી કેદીઓ સાથે અયોગ્ય સંબંધો બદલ 32 મહિલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેરવિન જેલ પહેલેથી જ બ્રિટનની સૌથી આરામદાયક જેલ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા છે. અહીં કેદીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રૂમ ઉપલબ્ધ છે, જેમાં અટેચ બાથરૂમ છે. વધુમાં લોખંડના સળિયા વિના બારીઓ છે. જેલના પ્રવક્તાએ કહ્યું કે મોટાભાગનો સ્ટાફ મહેનતુ અને પ્રામાણિક છે, પરંતુ તેઓ નિયમ તોડનારાઓને પકડવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-