કર્ણાટક-મહારાષ્ટ્રમાં ૪૦ થી વધુ સ્થળો પર દરોડા, ISIS વિરૂધ્ધ NIAની કાર્યવાહી

Share this story

રાષ્ટ્રીય તપાસ એજન્સી ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૪૦ થી વધુ સ્થળો પર દરોડા પાડયા છે. NIA દ્વારા સવારથી અત્યાર સુધીમાં કુલ ૪૧ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં ૧, પુણેમાં ૨, થાણે ગ્રામીણમાં ૩૧, થાણે શહેરમાં ૯ અને ભાયંદરમાં ૧ સ્થાનની શોધ કરી છે.

આતંકવાદ વિરોધી એજન્સીના અધિકારીઓએ મહારાષ્ટ્ર અને કર્ણાટકના પોલીસ દળો સાથે મળીને આ સ્થળો પર દરોડા પાડ્યા. આ કેસ આરોપી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ દ્વારા ઘડવામાં આવેલા ગુનાહિત કાવતરાને લગતો છે, જેમણે પોતાને અલ-કાયદા અને ISIS સહિતના પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની હિંસક ઉગ્રવાદી વિચારધારા માટે પ્રતિજ્ઞા લીધી હતી અને આતંકવાદી ગેંગની રચના કરી હતી.

આતંકવાદી સંગઠનોએ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે હિંસક જેહાદ ચલાવવાનું શરૂ કર્યું અને આ માટે તેઓ ધાર્મિક વર્ગો ચલાવવા ઉપરાંત, તેઓએ તેમની સાથે સમાન વિચારધારાવાળા યુવાનોને પણ સામેલ કર્યા.  જ્યારે ISIS ના એક ધરપકડ કરાયેલા આતંકીના કબૂલાત દ્વારા ઘણા ખુલાસા થયા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં ISIS ના મોટા વિસ્ફોટોને અંજામ આપવાની તેમની યોજના હતી.

આ પણ વાંચો :-