Saturday, Mar 28, 2026

ભારતમાં કોરોનાનો નવો પ્રકાર XFG સામે આવ્યો, જાણો કેટલો ખતરનાક છે વૅરિયન્ટ

3 Min Read

ભારતમાં કોરોનાના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે, ગયા મહિનાથી વધવા માંડેલા કેસોની સંખ્યા હવે 64101 પર પહોંચી ગઈ છે. ચિંતાની વાત એ છે કે ભારતમાં કોરોનાનો એક નવો પ્રકાર પણ સામે આવ્યો છે, તેનું નામ XFG છે. આ નવો કોવિડ પ્રકાર મનુષ્યોની સૌથી મજબૂત રોગપ્રતિકારક શક્તિને પણ ટાળવામાં સક્ષમ છે. હાલમાં, આ નવા પ્રકારના 163 કેસ નોંધાયા છે, અહીં પણ મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય માનવામાં આવે છે.

દેશમાં વધતા કોરોના કેસોની વાત કરીએ તો, 22 મેના રોજ ફક્ત 257 સક્રિય દર્દીઓ હતા, જ્યારે 10 જૂનના રોજ આ આંકડો વધીને 64101 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, દેશમાં 358 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે, અહીં પણ 624 લોકો આ ચેપમાંથી સ્વસ્થ પણ થયા છે.

ભારત કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જ્યારે કોરોનાથી ભારતનું કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 1957 સક્રિય કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 7 નવા કેસ નોંધાયા. કેરળ સરકારે લક્ષણો ધરાવતા લોકો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કર્યા છે. મહારાષ્ટ્રમાં XFG વેરિયન્ટના 89 કેસ સાથે નોંધાયા છે. જે વધું ચિંતાજનક સ્થિતિ બતાવે છે. આ ઉપરાંત તમિલનાડુમાં XFG 16 કેસ, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ પોઝીટિવ કેસની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું છે XFG વેરિયન્ટ?
XFG એ ઓમિક્રોનનું રિકોમ્બિનન્ટ ઉપ-વેરિયન્ટ છે, જેનો પહેલો કેસ કેનેડામાં નોંધાયું. લેન્સેટ જર્નલ અનુસાર, XFGમાં ચાર મુખ્ય સ્પાઈક પ્રોટીન મ્યુટેશન છે, જે તેને વધુ સંક્રામક બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ વેક્સિન-પ્રેરિત ઈમ્યુનિટીને પણ માત આપી શકવામાં સક્ષમ છે. જણાવી દઈએ કે, મે 2025માં XFG વેરિયન્ટના 159 કેસ નોંધાયા, જ્યારે એપ્રિલ અને જૂનમાં બે-બે કેસ મળ્યા. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી, પરંતુ 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધી 65 દર્દીઓના મોત થયા છે. આંકડાકીય માહિતી પ્રમાણે એક અઠવાડિયામાં 50 મોત અને 3,000 નવા કેસ નોંધાયા, જે દર્શાવે છે કે વાયરસ હજુ સક્રિય છે.

INSACOG દ્વારા જીનોમ સિક્વન્સિંગ દ્વારા વેરિયન્ટ્સનું નિરીક્ષણ ચાલુ છે. વેક્સિનની પૂરતી સપ્લાય ઉપલબ્ધ છે, અને બૂસ્ટર ડોઝ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે લોકોને અપિલ કરવામાં આવી રહી છે, કે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા જાળવવા, બૂસ્ટર ડોઝ લેવા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

Share This Article