પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરવાના મામલે રાજકીય ગરમાવો વધ્યો છે. આ ઘટનાક્રમ વચ્ચે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેઓ આજે બપોરે 3 વાગ્યે પોતાનું રાજીનામું સત્તાવાર રીતે આપશે. પક્ષના સંગઠનમાં થયેલી નિમણૂકોથી કિરીટ પટેલ નારાજ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસસી મોરચાના પ્રમુખપદે જયા શાહને ફરીથી રિપીટ કરાતા વિરોધ ઊઠ્યો છે. આ મામલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના અન્ય અગ્રણીઓ સાથે ચર્ચા અને વાતચીત પણ શરૂ રાખી છે. ઘટનાને પગલે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભા કોંગ્રેસના દંડક પદેથી આપશે રાજીનામુ