ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં 5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે.

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે (22મી જુલાઈ) સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અરવલ્લીમાં 18.32 ટકા, ગાંધીનગરમાં 22 ટકા વરસાદ છે. તેમજ અમદાવાદ જિલ્લામાં 24.48 ટકા વરસાદ છે. ખેડામાં 25.42 ટકા, આણંદમાં 22 ટકા વરસાદ છે. તેમજ વડોદરામાં 24 ટકા, છોટા ઉદેપુરમાં 22 ટકા વરસાદ સાથે દાહોદ અને મહીસાગરમાં 20-20 ટકા વરસાદ છે. પંચમહાલમાં 24.77 ટકા, ડાંગમાં 22 ટકા વરસાદ સાથે સુરેન્દ્રનગરમાં 24 ટકા વરસાદ પડ્યો છે. 22મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ છે. 23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે.
આ પણ વાંચો :-