મેઘાલયના સાંસદ રિકી એ. જે. સિંગકોનનું 54 વર્ષની ઉંમર નિધન થયું છે. તેઓ ફુટબોલ રમી રહ્યા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે. તેઓ મેઘાલયના શિલોગ મતવિસ્તારના પીપલ્સ પાર્ટીના સાંસદ હતા. તેમના અચાનક નિધનથી મેઘાલયમાં શોકનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સિંગ્કોન ગુરુવાર સાંજે માવલાઇ માવિંયોગ સ્થિત એક મેદાનમાં મિત્રો સાથે ફુટબોલ રમી રહ્યા હતા. ફુટબોલ રમતી વખતે તેઓ અચાનક નીચે પડી ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ડોક્ટરોએ ઘણા પ્રયાસ કરવા છતાં રિકી એજે સિંગ્કોનનો જીવ બચાવી શકયા નહીં.
ડો. રિકી સિંગ્કોન સમર્પિત અને કરુણામયી નેતા હતા : મેઘાલયના મુખ્યમંત્રી કે. સંગમા
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે, સંગમાએ ટ્વિટ કર્યું કે, શિલોંગના માનનીય સાંસદ રિકી એજે સિંગ્કોનના આકસ્મિક નિધનથી હું અત્યંત સ્તબ્ધ અને દુઃખી છું. ડો. રિકી એક સમર્પિત અને કરુણામયી નેતા હતા, તેનામાં જનસેવા પ્રત્યેનો ઉત્સાહ અને પોતાની જનતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા હતી. તેઓ આસ્થાવાન હતા અને વિનમ્રતા, દૂરદર્શિતા અને સમાજના ઉત્થાનની સાચી ઇચ્છા સાથે સેવા કરતા હતા. આ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર, મિત્રો અને અગણિત શુભચિંતકો પ્રત્યે મારી ઉંડી સંવેદનાઓ છે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.
સાંસદ રિકી સિંગ્કોનના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શિલોંગના સાંસદ રિકી એજે સિંગ્કોનના અચાનક નિધન થવા પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ ટ્વિટમાં લખ્યું છે – શિલોંગના લોકસભા સાંસદ ડૉ. રિકી એજે સિંગકોનના નિધનથી અત્યંત દુઃખ થયું છે. મેઘાલયના લોકો પ્રત્યેની તેમની સમર્પિત સેવા માટે તેમને યાદ કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં મારા વિચારો તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.
રિકી સિંગ્કોને 3 વખતના કોંગ્રેસ સાંસદને હટાવ્યો
VVP ની ટિકિટ પર ચૂંટણી લડી તેમણે ત્રણ વખતના કોંગ્રેસ સાંસદ વિંસેન્ટ એચ. પાલાને 37 લાખ કરતા વધારે મતોથી હરાવ્યો હતો, જેનાથી મેઘાલયના રાજકારણના સમીકરણમાં મહત્વપૂર્ણ ફેરફાર આવ્યો હતો. છેવેડાના લોકો સાથે સંપર્ક અને આદિવાસી અધિકારો, શાસન અને પારદર્શિતા માટે તરફેણ કરનાર રિકી સિંગ્કોનના અચાનક નિધનથી મેઘાલય રાજ્ય અને દેશનું રાજકારણ ખાસ કરીને વીપીપીને મોટી ખોટ પડી છે.