Sunday, Mar 29, 2026

કોલકાતાની હોટેલમાં લાગી ભીષણ આગ, 14 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત

2 Min Read

પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોનાં મોત થયાં છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની શક્યતા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બુર્રાબજાર વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, પોલીસ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે હું રાજ્ય વહીવટી તંત્રને તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરું છું. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક સલામતી નિયમો બનાવવા જોઈએ.

કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું હતું કે આ એક દુ:ખદ અકસ્માત છે. સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી. મને સમજાતું નથી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે.

Share This Article