સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હરિપુરા સૌય શેરીમાં સામૂહિક આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારના પતિ, પત્ની અને પુત્રે ઝેરી દવા પી લેતા ત્રણેયના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતકોમાં 36 વર્ષીય ફૈઝ અહેમદ, તેમની પત્ની 32 વર્ષીય મુબીના અહેમદ અને 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદનો સમાવેશ થાય છે. જાણવા મળ્યા મુજબ આ પરિવાર અઠવાડિયા પહેલાં જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને સુરત પરત આવ્યો હતો. પરિવાર ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. હાલ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને પોલીસ તમામ પાસાઓ પરથી તપાસ કરી રહી છે.