દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે બુધવારે મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. આ પછી મનીષ સિસોદિયાએ કોર્ટનો આભાર માન્યો હતો. સુપ્રીમ કોર્ટે એક્સાઇઝ પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં જામીનની શરતો બદલવાની મનીષ સિસોદિયાની માંગને મંજૂર કરી છે.

મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કોર્ટનો આભાર વ્યક્ત કર્યો છે. સિસોદિયાએ ટ્વિટમાં લખ્યું- સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર, જેણે જામીનની શરત હટાવીને રાહત આપી છે. આ નિર્ણય ન્યાયતંત્રમાં મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે અને આપણા બંધારણીય મૂલ્યોની મજબૂતાઈ પણ દર્શાવે છે. હું હંમેશા ન્યાયતંત્ર અને બંધારણ પ્રત્યેની મારી ફરજોનું સન્માન કરીશ.
મનીષ સિસોદિયાની અરજી પર આજે સુનાવણી થઈ હતી. વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીએ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સિસોદિયાની માગણી મૂકી હતી. 9 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કેસોમાં સિસોદિયાને જામીન આપ્યા હતા. ઑગસ્ટમાં, સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ AAP નેતાને એમ કહીને જામીન આપ્યા હતા કે, કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં ટ્રાયલ વહેલી તકે પૂર્ણ થવાની આશામાં તેમને અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ રાખી શકાય નહીં.
આ પણ વાંચો :-