HomeGujaratઅમરેલીમાં મોટી દુર્ઘટના : રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એકનું મોત

અમરેલીમાં મોટી દુર્ઘટના : રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એકનું મોત

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

અમરેલીમાં આજે મંગળવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અમરેલીના ગિરિયા રોડ ઉપર વિમાન ક્રેશ થતાં એકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં પાયલોટનું મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.

ઘટના અંગે મળતી વધુ માહિતી પ્રમાણે અમરેલીના ગિરિયા રોડ ઉપર આવેલા રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીના પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટ થયો હતો. જેના પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પ્લેન ક્રેશ થતાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. જેના ઉપર કાબુ મેળવીને ફાયર બ્રિગેડની ટીમે આગળની કાર્યવાહી હાથધર હતી. ફાયરની ટીમે મૃતદેહને પણ કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Subscribe

Latest stories

spot_img