Wednesday, Jan 28, 2026

મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં 4 કર્મચારીઓની ધરપકડ

0 Min Read

મહીસાગરમાં ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા મળી. વાસ્મોની મહીસાગર કચેરીએ કામ કરતાં 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 કર્મચારી પાસે 4 અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. સોશિયલ કર્મચારી તરીકે ફરજ નિભાવતા હતા. સરપંચો પાસેથી કોરા લેટરપેડ લઈ ફંડની માગણી, ખોટી સહી કર્યાનો આરોપ છે. સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ થઇ છે.

Share This Article