HomeNationalજીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપથી રાજસ્થાન-મધ્યપ્રદેશમાં 11 બાળકોના મોત

જીવનરક્ષક કે જીવલેણ? ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપથી રાજસ્થાન-મધ્યપ્રદેશમાં 11 બાળકોના મોત

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

દેશમાં ચાલી રહેલી નકલી દવાના કારોબારે માસુમોનો જીવ લીધો છે. જે અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના છીંદવાડામાં 9 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે બાળકોના મોત થયા છે. આ અંગે રાજસ્થાનના ભરતપુરના પીડિત પરિવારનો આરોપ છે કે, નકલી કફ સિરપ પીધા બાદ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બાળકોને શરદીની તકલીફ બાદ સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના છીંદવાડાના પારસીયામાં કફ સિરપથી બાળકોના મૃત્યુની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં છીંદવાડામાં અત્યાર સુધીમાં નવ બાળકોના મોત થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કફ સિરપ પીધા બાદ બાળકોની કિડની ફેલ થઈ ગઈ હતી. જેની બાદ કલેક્ટરે બે કપ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.

તીર્થરાજ સાથે શું બન્યું હતું?
ભરતપુરના બે વર્ષના તીર્થરાજને ઉધરસ અને શરદી હોવાથી તેને 23 સપ્ટેમ્બરના રોજ સવારે વીરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને કફ સિરપ લખી આપ્યું હતું. તીર્થરાજને બપોરે સીરપ આપવામાં આવ્યું હતું, જે પીધા પછી એ સૂઈ ગયો હતો. જ્યારે તીર્થરાજ ચાર કલાક સુધી જાગ્યો નહીં, ત્યારે પરિવાર તેને ફરીથી તે જ હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંથી તેમને ભરતપુરની ઝેનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ભરતપુરના ડોક્ટરોએ તીર્થરાજની સારવાર કરી જોઈ, પણ તેની તબિયતમાં સુધાર ન થતાં તેને 24 સપ્ટેમ્બરના રોજ જયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. ત્રણ દિવસ પછી જયપુરની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. એ જ રીતે સીકરના પાંચ વર્ષના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું.

ડેક્સ્ટ્રોમેથોર્ફન: દવાનો પરિચય અને ઇતિહાસ
ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ એક પ્રકારની કફ-નિયંત્રક દવા છે, જેની શોધ 1950ના દાયકામાં થઈ હતી. શરૂઆતમાં તેને કોડીન જેવી વ્યસનકારક દવાઓનો સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવતો હતો. દિલ્હીના એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલના બાળરોગ ચિકિત્સક ડૉ. સુનિલ સરીનના મતે, “આ દવા મગજમાં જઈને ઉધરસની પ્રેરણા આપતા સંકેતોને અવરોધિત કરે છે. તેનો મુખ્ય ઉપયોગ સૂકી ઉધરસમાં રાહત આપવા થાય છે, જેથી દર્દીને શાંતિ અને સારી ઊંઘ મળી શકે.” આ દવા સામાન્ય રીતે સિરપ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો માટે સેવનમાં સરળ છે.

Subscribe

Latest stories

spot_img