Thursday, Oct 23, 2025

દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

2 Min Read

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. કોહલીની નિવૃત્તિ સાથે એક મહાન યુગનો અંત આવ્યો છે. કિંગ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. જોકે વિરાટે BCCIની વાત માની નહોતી. વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 2011માં ડેબ્યુ કર્યું હતું. તેણે ટેસ્ટમાં 9000થી વધુ રન બનાવ્યા હતા અને 30 સદી ફટકારી હતી.

ક્રિકેટની દુનિયામાં એક મોટા સમાચારે ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં આ જાહેરાતથી ફેન્સ દુઃખી થયા છે. ખાસ કરીને, રોહિત શર્માએ અગાઉ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું, અને માત્ર 5 દિવસ બાદ કોહલીના આ નિર્ણયે ભારતીય ક્રિકેટના એક યુગનો અંત લાવી દીધો છે.

કોહલીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી, જેમાં તેમણે ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો છે. વિરાટે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લુ પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. સાચું કહું તો, તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ તેને કેવી સફર પર લઈ જશે. તેણે તેની કસોટી કરી, તેને ઘડ્યો, અને તેને એવા પાઠ શીખવ્યા જે તે તેના બાકીના જીવન માટે તેની સાથે રાખશે.

વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લઈ રહ્યો હોવાની શનિવારે જાહેરાત કરી હતી. વિરાટની આ જાહેરાત બાદથી BCCI સતત તેને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે મનાવી રહ્યું હતું. હાલમાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જેથી BCCIને આગામી ટેસ્ટ ટુર્નામેન્ટ (ઈંગ્લેન્ડ પ્રવાસ) માટે મજબૂત ખેલાડીની શોધ રહેશે.

Share This Article