Sunday, Dec 7, 2025

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

2 Min Read

આજે દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છે. ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. મહત્વની વાત એ છે કે, બર્થ-ડેના 14 દિવસ પહેલા જ ધર્મેન્દ્રનું નિધન થયું છે. નોંધનીય છે કે, 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ઘરે જ ચાલી રહી છે સારવાર
ધર્મેન્દ્ર ઘણા સમયથી બીમાર છે. તેમને 31 ઓક્ટોબર, 2025 ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 નવેમ્બરના રોજ તેમની તબિયત અચાનક બગડી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને ઘરે લઈ જવામાં આવ્યા. ઘણા કલાકારો તેમને મળવા હોસ્પિટલમાં ગયા હતા. સલમાન ખાન, શાહરૂખ ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારોએ તેમની મુલાકાત લીધી હતી. એવા અહેવાલો હતા કે ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ ઇચ્છતી હતી કે તેમની સારવાર ઘરે જ કરવામાં આવે, તેથી જ તેમની સારવાર ઘરેથી જ કરવામાં આવી રહી હતી.

આ ફિલ્મોમાં ધર્મેન્દ્રએ કર્યુ કામ
ધર્મેન્દ્રએ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યુ. તેમણે 1960માં ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ શોલા ઔર શબનમમાં જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રએ અનપધ, બંદિની, પૂજા કે ફૂલ, હકીકત, ફૂલ ઔર પથ્થર, અનુપમા, ખામોશી, પ્યાર હી પ્યાર, તુમ હસીન મેં જવાન, સીતા ઔર ગીતા, લોફર, યાદો કી બારાત અને શોલે સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

ધર્મેન્દ્ર 89 વર્ષની ઉંમરે પણ સતત કામ કરી રહ્યાં છે. તેમણે છેલ્લે ફિલ્મ તેરી બાતોં મેં ઉલ્ઝા જિયામાં જય સિંહ અગ્નિહોત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તેઓ આગામી ફિલ્મ 21 માં જોવા મળશે. 21 25મી ડિસેમ્બરે રિલીઝ થશે. સોમવારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત, આ એક યુદ્ધ-ડ્રામા ફિલ્મ છે જેમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે.

Share This Article