જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધી 16થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે.
આ મામલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ થયા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલુ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુુુઓની હાજરી હતી જેના કારણે મૃતકાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. ઘટનાસ્થળે જતા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રેડ ક્રોસ અને સ્થાનિક વહીવટની ટીમો રાહત સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે NDRF અને SDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા અને ડેપ્યુટી કમિશનર પંકજ શર્મા સાથે વાતચીત કરીને બચાવ કાર્યની દેખરેખ રાખી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વહીવટે તાત્કાલિક પગલા લીધાં છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે SSP અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને બચાવ ટીમ મોકલી. રાજૌરી અને મેંઢરમાં પણ વાદળ ફટવાના અહેવાલો મળ્યા છે, જેના પર વહીવટની નજર છે.
મચેલ માતા યાત્રા, જે દેવી દુર્ગાના રૂપ માતા ચંડીને સમર્પિત છે, ભદ્રવાહના ચિનોટથી શરૂ થઈ મચેલ મંદિર સુધી જાય છે. આ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન ચશોતી વિસ્તારમાં ભીડ રહે છે, જેના કારણે આ ઘટનાથી નુકસાનની આશંકા વધી છે. સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્માએ જણાવ્યું કે યાત્રાને કારણે વિસ્તારમાં ભીડ હતી, અને તેઓ ઉપરાજ્યપાલ સાથે વાત કરી પરિસ્થિતિ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું, “ચશોતીમાં બાદલ ફટવાની ઘટનાથી દુઃખી છું. પરિવારો પ્રતિ સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.” તેમણે સિવિલ, પોલીસ, સેના, NDRF અને SDRFને બચાવ કાર્યને વેગ આપવા અને પ્રભાવિતોને સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા. હાલ નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે, અને ઘટનાની સત્તાવાર હતાહતોની સંખ્યા ટૂંક સમયમાં જાહેર થશે.