ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ વંશિકા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. કુલદીપ યાદવ 14 માર્ચના રોજ મસૂરીમાં લગ્ન કરશે. ક્રિકેટરના લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. આ લગ્નમાં ક્રિકેટ અને રમતગમતના ખેલાડીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત રાજકારણીઓ અને ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી શકે છે.
કુલદીપ યાદવ વંશિકા સાથે સાત ફેરા લેશે
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ વંશિકા ચઢ્ઢા સાથે 14 માર્ચના રોજ લગ્ન બંધનમાં બંધાશે. આ હાઇપ્રોફાઇલ લગ્ન મસૂરીમાં યોજાશે, જેમા કુલદીપ યાદવ વંશિકા લાગે સાત ફેરા લેશે. ઉલ્લેખનિય છે કે, વર્લ્ડ કપ પહેલા કુલદીપ યાદવે વંશિકા સાથે સગાઇ કરી હતી. હવે બંને લગ્ન કરવા લઇ જઇ રહ્યા છે. એવું કહેવાય છે કે, વંશિકા અને કુલદીપ યાદવ બાળપણના મિત્રો છે. બાળપણની મિત્રતા હવે લગ્ન સંબંધમાં ફેરવાઇ રહી છે.
CM યોગીને લગ્નનું આમંત્રણ
કુલદીપ યાદવના પિતા રામ સિંહ યાદવે લખનઉમાં સ્થિત ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી ઓફિસ જઇને સીએમ યોગી આદિત્યનાથને લગ્ન કંકોત્રી આપી છે. તો મુખ્યમંત્રીએ કુલદીપ યાદવના પરિવારને આ લગ્ન પ્રસંગની શુભકામના પાઠવી છે. આ સાથે જ લગ્નમાં હાજરી આપશે તેવું આશ્વાસન આપ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ કુલદીપ યાદવ ના લગ્નની હલ્દી અને મહેંદીનો કાર્યક્રમ 13 માર્ચે થશે. તો 14 માર્ચના રોજ મસૂરીમાં લગ્ન સમારંભ યોજાશે.
લખનઉમાં 17 માર્ચે કુલદીપ યાદવનું ગ્રાન્ડ રિસેપ્શન
કુલદીપ યાદવના લગ્ન બાદ લખનઉમાં 17 માર્ચના રોજ ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. આ મેરેજ રિસેપ્શનમાં કિક્રેટર અને રમતગમતના ખેલાડીઓ, ફિલ્મ સેલેબ્રિટી, રાજકારણીઓ અને ઘણી જાણીતી હસ્તીઓ હાજરી આપી શકે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહી શકે છે.