Wednesday, Mar 25, 2026

જાણો ક્યારે શરૂ થશે પવિત્ર ચાર ધામ યાત્રા ? આ દિવસે જ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે

2 Min Read

હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાર ધામોમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનો સમાવેશ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે કોઈ ચાર ધામ યાત્રા પૂર્ણ કરે છે, તેના બધા પાપોનો નાશ થાય છે. તેમજ તે વ્યક્તિનું જીવન સુખી અને સમૃદ્ધ બને છે. આ વર્ષે 2025માં ચાર ધામ યાત્રા એપ્રિલ માસમાં શરૂ થશે અને આ મંદિરોના કપાટ દર્શન માટે ખુલશે.

ચાર ધામ યાત્રા આ વર્ષે 30 એપ્રિલ 2025 થી શરૂ થશે. આ દિવસે જ ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર ખુલશે. કેદારનાથ મંદિરના કપાટ 2 મે 2025 ના રોજ ખુલશે. તેની બાદ બદ્રીનાથના કપાટ 4 મે 2025 ના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ઉત્તરાખંડમાં સ્થિત આ ચાર ધામોના દર્શન માટે શ્રદ્ધાળુઓ દેશના અનેક વિસ્તારોમાંથી આવે છે. ચારધામ યાત્રા 6 મહિના સુધી ચાલે છે. ત્યારબાદ હિમવર્ષાના પગલે બધા મંદિરોના કપાટ બંધ થાય છે.

૧. યમુનોત્રી

ચાર ધાર યાત્રા દરમિયાન, યમુનોત્રીના પહેલા દર્શન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે યમુનોત્રીથી તમારી યાત્રા શરૂ કરો છો, તો તમારી ચારધામ યાત્રા કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે. યમુનોત્રીમાં માતા યમુનાની પૂજા કરવામાં આવે છે. અહીં દેવી યમુનાનું મંદિર આવેલું છે.

૨. ગંગોત્રી

ચાર ધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી ધામ છે. અહીં માતા ગંગાને સમર્પિત એક મંદિર આવેલું છે. ગંગોત્રીના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે.

૩. કેદારનાથ ધામ

દરેક શિવભક્ત પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર કેદારનાથ ધામની મુલાકાત લેવા માંગે છે. કેદારનાથ ધામ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે. કેદારનાથ ચાર ધામ યાત્રાનો ત્રીજો પડાવ છે. કેદારનાથના દર્શન કરવાથી બાબા કેદારનાથના વિશેષ આશીર્વાદ મળે છે.

૪. બદ્રીનાથ

ચારધામ યાત્રા બદ્રીનાથની મુલાકાત સાથે સમાપ્ત થાય છે. , ધાર્મિક માન્યતાઓ અનુસાર, બદ્રીનાથ ધામના દર્શન કરવાથી ભક્તોના બધા પાપ ધોવાઈ જાય છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં ખુશીઓ આવે છે.

Share This Article