ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા પરશોત્તમ રૂપાલા દિલ્હીથી આજે અમદાવાદ પરત ફર્યા હતા. અને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા અને તેમણે મોટો દાવો કરતા મીડિયા સમક્ષ જણાવ્યું કે મને ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજનું સમર્થન છે. મારે આ મુદ્દે કંઈ ટિપ્પણી કરવી નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી.
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરેલ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો.
હવે ૭ એપ્રિલે સુરતમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે..સુરતના મોટા વરાછાના ગોપીન ગામમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.
આ પણ વાંચો :-