મનીષ સિસોદિયાને ન્યાયિક કસ્ટડી ૭ મે સુધી લંબાવી

Share this story

દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધે એવા સમાચાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે અને સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૭ મે સુધી લંબાવી છે. કોર્ટ રૂમમાં દલીલ પૂરી થતાં જ મનીષ સિસોદીયાના વકીલ બહાર નીકળી ગયા હતા. તેમના આવા રવૈયા સામે કોર્ટે લાલ આંખ કરી હતી.

સંજય સિંહ બાદ મનીષ સિસોદિયા પણ આવી શકે છે જેલમાંથી બહાર, જાણો કોર્ટમાં શું થયુ? | After Sanjay Singh, Manish Sisodia can also come out of jail, know what happened in the court? - Gujarati Oneindiaઆરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે, અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા.આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે સીબીઆઈએ આ દલીલનો વિરોધ કર્યો હતો.

અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે, પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬૪નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે, આ કેસની આગામી સુનાવણી ૭ મેના રોજ થશે. હકીકતમાં, આમ આદમી પાર્ટી નેતા મનીષ સિસોદિયાને ૨૪ એપ્રિલ સુધી તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-